AI કન્ટેન્ટમાં ફરજિયાત લખવું પડશે કે આ AI જનરેટેડ વિઝ્યુઅલ છે, સરકારનો આદેશ

સોશિયલ મીડિયા પર આજકાલ જે વીડિયો અને ફોટા જોવા મળે છે, તેના પર આંખ બંધ કરીને ભરોસો કરવો હવે મુશ્કેલ બની ગયો છે. ક્યારેક કોઈ નેતાનું નકલી નિવેદન વાયરલ થાય છે, તો ક્યારેક કોઈ સામાન્ય માણસનો ડીપફેક વીડિયો ફેલાય છે. AI ટુલ્સ દ્વારા કન્ટેન્ટ બનાવવું સરળ તો બન્યું છે, પરંતુ સાથે જ જૂઠ અને છેતરપિંડીના રસ્તા પણ ખુલી ગયા છે. ઘણીવાર યુઝરને ખબર પણ નથી પડતી કે જે દેખાઈ રહ્યું છે તે અસલી છે કે મશીન દ્વારા બનાવેલું.

આ જ ગરબડને નિયંત્રિત કરવા માટે સરકારે AI દ્વારા નિર્મિત કન્ટેન્ટ પર નવા નિયમો લાગુ કર્યા છે. હવે સોશિયલ મીડિયા કંપનીઓ અને યુઝર્સ બંને પર જવાબદારી લાદવામાં આવી છે. કયું કન્ટેન્ટ AI દ્વારા બનાવાયેલું છે, તે જણાવવું હવે ફરજિયાત રહેશે. નકલી અને ભ્રામક કન્ટેન્ટ પર ઝડપથી કાર્યવાહી કરવી પડશે. સરળ શબ્દોમાં કહીએ તો, ઇન્ટરનેટ પર ફેલાતા નકલી વીડિયો અને ફોટા પર હવે સરકારે બ્રેક લગાવવાનો પ્રયાસ કર્યો છે.

કોઈપણ AI વિઝ્યુઅલના 10% ભાગમાં લેબલિંગ ફરજિયાત

નિયમ મુજબ, કોઈપણ AI જનરેટેડ વિઝ્યુઅલના 10% ભાગમાં લેબલ હોવું મેન્ડેટરી (ફરજિયાત) છે. ઓડિયો અને વીડિયો ક્લિપમાં પણ 10% હિસ્સો લેબલિંગ માટે રાખવો પડશે, જેથી લોકોને ખબર પડી શકે કે આ વિઝ્યુઅલ AI જનરેટેડ છે. પ્લેટફોર્મ્સને દરેક યુઝરને પૂછવું પડશે કે જે વીડિયો અપલોડ કરવામાં આવી રહ્યો છે તે સિન્થેટિક છે કે નહીં. આ માટે પ્લેટફોર્મ્સે વેરિફિકેશન ટૂલ્સનો ઉપયોગ કરવો પડશે. જો યુઝર્સ નિયમો તોડશે, તો તેમને દર ત્રણ મહિને પેનલ્ટી (દંડ) માટે રિમાઇન્ડર આપવામાં આવશે.

01

ભારતમાં AI જનરેટેડ કન્ટેન્ટ માટેની 5 મુખ્ય જોગવાઈઓ:

AI કન્ટેન્ટ પર ટેગ લગાવવો ફરજિયાત: જો કોઈ વીડિયો, ફોટો કે ઓડિયો AI થી બનેલો હોય, તો તેને ઓળખ વગર પોસ્ટ કરી શકાશે નહીં. સોશિયલ મીડિયા કંપનીઓએ આવા કન્ટેન્ટ પર સ્પષ્ટ લેબલ બતાવવું પડશે જેથી યુઝર સમજી શકે કે તે અસલી નથી.

ફેક AI કન્ટેન્ટ 3 કલાકમાં હટાવવું પડશે: જો કોઈ પ્લેટફોર્મને ખબર પડે કે કોઈ ડીપફેક કે ભ્રામક AI કન્ટેન્ટ ફેલાઈ રહ્યું છે, તો તેને ત્રણ કલાકની અંદર હટાવવું પડશે. અગાઉ આ સમય 36 કલાકનો હતો. હવે વિલંબ થવા પર સીધી જવાબદારી કંપનીની રહેશે.

યુઝરે જણાવવું પડશે કન્ટેન્ટ AI છે કે નહીં: પોસ્ટ કરતી વખતે હવે યુઝરે પોતે જ જાહેર કરવું પડશે કે કન્ટેન્ટ AI થી બનેલું છે કે નહીં. પ્લેટફોર્મ ફક્ત યુઝરના ભરોસે નહીં રહે; કંપનીઓએ ટેક્નોલોજી દ્વારા તપાસવું પડશે કે યુઝર સાચું બોલે છે કે નહીં.

બાળકો અને ખાનગી તસવીરો બાબતે કડકાઈ: બાળકો સાથે જોડાયેલું ખોટું કન્ટેન્ટ, સહમતિ વગર બનાવેલા ફોટા કે વીડિયો, નકલી ડોક્યુમેન્ટ્સ અને હિંસા દર્શાવતું AI કન્ટેન્ટ હવે સીધું નિયમો હેઠળ હટાવી દેવામાં આવશે. આવા કિસ્સામાં પ્લેટફોર્મે કોઈની રાહ જોવી પડશે નહીં.

નિયમ તોડશો તો પ્લેટફોર્મ સામે પણ કાર્યવાહી: જો સોશિયલ મીડિયા કંપનીઓ આ નિયમોનું પાલન નહીં કરે, તો તેમની કાયદેસરની સુરક્ષા (Safe Harbour Protection) ખતમ થઈ શકે છે. મતલબ કે હવે માત્ર યુઝર જ નહીં, પણ પ્લેટફોર્મ પણ ગુના માટે જવાબદાર ગણાશે.

 

About The Author

Related Posts

Top News

પોતાના જ લગ્નનું કાર્ડ જોઈને હેરાન થયા નેતાજી, બોલ્યા- ‘કોઈએ આવવાનું નથી...’

ઈન્દોરના કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સદાશિવ યાદવ હાલમાં એક અજીબ સમસ્યામાં ફસાઈ ગયા છે. તેમના નામે...
Politics 
પોતાના જ લગ્નનું કાર્ડ જોઈને હેરાન થયા નેતાજી, બોલ્યા- ‘કોઈએ આવવાનું નથી...’

AI કન્ટેન્ટમાં ફરજિયાત લખવું પડશે કે આ AI જનરેટેડ વિઝ્યુઅલ છે, સરકારનો આદેશ

સોશિયલ મીડિયા પર આજકાલ જે વીડિયો અને ફોટા જોવા મળે છે, તેના પર આંખ બંધ કરીને ભરોસો કરવો હવે...
Tech and Auto 
AI કન્ટેન્ટમાં ફરજિયાત લખવું પડશે કે આ AI જનરેટેડ વિઝ્યુઅલ છે, સરકારનો આદેશ

નથુરામ ગોડસે નાટકનો ડિરેક્ટર બોલ્યો- દરેક વસ્તુની બે બાજુ હોય, અમે ગોડસેનો દૃષ્ટિકોણ બતાવવા માંગીએ છીએ

7 ફેબ્રુઆરીએ રાજકોટમાં જાણીતા અને પ્રતિષ્ઠિત 'હેમુ ગઢવી હોલ'  ખાતે આજે રાત્રે 'હું નથુરામ ગોડસે' નામના...
Gujarat 
નથુરામ ગોડસે નાટકનો ડિરેક્ટર બોલ્યો- દરેક વસ્તુની બે બાજુ હોય, અમે ગોડસેનો દૃષ્ટિકોણ બતાવવા માંગીએ છીએ

દૂધને પણ ન મૂક્યું, ગુજરાતમાં ડિટર્જન્ટ-યુરિયાથી દૂધ બનાવતી ફેક્ટરી પકડાઈ

ગુજરાતના સાબરકાંઠામાં ડિટર્જન્ટ, યુરિયા અને અન્ય રસાયણોનો ઉપયોગ કરીને નકલી દૂધ અને છાશ બનાવતી એક ફેક્ટરીનો પર્દાફાશ કરવામાં આવ્યો...
Gujarat 
દૂધને પણ ન મૂક્યું, ગુજરાતમાં ડિટર્જન્ટ-યુરિયાથી દૂધ બનાવતી ફેક્ટરી પકડાઈ

Opinion

ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે
(ઉત્કર્ષ પટેલ) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૃઢ નેતૃત્વ અને વિઝનરી અભિગમને કારણે 27 જાન્યુઆરી, 2026ના રોજ નવી દિલ્હીમાં યોજાયેલી 16મી ભારત-ઈયુ...
ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
Copyright (c) Khabarchhe All Rights Reserved.