વડોદરામાં ચાલીના રહીશો બુલેટ ટ્રેન પ્રોજેક્ટના કારણે બન્યા કરોડપતિ

બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે. મહત્વની વાત છે કે, અમદાવાદ અને મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. આ કામગીરી માટે જમીન સંપાદનની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે. આ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ લોકોને કરોડપતિ બનાવ્યા હોય તેવું પણ કહી શકાય. કારણ કે, વડોદરામાં 850 જેટલા લોકોને 904.41 કરોડના વળતરની ચુકવણી કરવામાં આવી છે. એટલે કે સરેરાશ એક વ્યક્તિ ને 1.6 કરોડ રૂપિયાનું વળતર આ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના કારણે મળ્યું છે એટલે કહી શકાય કે 850 જેટલા લોકો બુલેટ ટ્રેન પ્રોજેક્ટના કારણે કરોડપતિ બન્યા છે.

રિપોર્ટ અનુસાર વડોદરા શહેર અને જિલ્લામાં બુલેટ ટ્રેન સંપાદનની કામગીરી માટે 850 જેટલા લોકોને જમીન સંપાદનની પ્રક્રિયા હેઠળ વળતર આપવામાં આવ્યું હતું. આ વળતર જમીન સંપાદનની પ્રક્રિયા દરમિયાન જમીન, મકાન અને રૂટમાં આવતી દુકાનના માલિક અને આપવામાં આવ્યું છે. 850 લોકોને 904 કરોડ કરતાં વધારે વળતર ચુકવવામાં આવ્યુ છે. તેથી એક વ્યક્તિને સરેરાશ એક કરોડ કરતાં વધારે રકમ વળતર પેટે મળી છે. વડોદરા શહેરની અંદર બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત નવાયાર્ડ, નાણાવટી ચાલ, ગોકુલ ભૈયાની ચાલી સહિતના વિસ્તારોમાં જમીનનું સંપાદન કરવામાં આવી રહ્યું છે. તો જિલ્લાની વાત કરવામાં આવે તો કરજણ, ચાણસદ અને પાદરાની જમીનનું સંપાદન ચાલી રહ્યું છે.

બુલેટ ટ્રેન પ્રોજેક્ટના PRO દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે 21-2-2020થી વડોદરા શહેર અને જિલ્લામાં 145.65 હેક્ટર જમીનમાંથી કુલ 139.91 હેક્ટર જમીન સંપાદન કરવામાં આવ્યું છે. તેમણે એવું પણ જણાવ્યું હતું કે વડોદરા શહેર અને જિલ્લામાં કુલ 58.75 કિલોમીટરનો રૂટ બુલેટ ટ્રેનનો શહેરમાંથી અને જિલ્લામાંથી પસાર થશે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં વડોદરાથી લઈને વાપી સુધીના અલગ અલગ જિલ્લામાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી હાઈસ્પીડ ગતિથી આગળ વધી રહી છે. એવી પણ માહિતી મળી રહી છે કે, વડોદરામાં બુલેટ ટ્રેનના રૂટમાં જે મકાનો અને નડતરરૂપ બાંધકામ આવી રહ્યા છે તેમાંથી 98% બાંધકામનું ડીમોલેશન થઈ ચૂક્યું છે. એવી પણ માહિતી સામે આવી રહી છે કે વડોદરામાં બુલેટ ટ્રેનનું સ્ટેશન રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 7ની બાજુમાં જ બનાવવામાં આવશે.

પ્લેટફોર્મ નંબર 7 પાસે બુલેટ ટ્રેનનું સ્ટેશન બંધ હોવાના કારણે અમદાવાદ સુરતથી મુંબઈ તરફથી આવતા અને વડોદરામાંથી સુરત, અમદાવાદ અને મુંબઈ જતા મુસાફરોને મોટો ફાયદો થઈ શકે છે. તો બીજી તરફ સયાજીગંજ વિસ્તારમાં જે વડોદરાનું બસ ટર્મિનલ આવેલુ છે તેમાં એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે કે રસ્તો ઓળંગ્યાં વગર જ વોક-વે દ્વારા બસ ટર્મિનલમાંથી રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 7 પર ચાલીને પહોંચી શકાય છે. આ ઉપરાંત સિટી બસનુ સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર 7ની બાજુમાં હોવાથી આ વિસ્તાર પેસેન્જરનું હબ બને તો નવાઈ નહીં.

એવી પણ માહિતી સામે આવી રહી છે કે અમદાવાદથી મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેનનું સંચાલન થશે તેમાં કુલ 12 સ્ટેશન બનાવવામાં આવશે અને આ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની લંબાઈ 508 કિમી રહેશે અને તેની ઓપરેટિંગ સ્પીડ 320 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે એટલે મુંબઈ અને અમદાવાદ વચ્ચે નું અંતર બુલેટ ટ્રેન આવ્યા બાદ 2 કલાક 7 મિનિટનું થઈ જશે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં 55 લાખ મેટ્રિક ટન સિમેન્ટનો વપરાશ કરવામાં આવશે અને 15 લાખ મેટ્રિક ટન સ્ટીલ પણ વપરાશે.

(આ તમામ આંકડા ફેબ્રુઆરી 2022 સુધીના છે)

Top News

'વિક્રમ' નામની પહેલી મેડ ઇન ઇન્ડિયા ચિપ PM નરેન્દ્ર મોદીએ રજૂ કરી

PM નરેન્દ્ર મોદીએ ચોથી સેમિકોન ઇન્ડિયા કોન્ફરન્સની શરૂઆત સાથે ભારતના પ્રથમ ઇન્ડિયા ચિપસેટનું અનાવરણ કર્યું છે. નવી દિલ્હીમાં આયોજિત આ...
Tech and Auto 
'વિક્રમ' નામની પહેલી મેડ ઇન ઇન્ડિયા ચિપ PM નરેન્દ્ર મોદીએ રજૂ કરી

શું ભારત-રશિયા-ચીન પોતાના 'ડૉલર' બનાવશે? US અને પશ્ચિમી દેશો ગભરાઈ રહ્યા છે?

ચીનના તિયાનજિનમાં યોજાયેલી SCO સમિટથી ભારતને શું મળ્યું? SCOમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને...
World 
શું ભારત-રશિયા-ચીન પોતાના 'ડૉલર' બનાવશે? US અને પશ્ચિમી દેશો ગભરાઈ રહ્યા છે?

સુરતમાં 10 વર્ષથી ચાલતી નકલી વિઝા ફેક્ટરીનો પર્દાફાશ- મુખ્ય સુત્રધાર પ્રતીક શાહ પકડાયો

સુરત શહેર ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે, કારણ કે PCB અને SOGની સંયુક્ત ટીમે અડાજણ વિસ્તારમાંથી મોટી કાર્યવાહી કરીને નકલી...
Gujarat 
સુરતમાં 10 વર્ષથી ચાલતી નકલી વિઝા ફેક્ટરીનો પર્દાફાશ- મુખ્ય સુત્રધાર પ્રતીક શાહ પકડાયો

હરભજન સિંહનો લલિત મોદી પર આક્રમક પ્રહાર: “જૂનો વીડિયો જાહેર કરવો અયોગ્ય”

પૂર્વ ભારતીય સ્પિનર હરભજન સિંહે IPL ના પૂર્વ કમિશ્નર લલિત મોદી પર ગુસ્સો વ્યક્ત કર્યો છે. થોડા દિવસો પહેલા લલિત...
Sports 
હરભજન સિંહનો લલિત મોદી પર આક્રમક પ્રહાર: “જૂનો વીડિયો જાહેર કરવો અયોગ્ય”

Opinion

PM મોદી, શાહ, પાટીલ અને સંઘવીની આકરી ટીકા કરનાર ગોપાલને લવજી બાદશાહ માટે કેમ પ્રેમ છલકાય આવે છે? PM મોદી, શાહ, પાટીલ અને સંઘવીની આકરી ટીકા કરનાર ગોપાલને લવજી બાદશાહ માટે કેમ પ્રેમ છલકાય આવે છે?
ગુજરાતની રાજનીતિમાં પાટીદાર સમાજનું પ્રભુત્વ રહ્યું છે પછી ભલે તે કોંગ્રેસ હોય કે ભાજપ કે પછી હોય આમ આદમી પાર્ટી....
રૂપાલા, સંઘાણી અને રાદડીયાની ત્રિપુટી સૌરાષ્ટ્ર ભાજપના રાજકારણની એક નવી ધરી સાબિત થશે
ગુજરાત ભાજપના પ્રદેશના નેતાઓ અને ધારાસભ્યો જ PM મોદી અને અમિત શાહનું ધોવાણ કરી રહ્યા છે
ગુજરાત સરકારથી નારાજ અને PM મોદી સાથે લાગણીથી જોડાયેલા મતદારો અવઢવમાં છે કે હવે ભાજપને સાથ અને મત આપવો કે નહીં
મિત્રોનો ડાયરો મળ્યો હોય ત્યારે હાજરી પુરાવાનું ક્યારેય ચૂકશો નહીં
Copyright (c) Khabarchhe All Rights Reserved.