ગુજરાતની શાળાઓમાં હવે દર શનિવારે 'બેગલેસ ડે', દફતર નહીં લઈ જવાનું, તો શું કરાવશે, જાણો

ગુજરાતના શિક્ષણ વિભાગે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે મુજબ રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં હવે દર શનિવારે 'બેગલેસ ડે' અમલ કરવામાં આવશે. આ યોજના અંતર્ગત, વિદ્યાર્થીઓએ શનિવારે સ્કૂલ બેગ લઈને શાળામાં આવવાનું રહેશે નહીં. શાળા તંત્ર બાળકોને શાળા સમયગાળામાં રમતગમત, યોગ, સંગીત, ચિત્રકામ, બાલસભા જેવી વિવિધ સર્જનાત્મક અને શારીરિક વિકાસને પ્રોત્સાહન આપતી પ્રવૃત્તિઓમાં જોડાવાનો મોકો આપશે.

શાળાઓને જણાવવામાં આવ્યું છે કે, 5 જુલાઈથી આ નવી વ્યવસ્થાની અમલવારી શરૂ થશે અને દરેક શનિવાર હવે બાળકો માટે "આનંદદાયી શનિવાર" તરીકે ઉજવાશે.

no-school-bag
thehindu.com

આ પગલું નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) 2020 અને NCF-SE 2023ના દિશાનિર્દેશોને અનુરૂપ છે. આ નીતિઓ બાળકના સર્વાંગી વિકાસ પર ભાર મુકતી હોવાથી શિક્ષણ વિભાગે સ્કૂલ અભ્યાસ સાથે જીવન કૌશલ્ય, શારીરિક તંદુરસ્તી અને સર્જનાત્મકતાને પ્રોત્સાહિત કરવાનું લક્ષ્ય રાખ્યું છે.

શિક્ષણ વિભાગે સ્પષ્ટ કર્યું છે કે શનિવારના દિવસે એકમ કસોટી સિવાય અન્ય શૈક્ષણિક મૂલ્યાંકન કરાવવાનું નહીં, પરંતુ બાળકો માટે શાળા વધુ આનંદદાયી બની રહે તે દિશામાં કાર્ય કરવામાં આવશે.

અન્ય રાજ્યોના સફળ ઉદાહરણો

ગુજરાત પહેલાં પણ કેટલાક રાજ્યો જેમ કે મહારાષ્ટ્ર, કર્ણાટક અને દિલ્હીમાં 'બેગલેસ ડે'ની સફળ અમલવારી થઈ ચૂકી છે. આ રાજ્યોમાં આ પહેલને કારણે વિદ્યાર્થીઓમાં શાળાની હાજરીમાં વધારો થયો છે તેમજ શાળા પ્રત્યેનું મનોબળ પણ વધ્યું છે.

no-school-bag2
tribuneindia.com

શિક્ષણમાં મલ્ટી-ડાઇમેન્શનલ દૃષ્ટિકોણ

આ પહેલ શિક્ષણમાં મલ્ટી-ડાઇમેન્શનલ લર્નિંગ તરફનો એક મહત્વપૂર્ણ પગલું છે. તે બાળકના મનો-શારીરિક વિકાસ સાથે રમતગમત અને સર્જનાત્મક અભિવ્યક્તિને સાથે લઈ જઈને તેમને એક સંતુલિત શિક્ષણનો અનુભવ આપે છે.

 

 

 

 

 

Top News

બીલ્ડિંગમાં જેટલું ઉપર રહેવા જશો એટલો વધુ ટેક્સ આપવો પડશે

કર્ણાટકની કોંગ્રેસ સરકારે હાઇરાઇઝ્ડ બિલ્ડીંગો પર 1 ટકા ફાયર સેસ તરીકે નવો ટેક્સ લગાવવાનો નિર્ણય કર્યો છે.સરકારનું કહેવું છે કે...
Business 
બીલ્ડિંગમાં જેટલું ઉપર રહેવા જશો એટલો વધુ ટેક્સ આપવો પડશે

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

આજ ના મુહूર્તતારીખ -28-7-2025વાર - રવિવારમાસ - તિથિ-  શ્રાવણ સુદ ચૌથ આજની રાશિ - સિંહ રાત્રિના 11:58...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

રત્નકલાકારોને રાહતની સમય મર્યાદા પુરી, જાણો કેટલા કારીગરોએ ફોર્મ ભર્યા?

ડાયમંડ ઉદ્યોગમાં છેલ્લાં 3 વર્ષથી કારમી મંદી અને રત્નકલાકારો બેરોજગાર થઇ રહ્યા હોવાની બુમરાણ વચ્ચે ગુજરાત સરકારે 24 મે 2025...
Gujarat 
રત્નકલાકારોને રાહતની સમય મર્યાદા પુરી, જાણો કેટલા કારીગરોએ ફોર્મ ભર્યા?

લોકો સસ્તું સોનું ખરીદી શકે તેના માટે સરકારે કાઢ્યો આ રસ્તો

સોનાના ભાવો છેલ્લાં કેટલાંક સમયથી આસમાને પહોંચી ગયા છે. 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 1 લાખ રૂપિયાને પાર...
Business 
લોકો સસ્તું સોનું ખરીદી શકે તેના માટે સરકારે કાઢ્યો આ રસ્તો
Copyright (c) Khabarchhe All Rights Reserved.