Video: એશ્વર્યાની બર્થડે પર દીકરીએ આપી એવી સ્પિચ કે લોકો બોલ્યા- આ તો જયા...

એશ્વર્યા રાય બચ્ચનની દીકરી આરાધ્યા જ્યારે પણ તેની માતા સાથે જોવા મળે છે ત્યારે મીડિયાની નજરોમાં તે આકર્ષણું કેન્દ્ર રહે છે. આરાધ્યાની સ્કૂલના કાર્યક્રમના વીડિયો ઘણીવાર સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે. હવે એક નવી ક્લિપ સામે આવી છે. જેમાં આરાધ્યા પહેલીવાર લોકોને સ્પિચ આપતી જોવા મળી છે. આ વીડિયોમાં આરાધ્યા પોતાની માતા એશ્વર્યાની પ્રશંસા કરી રહી હતી. એશ્વર્યાની 50મી બર્થડેનો આ અવસર હતો. આ દિવસ એશ્વર્યા અને તેની દીકરીએ કેંસર દર્દીઓ સાથે સેલિબ્રેટ કર્યો. વાયરલ થયેલા આ વીડિયો પર લોકો ઘણી કમેન્ટ્સ કરી રહ્યા છે.

પેપ્સના સોશિયલ મીડિયા પર અપલોડ કરવામાં આવેલા આ વીડિયો પર લોકો આરાધ્યાને ટ્રોલ કરી રહ્યા છે. તો અમુક એશ્વર્યાની દીકરીની પ્રશંસા કરી રહ્યા છે. એશ્વર્યા રાય પોતાની માતા વૃંદા અને દીકરી આરાધ્યા સાથે પહેલી નવેમ્બરે પોતાનો જન્મદિવસ ઊજવવા માટે કેંસર દર્દીઓની વચ્ચે પહોંચી હતી. જ્યાં તેની દીકરી આરાધ્યાએ પહેલીવાર પબ્લિક સ્પીચ આપી. આરાધ્યા બોલી કે, મારી પ્યારી...મારી જિંદગી..તમે મારી જિંદગી છો. મારી મમ્મા, મને લાગે છે કે તમે જે કરી રહ્યા છો તે ખૂબ જ અગત્યનું છે. આપણે એક સાર્થક ઉદ્દેશ્યની સાથે જન્મદિવસ ઉજવી રહ્યા છે. દુનિયાની મદદ કરવી, આપણી આસપાસ જે લોકો છે તેમની મદદ કરવી. હું માત્ર એટલું કહેવા માગુ છું કે તમે જે પણ કરી રહ્યા છો તેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે. આ ખૂબ જ એક્સાઇટિંગ છે.

એશ્વર્યા પણ પોતાની દીકરીની આ સ્પિચથી ખુશ જોવા મળી. તેણે કહ્યું કે, આરાધ્યાએ કારમાં મને આ બધુ કહ્યું તો મેં તેને કહ્યું હતું કે ત્યાં જઇને પોતે જ બધુ કહી દેજે. મને ખુશી છે કે તે આવું સમજે છે.

લોકો બોલ્યા- જયા બચ્ચનની જેમ બોલે છે

આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. લોકો તેના પર ઘણી કમેન્ટ્સ કરી રહ્યા છે. એક વ્યક્તિએ લખ્યું કે, એશ્વર્યા સતત તેની દીકરીના મૂવમેન્ટ્સને રોકવાની કોશિશ કરે છે. દર વખતે પોતાની દીકરી માટે અજીબ વ્યવહાર કરે છે. તો અન્ય એક વ્યક્તિએ લખ્યું કે, શું મને જ લાગી રહ્યું છે કે એશ્વર્યા આરાધ્યાનું માઇક છીનવાની કોશિશ કરી રહી છે. તો અન્ય એક યૂઝરે લખ્યું કે, આરાધ્યા પોતાની દાદી જયા બચ્ચનની જેમ બોલે છે.

 
 
 
View this post on Instagram

A post shared by Viral Bhayani (@viralbhayani)

આ બધા ટ્રોલ્સના જવાબમાં એક યૂઝરે લખ્યું કે, આરાધ્યા માત્ર 12 વર્ષની છે. લોકોએ તેના પ્રત્યે આટલી નેગેટિવિટી ન દેખાડવી જોઇએ. એશ્વર્યાના સપોર્ટમાં એક વ્યક્તિએ લખ્યું કે, બધા તેને ખોટી સમજી રહ્યા છે. એશ્વર્યાએ જ આરાધ્યાને બોલવા માટે માઇક આપ્યું હતું.

ખેર, એશ્વર્યાએ પોતાના જન્મદિવસ પર દીકરી આરાધ્યાના હાથોથી 1 કરોડ રૂપિયાનું દાન કરાવ્યું છે. એશ્વર્યાએ પોતાના પિતાને શ્રદ્ધાંજલિ આપી છે. તેમના ફાઉન્ડેશન તરફથી આવેલી રકમથી મુંબઈમાં હોસ્પિટલ બનશે.

About The Author

Top News

8મા પગાર પંચની આ ફોર્મ્યુલા જો લાગુ થઇ તો....પગાર 18000થી વધીને 69000 થશે

કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો 8મા પગાર પંચની ખુબ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. કમિશન 15 જૂન સુધીમાં તેના સૂચનો...
Business 
8મા પગાર પંચની આ ફોર્મ્યુલા જો લાગુ થઇ તો....પગાર 18000થી વધીને 69000 થશે

મૃતકોના ખાતામાં રૂ. 128 કરોડ ટ્રાન્સફર થયા...કર્ણાટકની 'ગૃહ લક્ષ્મી' યોજનામાં છેતરપિંડી

કર્ણાટક કોંગ્રેસ સરકારની મુખ્ય 'ગૃહ લક્ષ્મી' યોજના અંગે એક ચોંકાવનારો ખુલાસો થયો છે. રાજ્યમાં મોટી ટેકનિકલ બેદરકારીને કારણે...
National 
મૃતકોના ખાતામાં રૂ. 128 કરોડ ટ્રાન્સફર થયા...કર્ણાટકની 'ગૃહ લક્ષ્મી' યોજનામાં છેતરપિંડી

'ACPના પગારમાંથી વસૂલવામાં આવે 2 લાખ રૂપિયાનું વળતર', અલ્હાબાદ હાઇકોર્ટનો ચૂકાદો

પોલીસ કમિશનરેટ સિસ્ટમ હેઠળ શાંતિ ભંગના આરોપસર વ્યક્તિઓને અટકાયતમાં લેવાની સત્તાના કથિત દુરુપયોગ અંગે અલ્હાબાદ હાઇકોર્ટે કડક વલણ અપનાવ્યું છે....
National 
'ACPના પગારમાંથી વસૂલવામાં આવે 2 લાખ રૂપિયાનું વળતર', અલ્હાબાદ હાઇકોર્ટનો ચૂકાદો

મોદી કેબિનેટમાં ફેરબદલની અટકળો, કેટલાક મંત્રીઓની વિદાય નક્કી; મોટા ફેરબદલની શક્યતા

દેશના રાજકારણમમાં એક મોટા ઘટનાક્રમના સમાચાર સામે આવી રહ્યા છે. ચાર રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીએ નવા પ્રદેશ પ્રમુખોની જાહેરાત બાદ...
Politics 
મોદી કેબિનેટમાં ફેરબદલની અટકળો, કેટલાક મંત્રીઓની વિદાય નક્કી; મોટા ફેરબદલની શક્યતા
Copyright (c) Khabarchhe All Rights Reserved.