બાબિલ ખાને બોલિવુડને ગણાવ્યું ફેક, તેનો રડતો વીડિયો વાયરલ, ઇન્સ્ટાગ્રામ ડિલીટ કર્યું

દિવંગત અભિનેતા ઇરફાન ખાનનો પુત્ર બાબિલ ખાન બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ બનાવી રહ્યો છે. આમ તો તેનું કામ ખૂબ પસંદ કરવામાં આવે છે અને ચાહકો પણ તેને ખૂબ સપોર્ટ કરે છે. આ દરમિયાન, બાબિલ ખાનનો આવો એક વીડિયો રેડિટ પર વાયરલ થયો છે, જેને જોયા પછી ચાહકો ચિંતિત થઈ ગયા છે. તેઓ સમજી શકતા નથી કે આખરે બાબિલ ખાન સાથે થયું શું છે.

Babil-Khan
timesnowhindi.com

વીડિયોમાં જોઈ શકાય છે કે, બાબિલ ખાન ખુબ પરેશાન હોય તેવો દેખાઈ રહ્યો છે અને તેની આંખોમાં આંસુ છે. ફિલ્મ ઉદ્યોગ પ્રત્યે નારાજગી વ્યક્ત કરતા તે કહે છે, 'બોલિવૂડ ખૂબ જ નકલી છે, બોલીવુડ ખૂબ જ અસંસ્કારી છે.' આ પછી, તે ઘણા કલાકારોના નામ લે છે અને પછી ધ્રુસકે ધ્રુસકે રડવા લાગે છે. ખરેખર, તાજેતરમાં જ બાબિલે આ વીડિયો તેની ઇન્સ્ટા સ્ટોરી પર શેર કર્યો હતો, પરંતુ તેણે તેને તરત જ ડિલીટ કરી દીધો. પરંતુ હવે આ વીડિયો રેડિટ પર વાયરલ થયો છે. આશ્ચર્ય છે કે, તેનું એકાઉન્ટ પણ ડિલીટ કરી દેવામાં આવ્યું છે.

બાબિલ ખાનને એમ કહેતા સાંભળી શકાય છે કે, 'મારો મતલબ એ છે કે, હું તમને ફક્ત એટલું જ કહેવા માંગુ છું કે શનાયા કપૂર, અનન્યા પાંડે, અર્જુન કપૂર, સિદ્ધાંત ચતુર્વેદી, રાઘવ જુયાલ, આદર્શ ગૌરવ અને અરિજિત સિંહ જેવા લોકો પણ છે. બીજા પણ ઘણા નામો છે. બોલીવુડ ખૂબ જ નકલી છે. બોલીવુડ ખૂબ જ અસંસ્કારી છે.'

Babil-Khan2
jagran.com

આ પછી બાબિલ કહે છે, 'બોલિવૂડ એ સૌથી નકલી છે, જેનો હું ક્યારેક ભાગ રહ્યો છું. પણ કેટલાક લોકો એવા છે જે ઈચ્છે છે કે બોલીવુડ વધુ સારું બને, હું તમને ઘણું બધું બતાવવા માંગુ છું, ઘણું બધું. મારી પાસે તમને આપવા માટે ઘણું બધું છે.'

હાલમાં આ વીડિયો પાછળનું કારણ જાણી શકાયું નથી. પરંતુ યુઝર્સે બાબિલની માનસિક સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી છે. રેડિટ યુઝર્સ આશ્ચર્ય પામી રહ્યા છે કે, શું તે ઇન્ડસ્ટ્રીમાં એકલતા અનુભવી રહ્યો છે. કેટલાક લોકોએ એવું પણ અનુમાન લગાવ્યું હતું કે, અભિનેતા કોઈ ગંભીર સમસ્યામાંથી પસાર થઈ રહ્યા છે. બાય ધ વે, બાબિલે વાયરલ વીડિયો પર કોઈ પ્રતિક્રિયા આપી નથી અને આ ક્લિપ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર પણ દેખાતી નથી.

Babil-Khan3
aajtak.in

ઘણા યુઝર્સે પોસ્ટ પર ટિપ્પણી કરી અને બાબિલ વિશે પોતાની ચિંતા વ્યક્ત કરી. એક યુઝરે લખ્યું, 'હે ભગવાન, આ ખરેખર દુઃખદ છે. તે ઘણી બધી મુસીબતોમાંથી પસાર થઈ રહ્યો છે. બીજાએ લખ્યું, 'કંઈક તો થયું છે. તે યંગ છે, ખૂબ જ સ્પર્ધાત્મક વાતાવરણમાં પિતા વિના કમજોર દેખાઈ રહ્યો છે. મને આશા છે કે તેને મદદ મળશે અને તે પહેલા કરતાં વધુ મજબૂત બનીને પાછો આવશે.'

બાબિલ ખાને ગયા અઠવાડિયે તેમના પિતા ઇરફાન ખાનની પુણ્યતિથિ પર ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ દ્વારા તેમને યાદ કર્યા. વર્ષ 2018માં, ઇરફાન ખાને ખુલાસો કર્યો હતો કે તે ન્યુરોએન્ડોક્રાઇન કેન્સરથી પીડિત છે. તેમણે એક વર્ષ સુધી UKમાં સારવાર લીધી અને પછી ફેબ્રુઆરી 2019માં ભારત પાછા ફર્યા. ત્યાર પછી તેમને મુંબઈની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, જ્યાં 29 એપ્રિલ 2020ના રોજ 53 વર્ષની વયે તેમનું અવસાન થયું.

About The Author

Top News

માસ્ક પહેરીને આવ્યો પતિ, પ્રેમી સાથે રહેતી પત્નીને હોસ્પિટલ પહોંચાડી દીધી

ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં, સંબંધોના ગૂંચવાયેલા તાંતણા સાથે સંકળાયેલા એક સનસનાટીભર્યા કિસ્સાએ સમગ્ર વિસ્તારને હચમચાવી દીધો છે. અહીં એક પતિએ...
National 
માસ્ક પહેરીને આવ્યો પતિ, પ્રેમી સાથે રહેતી પત્નીને હોસ્પિટલ પહોંચાડી દીધી

અભિનેત્રી મંદાના કરીમી પર ઈરાનમાં પ્રવેશ કરવા પર કેમ છે પ્રતિબંધ? બોલી- 'તે હજુ પણ મારો દેશ છે.'

18 વર્ષની ઉંમરે, મંદાના કરીમી ઈરાન છોડીને ભારત આવી ગઈ હતી. અહીંયા આવીને તેણે પોતાના કામ અને કારકિર્દી પર...
Entertainment 
અભિનેત્રી મંદાના કરીમી પર ઈરાનમાં પ્રવેશ કરવા પર કેમ છે પ્રતિબંધ? બોલી- 'તે હજુ પણ મારો દેશ છે.'

જબરદસ્ત ફીચર્સ સાથે આવી રહ્યો છે OnePlus 15T, 7,500mAh બેટરી, 100W ચાર્જિંગ, સ્નેપડ્રેગન 8 એલીટ પ્રોસેસર...

OnePlusના આગામી કોમ્પેક્ટ ફ્લેગશિપ, OnePlus 15T વિશે નવી માહિતી બહાર આવી છે. કંપનીના ચીનના પ્રમુખ, લી જીએ...
Tech and Auto 
જબરદસ્ત ફીચર્સ સાથે આવી રહ્યો છે OnePlus 15T, 7,500mAh બેટરી, 100W ચાર્જિંગ, સ્નેપડ્રેગન 8 એલીટ પ્રોસેસર...

સેમિફાઇનલમાં ભારતની એક નબળાઈ સામે આવી; ગંભીર-સૂર્યા આને ચેતવણી માનીને ફાઇનલ પહેલા સુધારી નાખે તો સારું!

થોડા દિવસો પહેલા, ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન માઇકલ વોને કહ્યું હતું કે, જો ભારત T20 વર્લ્ડ કપમાં બોલિંગ કરવા...
Sports 
સેમિફાઇનલમાં ભારતની એક નબળાઈ સામે આવી; ગંભીર-સૂર્યા આને ચેતવણી માનીને ફાઇનલ પહેલા સુધારી નાખે તો સારું!

Opinion

ભુપેન્દ્રભાઈ પટેલ: વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓની રાજનીતિથી દૂર રહેનાર મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ: વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓની રાજનીતિથી દૂર રહેનાર મુખ્યમંત્રી
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતની રાજનીતિમાં એક એવા મુખ્યમંત્રી ગુજરાતને મળ્યા છે જેઓ વ્યક્તિગત મહત્ત્વાકાંક્ષાઓને રાજકારણથી દૂર રાખીને પ્રજાની સેવામાં સંપૂર્ણપણે સમર્પિત...
ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.