બાબિલ ખાને બોલિવુડને ગણાવ્યું ફેક, તેનો રડતો વીડિયો વાયરલ, ઇન્સ્ટાગ્રામ ડિલીટ કર્યું

દિવંગત અભિનેતા ઇરફાન ખાનનો પુત્ર બાબિલ ખાન બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ બનાવી રહ્યો છે. આમ તો તેનું કામ ખૂબ પસંદ કરવામાં આવે છે અને ચાહકો પણ તેને ખૂબ સપોર્ટ કરે છે. આ દરમિયાન, બાબિલ ખાનનો આવો એક વીડિયો રેડિટ પર વાયરલ થયો છે, જેને જોયા પછી ચાહકો ચિંતિત થઈ ગયા છે. તેઓ સમજી શકતા નથી કે આખરે બાબિલ ખાન સાથે થયું શું છે.

Babil-Khan
timesnowhindi.com

વીડિયોમાં જોઈ શકાય છે કે, બાબિલ ખાન ખુબ પરેશાન હોય તેવો દેખાઈ રહ્યો છે અને તેની આંખોમાં આંસુ છે. ફિલ્મ ઉદ્યોગ પ્રત્યે નારાજગી વ્યક્ત કરતા તે કહે છે, 'બોલિવૂડ ખૂબ જ નકલી છે, બોલીવુડ ખૂબ જ અસંસ્કારી છે.' આ પછી, તે ઘણા કલાકારોના નામ લે છે અને પછી ધ્રુસકે ધ્રુસકે રડવા લાગે છે. ખરેખર, તાજેતરમાં જ બાબિલે આ વીડિયો તેની ઇન્સ્ટા સ્ટોરી પર શેર કર્યો હતો, પરંતુ તેણે તેને તરત જ ડિલીટ કરી દીધો. પરંતુ હવે આ વીડિયો રેડિટ પર વાયરલ થયો છે. આશ્ચર્ય છે કે, તેનું એકાઉન્ટ પણ ડિલીટ કરી દેવામાં આવ્યું છે.

બાબિલ ખાનને એમ કહેતા સાંભળી શકાય છે કે, 'મારો મતલબ એ છે કે, હું તમને ફક્ત એટલું જ કહેવા માંગુ છું કે શનાયા કપૂર, અનન્યા પાંડે, અર્જુન કપૂર, સિદ્ધાંત ચતુર્વેદી, રાઘવ જુયાલ, આદર્શ ગૌરવ અને અરિજિત સિંહ જેવા લોકો પણ છે. બીજા પણ ઘણા નામો છે. બોલીવુડ ખૂબ જ નકલી છે. બોલીવુડ ખૂબ જ અસંસ્કારી છે.'

Babil-Khan2
jagran.com

આ પછી બાબિલ કહે છે, 'બોલિવૂડ એ સૌથી નકલી છે, જેનો હું ક્યારેક ભાગ રહ્યો છું. પણ કેટલાક લોકો એવા છે જે ઈચ્છે છે કે બોલીવુડ વધુ સારું બને, હું તમને ઘણું બધું બતાવવા માંગુ છું, ઘણું બધું. મારી પાસે તમને આપવા માટે ઘણું બધું છે.'

હાલમાં આ વીડિયો પાછળનું કારણ જાણી શકાયું નથી. પરંતુ યુઝર્સે બાબિલની માનસિક સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી છે. રેડિટ યુઝર્સ આશ્ચર્ય પામી રહ્યા છે કે, શું તે ઇન્ડસ્ટ્રીમાં એકલતા અનુભવી રહ્યો છે. કેટલાક લોકોએ એવું પણ અનુમાન લગાવ્યું હતું કે, અભિનેતા કોઈ ગંભીર સમસ્યામાંથી પસાર થઈ રહ્યા છે. બાય ધ વે, બાબિલે વાયરલ વીડિયો પર કોઈ પ્રતિક્રિયા આપી નથી અને આ ક્લિપ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર પણ દેખાતી નથી.

Babil-Khan3
aajtak.in

ઘણા યુઝર્સે પોસ્ટ પર ટિપ્પણી કરી અને બાબિલ વિશે પોતાની ચિંતા વ્યક્ત કરી. એક યુઝરે લખ્યું, 'હે ભગવાન, આ ખરેખર દુઃખદ છે. તે ઘણી બધી મુસીબતોમાંથી પસાર થઈ રહ્યો છે. બીજાએ લખ્યું, 'કંઈક તો થયું છે. તે યંગ છે, ખૂબ જ સ્પર્ધાત્મક વાતાવરણમાં પિતા વિના કમજોર દેખાઈ રહ્યો છે. મને આશા છે કે તેને મદદ મળશે અને તે પહેલા કરતાં વધુ મજબૂત બનીને પાછો આવશે.'

બાબિલ ખાને ગયા અઠવાડિયે તેમના પિતા ઇરફાન ખાનની પુણ્યતિથિ પર ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ દ્વારા તેમને યાદ કર્યા. વર્ષ 2018માં, ઇરફાન ખાને ખુલાસો કર્યો હતો કે તે ન્યુરોએન્ડોક્રાઇન કેન્સરથી પીડિત છે. તેમણે એક વર્ષ સુધી UKમાં સારવાર લીધી અને પછી ફેબ્રુઆરી 2019માં ભારત પાછા ફર્યા. ત્યાર પછી તેમને મુંબઈની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, જ્યાં 29 એપ્રિલ 2020ના રોજ 53 વર્ષની વયે તેમનું અવસાન થયું.

About The Author

Top News

GPSCના ઇન્ટરવ્યૂનો વિવાદ શું છે? કેમ રદ્દ કરવામાં આવ્યા? સરદારધામનું શું કનેક્શન

ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC)ને આમ તો વિવાદો સાથે ઘનિષ્ઠ નાતો છે. પરંતુ આ વખતે વિવાદ લેખિત પરીક્ષાના...
Education 
GPSCના ઇન્ટરવ્યૂનો વિવાદ શું છે? કેમ રદ્દ કરવામાં આવ્યા? સરદારધામનું શું કનેક્શન

25 લગ્નો કરનારી લૂંટેરી દુલ્હન પકડાઇ, આ રીતે લોકોને છેતરતી હતી

રાજસ્થાનના સવાઇ માધોપુરમાં આવેલા માનટાઉન પોલીસે 25 લગ્નો કરી ચુકેલી એક લૂંટેરી દુલ્હનને પકડી પાડી છે. એક ફરિયાદને આધારે પોલીસે...
National 
25 લગ્નો કરનારી લૂંટેરી દુલ્હન પકડાઇ, આ રીતે લોકોને છેતરતી હતી

ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે નવું જ નામ ચર્ચામા, સૌરાષ્ટ્રના નેતા છે

ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખના નામમાં એક નવું નામ ઉમેરાયું છે અને આ નામ રેસમાં અત્યારે સૌથી આગળ હોવાનું માનવામાં આવી...
Politics 
ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે નવું જ નામ ચર્ચામા, સૌરાષ્ટ્રના નેતા છે

વર્ષમાં એક વખત ખૂલે છે આ ટ્રેનના દરવાજા, ભારતની એકમાત્ર ટ્રેન જે 15 દિવસમાં ફેરવે છે આખો દેશ

ટ્રેનમાં મુસાફરી કરવાની પોતાની એક અલગ મજા હોય છે. બારી પાસેની સીટ હોય અને ગરમાગરમ ચા, તો પછી ટ્રેનની...
Business 
વર્ષમાં એક વખત ખૂલે છે આ ટ્રેનના દરવાજા, ભારતની એકમાત્ર ટ્રેન જે 15 દિવસમાં ફેરવે છે આખો દેશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.