‘આપણી ઈન્ડસ્ટ્રી ચોર છે’ આમ શા માટે બોલ્યો નવાઝુદ્દીન સીદ્દિકી? બોલિવુડને સંભળાવ્યું ખરું-ખોટું

એક્ટર નવાઝુદ્દીન સીદ્દિકી બોલિવુડ એક્ટરોમાંથી એક છે જે પોતાના એક્ટિંગના દમ પર સફળતા થયા છે. તેણે ગેંગ્સ ઓફ વાસેપુર’, ‘કીક’, ‘બજરંગી ભાઈજાનમાં પોતાની એક્ટિંગનો જલવો વિખેર્યો છે. નવાઝ ઘણા અવસર પર નીડરતાથી બોલતો જોવા મળ્યો છે. હવે તેનું વધુ એક નિવેદન સતત લાઈમલાઇટ મેળવી રહ્યું છે. આ દિવસોમાં નવાઝુદ્દીન પોતાની નવી ફિલ્મ કોસ્ટાઓનું પ્રમોશન કરી રહ્યો છે. આ દરમિયાન, તે ઘણા ઇન્ટરવ્યૂમાં બોલિવુડ ઇન્ડસ્ટ્રી પર પણ વાત કરતો પણ જોવા મળ્યો. એક ઇન્ટરવ્યૂ દરમિયાન, એક્ટરે બોલિવુડ ઈન્ડસ્ટ્રીને એક જેવું જ કન્ટેન્ટ વારંવાર બનાવવા બનાવવા પર ખરું-ખોટું સંભળાવ્યું.

nawazuddin siddiqui
indianexpress.com

 

તેનું એમ પણ કહેવું હતું કે બોલિવુડ શરૂઆતથી જ કન્ટેન્ટ અન્ય જગ્યાએથી ચોરતું આવી રહ્યું છે. નવાઝુદ્દીને એક યુટ્યુબ ચેનલ પર કહ્યું કે, ‘આપણી ઈન્ડસ્ટ્રીમાં એક જ વસ્તુ વારંવાર ચલાવવામાં આવે છે. જ્યારે લોકો તેનાથી કંટાળી જાય છે, ત્યારે તેઓ એ વસ્તુનો પીછો છોડે છે. વાસ્તવમાં, દરેકની અંદર એક ડર આવી ગયો છે. તેમને લાગે છે કે જો કોઈ ફોર્મ્યૂલા ચાલી રહ્યો છે, તો તેને ઘસો. એ તેનાથી પણ ખરાબ એ થઈ ગયું છે કે એક ફિલ્મમાં 2, 3, 4 સિક્વલ થવા લાગ્યા. ક્યાંક ને ક્યાંક જેમ બેન્ક કરપ્સી (નાદારી) થાય છે, તેમ આ ક્રિએટિવપ્ટ્સી થઈ ગઈ છે. કંગાળિયત ખૂબ વધારે છે. શરૂઆતથી જ આપણી ઈન્ડસ્ટ્રી ચોર રહી છે. આપણે ગીતો અને સ્ટોરી ચોરી કર્યા છે. હવે જે ચોર હોય છે તેઓ ક્યાથી ક્રિએટિવ હોઈ શકે છે?

nawazuddin siddiqui
dailyexcelsior.com

 

નવાઝુદ્દીન સીદ્દિકીએ વધુમાં ઈન્ડસ્ટ્રી પર કહાની ઉપરાંત સીન્સ ચોરી કરવાની પણ વાત કહી છે. એક્ટરે કહ્યું કે, ‘આપણે સાઉથથી કહાની ચોરી લીધી, ક્યારેક અહીંથી ચોરી, ક્યારેક ત્યાંથી કંઈ ચોર્યું.' અહી સુધી કે જે કલ્ટ ફિલ્મો હિટ સાબિત થઈ, તેના સીન્સ પણ ચોરી કરેલા છે. તેને એટલું સામાન્ય કરી દેવામાં આવ્યું છે કે જો તે ચોરી છે તો શું થયું? ત્યારબાદ કોઈ સવાલ કરતું નથી. નવાઝુદ્દીનના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો, તેની નવી ફિલ્મ 'કોસ્ટાઓ' ZEE5 પર સ્ટ્રીમ થઈ રહી છે. તો, તે મેડોક ફિલ્મ્સની હોરર કોમેડી યુનિવર્સની ફિલ્મ 'થામા'માં પણ નજરે પડશે. જેમાં આયુષ્માન ખુરાના, રશ્મિકા મંદાના અને પરેશ રાવલ જેવા એક્ટર્સ પણ સામેલ છે. તેમની ફિલ્મ આ વર્ષે દિવાળીના અવસર પર રીલિઝ થશે.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 25-06-2026 દિવસ: ગુરુવાર મેષ: સમય અનુકુળ રહે, આવકની નવી તકો મળે, સ્વાસ્થ્ય સારું રહે. વૃષભ: સાવધાનીથી મુશ્કેલીઓમાંથી બચી શકશો,...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

બેંક ઓફ ઈન્ડિયાને ₹100 કરોડ ચૂકવશે નીરવ મોદી! બ્રિટનની કોર્ટનો આદેશ

સમાચાર એજન્સી ANI અનુસાર, ભાગેડુ ઉદ્યોગપતિ નીરવ મોદીને બ્રિટનમમાં વધુ એક કાનૂની ઝટકો લાગ્યો છે. લંડનની એક કોર્ટે તેને...
Business 
બેંક ઓફ ઈન્ડિયાને ₹100 કરોડ ચૂકવશે નીરવ મોદી! બ્રિટનની કોર્ટનો આદેશ

ગુજરાતની શાળામાં એક વિદ્યાર્થિનીએ 13 વર્ષીય વિદ્યાર્થિનીને છરી મારી દીધી, 20 ટાંકા આવ્યા

તાપી જિલ્લાના વાલોડ તાલુકામાં હચમચાવી મૂકે તેવી ગંભીર ઘટના સામે આવી છે. એક વિદ્યાર્થિનીએ પોતાની સાથે અભ્યાસ કરતી અન્ય વિદ્યાર્થિનીને...
Gujarat 
ગુજરાતની શાળામાં એક વિદ્યાર્થિનીએ 13 વર્ષીય વિદ્યાર્થિનીને છરી મારી દીધી, 20 ટાંકા આવ્યા

શું પંજાબ પોલીસે CM ભગવંત માનને બચાવવા માટે 10 લાખ રૂપિયાની લાંચ આપી હતી? 2ની ધરપકડ

પંજાબના CM ભગવંત માન સાથે સંકળાયેલા વિવાદાસ્પદ વીડિયો કેસમાં નવો વળાંક આવ્યો છે. 23 જૂનના રોજ, હરિયાણાના ગુરુગ્રામ પોલીસે ...
National 
શું પંજાબ પોલીસે CM ભગવંત માનને બચાવવા માટે 10 લાખ રૂપિયાની લાંચ આપી હતી? 2ની ધરપકડ

Opinion

ગુજરાત ભાજપ માટે માથાનો દુખાવો: કેટલાક બાબુઓ અને નેતાઓનો વ્યાપક ભ્રષ્ટાચાર ગુજરાત ભાજપ માટે માથાનો દુખાવો: કેટલાક બાબુઓ અને નેતાઓનો વ્યાપક ભ્રષ્ટાચાર
ગુજરાત રાજ્યમાં દાયકાઓથી ભારતીય જનતા પાર્ટીની સરકાર સત્તામાં છે. આ સમયગાળા દરમિયાન રાજ્યે ઔદ્યોગિક વિકાસ, માળખાકીય સુવિધાઓ, શિક્ષણ, આરોગ્ય અને...
સમર્પણ, દીર્ઘદ્રષ્ટિ અને સેવાનું પ્રતીક… સુરતના અગ્રણી સમાજસેવી અશોક કાનુંનગો
સંધ્યાકાળ અને ગૌધુલી સમયનું આપણા જીવનમાં મહત્ત્વ સમજવું આવશ્યક છે
અનારબેન પટેલ એક એવું વ્યક્તિત્વ જ્યાં ભક્તિ, સેવા અને સમર્પણ ભાવનો ત્રિવેણી સંગમ છે
ડૉ. મહેન્દ્રસિંહ ચૌહાણ જેવા વ્યક્તિત્વો સમાજ માટે પ્રકાશસ્તંભ છે, જે આંખોને રોશની આપે છે અને હૃદયોને પ્રેરણા
Copyright (c) Khabarchhe All Rights Reserved.