'શમશેરા' ફિલ્મમાં જે 400 ફુટની ટ્રેન હતી, તેનો સેટ 1 મહિનામાં તૈયાર થયો હતો

ગયા વર્ષે રીલિઝ થયેલી રણબીર કપૂરની એક્શન એન્ટરટેઈનર ફિલ્મ 'શમશેરા' બોક્સઓફિસ પર તો કંઈ ખાસ પ્રદર્શન નહોતી કરી શકી, પરંતુ ફિલ્મના સેટ્સની ખૂબ ચર્ચા થઈ હતી અને ખાસ કરીને ફિલ્મના ટ્રેન વાળા એક્શન સીનની ખૂબ ચર્ચા થઈ હતી. ત્યારે રણવીર કપૂરની આ ફિલ્મથી જોડાયેલી રસપ્રદ વાતો સામે આવી રહી છે. થોડા સમય પહેલા જ ડિરેકટર કરણ મલ્હોત્રાએ જણાવ્યું કે એક એકશન સીનને શૂટ કરવા માટે તેમને એક મહિનો લાગી ગયો હતો.

ફિલ્મ માટે રણવીરે ઘણી મહેનત કરી હતી અને તેમાં ઘણા ટ્રાન્સફોર્મેશન પણ જોઈ શકાય છે. ફિલ્મમાં તેનો ડબલ રોલ હતો. એક્ટર માટે આ સફર ઘણી ચેલેન્જીંગ રહી છે. ફિલ્મમાં ઘણા એવા સીન છે જેને પૂર્ણ કરવા મોટા મોટા સેટનું નિર્માણ કરવામાં આવ્યું હતું.  ડિરેકટર કરણ મલ્હોત્રાએ એવા જ એક ભવ્ય સેટ વિશે વાત કરી જે ખૂબ જે યુનિક અને તમે પહેલા કયારેય જોયો નહીં હશે.

એકશન સીન માટે 400 ફુટની ટ્રેન બનાવી

ફિલ્મમાં એક સીન માટે મેકર્સે 400 ફુટની ટ્રેન બનાવવી પડી હતી. આ સેટ ક્રિએટ કરવા ડિઝાઈનરો માટે ઘણું ચેલેન્જિંગ રહ્યું કારણકે આ ટ્રેનને 1800 સદીના સમયની બતાવવાની હતી, જે 400 ફુટની હોય. ફિલ્મના VFX પ્રમાણે એ ખોટું પણ ન લાગવું જોઈએ. રણવીર કપૂરનો એકશન સીન પણ એ પ્રમાણે જ શૂટ કરવાનો હતો. કરણે ખુલાસો કર્યો કે અમારા સમગ્ર સેટ ડિઝાઈનને લઈને એકશન સેટના દરેક ટુકડાઓ સુધી સારી રીતે તૈયાર કરવામાં આવ્યાં હતા. જેથી 'શમશેરા' દર્શકો માટે જબરજસ્ત સીનના અનુભવ આપી શકે. જો કે અમે સ્પષ્ટ હતાં કે અમે જે પણ કરવા જઈ રહ્યાં છે તે એ જોઈને કરવાનું રહેશે કે આ યુગનું લાગે, જેની અમે ફિલ્મમાં વાત કરી રહ્યાં છે. એવો જ એક લાર્જર ધેન લાઈફ એકશન સીન ટ્રેનમાં થાય છે.

કરણે વધુમાં કહ્યું કે મુશ્કેલીઓ ઘણી હતી કારણકે 1800 સદીની ટ્રેન મળવી શક્ય હતું નહીં. તેથી અમે એ સીનને સાચો બતાવવા માટે લગભગ 400 ફુટની ટ્રેન બનાવી. આ એક ઘણું મોટું કાર્ય હતું. હું 'શમશેરા' પ્રોડક્શન ડિઝાઈન અને YFX ટીમને આટલી મોટી જવાબદારી લેવા અને તેને આટલી સરસ રીતે ક્રિએટ કરવા માટે શુભકામનાઓ આપું છું. આ ટ્રેનને આટલા મોટા સ્તર પર બનાવવા લગભગ એક મહિનાનો સમય લાગ્યો હતો. જો હું પોતાની વાત કરું તો મને ટ્રેનમાં મોટા ભાગના એકશન સીન કરવા હતા અને હું એ બતાવવા અડગ હતો કે આ રીતનો સીન મોટા પદડા પર કેટલો ભવ્ય દેખાઈ શકે છે.

કરણે કહ્યું કે હું એકવારમાં કરવા માંગતો હતો જેથી દર્શકોને એડ્રેનલાઈનની ભીડ લાગે, એવું લાગે કે તેમણે ક્યારેય જોયું જ નથી. આ સીનને પૂર્ણ રીતે સાચો કરવાનો ક્રેડિટ રણવીરને જાય છે. મને યાદ છે કે મેં શુટીંગ પછી કહ્યું હતું કે તેઓ એકશન ફિલ્મો કરવા માટે જન્મયા છે કારણકે તેઓ સહજતાથી એક અભિનેતાના રૂપમાં કોઈપણ ભૂમિકાને દ્રઢતાથી નિભાવવા માટે ગિફટેડ છે. 'શમશેરા'માં એક એકશન હિરોના રૂપમાં તેણે શું કર્યું છે એ સમજવા માટે તમારે ફિલ્મ જોવી પડશે.

રણવીર કપૂરની ફિલ્મ 'શમશેરા'માં વાણી કપૂર અને સંજય દત્ત પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. આ ફિલ્મનું નિર્દેશન કરણ મલ્હોત્રાએ સંભાળ્યું છે. ફિલ્મ પર ઘણી મહેનત કરવામાં આવી છે. આ ફિલ્મ થિયેટરમાં 22 જુલાઈએ રીલિઝ થઈ હતી, હાલમાં તમે આ ફિલ્મને એમેઝોન પ્રાઇમ વીડિયો પર જોઈ શકો છો.

About The Author

Related Posts

Top News

‘હેરા ફેરી 3’થી બહાર પરેશ રાવલ, આખરે શું છે તેમનું બહાર થવાનું કારણ?

પ્રિયદર્શનની હિટ કોમેડી ફિલ્મ 'હેરા ફેરી'ના ફેન્સ માટે એક ખૂબ જ ખરાબ સમાચાર આવ્યા છે. એવા સમાચાર...
Entertainment 
‘હેરા ફેરી 3’થી બહાર પરેશ રાવલ, આખરે શું છે તેમનું બહાર થવાનું કારણ?

સુરત સાયલન્ટ ઝોનના 2500 કરોડના કૌભાંડમાં સરકારી અધિકારીને પુણેથી પકડી લેવાયો

સુરતના ડુમસ રોડ પર એરપોર્ટની સામે આવેલા સાયલન્ટ ઝોનમં મે 2025માં 2500 કરોડ રૂપિયાનું બોગસ પ્રોપર્ટી કાર્ડ કૌભાંડ સામે આવ્યું...
Gujarat 
સુરત સાયલન્ટ ઝોનના 2500 કરોડના કૌભાંડમાં સરકારી અધિકારીને પુણેથી પકડી લેવાયો

પાકિસ્તાન જઈ વ્લોગ બનાવનારી યૂટ્યૂબર જાસૂસીના આરોપમાં પકડાઈ, જાણો કોણ છે જ્યોતિ મલ્હોત્રા?

પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપમાં હરિયાણાની એક યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાની ધરપકડ કરવામાં આવી છે. યુટ્યુબ સહિત ઇન્સ્ટગ્રામ પર પણ જ્યોતિએ ...
National 
પાકિસ્તાન જઈ વ્લોગ બનાવનારી યૂટ્યૂબર જાસૂસીના આરોપમાં પકડાઈ, જાણો કોણ છે જ્યોતિ મલ્હોત્રા?

15 કોર્પોરેટરના રાજીનામા પર કેજરીવાલે કહ્યું- ભાજપે 5 કરોડ રૂપિયા...

દિલ્હીમાં આજે આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો હતો, જ્યારે 15 કોર્પોરેટરોએ AAPમાંથી રાજીનામું આપીને પોતાની અલગ પાર્ટી...
Politics 
15 કોર્પોરેટરના રાજીનામા પર કેજરીવાલે કહ્યું- ભાજપે 5 કરોડ રૂપિયા...
Copyright (c) Khabarchhe All Rights Reserved.