'શમશેરા' ફિલ્મમાં જે 400 ફુટની ટ્રેન હતી, તેનો સેટ 1 મહિનામાં તૈયાર થયો હતો

ગયા વર્ષે રીલિઝ થયેલી રણબીર કપૂરની એક્શન એન્ટરટેઈનર ફિલ્મ 'શમશેરા' બોક્સઓફિસ પર તો કંઈ ખાસ પ્રદર્શન નહોતી કરી શકી, પરંતુ ફિલ્મના સેટ્સની ખૂબ ચર્ચા થઈ હતી અને ખાસ કરીને ફિલ્મના ટ્રેન વાળા એક્શન સીનની ખૂબ ચર્ચા થઈ હતી. ત્યારે રણવીર કપૂરની આ ફિલ્મથી જોડાયેલી રસપ્રદ વાતો સામે આવી રહી છે. થોડા સમય પહેલા જ ડિરેકટર કરણ મલ્હોત્રાએ જણાવ્યું કે એક એકશન સીનને શૂટ કરવા માટે તેમને એક મહિનો લાગી ગયો હતો.

ફિલ્મ માટે રણવીરે ઘણી મહેનત કરી હતી અને તેમાં ઘણા ટ્રાન્સફોર્મેશન પણ જોઈ શકાય છે. ફિલ્મમાં તેનો ડબલ રોલ હતો. એક્ટર માટે આ સફર ઘણી ચેલેન્જીંગ રહી છે. ફિલ્મમાં ઘણા એવા સીન છે જેને પૂર્ણ કરવા મોટા મોટા સેટનું નિર્માણ કરવામાં આવ્યું હતું.  ડિરેકટર કરણ મલ્હોત્રાએ એવા જ એક ભવ્ય સેટ વિશે વાત કરી જે ખૂબ જે યુનિક અને તમે પહેલા કયારેય જોયો નહીં હશે.

એકશન સીન માટે 400 ફુટની ટ્રેન બનાવી

ફિલ્મમાં એક સીન માટે મેકર્સે 400 ફુટની ટ્રેન બનાવવી પડી હતી. આ સેટ ક્રિએટ કરવા ડિઝાઈનરો માટે ઘણું ચેલેન્જિંગ રહ્યું કારણકે આ ટ્રેનને 1800 સદીના સમયની બતાવવાની હતી, જે 400 ફુટની હોય. ફિલ્મના VFX પ્રમાણે એ ખોટું પણ ન લાગવું જોઈએ. રણવીર કપૂરનો એકશન સીન પણ એ પ્રમાણે જ શૂટ કરવાનો હતો. કરણે ખુલાસો કર્યો કે અમારા સમગ્ર સેટ ડિઝાઈનને લઈને એકશન સેટના દરેક ટુકડાઓ સુધી સારી રીતે તૈયાર કરવામાં આવ્યાં હતા. જેથી 'શમશેરા' દર્શકો માટે જબરજસ્ત સીનના અનુભવ આપી શકે. જો કે અમે સ્પષ્ટ હતાં કે અમે જે પણ કરવા જઈ રહ્યાં છે તે એ જોઈને કરવાનું રહેશે કે આ યુગનું લાગે, જેની અમે ફિલ્મમાં વાત કરી રહ્યાં છે. એવો જ એક લાર્જર ધેન લાઈફ એકશન સીન ટ્રેનમાં થાય છે.

કરણે વધુમાં કહ્યું કે મુશ્કેલીઓ ઘણી હતી કારણકે 1800 સદીની ટ્રેન મળવી શક્ય હતું નહીં. તેથી અમે એ સીનને સાચો બતાવવા માટે લગભગ 400 ફુટની ટ્રેન બનાવી. આ એક ઘણું મોટું કાર્ય હતું. હું 'શમશેરા' પ્રોડક્શન ડિઝાઈન અને YFX ટીમને આટલી મોટી જવાબદારી લેવા અને તેને આટલી સરસ રીતે ક્રિએટ કરવા માટે શુભકામનાઓ આપું છું. આ ટ્રેનને આટલા મોટા સ્તર પર બનાવવા લગભગ એક મહિનાનો સમય લાગ્યો હતો. જો હું પોતાની વાત કરું તો મને ટ્રેનમાં મોટા ભાગના એકશન સીન કરવા હતા અને હું એ બતાવવા અડગ હતો કે આ રીતનો સીન મોટા પદડા પર કેટલો ભવ્ય દેખાઈ શકે છે.

કરણે કહ્યું કે હું એકવારમાં કરવા માંગતો હતો જેથી દર્શકોને એડ્રેનલાઈનની ભીડ લાગે, એવું લાગે કે તેમણે ક્યારેય જોયું જ નથી. આ સીનને પૂર્ણ રીતે સાચો કરવાનો ક્રેડિટ રણવીરને જાય છે. મને યાદ છે કે મેં શુટીંગ પછી કહ્યું હતું કે તેઓ એકશન ફિલ્મો કરવા માટે જન્મયા છે કારણકે તેઓ સહજતાથી એક અભિનેતાના રૂપમાં કોઈપણ ભૂમિકાને દ્રઢતાથી નિભાવવા માટે ગિફટેડ છે. 'શમશેરા'માં એક એકશન હિરોના રૂપમાં તેણે શું કર્યું છે એ સમજવા માટે તમારે ફિલ્મ જોવી પડશે.

રણવીર કપૂરની ફિલ્મ 'શમશેરા'માં વાણી કપૂર અને સંજય દત્ત પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. આ ફિલ્મનું નિર્દેશન કરણ મલ્હોત્રાએ સંભાળ્યું છે. ફિલ્મ પર ઘણી મહેનત કરવામાં આવી છે. આ ફિલ્મ થિયેટરમાં 22 જુલાઈએ રીલિઝ થઈ હતી, હાલમાં તમે આ ફિલ્મને એમેઝોન પ્રાઇમ વીડિયો પર જોઈ શકો છો.

About The Author

Related Posts

Top News

પિરિયડ્સ માટે રજા આપવાની માંગણી પર સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટે ઇનકાર કરી દીધો

દેશભરમાં કામ કરતી મહિલાઓ અને વિદ્યાર્થીનીઓ માટે ફરજિયાત માસિક રજાની માંગ કરતી અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે...
National 
પિરિયડ્સ માટે રજા આપવાની માંગણી પર સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટે ઇનકાર કરી દીધો

LPG અછત: ગુજરાતમાં લારી-ઢાબા સંકટમાં, વેપારીઓ બોલ્યા- 2000નો ધંધો થાય છે અને બ્લેકમાં ગેસ બાટલા 3 ગણા ભાવે મળે છે

મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધને કારણે વિશ્વભરમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેના યુદ્ધમાં આખું વિશ્વ પિસાઈ રહ્યું...
Gujarat 
LPG અછત: ગુજરાતમાં લારી-ઢાબા સંકટમાં, વેપારીઓ બોલ્યા- 2000નો ધંધો થાય છે અને બ્લેકમાં ગેસ બાટલા 3 ગણા ભાવે મળે છે

લોકગાયિકા કિંજલ રબારીએ કેમ સરકાર પાસે સુરક્ષા માંગી?

ગુજરાતમાં જાણીતી મહિલા કલાકારોના આંતરજ્ઞાતીય લગ્નોને લઈને વિવાદોનો સિલસિલો યથાવત્ જોવા મળી રહ્યો છે. અગાઉ કિંજલ દવે અને આરતી સાંગાણીના...
Gujarat 
લોકગાયિકા કિંજલ રબારીએ કેમ સરકાર પાસે સુરક્ષા માંગી?

એક ગુગલની સર્ચ લાંચિયા કલેક્ટર રાજેન્દ્ર પટેલને ભારે પડી, જામીન ન મળ્યા 

જમીન એનએ કરવાના કેસમાં કરોડો રૂપિયાની લાંચ લેવાના આરોપસર જેલવાસ ભોગવી રહેલા કલેક્ટર રાજેન્દ્ર કુમાર પટેલને સ્પેશિયલ પીએમએલએ કોર્ટે જામીન...
Gujarat 
એક ગુગલની સર્ચ લાંચિયા કલેક્ટર રાજેન્દ્ર પટેલને ભારે પડી, જામીન ન મળ્યા 

Opinion

બાવકુભાઈ ઉંધાડ: નીડર પાટીદાર ખેડૂત નેતા અને સમર્પિત સેવક બાવકુભાઈ ઉંધાડ: નીડર પાટીદાર ખેડૂત નેતા અને સમર્પિત સેવક
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતના અમરેલી જિલ્લામાં ખેડૂતોના હિત માટે અવાજ ઉઠાવનાર અને રાજકીય સામાજિક ક્ષેત્રે લાંબી સફર કરનાર એક સૌસ્વીકૃત નામ...
માતા-પિતાના સ્નેહનું ઋણ ચૂકવી શકાય નહીં પરંતુ તેમની સેવા કરી, આદર તથા સાથ આપીને જ થોડું ઘણું ચૂકવી શકાય
જે લોકો ચૂપચાપ સેવા કરે છે તેઓ જ આ સમાજના અસલી હીરો છે
નિર્લિપ્ત રાય-એક ધૂરંધર IPS ઓફિસર જેનાથી ગુનેગારો જ નહીં નેતા અને પોલીસ પણ ડરે છે!
ગ્રીનલેબ ડાયમંડ્સ: મુકેશભાઈ પટેલ રાષ્ટ્રભક્તિ અને પાટીદાર સમાજ પ્રત્યે અમૂલ્ય યોગદાન આપનાર વ્યક્તિત્વ
Copyright (c) Khabarchhe All Rights Reserved.