રામાનંદ સાગરની રામાયણને બનાવવા આટલા કરોડ લાગેલા, કમાણીનો આંકડો કરી દેશે હેરાન

રામાયણ’ પર ઘણી ધરવાહિકો બની, ટી.વી. પર પ્રસારિત પણ થઈ, પરંતુ જે લોકપ્રિયતા વર્ષ 1987માં રામાનંદ સાગરની ‘રામાયણ’ને મળી તે કોઈ બીજાને ન મળી શકી. લોકોને રામાનંદ સાગરની ‘રામાયણ’ એટલી પસંદ આવી હતી કે તેઓ તેને જોવા માટે પોતાનું આખું કામ છોડી દેતા હતા. લોકો આ સીરિયલમાં ‘ભગવાન રામ’ની ભૂમિકા ભજવતા ‘અરુણ ગોવિલ’ અને માતા સીતાની ભૂમિકા ભજવતી ‘દીપિકા ચિખલિયા’ને જ અસલી રામ અને સીતાની જોડી માનવા લાગ્યા હતા.

આજે પણ જો ક્યાંક અરુણ ગોવિલ અને દીપિકા ચિખલિયા નજરે પડી જાય તો તેમને પગે પડવા લાગે છે. ‘રામાયણ’ની આ લોકપ્રિયતાએ મેકર્સને લાખપતિ બનાવી દીધા હતા. મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવે છે કે રામયણના એક એપિસોડને શૂટ કરવા માટે રામાનંદ સાગર 9 લાખ રૂપિયા ખર્ચ કરી દેતા હતા. જો કે, ‘રામાયણ’ના એક એપિસોડ પર એટલા પૈસા લાગ્યા છતા તેઓ માલામાલ થઈ જતા હતા. એક એપિસોડથી મેકર્સ 40 લાખ રૂપિયાની કમાણી કરી લેતા હતા. એટલે કે 7 કરોડમાં બનેલા 78 એપિસોડથી કુલ 31.4 કરોડ રૂપિયાની કમાણી થઈ હતી.

રામાનંદ સાગરની ‘રામાયણ’ને માત્ર ભારતમાં જ નહીં, પરંતુ 55 દેશોમાં ટેલિકાસ્ટ કરવામાં આવી હતી. એ સમયે આ શોની વ્યૂઅરશિપ 650 મિલિયન હતી. રામાનંદ સાગરની ‘રામાયણ’નો આ રેકોર્ડ આજ સુધી કોઈ તોડી શક્યું નથી. રસપ્રદ વાત એ છે કે, રામાનંદ સાગરની ‘રામાયણ’ માત્ર વર્ષ 1987માં જ નહીં, આજે પણ પોપ્યુલર છે. કોરોનાના સમયે લાગેલા લોકડાઉનના સમયે જ્યારે ‘રામાયણ’ને ફરી દૂરદર્શન પર પ્રસારિત કરવામાં આવી હતી, ત્યારે આ શૉના એપિસોડને 7.7 કરોડ લોકોએ જોઈ હતી, જેની સાથે આ સીરિયલ ફરી એક વખત સૌથી વધુ જોવાનારો શો બની ગયો હતો.

ગુરુવારે ઠેર-ઠેર રામનવમીનો જુલૂસ કાઢવામાં આવ્યો હતો. દરેક શુભેછા પાઠવી રહ્યું હતું. આ ખાસ અવસર પર રામાનંદ સાગરની સીરિયલ રામાયણમાં સીતાની ભૂમિકા ભજવીને પોતાની ઓળખ બનાવનારી એક્ટ્રેસ દીપિકા ચિખલિયાએ ફેન્સને રામનવમીની શુભેચ્છા પાઠવી હતી. દીપિકાએ 35 વર્ષ જૂના ‘રામાયણ’ લૂકને રીક્રિએટ કર્યો હતો, જેને જોઈને ફેન્સની ખુશીનું ઠેકાણું રહ્યું નહોતું. દીપિકા ચિખલિયાએ ભગવા સાડે પહેરીને એક વીડિયો શેર કર્યો હતો.

About The Author

Related Posts

Top News

સોમાલિયાના ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર સડસડાટ હિન્દીમાં વાત કરી શકે છે

જ્યારે વિશ્વના સૌથી મોટા વેપાર મંચ દાવોસ ૨૦૨૬માં સોમાલિયાના ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર સલાહ અહમદ જમા ઇન્ટરવ્યૂ દરમિયાન અચાનક શુદ્ધ અને...
National 
સોમાલિયાના ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર સડસડાટ હિન્દીમાં વાત કરી શકે છે

'બેબી શાવર બંધ, દાંડિયારાસ, DJ બંધ...' રબારી સમાજે વિવિધ 11 મુદ્દાઓ પર ઘડ્યું બંધારણ

બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં આવેલ સમશેરપુરા ખાતે આગામી 25 જાન્યુઆરીના રોજ રબારી સમાજનું એક વિશાળ મહાસંમેલન યોજાયું હતું. આ સંમેલન...
Gujarat 
'બેબી શાવર બંધ, દાંડિયારાસ, DJ બંધ...' રબારી સમાજે વિવિધ 11 મુદ્દાઓ પર ઘડ્યું બંધારણ

‘મારા બાળકોનો શું વાંક?’ પાકિસ્તાની મહિલા રેહાનાએ PM મોદીને કરી આજીજી

માતૃત્વની વેદના અને વિરહના આંસુ સાથે રેહાનાએ પાકિસ્તાનથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આજીજી કરી રહી છે કે ભારત આવવામાં તેની મદદ...
Gujarat 
‘મારા બાળકોનો શું વાંક?’ પાકિસ્તાની મહિલા રેહાનાએ PM મોદીને કરી આજીજી

એન્જિનિયરોએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું! નદી પર નહીં ખેતરોની વચ્ચોવચ પુલ ઊભો કરી દીધો

બિહારના કિશનગંજ જિલ્લામાં એન્જિનિયરો નદી કે નાળાને બદલે ખેતરમાં પુલ બનાવીને બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે. જ્યા એક તરફ જનતા પુલ...
National 
એન્જિનિયરોએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું! નદી પર નહીં ખેતરોની વચ્ચોવચ પુલ ઊભો કરી દીધો

Opinion

ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે? ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
આમ આદમી પાર્ટીના વિસાવદર વિધાનસભાના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા ગુજરાતના રાજકારણમાં તેમની આક્રમક, તાર્કિક અને ક્યારેક વધુપડતી તીખી ભાષા માટે જાણીતા...
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
રામ મંદિર એક વિચારની પુનઃસ્થાપના છે જ્યાં શાસન નહીં પણ સેવા સર્વોપરી છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.