ગુજરાતના નાણા મંત્રી કનુ દેસાઇએ 20 ફેબ્રુઆરી પોતાનું ચોથું બજેટ રજૂ કર્યું. ગુજરાતનું કુલ 3 લાખ 70 હજાર 250 કરોડ રૂપિયાનું બજેટ જાહેર કરવામાં આવ્યું. આ બજેટમાં ખેડુતો, યુવાનો, મહિલાઓ ઉદ્યોગ બધા માટે જાહેરાત કરવામાં આવી છે.
જો કે સુરતના ડાયમંડ ઉદ્યોગ માટે ખાસ કરીને રત્નકલાકારો માટે કોઇ વિશષ જાહેરાત કરવામાં આવી નથી. ટેક્સટાઇલ ઉદ્યોગ માટે 2000 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે, જેનો સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને ફાયદો મળી શકે છે. સુરત માટે એરપોર્ટ વિસ્તરણની જાહેરાત કરવામાં આવી છે અને ઇકોનોમિક રિજીયન સહિત 6 ગ્રોથ હબ બનાવવાની પણ જાહેરાત કરવામાં આવી છે.
સુરતના ડાયમંડ ઉદ્યોગમાં લાંબા સમયથી મંદી હોવાને કારણે રત્નકલાકારો માટેના પેકેજની ડાયમંડ વર્કર યુનિયન દ્વારા અનેક વાર રજૂઆત કરવામાં આવી હતી.