આ સોરી કહેનારાઓથી બચીને રહેજો

(Utkarsh Patel) ક્ષમાયાચના! હૃદયથી ક્ષમા માંગનાર ગમે તેવી ભૂલ કરે એને માફ કરી શકાય. કોઇ વ્યક્તિ એમનાથી જાણ્યે અજાણ્યે થયેલી ભૂલ માટે હૃદયથી માફી માંગે એ વાતને માન આપવું જોઈએ. એ સોરી એટલે કે હૃદયથી નીકળેલો પસ્તાવો. માફ કરી દેવાય આવા હૃદયભાવ વાળા વ્યક્તિઓને.

એક બીજા પ્રકારનું પણ સોરી આવે છે જેની આજે વાત કરીએ.

મગજની બુદ્ધિથી કહેવાતું સોરી.

કેવા હોય આ બુદ્ધિના સોરી?

આવા...

- કોઈકના પર તમને ખૂબ વ્હાલ હોય વિશ્વાસ હોય અને તમારા સંકટના સમયમાં સોરી કહીને ખસી જનારા.

- કોઈકના ભરોસે તમે અગત્યના નિર્ણય લીધા હોય અને જરૂરના સમયે તમને સોરી કહી દેનારા.

આ પ્રકારના સોરી કહી દેનારા લોકોથી બચીને રહેવું જોઈએ. પરખ કરીને જ કોઈકની પાસે સથવારા કે સહયોગની આશા રાખજો.

મારી વાત... હું ક્યારેય કોઈકના ભરોસે કે કોઈકની આશામાં કંઈ જ નિર્ણય લેતો નથી એટલે આવા લોકોને ખોટી આશાઓ આપનારા અને મગજથી સોરી કહેનારાઓ મારી આસપાસ ભટકતા જ નથી.

તમે તમારી આસપાસ નજર દોડાવી આવા ખરા સમયે સોરી કહી દેનારા અને કહી શકનારા મગજવાળા લોકોને બને તેટલા જલ્દી ઓળખી કાઢો અને રામ રામ કરી દો. સંબંધો કાપવાના નથી બસ એમની સાથેની લાગણીઓને રામ રામ કહી દો.

શોધો શોધો મગજથી સોરી કહી શકનારાઓને.

મગજ વાળા હૃદય વાળાને સોરી કહીને છેતરી જતા હોય છે.

અગત્યનું:

કોઈની પાસે આશાઓ રાખશો નહીં કેમ કે આપણને નથી ખબર કે કોણ કયા લક્ષ્ય અને આશા અપેક્ષા સાથે સબંધ રાખી રહ્યું છે. કોઈકનાથી નિરાશ થવા કરતા આશા નહીં રાખીને જાત મહેનત કરી લેવી વધુ સારી.

About The Author

UD Picture

Top News

પહેલગામની ઘટના પછી કોંગ્રેસ નેતા રાહુલ ટેન્શનમાં કેમ છે?

કાશ્મીરના પહેલગામની ઘટના પછી કોંગ્રેસના કેટલાંક નેતાઓ પોતાની જ પાર્ટીની ફજેતી કરી રહ્યા છે. કર્ણાટકના મુખ્યમંત્રી અને સિનિયર નેતા સિદ્ધાર્થ...
National 
પહેલગામની ઘટના પછી કોંગ્રેસ નેતા રાહુલ ટેન્શનમાં કેમ છે?

નાની ઉંમરમાં જ કેમ વધી રહ્યા છે બાળકોના ચશ્માના નંબર? જાણો કારણો અને નિવારણના પગલાં

આજકાલ નાના બાળકોમાં ચશ્મા પહેરવાની સમસ્યા ઝડપથી વધી રહી છે. પહેલા ચશ્મા પહેરવાનું ઉંમર વધવાની સાથે જોવા મળતું હતું, જ્યારે...
Lifestyle 
નાની ઉંમરમાં જ કેમ વધી રહ્યા છે બાળકોના ચશ્માના નંબર? જાણો કારણો અને નિવારણના પગલાં

પહેલગામની ઘટના પછી ફલાઇટના ભાવમાં તોતિંગ વધારો

પહેલગામની ઘટના પછી ફલાઇટના ભાવમાં તોતિંગ વધારો થયો હોવાનું જાણવા મળ્યું છે. શ્રીનગરથી અમદાવાદની ફલાઇટના 6000 રૂપિયાને બદલે સીધા 15000...
Gujarat 
પહેલગામની ઘટના પછી ફલાઇટના ભાવમાં તોતિંગ વધારો

યુવા મહિલાઓમાં સ્માર્ટફોનનો વધુ પડતો ઉપયોગથી સોશિયલ એંગ્જાઈટીનું જોખમ વધે છે: અભ્યાસ

એક રિસર્ચ ટીમે જણાવ્યું કે સ્માર્ટફોનનો વધુ ઉપયોગ કરવાવાળી છોકરીઓમાં અન્ય જેન્ડરની સરખામણીમાં વધુ સામાજિક ચિંતા જોવા મળે છે.આ અભ્યાસ...
Health 
યુવા મહિલાઓમાં સ્માર્ટફોનનો વધુ પડતો ઉપયોગથી સોશિયલ એંગ્જાઈટીનું જોખમ વધે છે: અભ્યાસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.