આ સોરી કહેનારાઓથી બચીને રહેજો

(Utkarsh Patel) ક્ષમાયાચના! હૃદયથી ક્ષમા માંગનાર ગમે તેવી ભૂલ કરે એને માફ કરી શકાય. કોઇ વ્યક્તિ એમનાથી જાણ્યે અજાણ્યે થયેલી ભૂલ માટે હૃદયથી માફી માંગે એ વાતને માન આપવું જોઈએ. એ સોરી એટલે કે હૃદયથી નીકળેલો પસ્તાવો. માફ કરી દેવાય આવા હૃદયભાવ વાળા વ્યક્તિઓને.

એક બીજા પ્રકારનું પણ સોરી આવે છે જેની આજે વાત કરીએ.

મગજની બુદ્ધિથી કહેવાતું સોરી.

કેવા હોય આ બુદ્ધિના સોરી?

આવા...

- કોઈકના પર તમને ખૂબ વ્હાલ હોય વિશ્વાસ હોય અને તમારા સંકટના સમયમાં સોરી કહીને ખસી જનારા.

- કોઈકના ભરોસે તમે અગત્યના નિર્ણય લીધા હોય અને જરૂરના સમયે તમને સોરી કહી દેનારા.

આ પ્રકારના સોરી કહી દેનારા લોકોથી બચીને રહેવું જોઈએ. પરખ કરીને જ કોઈકની પાસે સથવારા કે સહયોગની આશા રાખજો.

મારી વાત... હું ક્યારેય કોઈકના ભરોસે કે કોઈકની આશામાં કંઈ જ નિર્ણય લેતો નથી એટલે આવા લોકોને ખોટી આશાઓ આપનારા અને મગજથી સોરી કહેનારાઓ મારી આસપાસ ભટકતા જ નથી.

તમે તમારી આસપાસ નજર દોડાવી આવા ખરા સમયે સોરી કહી દેનારા અને કહી શકનારા મગજવાળા લોકોને બને તેટલા જલ્દી ઓળખી કાઢો અને રામ રામ કરી દો. સંબંધો કાપવાના નથી બસ એમની સાથેની લાગણીઓને રામ રામ કહી દો.

શોધો શોધો મગજથી સોરી કહી શકનારાઓને.

મગજ વાળા હૃદય વાળાને સોરી કહીને છેતરી જતા હોય છે.

અગત્યનું:

કોઈની પાસે આશાઓ રાખશો નહીં કેમ કે આપણને નથી ખબર કે કોણ કયા લક્ષ્ય અને આશા અપેક્ષા સાથે સબંધ રાખી રહ્યું છે. કોઈકનાથી નિરાશ થવા કરતા આશા નહીં રાખીને જાત મહેનત કરી લેવી વધુ સારી.

About The Author

UD Picture

Top News

મમતા બેનર્જીએ જણાવ્યું- યૂસુફ પઠાણને પાકિસ્તાનની પોલ ખોલનારી ટીમમાં કેમ નહીં મોકલે TMC?

પાકિસ્તાનની કરતૂતોનો પર્દાફાશ કરવા માટે સરકાર તરફથી વિવિધ દેશોમાં મોકલવામાં આવનાર ઓલ પાર્ટી ડેલિગેશનને લઈને એક નવો વિવાદ શરૂ થઈ...
National  Politics 
મમતા બેનર્જીએ જણાવ્યું- યૂસુફ પઠાણને પાકિસ્તાનની પોલ ખોલનારી ટીમમાં કેમ નહીં મોકલે TMC?

અંબાલાલ પટેલની આગાહી, 20થી 24 મે વચ્ચે વાવાઝોડું આવી રહ્યું છે

ગુજરાતના હવામાનના જાણકાર અંબાલાલ પટેલે મે મહિનામાં ઘણી બધી બાબતોની આગાહી કરી છે. તેમણે કહ્યું કે, 24-25મેના દિવસે રોહિણી...
Gujarat 
અંબાલાલ પટેલની આગાહી, 20થી 24 મે વચ્ચે વાવાઝોડું આવી રહ્યું છે

પાકિસ્તાન સાથે 'નો ક્રિકેટ' એશિયા કપનો હિસ્સો નહીં બને ભારતીય ટીમ, BCCIનો મોટો નિર્ણય

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ એશિયા કપથી બહાર થવાનો નિર્ણય લીધો છે. BCCIએ એશિયન ક્રિકેટ કાઉન્સિલ (...
Sports 
પાકિસ્તાન સાથે 'નો ક્રિકેટ' એશિયા કપનો હિસ્સો નહીં બને ભારતીય ટીમ, BCCIનો મોટો નિર્ણય

CJIએ અધિકારીઓને ખખડાવ્યા તો પોલીસ કમિશનર અને ચીફ સેક્રેટરી આગામી કાર્યક્રમમાં દોડતા પહોંચ્યા

મુંબઈમાં રવિવારે કંઈક એવું થયું, જે અધિકારીઓને હંમેશાં યાદ રહેશે. ભારતના મુખ્ય ન્યાયાધીશ બી.આર. ગવઈએ જ્યારે એક સાર્વજનિક મંચ...
National 
CJIએ અધિકારીઓને ખખડાવ્યા તો પોલીસ કમિશનર અને ચીફ સેક્રેટરી આગામી કાર્યક્રમમાં દોડતા પહોંચ્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.