લગ્નજીવનનું સંતુલિત સમીકરણ...બીજાના પ્રેમને જોઈને એવું લાગે છે કે તે ખૂબ નસીબદાર છે

(ઉત્કર્ષ પટેલ)

જ્યારે તમે વર્ષો પછી પણ એકબીજાને ઊંડો પ્રેમ કરતાં દંપતીને સુખી જીવન જીવતાં જોવો ત્યારે એવું લાગે છે કે તેઓ ખૂબ નસીબદાર છે! ખરું ને? પરંતુ સત્ય એ છે કે લાંબો સમય ટકતો પ્રેમ નસીબની બાબત નથી. લગ્નજીવનમાં નસીબ કરતાં પ્રયત્ન, સમર્પણ, સમજણ અને રોજિંદા નિર્ણયોનું મહત્ત્વ વધારે છે.

1

દરેક દંપતીના જીવનમાં ઉતારચઢાવ આવે છે. તેઓ ઝઘડે છે, અસહમત થાય છે, ભૂલો કરે છે અને ક્યારેક એકબીજાને દુઃખ પણ પહોંચાડે છે. પરંતુ જે બાબત તેમને એકસાથે જોડી રાખે છે તે છે મુશ્કેલ સમયમાંથી પસાર થવાનો તેમનો નિર્ણય. તેઓ દૂર થવાને બદલે એકબીજાને માફ કરે છે, શીખે છે અને સમજણથી આગળ વધે છે.

મજબૂત અને સફળ લગ્નજીવન સંપૂર્ણતા પર નથી ટકતું તે સ્વીકૃતિ પર નિર્ભર છે. જીવનસાથીની ખામીઓને સ્વીકારીને તેમની સારી બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવું એ સુખી લગ્નજીવનનો પાયો છે. સફળ દંપતીઓ એકબીજા પ્રત્યે આદર રાખે છે. નાનીનાની બાબતોમાં રસ લે છે અને એકબીજાના હૃદયને સમજવાનો સતત પ્રયાસ કરે છે.

સાચો પ્રેમ એટલે માત્ર ભેટો આપવી કે મોટીમોટી વાતો કરવી નથી. તે એટલે સમય આપવો, ધ્યાનથી સાંભળવું, સારાખરાબ બંને સમયમાં સાથે રહેવું અને એકબીજાના ઇચ્છાઓ લાગણીઓ સપનાઓને ટેકો આપવો. આદર, દયા અને વિશ્વાસ એ એવા થાંભલા છે જે સંબંધને મજબૂત રાખે છે. મુશ્કેલ ક્ષણોમાં દૂર જવાને બદલે આવા દંપતીઓ એકબીજા પર નિર્ભર રહેવાનું પસંદ કરે છે.

03

વર્ષો સુધી ઊંડો પ્રેમ જાળવનારા દંપતીઓ માત્ર નસીબદાર નથી તેઓ સમજદાર અને સમર્પિત હોય છે. તેઓ દરરોજ ધીરજ, દયા અને કાળજીથી તેમના સંબંધને સીંચે છે. દરેક પડકારમાં પણ તેઓ એકબીજાને સાથ આપે છે અને સાથે રહેવાનો નિર્ણય લે છે.

આગલી વખતે જ્યારે તમે કોઈ દંપતીના પ્રેમની પ્રશંસા કરો, ત્યારે યાદ રાખો: તેઓ નસીબથી નહીં પણ સમજથી પ્રયત્નથી અને નિર્ણયથી આટલા સુંદર સંબંધ સુધી પહોંચ્યા છે. તેમણે મહેનત કરી છે, ત્યાગ કર્યો છે, માફી આપી છે અને ટકી રહ્યા છે. આ જ તેમના પ્રેમને વાસ્તવિક, સુંદર અને યાદગાર બનાવે છે.

(લેખક એક પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ અને સમાજસેવક છે.)

Top News

ન તાળું તૂટ્યું, ન દરવાજો.. છતા SBI બેન્કમાંથી 2 કરોડના ઘરેણા અને 8 લાખ રોકડ કેવી રીતે સાફ કરી ગયા ચોર?

મધ્ય પ્રદેશના ઉજ્જૈન જિલ્લાના મહાનંદા નગર વિસ્તારમાં આવેલી સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI)ની શાખામાં ચોરીની એક મોટી ઘટના...
National 
ન તાળું તૂટ્યું, ન દરવાજો.. છતા SBI બેન્કમાંથી 2 કરોડના ઘરેણા અને 8 લાખ રોકડ કેવી રીતે સાફ કરી ગયા ચોર?

શું છે હૈદરાબાદ ગેઝેટ, જેની માંગ સરકારે માની તો મનોજ જરાંગેએ ભૂખ હડતાળ સમાપ્ત કરી દીધી

મહારાષ્ટ્ર સરકારે મરાઠા અનામત આંદોલનકારી મનોજ જરાંગે પાટીલની માગણીઓ સ્વીકાર્યા બાદ, જરાંગે પાટીલે પોતાની 5 દિવસની ભૂખ હડતાળ સમાપ્ત...
National 
શું છે હૈદરાબાદ ગેઝેટ, જેની માંગ સરકારે માની તો મનોજ જરાંગેએ ભૂખ હડતાળ સમાપ્ત કરી દીધી

અમેરિકામાં દવા કંપનીઓ પર 200 ટકા ટેરિફ લગાવવાની શક્યતા છે! જાણો શું છે ટ્રમ્પની યોજના?

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હવે નવા ટેરિફની યોજના બનાવી રહ્યા છે, તેઓ દવા કંપનીઓ પર 200 ટકા ટેરિફ લાદવાની...
Business 
અમેરિકામાં દવા કંપનીઓ પર 200 ટકા ટેરિફ લગાવવાની શક્યતા છે! જાણો શું છે ટ્રમ્પની યોજના?

73 હજાર પગાર મેળવતી સોફ્ટવેર એન્જિનિયર પત્નીએ પતિ પાસેથી માંગ્યું હતું ભરણપોષણ

લખનૌ હાઈકોર્ટની બેન્ચે એક મહત્વપૂર્ણ કૌટુંબિક વિવાદ કેસમાં મોટો નિર્ણય આપ્યો છે. કોર્ટે સ્પષ્ટપણે કહ્યું છે કે જો પત્ની પોતે...
National 
73 હજાર પગાર મેળવતી સોફ્ટવેર એન્જિનિયર પત્નીએ પતિ પાસેથી માંગ્યું હતું ભરણપોષણ

Opinion

PM મોદી, શાહ, પાટીલ અને સંઘવીની આકરી ટીકા કરનાર ગોપાલને લવજી બાદશાહ માટે કેમ પ્રેમ છલકાય આવે છે? PM મોદી, શાહ, પાટીલ અને સંઘવીની આકરી ટીકા કરનાર ગોપાલને લવજી બાદશાહ માટે કેમ પ્રેમ છલકાય આવે છે?
ગુજરાતની રાજનીતિમાં પાટીદાર સમાજનું પ્રભુત્વ રહ્યું છે પછી ભલે તે કોંગ્રેસ હોય કે ભાજપ કે પછી હોય આમ આદમી પાર્ટી....
રૂપાલા, સંઘાણી અને રાદડીયાની ત્રિપુટી સૌરાષ્ટ્ર ભાજપના રાજકારણની એક નવી ધરી સાબિત થશે
ગુજરાત ભાજપના પ્રદેશના નેતાઓ અને ધારાસભ્યો જ PM મોદી અને અમિત શાહનું ધોવાણ કરી રહ્યા છે
ગુજરાત સરકારથી નારાજ અને PM મોદી સાથે લાગણીથી જોડાયેલા મતદારો અવઢવમાં છે કે હવે ભાજપને સાથ અને મત આપવો કે નહીં
મિત્રોનો ડાયરો મળ્યો હોય ત્યારે હાજરી પુરાવાનું ક્યારેય ચૂકશો નહીં
Copyright (c) Khabarchhe All Rights Reserved.