‘ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડ બનાવવાનું બંધ કરો’, પ્રેમાનંદ મહારાજનો વધુ એક વીડિયો વાયરલ

સંત પ્રેમાનંદ મહારાજ પોતાના ધાર્મિક પ્રવચનો અને કથાઓ માટે જાણીતા છે, પરંતુ આ વખત તેઓ પોતાના વિવાદાસ્પદ નિવેદનને કારણે ચર્ચામાં આવી ગયા છે. તેમણે તાજેતરમાં જ, એક કથા દરમિયાન, તેમણે મહિલાઓ અને યુવાનોને લઈને એવું નિવેદન આપ્યું હતું, જેના કારણે લોકોમાં ખૂબ નારાજગી જોવા મળી રહી છે.

Premanand-Maharaj1
livemint.com

નિવેદનમાં તેમણે કહ્યું હતું કે, ‘જ્યારે કોઈ મહિલાને 4 પુરુષોને મળવાની આદત લાગી જાય છે, તો તે પછી એક પતિને સ્વીકારી શકતી નથી. એવી જ રીતે, જ્યારે કોઈ પુરુષ ઘણી છોકરીઓ સાથે સંબંધ બનાવે છે, તો તે તે પોતાની પત્નીથી સંતુષ્ટ રહી શકતો નથી. તેમણે એમ પણ કહ્યું હતું કે ‘100માંથી માત્ર 2-4 છોકરીઓ જ હશે, જે પોતાનું પવિત્ર જીવન એક પુરુષને સમર્પિત કરતી હશે. આ નિવેદન બાદ સોશિયલ મીડિયા અને ઘણા સામાજિક સંગઠનોમાં ગુસ્સો જોવા મળ્યો. લોકો તેને મહિલાઓનું અપમાન માની રહ્યા છે અને પ્રેમાનંદ મહારાજ પાસેથી માફીની માગી રહ્યા છે.

જોકે, પ્રેમાનંદ મહારાજે પોતે આ વિવાદનો જવાબ પણ આગામી કથામાં આપ્યો હતો. તેમણે કહ્યું કે, ‘જે લોકો ગંદા આચરણ કરી રહ્યા છે, જો તમે તેમને યોગ્ય સલાહ આપો છો, તો તેમને ખરાબ લાગે છે. જેમ ગટરનો કીડો ગટરમાં ખુશી મેળવે છે, જો તમે તેને અમૃત કુંડમાં નાખી દો, તો તે પરેશાન થઈ જાય છે. તેવી જ રીતે જ્યારે કોઈ સંત સત્ય અને સુધારાની વાત કરે છે, તો કેટલાક લોકોને ખરાબ લાગી જાય છે.

પ્રેમાનંદ મહારાજે એમ પણ કહ્યું કે, ‘જો આપણે સમાજને સુધારવા માગીએ છીએ, તો કડવા શબ્દો બોલવા જ પડશે. જે બાળકો અહીં કથા સાંભળવા આવે છે, તેઓ સુધારાની નિયતથી આવે છે, એટલે અમે તેમને કહીએ છીએ કે, ગર્લફ્રેન્ડ અને બોયફ્રેન્ડ બનાવવાનું બંધ કરો.

About The Author

Top News

બેંક ઓફ ઈન્ડિયાને ₹100 કરોડ ચૂકવશે નીરવ મોદી! બ્રિટનની કોર્ટનો આદેશ

સમાચાર એજન્સી ANI અનુસાર, ભાગેડુ ઉદ્યોગપતિ નીરવ મોદીને બ્રિટનમમાં વધુ એક કાનૂની ઝટકો લાગ્યો છે. લંડનની એક કોર્ટે તેને...
Business 
બેંક ઓફ ઈન્ડિયાને ₹100 કરોડ ચૂકવશે નીરવ મોદી! બ્રિટનની કોર્ટનો આદેશ

ગુજરાતની શાળામાં એક વિદ્યાર્થિનીએ 13 વર્ષીય વિદ્યાર્થિનીને છરી મારી દીધી, 20 ટાંકા આવ્યા

તાપી જિલ્લાના વાલોડ તાલુકામાં હચમચાવી મૂકે તેવી ગંભીર ઘટના સામે આવી છે. એક વિદ્યાર્થિનીએ પોતાની સાથે અભ્યાસ કરતી અન્ય વિદ્યાર્થિનીને...
Gujarat 
ગુજરાતની શાળામાં એક વિદ્યાર્થિનીએ 13 વર્ષીય વિદ્યાર્થિનીને છરી મારી દીધી, 20 ટાંકા આવ્યા

શું પંજાબ પોલીસે CM ભગવંત માનને બચાવવા માટે 10 લાખ રૂપિયાની લાંચ આપી હતી? 2ની ધરપકડ

પંજાબના CM ભગવંત માન સાથે સંકળાયેલા વિવાદાસ્પદ વીડિયો કેસમાં નવો વળાંક આવ્યો છે. 23 જૂનના રોજ, હરિયાણાના ગુરુગ્રામ પોલીસે ...
National 
શું પંજાબ પોલીસે CM ભગવંત માનને બચાવવા માટે 10 લાખ રૂપિયાની લાંચ આપી હતી? 2ની ધરપકડ

33 ડિગ્રી તાપમાં સિયાના પ્રેમીએ પહેરેલી હૂડી! આવી રીતે ખુલ્યું કેતન અગ્રવાલ કેસનું રહસ્ય

ગયા અઠવાડિયે, મહારાષ્ટ્રના પુણેમાં પ્રખ્યાત પર્યટન સ્થળ લોહાગઢ કિલ્લા પર 26 વર્ષીય ઉદ્યોગપતિ કેતન વિશાલ અગ્રવાલના મૃત્યુના સમાચાર આવ્યા....
National 
33 ડિગ્રી તાપમાં સિયાના પ્રેમીએ પહેરેલી હૂડી! આવી રીતે ખુલ્યું કેતન અગ્રવાલ કેસનું રહસ્ય

Opinion

ગુજરાત ભાજપ માટે માથાનો દુખાવો: કેટલાક બાબુઓ અને નેતાઓનો વ્યાપક ભ્રષ્ટાચાર ગુજરાત ભાજપ માટે માથાનો દુખાવો: કેટલાક બાબુઓ અને નેતાઓનો વ્યાપક ભ્રષ્ટાચાર
ગુજરાત રાજ્યમાં દાયકાઓથી ભારતીય જનતા પાર્ટીની સરકાર સત્તામાં છે. આ સમયગાળા દરમિયાન રાજ્યે ઔદ્યોગિક વિકાસ, માળખાકીય સુવિધાઓ, શિક્ષણ, આરોગ્ય અને...
સમર્પણ, દીર્ઘદ્રષ્ટિ અને સેવાનું પ્રતીક… સુરતના અગ્રણી સમાજસેવી અશોક કાનુંનગો
સંધ્યાકાળ અને ગૌધુલી સમયનું આપણા જીવનમાં મહત્ત્વ સમજવું આવશ્યક છે
અનારબેન પટેલ એક એવું વ્યક્તિત્વ જ્યાં ભક્તિ, સેવા અને સમર્પણ ભાવનો ત્રિવેણી સંગમ છે
ડૉ. મહેન્દ્રસિંહ ચૌહાણ જેવા વ્યક્તિત્વો સમાજ માટે પ્રકાશસ્તંભ છે, જે આંખોને રોશની આપે છે અને હૃદયોને પ્રેરણા
Copyright (c) Khabarchhe All Rights Reserved.