વીજ કરંટથી સાંપ બેભાન થયો તો શખ્સે CPR આપીને બચાવ્યો જીવ, અર્જૂન મોઢવાડિયાએ કરી પ્રશંસા

આ દુનિયામાં ઘણા બધા જીવ-જંતુઓ છે. તેમાંથી ઘણા બધા જીવ કે પછી પ્રાણીઓને લોકો પ્રેમ કરે છે, જ્યારે કેટલાકથી ડરીને દૂર રાખે છે. જે ક્યાંક ને ક્યાંક યોગ્ય પણ છે. સાંપ પણ એક એવો જીવ છે જેનાથી લોકો દૂર રહેવાનું પસંદ કરે છે. જો સાંપ કરડે છે, તો તેમના જીવ જોખમમાં મુકાય જાય છે. આ જ કારણ છે કે લોકો સાંપથી અંતર જાળવી રાખે છે, પરંતુ કેટલાક લોકો એવા છે જે સમજે છે કે સાંપનો જીવ પણ મહત્ત્વપૂર્ણ હોય છે અને તેઓ તેમનો જીવ બચાવવાનો પ્રયાસ કરે છે. એક શખ્સે પણ કંઈક આવું જ કર્યું, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, અને તેના કાર્ય માટે તેની પ્રશંસા પણ થઈ રહી છે.

Arjun-Modhwadia1
instagram.com/arjunmodhwadia

હાલમાં વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક સાંપ બેભાન થઈ ગયેલો જોવા મળે છે. એક શખ્સ સાંપને CPR આપી રહ્યો છે, જેથી તેની જિંદગી બચી જાય. વીડિયોમાં જોવા મળે છે કે તે સાંપને પકડીને CPR આપી રહ્યો છે. થોડીવાર CPR કર્યા બાદ પણ જ્યારે કંઈ થતું નથી, ત્યારે તે સાંપના શરીરને એક જગ્યાએ દબાવતો જોવા મળે છે. થોડા સમય બાદ, સાંપ ફરીથી ભાનમાં આવી જાય છે અને તેનું શરીર હલતું જોઈ શકાય છે. શખ્સે CPR આપીને સાંપનો જીવ બચાવ્યો, જેનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

રાજ્યના મંત્રી અર્જૂન મોઢવાડિયાએ આ શખ્સનો વીડિયો પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કર્યો અને કેપ્શનમાં તેની પ્રશંસા કરી છે. તેમણે લખ્યું કે, ‘વલસાડના નાનાપોંઢા તાલુકાના આમધા ગામે લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટના મુકેશભાઈ વાયડે વીજ કરંટ લાગવાથી મૂર્છિત અવસ્થામાં પહોંચેલ સાપને CPR આપીને નવ જીવન આપવામાં આવ્યુ. મુકેશભાઈ વાયડ અને વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટની માનવતા મહેકાવતી કામગીરી અભિનંદનને પાત્ર છે.

Arjun-Modhwadia2
arjunmodhwadia.com

આજે વિશ્વ વન્યજીવ સંરક્ષણ દિવસ પણ છે, કુદરત તરફથી આપણા ગુજરાતને વન્યજીવનો સમુદ્ધ વારસો પ્રાપ્ત થયો છે, ત્યારે આપણી આ અનમોલ ધરોહરના સંરક્ષણ અને સંવર્ધન માટે માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જી ના માગર્દર્શન અને માન. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાની હેઠળની ગુજરાત સરકાર મક્કમ નિર્ધાર સાથે કામ કરી રહી છે. આ જ વીડિયોમાં તેઓ સાંપને બચાવનાર શખ્સ સાથે વાત કરીને આ અંગે માહિતી લઇ રહ્યા છે.

About The Author

Related Posts

Top News

રોકડ સંકટને પહોંચી વળવા RBI 2 લાખ કરોડ રૂપિયા સિસ્ટમમાં નાખીને બજારને રાહત આપવાની તૈયારીમાં

ભારતીય રિઝર્વ બેન્ક (RBI)એ બેન્કિંગ સિસ્ટમમાં રોકડની અછતને પહોંચી વળવા માટે એક મોટું પગલું ભર્યું છે. કેન્દ્રીય બેન્કે...
Business 
રોકડ સંકટને પહોંચી વળવા RBI 2 લાખ કરોડ રૂપિયા સિસ્ટમમાં નાખીને બજારને રાહત આપવાની તૈયારીમાં

બાંગ્લાદેશના T20 વર્લ્ડ કપ બોયકૉટથી ભારતને કેટલું થશે નુકસાન?

બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB)એ સ્પષ્ટ કરી દીધું છે કે, તે ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026 માટે...
Sports 
બાંગ્લાદેશના T20 વર્લ્ડ કપ બોયકૉટથી ભારતને કેટલું થશે નુકસાન?

2 લોકોએ 2.89 કરોડનું સોનું એવી રીતે છુપાવ્યું કે DRIની ટીમ પણ હેરાન રહી ગઈ

મુંબઈ એરપોર્ટ હાલના દિવસોમાંમાં ‘તસ્કરી’ વેબ સીરિઝને કારણે ચર્ચામાં છે. આ વેબ સીરિઝમાં બતાવવામાં આવ્યું છે કે,...
National 
2 લોકોએ 2.89 કરોડનું સોનું એવી રીતે છુપાવ્યું કે DRIની ટીમ પણ હેરાન રહી ગઈ

યુરોપિયન યુનિયને કહ્યું- 'ભારત સાથે વેપાર કરાર થવાથી ચીન, રશિયા અને USની જરૂરિયાત ઘટી જશે'

યુરોપિયન યુનિયન (EU)ના નેતાઓ ભારતના 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં મુખ્ય મહેમાન છે. તેથી, યુરોપિયન નેતાઓ 25...
National 
યુરોપિયન યુનિયને કહ્યું- 'ભારત સાથે વેપાર કરાર થવાથી ચીન, રશિયા અને USની જરૂરિયાત ઘટી જશે'

Opinion

દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
(ઉત્કર્ષ પટેલ) ભારતીય સંસ્કૃતિ અને રાજકારણમાં અયોધ્યાધામ એક અડગ આસ્થાનું કેન્દ્ર રહ્યું  છે. પ્રભુ શ્રી રામની જન્મભૂમિ તરીકે જાણીતી આ...
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
રામ મંદિર એક વિચારની પુનઃસ્થાપના છે જ્યાં શાસન નહીં પણ સેવા સર્વોપરી છે
અનારબેન પટેલ: ખોડલધામનું નવું નેતૃત્વ, નવી પ્રેરણા...
Copyright (c) Khabarchhe All Rights Reserved.