બજેટ બાદ, જૂની કે નવી ટેક્સ રિજીમ? કંઈ છે તમારા માટે ફાયદાકારક?

સામાન્ય ટેક્સપેયર્સને 2026ના કેન્દ્રીય બજેટથી ઇનકમ ટૅક્સ સ્લેબ, સ્ટાન્ડર્ડ ડિડક્શન અથવા ટૅક્સ દરોમાં થોડી રાહત મળશે તેવી ઘણી આશા હતી, પરંતુ આવું ન થયું. નાણાકીય વર્ષ 2026-27 માટે જૂના અને નવા બંને ટૅક્સ રિજીમ યથાવત રહેશે. એટલે કે ટેક્સપેયર્સે ફરી એકવાર જાતે નક્કી કરવું પડશે કે કઈ ટૅક્સ સિસ્ટમ તેમના માટે વધુ ફાયદાકારક છે.

છેલ્લા કેટલાક વર્ષોથી, સરકાર નવી ટૅક્સ રિજીમને પ્રોત્સાહન આપી રહી છે, જેમાં ઓછા ટૅક્સ દરો છે, પરંતુ મોટાભાગની છૂટ અને કપાત મળતી નથી. આજ કારણે, મોટી સંખ્યામાં લોકો નવી રિજીમ તરફ શિફ્ટ થઈ ચૂક્યા છે, જ્યારે ઘણા ટેક્સપેયર્સ હજુ પણ જૂની રિજીમને વધુ સારી માને છે. બજેટ 2026 બાદ, એ નિર્ણય હજી પણ મહત્ત્વનો થઈ ગયો છે કે, કયા આવક સ્તર માટે અને કાપા કપાત સાથે કયો વિકલ્પ યોગ્ય રહેશે.

26
tradebrains.in

જો કોઈ વ્યક્તિને કોઈ ટૅક્સમાંથી મુક્તિ કે કપાત મળતી નથી, તો ઇનકમ લેવલ પર નવી ટૅક્સ રિજીમ વધુ ફાયદાકારક સાબિત થાય છે. જૂની રિજીમમાં 6 લાખથી 12 લાખ રૂપિયા સુધીની આવક પર ટૅક્સ આપવો પડે, જ્યારે નવી રિજીમ હજારો રૂપિયાની ટેક્સ બચત આપે છે.

તો, જો તમે કલમ 80C (નવા ટૅક્સ કાયદામાં કલમ 123) હેઠળ PPF, LIC, ELSS અથવા PF જેવી યોજનાઓમાં રોકાણ કરો છો, તો પણ ઘણા કિસ્સાઓમાં નવી ટૅક્સ રિજીમના ફાયદા યથાવત રહે છે. જોકે આવક 13-15 લાખ રુપિયને પાર જાય છે, તો બંને રિજીમ વચ્ચેનો તફાવત ઓછો થવા લાગે છે, નવી સિસ્ટમમાં ટૅક્સનો બોજ પ્રમાણમાં ઓછો રહે છે.

જો ટૅક્સપેયર્સને કલમ 80C અને કલમ 80D (સ્વાસ્થ્ય વીમા)ની છૂટ મળે છે તો પણ નવી ટૅક્સ રિજીમના ફાયદા ₹12 લાખ સુધીની આવક માટે સ્પષ્ટપણે દેખાય છે. જોકે કેટલાક કિસ્સાઓમાં 13 લાખ રૂપિયા બાદ જૂના અને નવા ટૅક્સ રિજીમ વચ્ચેના ટૅક્સમાં અંતર ઘટી જાય છે, પરંતુ જૂની ગણતરી કરવામાં આવે ત્યારે નવો વિકલ્પ હજુ પણ આકર્ષક નજરે પડે છે.

Tax
paisabazaar.com

અસલી વળાંક ત્યારે આવે છે જ્યારે કોઈ વ્યક્તિ હોમ લોન વ્યાજ પર કલમ 24(b) હેઠળ મોટી છૂટ મેળવે છે. આવા કિસ્સાઓમાં, ખાસ કરીને ₹13-15 લાખથી વધુ આવક ધરાવતા લોકો માટે, જૂની ટૅક્સ રિજીમ વધુ ફાયદાકારક સાબિત થઈ શકે છે. 20 લાખ, 25 લાખ અથવા 30 લાખની આવક માટે, જૂની ટૅક્સ રિજીમ હેઠળ કુલ ટૅક્સ બચત 1 લાખ રૂપિયાથી વધુ થઈ શકે છે.

કુલ મળીને, બજેટ 2026માં ટેક્સપેયર્સને કોઈ સીધી રાહત આપવામાં આવી નથી, પરંતુ એ સ્પષ્ટ કરી દીધું છે કે એક જ ટૅક્સ સિસ્ટમ દરેક માટે યોગ્ય નથી. જો તમારી આવક પગાર પર આધારિત છે અને તમે મોટું રોકાણ કરતા નથી અથવા હોમ લોનની છૂટ લેતા નથી, તો નવી ટૅક્સ રિજીમ વધુ સારી છે. જો કે, જો તમે કલમ 80C, 80D અને હોમ લોન જેવી મોટી કપાતનો લાભ લો છો, તો જૂની ટૅક્સ રિજીમમાં રહેવું વધુ સમજદારીભર્યું હોઈ શકે છે. ટૅક્સવેરા અંગેના નિર્ણયો લેતા પહેલા તમારી સંપૂર્ણ આવક અને કપાતની ગણતરી કરવી હવે પહેલા કરતા વધુ જરૂરી થઈ ગયું છે.

About The Author

Related Posts

Top News

મહારાષ્ટ્રમાં વધુ એક ખેલ; 'ઓપરેશન ટાઇગર 2'માં UBTના વધુ 14 ધારાસભ્યો શિંદે સાથે જોડાઈ તેવી ચર્ચા

મહારાષ્ટ્રના રાજકારણમાં મોટી રાજકીય ઉથલપાથલના સંકેતો દેખાઈ રહ્યા છે. શિવસેના (UBT)ના 6 લોકસભા સાંસદો DyCM એકનાથ શિંદે જૂથમાં...
National 
મહારાષ્ટ્રમાં વધુ એક ખેલ; 'ઓપરેશન ટાઇગર 2'માં UBTના વધુ 14 ધારાસભ્યો શિંદે સાથે જોડાઈ તેવી ચર્ચા

સુનિલ શેટ્ટીએ કહ્યું- 'PM નરેન્દ્ર મોદીને પૂજે છે મારી 15 મહિનાની પૌત્રી, ફોટા પર ચઢાવે છે લાડુ'

બોલિવુડ અભિનેતા સુનિલ શેટ્ટી લાંબા સમયથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફેન છે. પરંતુ શું તમે જાણો છો કે સુનિલ શેટ્ટીની 15...
Entertainment 
સુનિલ શેટ્ટીએ કહ્યું- 'PM નરેન્દ્ર મોદીને પૂજે છે મારી 15 મહિનાની પૌત્રી, ફોટા પર ચઢાવે છે લાડુ'

અમદાવાદમાં BJPના ખેસવાળી કારમાંથી બાઇક સવાર 2 ઇસમો 50 લાખ તફડાવી ગયા

અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં મારુતિ પ્લાઝા ADC બેંકની સામે ભારતીય જનતા પાર્ટી (BJP) અને ખોડલધામ અમદાવાદ લખેલા ખેસવાળી ગાડીમાંથી નજર...
Gujarat 
અમદાવાદમાં BJPના ખેસવાળી કારમાંથી બાઇક સવાર 2 ઇસમો 50 લાખ તફડાવી ગયા

આયર્લેન્ડ સામે ભૂંડી હાર બાદ કેપ્ટન શ્રેયસ ઐય્યરે જાણો હારનું ઠીકરું કોના પર ફોડ્યું

શુક્રવારે (26 જૂન) ભારતીય ટીમને આયર્લેન્ડ સામે T20 શ્રેણીની પહેલી મેચમાં 34 રનથી ભૂંડી હારનો સામનો કરવો પડ્યો. નવા કેપ્ટન...
Sports 
આયર્લેન્ડ સામે ભૂંડી હાર બાદ કેપ્ટન શ્રેયસ ઐય્યરે જાણો હારનું ઠીકરું કોના પર ફોડ્યું
Copyright (c) Khabarchhe All Rights Reserved.