પ્રેમાનંદ મહારાજે કહ્યું- ‘બધુ જ વેચીને પણ વ્યક્તિ નહીં ખરીદી શકે આ એક વસ્તુ'

પ્રેમાનંદ મહારાજના ઉપદેશો હવે વૃંદાવનની ગલીઓ સુધી મર્યાદિત નથી રહ્યા. સોશિયલ મીડિયાના માધ્યમથી સમગ્ર દેશ અને દુનિયા સુધી પહોંચી ગયા છે. પ્રેમાનંદ મહારાજ કહે છે કે ભગવાનને પ્રાપ્ત કરવાનો એકમાત્ર રસ્તો નામજપ છે. જે લોકો નામજપ કરીને ભગવાનના શરણમાં આવે છે તેમનો નિશ્ચિત ઉદ્ધાર થઈ જાય છે. તાજેતરમાં, પ્રેમાનંદ મહારાજનો વધુ એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તેમણે કહ્યું હતું કે જો કોઈ વ્યક્તિ બધું વેચી દે તો પણ તે એક વસ્તુ ખરીદી નહીં શકે. ચાલો જાણીએ કે તે વસ્તુ શું છે.

premanand-maharaj4
livemint.com

પ્રેમાનંદ મહારાજે વૃંદાવનમાં લોકોને સંબોધતા કહ્યું કે, ‘માનવ શ્વાસ ખૂબ જ કિંમતી છે. જો કોઈ વ્યક્તિ 50 વર્ષની ઉંમર સુધીમાં કમાયેલા બધા પૈસા, ઘર, મિલકત વગેરે વેચી દે તો પણ તે એક વધારા શ્વાસનો ખરીદી શકતો નથી. એટલે બધાને પ્રાર્થના છે કે, પોતાના દરેક શ્વાસમાં રાધાનું નામ જપ કરો. તેના માટે કોઈ મહેનતની જરૂર નથી. એક પણ રૂપિયો ખર્ચ થતો નથી.

તેમણે કહ્યું કે રાધાનું નામ જપવાથી તમારું પરમ કલ્યાણ થશે. જો કોઈ કારણોસર તમને રાધા નામ પ્રિય ન હોય, તો તમે તમારી ઇચ્છા મુજબ રામ, કૃષ્ણ, હરિ અથવા અન્ય કોઈ દેવતાનું નામ લઈ શકો છો. જે લોકો ભગવાનનું નામ લઈને આગળ વધે છે, તેમનું જીવન સાર્થક થઈ જાય છે.

premanand-maharaj2
livemint.com

પ્રેમાનંદ મહારાજે આગળ કહ્યું કે, ‘શરીર છોડ્યા બાદ, વ્યક્તિ કંઈપણ પોતાની સાથે લઈ જતો નથી. શ્વાસ છોડતા જ શરીર, ઘર, પત્ની, પુત્ર, પરિવાર અને દરેક ભૌતિક સુખ-સુવિધા અહીં જ રહી જાય છે. ત્યારબાદ વ્યક્તિને પાપ-પુણ્યના આધારે પ્રાણી, પક્ષી અથવા અન્ય કોઈ બીજી યોનિમાં જન્મ મળે છે. કોઈને ખબર નથી કે તેનો પુનર્જન્મ ક્યાં અને કયા સ્વરૂપમાં થશે. એટલે પોતાના દરેક શ્વાસમાં ભગવાનનું નામ સ્મરણ કરો. દુનિયામાં એવા લાખો લોકો છે જેમણે રાધા નામ અપનાવીને ખરાબ આચરણનો ત્યાગ કર્યો છે.

About The Author

Related Posts

Top News

કાર ખરીદવાનો પ્લાન હોય તો ઉભા રહેજો Kiaની નવી Sorento SUV ભારતમાં આવી રહી છે

Kia પહેલાથી જ EV6, EV9 અને Siros જેવા મોડેલો સાથે પ્રીમિયમ સેગમેન્ટમાં પોતાની જગ્યા બનાવી ચૂકી છે. હવે, કંપની...
Tech and Auto 
કાર ખરીદવાનો પ્લાન હોય તો ઉભા રહેજો Kiaની નવી Sorento SUV ભારતમાં આવી રહી છે

શું ગુજરાતમાં કોંગ્રેસને જનઆક્રોશ યાત્રાથી ફાયદો થયો?

ગુજરાતમાં કોંગ્રેસે નવેમ્બર મહિનાથી જનઆક્રોશ યાત્રા શરૂ કરીછે અને તેને પરિવર્તનનો શંખનાદ નામ રાખવામાં આવ્યું છે. છેલ્લાં 2 સપ્તાહમાં કોંગ્રેસની...
Politics 
શું ગુજરાતમાં કોંગ્રેસને જનઆક્રોશ યાત્રાથી ફાયદો થયો?

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 08-12-2025 વાર- સોમવાર મેષ - સાહસથી સફળતા મળશે, ભાગીદારીના કામમાં ધીરજ રાખવી જરૂરી, મિત્રોની મદદથી કામ સરળ બનાવો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

ગોવામાં આગ લાગવાની ઘટના પર પ્રત્યક્ષદર્શીઓનું નિવેદન; 'ક્લબ મેનેજમેન્ટે ફટાકડા ફોડ્યા અને પછી...'

ઉત્તર ગોવાના અરપોરામાં એક નાઈટક્લબમાં લાગેલી ભીષણ આગમાં 25 લોકોના મોત થયા હતા. પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે, ...
National 
ગોવામાં આગ લાગવાની ઘટના પર પ્રત્યક્ષદર્શીઓનું નિવેદન; 'ક્લબ મેનેજમેન્ટે ફટાકડા ફોડ્યા અને પછી...'
Copyright (c) Khabarchhe All Rights Reserved.