એક્ઝિટ પોલે લગાવી પ્રશાંત કિશોરની ભવિષ્યવાણી પર મહોર!

બિહાર વિધાનસભાની ચૂંટણીમાં 243 બેઠકો માટે મતદાન મંગળવારે સાંજે પૂર્ણ થયું. રાજ્યમાં બીજા ચરણમાં રેકોર્ડ મતદાન થયું. હાલના આંકડા મુજબ બીજા ચરણમાં 68.67 ટકા મતદાન નોંધાયું હતું. રાજ્યમાં 122 વિધાનસભા બેઠકો માટે મતદાન બીજા ચરણમાં થયું હતું. રાજ્યમાં 121 બેઠકો માટે મતદાન 6 નવેમ્બરના રોજ થયું હતું. પહેલા ચરણમાં મતદાનમાં લગભગ 65 ટકા મતદાન થયું હતું. મંગળવારે સાંજે બિહાર ચૂંટણી સાથે જોડાયેલા એક્ઝિટ પોલના અનુમાન પણ આવી ગયા હતા. અત્યાર સુધીમાં 9 એક્ઝિટ પોલ એજન્સીઓએ એક્ઝિટ પોલના અનુમાન જાહેર કર્યા છે. બધા એક્ઝિટ પોલમાં નીતિશ કુમારના નેતૃત્વ હેઠળની NDA સરકાર બનવાનું અનુમાન લગાવ્યું છે.

બિહાર ચૂંટણીમાં સનસનાટી બનીને ઉભરેલા પ્રશાંત કિશોર પર બધાની નજર હતી. એક્ઝિટ પોલ અનુસાર, પ્રશાંત કિશોર મહત્તમ 5 બેઠકો જીતી શકે છે. આ અનુમાન પીપલ્સ પલ્સના એક્ઝિટ પોલમાં લગાવવામાં આવ્યું છે. પીપલ્સ પલ્સ અનુસાર કિશોરની જન સૂરાજ 0-5 બેઠકો મળી શકે છે. પીપલ્સ પલ્સ સિવાય અન્ય કોઈ એજન્સીએ જન સૂરાજને આટલી બેઠકો આપી નથી. ચાણક્ય સ્ટ્રેટેજીએ જન સૂરજને એક પણ બેઠક આપી નથી. ચાણક્યએ NDAને 130-138 બેઠકો મળવાનું અનુમાન લગાવ્યું છે. ચાણક્યના સર્વેમાં મહાગઠબંધનને 100-108 બેઠકો મળી શકે છે. અન્ય 3 થી 5 બેઠકો જીતી શકે છે.

prashant-kishor
hindustantimes.com

જો એક્ઝિટ પોલના અનુમાન સાચા સાબિત થાય છે, તો તે એક રીતે પ્રશાંત કિશોરની વાત પર મહોર લાગી જશે. પ્રશાંત કિશોરે ચૂંટણી પ્રચાર દરમિયાન વારંવાર કહ્યું હતું કે, તેમની જન સૂરાજ પાર્ટીને અથવા તો 10 થી ઓછી બેઠકો મળશે અથવા 150 થી વધુ બેઠકો મળશે. બિહારની 243 વિધાનસભા બેઠકો માટે મત ગણતરી 14 નવેમ્બરે થશે. બપોર સુધીમાં પરિણામોનું વલણ સ્પષ્ટ થઇ જશે. ત્યારે જ આપણને વાસ્તવિકતા ખબર પડશે કે નીતિશ, તેજસ્વી અને પ્રશાંતમાંથી કોની વાત સાચી સાબિત થશે.

બિહાર વિધાનસભા માટે જુદી-જુદી એજન્સીઓએ જાહેર કરેલા એક્ઝિટ પોલ્સ:

1. મેટ્રિઝ એક્ઝિટ પોલ અનુસાર NDAને 147-167 બેઠકો, INDIA ગઠબંધનને 70-90 બેઠકો, જન સૂરાજ પાર્ટીને 00-02 બેઠકો જ્યારે અન્યને 02-08 બેઠકો મળી શકે છે

2. પીપલ્સ પલ્સના એક્ઝિટ પોલ અનુસાર NDAને 133-159 બેઠકો, INDIA ગઠબંધનને 75-101 બેઠકો, જન સૂરાજ પાર્ટીને 00-05 બેઠકો, જ્યારે અન્યને 02-08 બેઠકો મળી શકે છે.

3. દૈનિક ભાસ્કરના એક્ઝિટ પોલ અનુસાર NDAને 145-160 બેઠકો, INDIA ગઠબંધનને 73-91 બેઠકો, જન સૂરાજ પાર્ટીને 00-03 બેઠકો, જ્યારે અન્યને 05-07 બેઠકો મળી શકે છે.

bihar-exit-polls
youtube.com

4. પીપલ્સ ઇનસાઇટના એક્ઝિટ પોલ અનુસાર NDAને 133-148 બેઠકો, INDIA ગઠબંધનને 87-102, જન સૂરાજ પાર્ટીને 00-02 બેઠકો, જ્યારે અન્યને 03-06 બેઠકો મળી શકે છે.

5. JVCના એક્ઝિટ પોલ અનુસાર, NDAને 135-150 બેઠકો, INDIA ગઠબંધનને 88-103 બેઠકો, જન સૂરાજ પાર્ટીને 00-01, જ્યારે અન્યને 03-06 બેઠકો મળી શકે છે.

6. પી-માર્કના એક્ઝિટ પોલ અનુસાર NDAને142-162 બેઠકો, INDIA ગઠબંધનને 80-98, જન સૂરાજ પાર્ટીને 1-4 બેઠકો, જ્યારે અન્યને 00-03 બેઠકો મળી શકે છે.

7. ચાણક્ય સ્ટ્રેટેજીસના એક્ઝિટ પોલ અનુસાર NDAને130-138 બેઠકો, INDIA ગઠબંધનને 100-108 બેઠકો, જન સૂરાજ પાર્ટીને 00-00, જ્યારે અન્યને 03-05 બેઠકો મળી શકે છે.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -03-03-2026 વાર- મંગળવાર મેષ - નોકરી ધંધામાં ઉન્નતિના યોગ બને છે, ઘરમાં આનંદ રહે, વડીલોના આશીર્વાદ લો. વૃષભ -...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

ડોક્ટર પ્રેમી પહેલાથી જ પરિણીત છે; પ્રેમિકાને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તેણે તેનું ગુપ્તાંગ કાપી નાખ્યું!

દિલ્હીના વઝીરાબાદમાં એક મહિલાએ તેના પ્રેમી, 22 વર્ષીય નકલી ડોક્ટર વિસરજીતના ગુપ્તાંગ પર હુમલો કર્યો હોવાનો આરોપ છે. મહિલાને...
National 
ડોક્ટર પ્રેમી પહેલાથી જ પરિણીત છે; પ્રેમિકાને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તેણે તેનું ગુપ્તાંગ કાપી નાખ્યું!

ઈરાન યુદ્ધ પર બ્રિટિશ PM સ્ટાર્મરના નિર્ણયથી ટ્રમ્પ ગુસ્સામાં, કહ્યું- 'આવું ક્યારેય બન્યું નથી...'

ઈરાન સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે, US પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બ્રિટિશ PM કીર સ્ટોર્મર પ્રત્યે ખુબ ગુસ્સો વ્યક્ત કર્યો...
World 
ઈરાન યુદ્ધ પર બ્રિટિશ PM સ્ટાર્મરના નિર્ણયથી ટ્રમ્પ ગુસ્સામાં, કહ્યું- 'આવું ક્યારેય બન્યું નથી...'

ઈરાનમાં 555 લોકોએ જીવ ગુમાવ્યા, ઈરાને ટ્રમ્પ સાથે વાત કરવાની ના પાડી દીધી

મધ્ય પૂર્વમાં સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે. ઈરાન, સાઉદી અરેબિયા, કુવૈત અને સાયપ્રસ સહિતના દેશો અત્યારે યુદ્ધની...
World 
ઈરાનમાં 555 લોકોએ જીવ ગુમાવ્યા, ઈરાને ટ્રમ્પ સાથે વાત કરવાની ના પાડી દીધી

Opinion

ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને ભાજપના જયેશ રાદડિયા. આ બન્નેવ યુવા પાટીદાર નેતાઓ સૌરાષ્ટ્રના રાજકારણનું વર્તમાન અને ભવિષ્યનું કેન્દ્ર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.