- National
- વરરાજાએ લગ્ન માટે એવું કાર્ડ છપાવ્યું કે સોશિયલ મીડિયા પર થઈ ગયું વાયરલ
વરરાજાએ લગ્ન માટે એવું કાર્ડ છપાવ્યું કે સોશિયલ મીડિયા પર થઈ ગયું વાયરલ
ઉત્તર પ્રદેશના બાગપતમાં એક લગ્નનું એક અનોખો કાર્ડ વાયરલ થયો છે. અહીં એક પરિવારમાં લગ્નના 2 પ્રોગ્રામ છે એટલે કે દીકરી અને દીકરાના લગ્ન. દીકરા આકાશે લગ્નનું એક એવો કાર્ડ છાપાવ્યો છે જેની ખૂબ ચર્ચા થઈ રહી છે. લગ્નના કાર્ડમાં એક QR કોડ છપાવવામાં આવ્યો છે. તેની પાછળનું કારણ જાણીને તમને હેરાન રહી જશો.
વરરાજા આકાશે કહ્યું કે, ‘લગ્નમાં દૂર-દૂરથી ઘણા સંબંધીઓ આવે છે. તેમણે પહેલા કાર્ડ આપવા પણ જવું પડે છે. પરંતુ કેટલીક વખત કાર્ડ પહોંચાડવાના ચક્કરમાં અને લગ્ન સમારોહમાં આવવાના સમયે માર્ગ અકસ્માત થઈ જાય છે. આને ધ્યાનમાં રાખીને કાર્ડ પર QR કોડ છપાવવામાં આવ્યો છે. એટલે કે જો કોઈ સંબંધી કોઈ કારણોસર લગ્નમાં હાજર રહી નહીં રહી શકે, તો તેઓ QR કોડને સ્કેન કરીને શગુન (ભેટ) મોકલી શકે છે. વરરાજાનો એવો પણ હેતુ છે કે, તેનાથી બિનજરૂરી ખર્ચ અને સમયની બચત પણ થઈ શકે છે.’

દોઘટ શહેરના રહેવાસી આકાશ બાલ્મિકીએ તેની બહેન અને પોતાના લગ્નના કાર્ડ પર QR કોડ છાપાવ્યા છે. આકાશે કહ્યું કે, ‘તેની બહેનના લગ્ન 7 ફેબ્રુઆરીએ છે, અને તેના પોતાના લગ્ન 8 ફેબ્રુઆરીએ સંપન્ન થશે. બંને લગ્નના કાર્ડ પર છપાયેલા QR કોડના માધ્યમથી હવે કન્યાદાન અને કન્યાના ‘મૂહ દિખાઈ’નું શગુન ઓનલાઈન મોકલી શકાશે. આકાશનું કહેવું છે કે, લગ્નમાં, સંબંધીઓ અને પરિચિતો ઘણીવાર દૂર-દૂરથી સમારોહમાં હાજરી આપવા માટે મુસાફરી કરે છે. આ દરમિયાન ઘણીવાર માર્ગ અકસ્માતો થાય છે, જેથી આનંદનો માહોલ શોકમાં ફેરવાઈ જાય છે. આ સમસ્યાને જોતાં, તેમણે આ પગલું ભર્યું જેથી દૂરના સંબંધીઓ મુસાફરી કર્યા વિના તેમની શુભેચ્છાઓ અને 'શગુન' સુરક્ષિત રીતે મોકલી શકે છે.
તેણે જણાવ્યું કે જે સંબંધીઓ માટે આવવાનું સંભવ નથી, અથવા જે અંતર અથવા વ્યસ્તતાને કારણે નહીં આવી શકે, તેઓ QR કોડ સ્કેન કરીને કન્યાદાન અથવા 'મૂહ દિખાઈ' શગુન ઓનલાઈન મોકલી શકે છે. તેનાથી ન માત્ર સુરક્ષા સુનિશ્ચિત થશે, પરંતુ તેમના બિનજરૂરી મુસાફરી ખર્ચને પણ બચશે. આ પહેલના ભાગ રૂપે, આકાશે પંજાબ, ચંદીગઢ, પાણીપત અને અન્ય દૂરના વિસ્તારોમાં રહેતા સંબંધીઓને વોટ્સએપ દ્વારા ડિજિટલ કાર્ડ મોકલ્યા છે, જ્યારે આસપાસના વિસ્તારોમાં વ્યક્તિગત રીતે કાર્ડ પહોંચાડ્યા છે.

આ અનોખા વિચારની ક્ષેત્રમાં ખૂબ પ્રશંસા થઈ રહી છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે આ પહેલ સમયની જરૂરિયાત છે અને સમાજને સકારાત્મક સંદેશ જશે. ટેક્નોલોજીના યોગ્ય ઉપયોગ દ્વારા, પરંપરાઓને સુરક્ષિત અને અનુકૂળ બનાવી શકાય છે. આકાશનું વિઝન ભવિષ્યમાં અન્ય લોકો માટે પ્રેરણારૂપ બની શકે છે.

