કોઈ 27 તો કોઈ 95 મતથી જીત્યું, બિહારની એ બેઠકો જ્યાં સામાન્ય અંતરથી પરિણામ નક્કી થયું

બિહાર ચૂંટણી પરિણામો આવી ગયા છે. NDA 202 બેઠકો સાથે ઐતિહાસિક જીત મેળવી છે, જ્યારે મહાગઠબંધન 35 બેઠકો પર સમેટાઇ ગયું છે. કેટલાક ઉમેદવારો રેકોર્ડ મતોથી જીત્યા છે, જ્યારે કેટલા એવા પણ છે જે સૌથી ઓછા માર્જિનથી જીત્યા છે.

બિહાર વિધાનસભાની ચૂંટણીમાં સૌથી ઓછા માર્જિનથી જીતનારા ઉમેદવારોમાં સૌથી પહેલું નામ JDUના ઉમેદવાર રામચરણ શાહનું છે. તેમણે સંદેશ બેઠક માત્ર 27 મતોથી જીતી હતી. તેમને 80,598 મતો મળ્યા, જ્યારે RJDના દીપુ સિંહને 80,571 મત મળ્યા. અહીં, જન સૂરાજ પાર્ટી મત કાપનાર સાબિત થઈ. JSPના રાજીવ રંજન રાજનને 6,040 મતો મળ્યા.

bihar-result
results.eci.gov.in

તેવી જ રીતે, અંગિઆંવ બેઠક પરથી BJPના ઉમેદવાર મહેશ પાસવાને માત્ર 95 મતોના માર્જિનથી જીત મેળવી હતી. તેમને 69,412 મતો મળ્યા, જેમણે ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (માર્ક્સવાદી-લેનિનવાદી)ના ઉમેદવાર શિવ પ્રકાશ રંજનને હરાવ્યા હતા.

બલરામપુર બેઠક પરથી LJP (રામવિલાસ)ના ઉમેદવાર સંગીતા દેવીએ 389 મતોના માર્જિનથી જીત મેળવી, તેમણે AIMIM ઉમેદવાર મોહમ્મદ આદિલ હુસૈનને હરાવ્યા. સંગીતા દેવીને 80,459 મત મળ્યા.

એજ રીતે બખ્તિયારપુર બેઠક પર LJP ઉમેદવાર અરુણ કુમારે 981 મતોથી જીત મેળવી. તેમને 88,520 મતો મળ્યા. RJDના ઉમેદવાર અનિરુદ્ધ કુમારને હરાવ્યા, જેમને 87,539 મતો મળ્યા. RJD ઉમેદવાર કુમાર સર્વજીતે બોધગયા બેઠક પર 881 મતોથી જીત મેળવી, તેમને 100,236 મતો મળ્યા, LJP (રામવિલાસ)ના ઉમેદવાર શ્યામદેવ પાસવાનને હરાવ્યા.

કોંગ્રેસના ઉમેદવાર અભિષેક રંજને ચનપટિયા બેઠક પર 602 મતોથી જીત મેળવી. તેમને 87,538 મતો મળ્યા, તેમને ભાજપના ઉમેદવાર ઉમાકાંત સિંહને હરાવ્યા, જેમને 86,936 મતો મળ્યા હતા. RJD ઉમેદવાર ફૈઝલ રહેમાને ઢાકા બેઠક પર 178 મતોથી જીત મેળવી, તેમને 1,12,727 મતો મળ્યા, જ્યારે ભાજપના પવન કુમાર જયસ્વાલને 1,12,549 મતો મળ્યા.

bihar-result2
results.eci.gov.in

કોંગ્રેસના ઉમેદવાર મનોજ વિશ્વાસે બિહારની ફોર્બ્સગંજ બેઠક પર 221 મતોથી જીત મેળવી, જેમને 1,20,114 મતો મળ્યા, જ્યારે ભાજપના વિદ્યા સાગર કેસરીને 1,19,893 મતો મળ્યા. આ ઉપરાંત, જહાનાબાદ બેઠક પરથી RJDના ઉમેદવાર રાહુલ કુમારે 793 મતથી જીત મેળવી, તેમને 86402 મત મળ્યા, જ્યારે JDUના ઉમેદવાર ચંદેશ્વર પ્રસાદને 85609 મત મળ્યા. નબીનગર બેઠક પણ JDUના ઉમેદવાર ચેતન આનંદે 112 મતથી જીત મેળવી, તેમને 80380 મત મળ્યા, જ્યારે RJDના ઉમેદવાર અમોદ કુમાર સિંહને 80268 મત મળ્યા અને રામગઢ બેઠક પર સતિશ કુમાર યાદવે 30 મતથી જીત મેળવી, તેમને 72689 મત મળ્યા, જ્યારે ભાજપના ઉમેદવાર અશોક કુમાર સિંહને 72659 મત મળ્યા.

About The Author

Related Posts

Top News

સરકારે જણાવ્યા ખાંડની કિંમત વધવાના કારણો

છેલ્લા કેટલાક અઠવાડિયામાં ખાંડના ભાવમાં તીવ્ર ઉછાળો જોવા મળ્યો છે. જોકે, કેન્દ્ર સરકારે શુક્રવારે સ્પષ્ટતા કરી હતી કે ભાવવધારા...
Business 
સરકારે જણાવ્યા ખાંડની કિંમત વધવાના કારણો

ગુજરાતમાં વરસાદનું જોર ઘટશે, વરસાદની પેટર્ન હવે વધુ અસંતુલિત બની

ભારતમાં ચોમાસું હજુ પૂરું થયું નથી, પરંતુ વરસાદની પેટર્ન હવે વધુ અસંતુલિત અને પસંદગીયુક્ત બની રહી છે. ઉત્તર-પૂર્વ મધ્ય...
National 
ગુજરાતમાં વરસાદનું જોર ઘટશે, વરસાદની પેટર્ન હવે વધુ અસંતુલિત બની

સરકારે વચન તોડ્યું... CJPએ જંતર-મંતર જેવા વિરોધ પ્રદર્શનોની ચેતવણી આપતા કહ્યું, અમે યુવાનોને...

રવિવારે (23 ઓગસ્ટ) કોકરોચ જનતા પાર્ટીએ કેન્દ્ર સરકારને જંતર-મંતર પર ચાલી રહેલા વિરોધ પ્રદર્શનને સમાપ્ત કરતી વખતે આપેલા વચનો...
National 
સરકારે વચન તોડ્યું... CJPએ જંતર-મંતર જેવા વિરોધ પ્રદર્શનોની ચેતવણી આપતા કહ્યું, અમે યુવાનોને...

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 24-08-2026 દિવસ: સોમવાર મેષ: કાર્યક્ષેત્રમાં અવનવી તકો જણાય, સાવચેતી રાખીને આગળ વધવું, આવનારા વિઘ્નો હળવા થતા જણાય. વૃષભ: દિવસ...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.