શેખ હસીનાને સત્તા પરથી ઉથલાવી પાડવાને લઈને બાંગ્લાદેશના પૂર્વ મંત્રીનો મોટો ખુલાસો

ઓગસ્ટ 2024માં બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાને સત્તા ઊથલાવી પાડવા પાછળ અમેરિકાના ડીપ સ્ટેટનો હાથ હોવાની અફવાઓ લાંબા સમયથી હતી. હવે બાંગ્લાદેશના પૂર્વ મંત્રી અને કટોકટી દરમિયાન મુખ્ય વાટાઘાટકાર રહેલા મોહિબુલ હસન ચૌધરીએ આ વાતની પુષ્ટિ કરવાનો દાવો કર્યો છે. રશિયા ટૂડે (RT) મીડિયા આઉટલેટ સાથેને આપેલા ઈન્ટરવ્યૂમાં ચૌધરીએ આરોપ લગાવ્યો કે જ્યોર્જ સોરોસ, USAID, ક્લિન્ટન પરિવાર અને બાઈડેન પ્રશાસનના એક ગઠબંધને ભંડોળ પૂરું પાડ્યું હતું.

આ ભંડોળનો ઉપયોગ ઉગ્રવાદીઓને પ્રોત્સાહન આપવા અને ઢાકામાં 2024ની સરકારને અસ્થિર કરીને દૂર કરવા માટે કરવામાં આવ્યો હતો. ચૌધરીએ જણાવ્યું હતું કે શેખ હસીનાને સત્તા પરથી ઊથલાવી પાડનારા રમખાણો અચાનક નહોતા થયા, પરંતુ 2018 થી જ આંતરરાષ્ટ્રીય રિપબ્લિકન ઇન્સ્ટિટ્યૂટ (IRI) જેવી અમેરિકન બિન-સરકારી સંસ્થાઓ (NGO) સાથે મળીને કેટલાક પરિવારો (ખાસ કરીને બાઈદેન અને ક્લિન્ટન) સતત તેમની સરકાર વિરુદ્ધ સતત અભિયાન ચલાવી રહ્યા છે.

bangladesh
indianexpress.com

પૂર્વ મંત્રીએ આરોપ લગાવ્યો કે, નોકરીના ક્વોટામાં સુધારાને લઈને શરૂ થયેલા વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શનો આ પૈસાથી સાવધાનીપૂર્વક નિયોજીત કરવામાં આવ્યા હતા. તેમણે દાવો કર્યો કે આ અવ્યવસ્થા બાદમાં મોટી રમખાણોમાં ફેરવાઈ ગઈ, જેમાં ઇસ્લામિક તત્વોએ ઘૂસણખોરી કરી. ચૌધરીએ ખુલાસો કર્યો કે સરકારી નોકરી ક્વોટાના વિરોધમાં શરૂ થયેલા વિદ્યાર્થી આંદોલનને પહેલાથી ભંડોળ પૂરું પાડવામાં આવ્યું હતું. અરાજકાતની આ યોજના અગાઉથી બનાવવામાં આવી હતી.

આ પૈસાનો ઉપયોગ રમખાણો ભડકાવવા અને હસીના સરકારને ઘૂંટણિયે પાડવા માટે કરવામાં આવ્યો હતો. USAIDની કરોડો ડોલરબના ભંડોળનો કોઈ હિસાબ નહોતો. આ પૈસાનો ઉપયોગ 'સત્તા પરિવર્તન' ગતિવિધિઓ માટે કરવામાં આવ્યો હતો. ચૌધરીએ નોબેલ પુરસ્કાર વિજેતા મુહમ્મદ યૂનુસને પણ કથિત અમેરિકન ષડયંત્રનો હિસ્સો ગણાવ્યા. તેમના મતે, યૂનુસ તે સમયે યુરોપમાં હતા અને બાદમાં તેમને બાંગ્લાદેશની વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. ચૌધરીએ એવો પણ દાવો કર્યો હતો કે, ક્લિન્ટન પરિવાર અને વચગાળાના યૂનુસ શાસન વચ્ચે લાંબા સમયથી સંબંધ છે.

તેમણે આરોપ લગાવ્યો કે હસીના સરકારને અસ્થિર કરવા માટે ગુપ્ત NGO’ને ભંડોળ પૂરું પાડવામાં આવી રહ્યું હતું અને USAIDના લાખો ડોલરનું ભંડોળ ગાયબ હતું, જેનો ઉપયોગ સરકારને ઉથલાવી પાડવાની ગતિવિધિઓ માટે કરવામાં આવ્યો હતો. શેખ હસીના દેશમાંથી ભાગી ગયા બાદ, મુહમ્મદ યૂનુસને વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ચૌધરીએ સમગ્ર ઘટનાને પશ્ચિમી પ્રાયોજિત ઓપરેશન ગણાવી જેનો હેતુ હસીનાના લાંબા સમયથી ચાલતા શાસનને ઉથલાવી પાડવા અને ઢાકામાં વધુ મજબુત શાસન સ્થાપિત કરવાનો હતો.

About The Author

Related Posts

Top News

ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?

આમ આદમી પાર્ટીના વિસાવદર વિધાનસભાના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા ગુજરાતના રાજકારણમાં તેમની આક્રમક, તાર્કિક અને ક્યારેક વધુપડતી તીખી ભાષા માટે જાણીતા...
Opinion 
ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?

રોકડ સંકટને પહોંચી વળવા RBI 2 લાખ કરોડ રૂપિયા સિસ્ટમમાં નાખીને બજારને રાહત આપવાની તૈયારીમાં

ભારતીય રિઝર્વ બેન્ક (RBI)એ બેન્કિંગ સિસ્ટમમાં રોકડની અછતને પહોંચી વળવા માટે એક મોટું પગલું ભર્યું છે. કેન્દ્રીય બેન્કે...
Business 
રોકડ સંકટને પહોંચી વળવા RBI 2 લાખ કરોડ રૂપિયા સિસ્ટમમાં નાખીને બજારને રાહત આપવાની તૈયારીમાં

બાંગ્લાદેશના T20 વર્લ્ડ કપ બોયકૉટથી ભારતને કેટલું થશે નુકસાન?

બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB)એ સ્પષ્ટ કરી દીધું છે કે, તે ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026 માટે...
Sports 
બાંગ્લાદેશના T20 વર્લ્ડ કપ બોયકૉટથી ભારતને કેટલું થશે નુકસાન?

2 લોકોએ 2.89 કરોડનું સોનું એવી રીતે છુપાવ્યું કે DRIની ટીમ પણ હેરાન રહી ગઈ

મુંબઈ એરપોર્ટ હાલના દિવસોમાંમાં ‘તસ્કરી’ વેબ સીરિઝને કારણે ચર્ચામાં છે. આ વેબ સીરિઝમાં બતાવવામાં આવ્યું છે કે,...
National 
2 લોકોએ 2.89 કરોડનું સોનું એવી રીતે છુપાવ્યું કે DRIની ટીમ પણ હેરાન રહી ગઈ

Opinion

ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે? ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
આમ આદમી પાર્ટીના વિસાવદર વિધાનસભાના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા ગુજરાતના રાજકારણમાં તેમની આક્રમક, તાર્કિક અને ક્યારેક વધુપડતી તીખી ભાષા માટે જાણીતા...
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
રામ મંદિર એક વિચારની પુનઃસ્થાપના છે જ્યાં શાસન નહીં પણ સેવા સર્વોપરી છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.