આમંત્રણ રદ થતા ગુસ્સે ભરાયા નસીરુદ્દીન શાહ, બોલ્યા- ‘પ્રશંસા ન કરવી દેશદ્રોહ બની ગયો છે’

પ્રખ્યાત ફિલ્મ અભિનેતા નસીરુદ્દીન શાહ ફરી એકવાર ચર્ચામાં આવી ગયા છે. એક અખબારમાં લખેલા પોતાના લેખમાં અભિનેતા નસીરુદ્દીન શાહે કહ્યું કે, ‘મુંબઈ યુનિવર્સિટી દ્વારા તેમનું આમંત્રણ રદ કારવું એ તેમની નૈતિક પ્રામાણિકતા અને હિંમત છે. પ્રશંસા ન કરવી હવે દેશદ્રોહ બની ગયો છે. આ એ દેશ નથી રહ્યો, જેમાં હું મોટો થયો અને મને પ્રેમ કરવાનું શીખવવામાં આવ્યું હતું. 2 મિનિટની નફરત હવે 24 કલાકની નફરત બની ગઈ છે.

પોતાના લેખની શરૂઆત કરતા શાહે કહ્યું કે, ‘છેલ્લા 40થી વધુ વર્ષોમાં, મારા કામ સાથે જોડાયેલા કેટલાક સૌથી આનંદદાયક અને શીખવનારા અનુભવો વિદ્યાર્થીઓ સાથે જ રહ્યા છે, વિવિધ સંસ્થાઓમાં અને અહીં સુધી કે વ્યક્તિગત સ્તરે પણ. મેં તેમની પ્રગતિમાં સામેલ થવાનો પ્રયાસ કર્યો છે.

Naseeruddin Shah
facebook.com/NaseeruddinOfficial

વર્ષોથી મોટાભાગે અનિચ્છા ધરાવતા વિદ્યાર્થીઓના વર્ગને સમજાવવાનો પ્રયાસ કરવાથી મારી સ્વાભાવિક ધીરજનો અભાવ થોડો ઓછો કરવામાં આવ્યો છે. બની શકે મેં આ રસ્તામાં ઘણી ભૂલો કરી હશે, પરંતુ હું કોઈ શંકા વિના કહી શકું છું કે મેં અભિનયના કોઈ પણ શિક્ષક કરતા વધુ વિદ્યાર્થીઓ સાથે કામ કરીને શીખ્યું છે.

તેઓ આગળ લખે છે કે, ‘મુંબઈ યુનિવર્સિટીના ઉર્દૂ વિભાગે 1 ફેબ્રુઆરીના રોજ જશ્ન-એ-ઉર્દૂ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. તેમને આ કાર્યક્રમમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું અને તેઓ તેના માટે ખૂબ જ ઉત્સાહિત હતા, કારણ કે તેમને વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરવાની તક મળવા જઇ રહી હતી. પરંતુ 31 જાન્યુઆરીની રાત્રે, કોઈ નક્કર સમજૂતી વિના, તેમને કહેવામાં આવ્યું કે તેમણે હવે આવવાની જરૂર નથી. આ માટે કોઈ માન્ય કારણ આપવામાં આવ્યું નથી, ન તો ઢંગથી માફી માંગવામાં આવી. ત્યારબાદ યુનિવર્સિટીએ કાર્યક્રમમાં જાહેરાત કરી કે તેમણે સ્વેચ્છાએ હાજરી આપવાનો ઇનકાર કર્યો હતો, જે પૂરી રીતે ખોટું છે.

Naseeruddin Shah
facebook.com/NaseeruddinOfficial

નસીરુદ્દીન શાહે આગળ લખ્યું કે, ‘મુંબઈ યુનિવર્સિટીના લોકોમાં આ સત્ય કહેવાની હિંમત નહોતી કે, તેમને એટલા માટે હટાવવામાં આવ્યા, કારણ કે તેઓ ખૂલીને દેશ વિરુદ્ધ બોલે છે. તેમણે કહ્યું કે, ‘જો કોઈ આવું માને છે, તો તેમણે દેશ વિરુદ્ધ શું કહ્યું તેનો પુરાવો આપવો જોઈએ.

પીઢ ફિલ્મ અભિનેતાએ પોતાના લેખમાં સ્પષ્ટતા કરી હતી કે તેમણે ક્યારેય પોતાને વિશ્વગુરુ કહેનારાઓની પ્રશંસા કરી નથી. મેં ઘણીવાર સત્તાધારી સરકારના ઘણા કાર્યોની ખૂલીને ટીકા કરી છે અને આગળ પણ કરતો રહીશ. મેં ઘણીવાર આપણા દેશમાં નાગરિક ભાવના અને અન્ય લોકો પ્રત્યે સન્માનના અભાવ પર દુઃખ વ્યક્ત કર્યું છે.

Naseeruddin Shah
facebook.com/NaseeruddinOfficial

તેમણે પ્રશ્ન કર્યો કે, જ્યારે પાઠ્યપુસ્તકની સામગ્રીમાં ફેરફાર થઈ રહ્યો હોય, વિજ્ઞાન સાથે છેડછાડ થઈ રહી હોય અને મુખ્યમંત્રી ખુલ્લેઆમ કોઈ સમુદાયને મિયા કહીને નિશાન બનાવે ત્યારે ચૂપ રહેવું કેવી રીતે યોગ્ય હોય શકે છે.

પોતાના લેખના અંતે, નસીરુદ્દીન શાહે એવો પણ પ્રશ્ન ઉઠાવ્યો છે કે, ‘આ નફરત ક્યાં સુધી ચાલશે?’ સાથે જ એમ પણ લખે છે કે, ‘આ હવે તે દેશ નથી રહ્યો, જેમાં હું મોટો થયો અને મને પ્રેમ કરવાનું શીખવવામાં આવ્યું હતું. 2 મિનિટની નફરત, હવે 24 કલાકની નફરતમાં બદલાઈ ગઈ છે. શું આ પરિસ્થિતિની તુલના જ્યોર્જ ઓરવેલના 1984 સાથે કરવી વધુ સચોટ રહેશે, જેમાં મહાન નેતાની પ્રશંસા ન કરવી, દેશદ્રોહ માનવામાં આવે છે?’

About The Author

Related Posts

Top News

આ દેશે પાકિસ્તાનને વિનંતી કરી, ભારત સાથે રમો, નહિતર અમારું નુકસાન થઈ જશે

શ્રીલંકા ક્રિકેટ (SLC) એ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) ને ભારત સામે T20 વર્લ્ડ કપ મેચનો બહિષ્કાર કરવાના તેના નિર્ણય પર...
Sports 
આ દેશે પાકિસ્તાનને વિનંતી કરી, ભારત સાથે રમો, નહિતર અમારું નુકસાન થઈ જશે

પાકિસ્તાનના બહિષ્કાર છતા ટોસ માટે મેદાન પર જશે કેપ્ટન સૂર્યકુમાર યાદવ? જાણો ICCના નિયમ

પાકિસ્તાને એ સ્પષ્ટ કરી દીધું છે કે, તે T20 વર્લ્ડ કપ 2026માં 15 ફેબ્રુઆરીએ ભારત સામેની હાઇ-વોલ્ટેજ મેચનો...
Sports 
પાકિસ્તાનના બહિષ્કાર છતા ટોસ માટે મેદાન પર જશે કેપ્ટન સૂર્યકુમાર યાદવ? જાણો ICCના નિયમ

આમંત્રણ રદ થતા ગુસ્સે ભરાયા નસીરુદ્દીન શાહ, બોલ્યા- ‘પ્રશંસા ન કરવી દેશદ્રોહ બની ગયો છે’

પ્રખ્યાત ફિલ્મ અભિનેતા નસીરુદ્દીન શાહ ફરી એકવાર ચર્ચામાં આવી ગયા છે. એક અખબારમાં લખેલા પોતાના લેખમાં અભિનેતા નસીરુદ્દીન શાહે કહ્યું...
Entertainment 
આમંત્રણ રદ થતા ગુસ્સે ભરાયા નસીરુદ્દીન શાહ, બોલ્યા- ‘પ્રશંસા ન કરવી દેશદ્રોહ બની ગયો છે’

ઘોડાના પગમાં ઘૂંઘરું બાંધી ઢોલ-નગારા વગાડીને એક ભારતીયના સ્વાગતમાં નાચ્યા પાકિસ્તાનીઓ!

પાકિસ્તાનમાં, જ્યાં હિન્દુ અને શીખ સમુદાયો સુરક્ષિત નથી, ત્યાં એક ભારતીય મૂળના શીખનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. પાકિસ્તાનીઓ...
World 
ઘોડાના પગમાં ઘૂંઘરું બાંધી ઢોલ-નગારા વગાડીને એક ભારતીયના સ્વાગતમાં નાચ્યા પાકિસ્તાનીઓ!

Opinion

ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે
(ઉત્કર્ષ પટેલ) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૃઢ નેતૃત્વ અને વિઝનરી અભિગમને કારણે 27 જાન્યુઆરી, 2026ના રોજ નવી દિલ્હીમાં યોજાયેલી 16મી ભારત-ઈયુ...
ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
Copyright (c) Khabarchhe All Rights Reserved.