IPL અગાઉ મુંબઈ ઇન્ડિયન્સમાં ધમાસાણ? શું હાર્દિકની જગ્યાએ સૂર્યાને કેપ્ટન બનાવાશે?

IPLની 19મી સીઝન 28 માર્ચથી શરૂ થવાની છે. પરંતુ, ટૂર્નામેન્ટ અગાઉ મુંબઇ ઇન્ડિયન્સ (MI)ની કેપ્ટનશીપને લઇને ચર્ચા ફરી એકવાર તેજ થઇ ગઇ છે. ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ મુખ્ય પસંદગીકાર કૃષ્ણમાચારી શ્રીકાંતે એક મોટું નિવેદન આપતા કહ્યું કે, ‘હાર્દિક પંડ્યાએ IPL 2026મા સ્વેચ્છાએ કેપ્ટનશીપ છોડી દેવી જોઇએ અને ટીમની કમાન સૂર્યકુમાર યાદવને સોંપી દેવી જોઇએ.

શું છે આખો મામલો?

હાર્દિક પંડ્યાને IPL 2024મા ગુજરાત ટાઇટન્સમાંથી ટ્રેડ કરીને મુંબઇ ઇન્ડિયન્સ ટીમમાં લાવવામાં આવ્યો હતો. ત્યારબાદ તેને સીધો કેપ્ટન બનાવી દેવામાં આવ્યો હતો અને રોહિત શર્મા પાસેથી કેપ્ટનશીપ છીનવી લેવામાં આવી હતી. આ નિર્ણયથી ફેંસ ખૂબ નારાજ થયા હતા અને આ પગલાનો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ભારે વિરોધ થયો હતો.

hardik
BCCI

હાર્દિકે કેપ્ટન તરીકે કેવું પ્રદર્શન કર્યું છે?

હાર્દિકની કેપ્ટનશીપ હેઠળ, મુંબઇ ઇન્ડિયન્સનું પ્રદર્શન મિશ્ર રહ્યું છે:

 IPL 2024: ટીમ 10મા સ્થાને રહી.

 IPL 2025: ટીમ ચોથા સ્થાન સુધી પહોંચી.

એટલે ટીમે જરૂર વાપસી કરી, પરંતુ તે ટ્રોફી જીતવામાં નિષ્ફળ રહ્યો છે.

શ્રીકાંતે શું કહ્યું?

શ્રીકાંતનું માનવું છે કે, ટીમ પાસે પહેલાથી જ વર્લ્ડ કપ જીતનારા કેપ્ટન છે, એવામાં હાર્દિકે ઉદારતા દર્શાવવી જોઇએ. આ થોડી અજીબ પરિસ્થિતિ છે. હાર્દિકે પોતે રોહિત શર્મા અને સૂર્યકુમાર યાદવ બંનેની કેપ્ટનશીપ હેઠળ રમીને વર્લ્ડ કપ જીત્યા છે. એવામાં તેણે સ્વેચ્છાએ કેપ્ટન પદ છોડીને જાહેર કરવું જોઇએ કે સૂર્યકુમાર ટીમનું નેતૃત્વ કરે અને તે સપોર્ટ કરશે.

krish
india.com

સૂર્યકુમાર યાદવ શા માટે એક પ્રબળ દાવેદાર છે?

તાજેતરમાં જ, ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026માં સૂર્યકુમાર યાદવે ભારતને ટ્રોફી અપાવી છે. ત્યારબાદ, તેની કેપ્ટનશીપની ખૂબ પ્રશંસા થઇ રહી છે. તેની આક્રમક માનસિકતા, મેદાન પર નિર્ણાયક નિર્ણયો લેવાની ક્ષમતા અને ખેલાડીઓને સાથે લઇને ચાલવાનો અંદાજ તેને એક પ્રબળ કેપ્ટન બનાવે છે.

શું હાર્દિક પર દબાણ વધશે?

હાર્દિક પંડ્યા પહેલાથી જ દબાણ હેઠળ છે

27 કરોડ રૂપિયાની કિંમત (પાછલી સીઝનથી)

 કેપ્ટનશીપનો બોજ

 ટીમના પ્રદર્શનની જવાબદારી

હવે જ્યારે સૂર્યકુમાર યાદવ જેવો સફળ કેપ્ટન ટીમમાં છે, ત્યારે MIનું નેતૃત્વ કોણે કરવું જોઇએ તે અંગે ચર્ચા વધુ તેજ થઇ ગઇ છે.

hardik
BCCI

આ વખતે પણ મુંબઇ ઇન્ડિયન્સ પાસે મજબૂત ટીમ છે. ટીમમાં હાર્દિક, રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ, બુમરાહ અને બોલ્ટ જેવા દિગ્ગજ ખેલાડીઓ છે. આ ઉપરાંત ટીમે ડી કોક, શાર્દુલ ઠાકુર અને રૂધરફોર્ડ જેવા ખેલાડીઓને પણ સામેલ કર્યા છે.

મુંબઇ ઇન્ડિયન્સ 29 માર્ચે KKR સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે. ત્યારબાદ, ટીમ દિલ્હી, રાજસ્થાન અને ચેન્નાઇ સામે રમશે. નોંધનીય છે કે 12 એપ્રિલ સુધીનું IPL શેડ્યૂલ પહેલાથી જ જાહેર થઇ ગયું છે. ઓપનિંગ મેચ 28 માર્ચે છે.

About The Author

Related Posts

Top News

એક્શનમાં CM વિજય, મંદિર-મસ્જિદ, શાળાઓ અને બસ સ્ટેન્ડ નજીક દારૂની દુકાનો બંધ કરવાનો આદેશ

પશ્ચિમ બંગાળની જેમ, તમિલનાડુમાં પણ નવી સરકારે સત્તા સંભાળી છે, અને શરૂઆતથી જ એક્શન મોડમાં હોય તેવું લાગે...
એક્શનમાં CM વિજય, મંદિર-મસ્જિદ, શાળાઓ અને બસ સ્ટેન્ડ નજીક દારૂની દુકાનો બંધ કરવાનો આદેશ

વોટ્સએપ પ્લસ થયું લોન્ચ, મળશે વધુ ફીચર્સ, પણ ખિસ્સા હળવા કરવા પડશે

તમે કદાચ પહેલાથી જ વોટ્સએપનો ઉપયોગ કરી જ રહ્યા છો. હવે, વોટ્સએપ પ્લસ અજમાવીને જુઓ. અસલી, નકલી વર્ઝન...
Tech and Auto 
વોટ્સએપ પ્લસ થયું લોન્ચ, મળશે વધુ ફીચર્સ, પણ ખિસ્સા હળવા કરવા પડશે

ભારતમાં પેટ્રોલ, ડીઝલ અને LPGના સ્ટોક અંગે કેન્દ્ર સરકારે આપી બધી માહિતી

વૈશ્વિક ઉર્જા બજારમાં ચાલી રહેલી ઉથલપાથલ વચ્ચે, ભારત સરકારે દેશવાસીઓને મોટી રાહત આપતા સ્પષ્ટ કર્યું છે કે દેશમાં ઈંધણની...
National 
ભારતમાં પેટ્રોલ, ડીઝલ અને LPGના સ્ટોક અંગે કેન્દ્ર સરકારે આપી બધી માહિતી

NEET (UG) પરીક્ષા 24 લાખ વિદ્યાર્થીઓ ફરીથી આપશે; નવી એક્ઝામ અંગે જાણો સંપૂર્ણ વિગતો

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા ગત 3 મે 2026ના રોજ લેવાયેલી NEET (UG) 2026ની પરીક્ષા સત્તાવાર રીતે...
Education 
NEET (UG) પરીક્ષા 24 લાખ વિદ્યાર્થીઓ ફરીથી આપશે; નવી એક્ઝામ અંગે જાણો સંપૂર્ણ વિગતો
Copyright (c) Khabarchhe All Rights Reserved.