IPL અગાઉ મુંબઈ ઇન્ડિયન્સમાં ધમાસાણ? શું હાર્દિકની જગ્યાએ સૂર્યાને કેપ્ટન બનાવાશે?

IPLની 19મી સીઝન 28 માર્ચથી શરૂ થવાની છે. પરંતુ, ટૂર્નામેન્ટ અગાઉ મુંબઇ ઇન્ડિયન્સ (MI)ની કેપ્ટનશીપને લઇને ચર્ચા ફરી એકવાર તેજ થઇ ગઇ છે. ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ મુખ્ય પસંદગીકાર કૃષ્ણમાચારી શ્રીકાંતે એક મોટું નિવેદન આપતા કહ્યું કે, ‘હાર્દિક પંડ્યાએ IPL 2026મા સ્વેચ્છાએ કેપ્ટનશીપ છોડી દેવી જોઇએ અને ટીમની કમાન સૂર્યકુમાર યાદવને સોંપી દેવી જોઇએ.

શું છે આખો મામલો?

હાર્દિક પંડ્યાને IPL 2024મા ગુજરાત ટાઇટન્સમાંથી ટ્રેડ કરીને મુંબઇ ઇન્ડિયન્સ ટીમમાં લાવવામાં આવ્યો હતો. ત્યારબાદ તેને સીધો કેપ્ટન બનાવી દેવામાં આવ્યો હતો અને રોહિત શર્મા પાસેથી કેપ્ટનશીપ છીનવી લેવામાં આવી હતી. આ નિર્ણયથી ફેંસ ખૂબ નારાજ થયા હતા અને આ પગલાનો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ભારે વિરોધ થયો હતો.

hardik
BCCI

હાર્દિકે કેપ્ટન તરીકે કેવું પ્રદર્શન કર્યું છે?

હાર્દિકની કેપ્ટનશીપ હેઠળ, મુંબઇ ઇન્ડિયન્સનું પ્રદર્શન મિશ્ર રહ્યું છે:

 IPL 2024: ટીમ 10મા સ્થાને રહી.

 IPL 2025: ટીમ ચોથા સ્થાન સુધી પહોંચી.

એટલે ટીમે જરૂર વાપસી કરી, પરંતુ તે ટ્રોફી જીતવામાં નિષ્ફળ રહ્યો છે.

શ્રીકાંતે શું કહ્યું?

શ્રીકાંતનું માનવું છે કે, ટીમ પાસે પહેલાથી જ વર્લ્ડ કપ જીતનારા કેપ્ટન છે, એવામાં હાર્દિકે ઉદારતા દર્શાવવી જોઇએ. આ થોડી અજીબ પરિસ્થિતિ છે. હાર્દિકે પોતે રોહિત શર્મા અને સૂર્યકુમાર યાદવ બંનેની કેપ્ટનશીપ હેઠળ રમીને વર્લ્ડ કપ જીત્યા છે. એવામાં તેણે સ્વેચ્છાએ કેપ્ટન પદ છોડીને જાહેર કરવું જોઇએ કે સૂર્યકુમાર ટીમનું નેતૃત્વ કરે અને તે સપોર્ટ કરશે.

krish
india.com

સૂર્યકુમાર યાદવ શા માટે એક પ્રબળ દાવેદાર છે?

તાજેતરમાં જ, ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026માં સૂર્યકુમાર યાદવે ભારતને ટ્રોફી અપાવી છે. ત્યારબાદ, તેની કેપ્ટનશીપની ખૂબ પ્રશંસા થઇ રહી છે. તેની આક્રમક માનસિકતા, મેદાન પર નિર્ણાયક નિર્ણયો લેવાની ક્ષમતા અને ખેલાડીઓને સાથે લઇને ચાલવાનો અંદાજ તેને એક પ્રબળ કેપ્ટન બનાવે છે.

શું હાર્દિક પર દબાણ વધશે?

હાર્દિક પંડ્યા પહેલાથી જ દબાણ હેઠળ છે

27 કરોડ રૂપિયાની કિંમત (પાછલી સીઝનથી)

 કેપ્ટનશીપનો બોજ

 ટીમના પ્રદર્શનની જવાબદારી

હવે જ્યારે સૂર્યકુમાર યાદવ જેવો સફળ કેપ્ટન ટીમમાં છે, ત્યારે MIનું નેતૃત્વ કોણે કરવું જોઇએ તે અંગે ચર્ચા વધુ તેજ થઇ ગઇ છે.

hardik
BCCI

આ વખતે પણ મુંબઇ ઇન્ડિયન્સ પાસે મજબૂત ટીમ છે. ટીમમાં હાર્દિક, રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ, બુમરાહ અને બોલ્ટ જેવા દિગ્ગજ ખેલાડીઓ છે. આ ઉપરાંત ટીમે ડી કોક, શાર્દુલ ઠાકુર અને રૂધરફોર્ડ જેવા ખેલાડીઓને પણ સામેલ કર્યા છે.

મુંબઇ ઇન્ડિયન્સ 29 માર્ચે KKR સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે. ત્યારબાદ, ટીમ દિલ્હી, રાજસ્થાન અને ચેન્નાઇ સામે રમશે. નોંધનીય છે કે 12 એપ્રિલ સુધીનું IPL શેડ્યૂલ પહેલાથી જ જાહેર થઇ ગયું છે. ઓપનિંગ મેચ 28 માર્ચે છે.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસને બંગલો ખાલી કરવાનો આદેશ, સમયમર્યાદા પણ આપી દીધી

દિલ્હીમાં કોંગ્રેસ પાર્ટીને તેનું જૂનું કાર્યાલય એટલે કે 24 અકબર રોડ સ્થિત બંગલો ખાલી કરવાની નોટિસ મળી છે. સૂત્રોના જણાવ્યા...
Politics 
કોંગ્રેસને બંગલો ખાલી કરવાનો આદેશ, સમયમર્યાદા પણ આપી દીધી

સુરતમાં ગુનો બને તે પહેલા જ પોલીસ પહોંચી ગયેલી, વીડિયોમાં જુઓ કેવી રીતે ટપોરીઓને ઉઠાવી લીધા

સુરતના ગોડાદરા વિસ્તારમાં, માત્ર 1000 રૂપિયાના સામાન્ય વિવાદે મોટા ઝઘડાનું સ્વરૂપ ધારણ કરી લીધું. જોકે, પોલીસની તત્પરતાને કારણે...
Gujarat 
સુરતમાં ગુનો બને તે પહેલા જ પોલીસ પહોંચી ગયેલી, વીડિયોમાં જુઓ કેવી રીતે ટપોરીઓને ઉઠાવી લીધા

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર(RCB)ની ટીમ 16,706 કરોડમાં વેચાઈ ગઈ, જાણો કોણે ખરીદી

IPLની સૌથી હાઇ-પ્રોફાઇલ ટીમોમાંથી એક અને વર્તમાન ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) હવે નવા હાથોમાં જતી રહી...
Sports 
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર(RCB)ની ટીમ 16,706 કરોડમાં વેચાઈ ગઈ, જાણો કોણે ખરીદી

કરિયાવરમાં 20 કરોડની માંગ, SDM પતિ-પત્ની વચ્ચેનો વિવાદ પોલીસ સ્ટેશન પહોંચ્યો

ઉત્તર પ્રદેશના ચંદૌલીમાં પોસ્ટ કરાયેલા SDM પતિ-પત્ની વચ્ચેનો વિવાદ ચર્ચાનો વિષય બની ગયો છે. ચંદૌલી સદર SDM દિવ્યા ઓઝાના પિતા...
National 
કરિયાવરમાં 20 કરોડની માંગ,  SDM પતિ-પત્ની વચ્ચેનો વિવાદ પોલીસ સ્ટેશન પહોંચ્યો

Opinion

જયપ્રકાશ અગ્રવાલ એક એવા ઉદ્યોગપતિ છે જેમણે સુરત શહેરનું ઋણ ચૂકવવામાં કોઈ કસર છોડી નથી જયપ્રકાશ અગ્રવાલ એક એવા ઉદ્યોગપતિ છે જેમણે સુરત શહેરનું ઋણ ચૂકવવામાં કોઈ કસર છોડી નથી
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતના ટેક્સટાઇલ જગતમાં સુરતનું રચના ગ્રુપનું અગ્રણી નામ છે. જેની સ્થાપના વર્ષ 1980માં જયપ્રકાશ અગ્રવાલે કરી હતી. જયપ્રકાશ...
જયેશ દેસાઈ: હસતા મોઢે સૌનું હૈયું જીતી સફળતાની સીડી ચઢનાર વ્યક્તિત્વ
આર્કિટેક્ટ બંકિમ દવે: સુરતમાં આર્કિટેક્ચર અને ઇન્ટિરિયર ડિઝાઇનના ક્ષેત્રમાં ત્રીજી પેઢીનું મોટું નામ
ગુજરાત ભાજપના કાર્યકર્તાઓને તડકી છાંયડીમાં સાથ આપે એવા અધ્યક્ષ મળ્યા છે
ગુજરાતના યુવાનો મોઘી ગાડીઓ, વૈભવી મકાનો માટે પોતાની જમીન ખેતર ના વેચશો
Copyright (c) Khabarchhe All Rights Reserved.