સરકારે ચીનની કંપનીઓને ભારતમાં રોકાણ કરવાની શરતી મંજુરી આપી છે. 2020માં ભારતે ચીનની કંપનીઓ પર FDI માટે કડક પ્રતિબંધો જાહેર કર્યા હતા, પરંતુ તેમાં હવે છુટછાટ આપવામાં આવી છે. સરકારે ક્હ્યું છે કે, ચીન અને હોંગકોંગમાં ન નોંધાયેલી હોય તેવી કંપનીઓ ભારતમાં શરૂઆતમાં 7 સેક્ટરમાં રોકાણ કરી શકે છે. આના માટે 10 ટકા સુધીના જ રોકાણની મર્યાદા પણ રાખવામાં આવી છે.
ભારત સરકારે ચીનને રોકાણની છુટ માટે જે 7 સેક્ટરો પસંદ કર્યા છે તેમાં કેપિટલ ગૂડઝ, ઇલેક્ટ્રોનિકસ કેપિટલ ગૂડઝ, ઇલેક્ટ્રોનિક કમ્પોનન્ટ, પોલીસિલિકોન ઇગ્નોટ વેફર, રેર અર્થ પરમેનન્ટ મેગ્નેટ, રેર અર્થ પ્રોસેસીંગ અને એડવાન્સ બેટરી કમ્પોનન્ટનો સમાવેશ થાય છે.
ભારતે મંજૂરી એટલા માટે આપી કે ભારતમાં જ વધુ પ્રોડકન થાય, અહીં ઉત્પાદન થશે તો આયાત પણ ઓછી થશે, રોજગારી વધશે.