આસામમાં કોંગ્રેસને વધુ એક ઝટકો, પ્રતિક બોરદોલોઇએ આ બેઠક પરથી ટિકિટ પાછી આપી દીધી

આસામમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. એવામાં, તમામ રાજકીય પક્ષોએ પોતપોતાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ વખતે આસામમાં મુખ્ય ચૂંટણી જંગ શાસક ભાજપ અને વિપક્ષ કોંગ્રેસ વચ્ચે છે. જોકે, રાજ્યમાં કોંગ્રેસ પાર્ટીને સતત ઝટકો લાગી રહ્યો છે.

ચૂંટણી અગાઉ કોંગ્રેસના ઘણા નેતાઓએ પાર્ટીને અલવિદા કહી દીધી છે. હવે, આસામમાં માર્ગેરિટા વિધાનસભા બેઠક માટે કોંગ્રેસના ઉમેદવાર પ્રતીક બોરદોલોઈએ પણ પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી છે. ઉલ્લેખનીય છે કે, પ્રતીક બોરદોલોઈના પિતા પ્રદ્યુત બોરદોલોઈ તાજેતરમાં જ ભાજપમાં જોડાયા હતા.

Prateek-Bordoloi1
aninews.in

શું છે આખો મામલો

અહેવાલો અનુસાર, માર્ગેરિટા બેઠક માટે કોંગ્રેસના ઉમેદવાર પ્રતીક બોરદોલોઈએ તેમના પિતા પ્રદ્યુત બોરદોલોઈના ભાજપમાં સામેલ થયા બાદ પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી છે. આને લઈને કોંગ્રેસનાં અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને પત્ર પણ મોકલ્યો છે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ, પ્રતીક બોરદોલોઈના પિતા અને આસામની નાગાંવ બેઠકના લોકસભા સાંસદ પ્રદ્યુત બોરદોલોઈએ મંગળવારે કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું. ત્યારબાદ, તેઓ બુધવારે ભાજપમાં જોડાયા હતા.

પ્રતીક બોરદોલોઈએ મલ્લિકાર્જૂન ખડગેને લખેલા પોતાના પત્રમાં  કહ્યું કે, ‘પક્ષ પ્રત્યે આદર અને જવાબદારી સાથે, હું માર્ગેરિટા વિધાનસભા બેઠક પરથી મારી ઉમેદવારી પાછી ખેંચવાના મારા નિર્ણય વિશે જણાવવા માંગુ છું. મારા પિતાના અન્ય રાજકીય પક્ષમાં જોડાવાના નિર્ણય બાદ મને લાગે છે કે મારા માટે ઉમેદવાર તરીકે બન્યા રહેવું યોગ્ય રહેશે નહીં. જો કે, હું પુનરાવર્તન કરવા માંગુ છું કે કોંગ્રેસ પાર્ટીના આદર્શોમાં મારો વિશ્વાસ અટલ રહેશે. નેતૃત્વ જે યોગ્ય સમજાશે, હું પક્ષ માટે અને માર્ગેરિટાના વિકાસ માટે કામ કરવાનું ચાલુ રાખીશ.

Prateek-Bordoloi3
nenow.in

ચૂંટણી પંચે જાહેરાત કરી છે કે આસામ વિધાનસભા ચૂંટણી માટે મતદાન 9 એપ્રિલના રોજ તમામ 126 બેઠકો પર એક જ તબક્કામાં થશે. ચૂંટણી પરિણામો 4 મેના રોજ જાહેર કરવામાં આવશે.

About The Author

Related Posts

Top News

HDFC બેંકના ચેરમેન અતનુ ચક્રવર્તીનું રાજીનામાથી રોકાણકારોમાં ખળભળાટ, હવે કોણ સંભાળશે સુકાન?

ભારતની સૌથી મોટી ખાનગી બેંક HDFC બેંક તરફથી મોટા સમાચાર આવ્યા છે, જેણે બેંકિંગ ક્ષેત્ર અને શેરબજાર બંનેને આશ્ચર્યચકિત...
Business 
HDFC બેંકના ચેરમેન અતનુ ચક્રવર્તીનું રાજીનામાથી રોકાણકારોમાં ખળભળાટ, હવે કોણ સંભાળશે સુકાન?

'મને ફોન આપી દે નહીંતર હું ટ્રેનમાંથી ઉતારી મુકીશ,' મુસાફરે ચુપકેથી ઘટના રેકોર્ડ કર્યા પછી...

સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક મુસાફર અને ટ્રેન ટિકિટ એક્ઝામિનર (TTE) ...
National 
'મને ફોન આપી દે નહીંતર હું ટ્રેનમાંથી ઉતારી મુકીશ,' મુસાફરે ચુપકેથી ઘટના રેકોર્ડ કર્યા પછી...

આસામમાં કોંગ્રેસને વધુ એક ઝટકો, પ્રતિક બોરદોલોઇએ આ બેઠક પરથી ટિકિટ પાછી આપી દીધી

આસામમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. એવામાં, તમામ રાજકીય પક્ષોએ પોતપોતાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે....
Politics 
આસામમાં કોંગ્રેસને વધુ એક ઝટકો, પ્રતિક બોરદોલોઇએ આ બેઠક પરથી ટિકિટ પાછી આપી દીધી

ફારસની ખાડીમાં 22 ભારતીય ટેન્કરો ફસાયા, 16 લાખ ટન ક્રૂડ અને LPGનો ભંડાર અટક્યો

ભારતની પેટ્રોલિયમ અને ગેસ પુરવઠા પ્રણાલીને ગંભીર પડકારનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે 22 ભારતીય ધ્વજવાળા જહાજો...
Business 
ફારસની ખાડીમાં 22 ભારતીય ટેન્કરો ફસાયા, 16 લાખ ટન ક્રૂડ અને LPGનો ભંડાર અટક્યો

Opinion

કમલભાઈ તુલસિયાન: સફળ ટેક્સટાઇલ ઉદ્યોગપતિ જ નહીં પરંતુ સમાજસેવક, બેંકિંગ ક્ષેત્રના માર્ગદર્શક અને ઉદ્યોગના હિતરક્ષક કમલભાઈ તુલસિયાન: સફળ ટેક્સટાઇલ ઉદ્યોગપતિ જ નહીં પરંતુ સમાજસેવક, બેંકિંગ ક્ષેત્રના માર્ગદર્શક અને ઉદ્યોગના હિતરક્ષક
(ઉત્કર્ષ પટેલ) સુરત ભારતનું ટેક્સટાઇલ કેપિટલ અહીં અનેક ઉદ્યોગપતિઓએ પોતાની મહેનત અને દૂરંદેશીથી વિશ્વમાં નામના મેળવી છે. આવા જ સફળ...
છેવાડાના આદિવાસી ગામડાઓ: વિકાસના દીવા તળે અંધારું જ્યાં દીવો પ્રગટાવવો જરૂરી છે
શંકરભાઈ ચૌધરી: જેમણે પશુપાલન, ખેતી, સહકારી કામ અને રાજકારણમાં પોતાની જવાબદારી નિભાવીને ઘણા લોકોનું જીવન સુધાર્યું છે
એક સમયે સાબરમતીથી ટ્રેન દ્વારા સૌરાષ્ટ્રમાં પાણી મોકલવું પડતું હતું, અને આજે...
ગુજરાતના પનોતા પુત્ર મુકેશ અંબાણી અને રિલાયન્સ ગ્રુપ અમેરિકામાં જઈને રોકાણ કરે તે દેશ અને ગુજરાત માટે ગર્વની વાત જ કહેવાય
Copyright (c) Khabarchhe All Rights Reserved.