'ફોર્સ મેજ્યુર' શું છે? જેનો ઉપયોગ PCB મેચમાંથી ખસી જવા માટે કરી રહ્યું છે... જો તે સાબિત થઇ ગયું તો ICC પણ...!

2026 T20 વર્લ્ડ કપ શરૂ થઈ ગયો છે, પરંતુ 15 ફેબ્રુઆરીએ યોજાનારી ભારત-પાકિસ્તાન મેચ પર સસ્પેન્સ હજુ પણ યથાવત છે. આ મેચ થશે કે નહીં તેની સત્તાવાર જાહેરાત પણ કરવામાં આવી નથી. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ અને સરકારે જાહેરાત કરી છે કે તેઓ ભારત સામે મેચ નહીં રમે. આ પછી, કેટલાક અહેવાલોમાં જણાવાયું છે કે, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને ICC તરફથી 'સજા' તરીકે વિવિધ પ્રતિબંધોનો સામનો કરવો પડી શકે છે. આ પરિણામોથી બચવા માટે, PCBએ હવે એક નવો રસ્તો શોધી કાઢ્યો છે.

અહીં જે નવી રીતની ચર્ચા થઈ રહી છે તે બીજું કઈ નહીં પણ 'ફોર્સ મેજ્યુર' છે. આ શબ્દ ક્રિકેટ ચાહકો માટે નવો અને અજાણ્યો છે. હવે પ્રશ્ન એ છે કે, આ વસ્તુ શું છે જેનો ઉપયોગ પાકિસ્તાન પોતાની યોજનાને અમલમાં મૂકવા માટે બહાના તરીકે કરી રહ્યું છે? જો કે, આ યોજના વિશે જાણ્યા પછી ICCએ પાકિસ્તાનને ઠપકો આપ્યો છે. પાકિસ્તાન ICC સમક્ષ પોતાનો કેસ કેવી રીતે રજૂ કરે છે તે જોવું રસપ્રદ રહેશે. જોકે, PCBએ ભારત સામેની મેચમાંથી ખસી જવા માટે જે 'ફોર્સ મેજ્યુર'નો ઉપયોગ કર્યો છે તે શું છે તે સમજવું મહત્વપૂર્ણ છે. જો આ બહાનું સફળ થાય છે, તો પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ તેના ઈરાદામાં પાર પડી જાય તેમ છે.

Force-Majeure-PCB1
hindi.thesportstak.com

'ફોર્સ મેજ્યુર' શબ્દ 2026ના T20 વર્લ્ડ કપ દરમિયાન અચાનક ચર્ચામાં આવ્યો છે. તે એક એવો શબ્દ છે જેનો ઉપયોગ ઘણીવાર કાનૂની બાબતોમાં થાય છે, પરંતુ એ નોંધવું મહત્વપૂર્ણ છે કે, ICC કરારોના સંદર્ભમાં તેનો સાચો અર્થ અને ઉપયોગ ઘણીવાર ગેરસમજ થાય છે. ફોર્સ મેજ્યુર એ ફ્રેન્ચ ભાષામાંથી ઉતરી આવેલ કાનૂની શબ્દ છે. તેનો અર્થ 'અસાધારણ શક્તિ' અથવા 'ભગવાનની ઇચ્છાથી થયેલી ઘટના' થાય છે. ICC કરારની ભાષામાં, તે પક્ષના નિયંત્રણની બહારની અસાધારણ અને અણધારી ઘટનાઓનો ઉલ્લેખ કરે છે, જે તેને તેની કરારની જવાબદારીઓ પૂર્ણ કરવાથી અટકાવે છે.

હકીકતમાં, T20 વર્લ્ડ કપ જેવી મેગા-ઇવેન્ટ્સ માટે, બધા સભ્ય બોર્ડ ICC સાથે સભ્યો ભાગીદારી કરાર (MPA) પર હસ્તાક્ષર કરે છે. આ કરાર બોર્ડની જવાબદારીઓને ફરજિયાત બનાવે છે, નક્કી કરેલી દરેક મેચો માટે ટીમોને મેદાનમાં ઉતારવી, ટુર્નામેન્ટના નિયમોનું પાલન કરવું અને ICCના ધંધાકીય અને પ્રસારણ હિતોનું રક્ષણ કરવું.

MPAમાં ફોર્સ મેજ્યુર કલમ ​​છે, જેના હેઠળ સભ્ય બોર્ડ ફક્ત ત્યારે જ મુક્તિની વિનંતી કરી શકે છે, જો કોઈ માન્ય અને ભૌતિક ઘટના તેને ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે અશક્ય બનાવે છે. મહત્વપૂર્ણ વાત એ છે કે, સરકારી નિર્દેશોને ફોર્સ મેજ્યુર ગણી શકાય, પરંતુ તે પણ ફક્ત કડક શરતો હેઠળ. પાકિસ્તાન તેના ઉદ્દેશ્યોને પ્રાપ્ત કરવા માટે ICCના નિયમોમાં સમાવિષ્ટ આ ફોર્સ મેજ્યુર કલમનો ઉપયોગ કરી રહ્યું છે.

Force-Majeure-PCB2
hindi.news18.com

IND vs PAK મેચના સંદર્ભમાં, 'ફોર્સ મેજ્યુર'નો સ્પષ્ટ અર્થ એ છે કે ક્રિકેટ બોર્ડ મેચ રમવા માંગે છે, પરંતુ કુદરતી આફતો અથવા સરકારી દબાણને કારણે, તેને બીજી ટીમ સામે મેચ રદ કરવાની ફરજ પાડવામાં આવે છે. આનો અર્થ એ છે કે તે ઇચ્છાથી નહીં, પરંતુ મજબૂરીથી આવું કરે છે. ફોર્સ મેજ્યુરમાં સામાન્ય રીતે કુદરતી આફતો (ભૂકંપ, પૂર), યુદ્ધ, રમખાણો, રોગચાળો (જેમ કે COVID-19), અથવા અચાનક સરકારી આદેશોનો સમાવેશ થાય છે. જો કે, તે ફક્ત ત્યારે જ લાગુ પડે છે જ્યારે તે ઘટના શારીરિક રીતે કામ કરવાને અશક્ય બનાવે છે. PCBICCને સમજાવવાનો પ્રયાસ કર્યો છે કે તે તેની સરકારના નિર્ણયોથી બંધાયેલ છે અને ફોર્સ મેજ્યુર કલમ ​​હેઠળ આ એક મેચથી દૂર રહેશે.

હવે, જો ભારત-પાકિસ્તાન મેચનો ફોર્સ મેજ્યુર હેઠળ બહિષ્કાર કરવામાં આવે છે, તો તે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ માટે તેના ઈરાદામાં સફળ થયાની પરિસ્થિતિ બની શકે છે, કારણ કે તે તેનો નેટ રન રેટ ગુમાવશે નહીં, અને ભારત સામે રમ્યા વિના પણ એક પોઈન્ટ મેળવી શકે છે. પાકિસ્તાનને ફક્ત એ સાબિત કરવાની જરૂર છે કે, 15મી તારીખે ભારત સામે મેચ ન રમવી એ 'તેમના નિયંત્રણની બહાર' હતું, જેમ કે સ્પષ્ટ સરકારી આદેશ. તેમને ICCના દંડથી બચવામાં મદદ પણ કરી શકે છે.

Force-Majeure-PCB
hindi.oneindia.com

પરંતુ આ સરળ રહેશે નહીં, કારણ કે ICCએ એક નવો અવરોધ પણ લાગુ કર્યો છે. આ સમગ્ર બાબત અંગેના અહેવાલોમાં, સૂત્રોનો ઉલ્લેખ કરીને કહેવામાં આવ્યું છે કે, ICCએ દલીલ કરી છે કે, આ કલમ સંપૂર્ણપણે લાગુ પડતી નથી, કારણ કે મેચ તટસ્થ સ્થળ (કોલંબો) પર યોજાઈ રહી હતી અને પાકિસ્તાન બાકીની મેચો રમવાની તૈયારી ધરાવે છે. ICCએ પાકિસ્તાન પાસેથી સ્પષ્ટ જવાબ પણ માંગ્યો છે, તેઓ ફક્ત આ ટુર્નામેન્ટનો બહિષ્કાર કરવાની માંગ કરીને ફોર્સ મેજ્યુરનો ઉપયોગ કેમ કરી રહ્યા છે, જ્યારે તેઓ પહેલાથી જ અંડર-19 વર્લ્ડ કપ, રાઇઝિંગ સ્ટાર્સ અને મહિલા વર્લ્ડ કપમાં ભારત સામે રમી ચૂક્યા છે? ICCએ જવાબ માંગતા જ, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે વાટાઘાટો કરવા અને ઉકેલ શોધવા માટે પગલાં લીધાં. હવે જોવાનું એ રહે છે કે IND vs PAK મેચ અંગે શું ઉકેલ નીકળીને આવે છે.

About The Author

Related Posts

Top News

કુંવરજી બાવળિયા કોળી સમાજના સંગઠનને તોડનારાઓ સામે લાલઘૂમ, બોલ્યા- રમત કરનારાઓને...

રવિવારે સુરત ખાતે અખિલ ભારતીય કોળી સમાજની એક અત્યંત મહત્ત્વપૂર્ણપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં સમાજના અગ્રણી નેતા...
Gujarat 
કુંવરજી બાવળિયા કોળી સમાજના સંગઠનને તોડનારાઓ સામે લાલઘૂમ, બોલ્યા- રમત કરનારાઓને...

અનિલ અંબાણીએ ચીનની 3 મોટી બેંકોને પણ નવડાવી દીધી છે

અનિલ અંબાણીની મુશ્કેલીઓ ઓછુ થવાનું નામ નથી લેતી. બેંક ઓફ બરોડાએ અનિલ અંબાણી અને તેની કંપની રિલાયન્સ કોમ્યુનિકેશન સામે નવો...
Business 
અનિલ અંબાણીએ ચીનની 3 મોટી બેંકોને પણ નવડાવી દીધી છે

રાજકોટ મહાનગર પાલિકા આર્કિટેક્ટો પર મહેરબાન, 20 સામે ફરિયાદ,પણ..

રાજકોટમાં TRP જેમ ઝોનની ઘટના પછી મહાનગર પાલિકાના ટાઉન પ્લાનીંગ વિભાગે રાજકોટમાં  3 હજારથી વધુ ગેરકાયદે બંધકામો શોધી નાંખ્યા હતા....
Gujarat 
રાજકોટ મહાનગર પાલિકા આર્કિટેક્ટો પર મહેરબાન, 20 સામે ફરિયાદ,પણ..

T20 વર્લ્ડ કપ સેમીફાઇનલ કોણ જીતશે? ભારત કે ઇંગ્લેન્ડ...; શું કહે છે બંને ટીમના રેકોર્ડ

ટીમ ઇન્ડિયાએ 2026 T20 વર્લ્ડ કપના સેમીફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. રવિવારે વેસ્ટ ઇન્ડીઝને 5 વિકેટથી હરાવીને સેમીફાઇનલમાં પોતાનું સ્થાન સુરક્ષિત...
Sports 
T20 વર્લ્ડ કપ સેમીફાઇનલ કોણ જીતશે? ભારત કે ઇંગ્લેન્ડ...; શું કહે છે બંને ટીમના રેકોર્ડ

Opinion

ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને ભાજપના જયેશ રાદડિયા. આ બન્નેવ યુવા પાટીદાર નેતાઓ સૌરાષ્ટ્રના રાજકારણનું વર્તમાન અને ભવિષ્યનું કેન્દ્ર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.