'ઈરાન આ યુદ્ધ નહીં હારે, ભારતે...', ભૂતપૂર્વ RAW ચીફે યુદ્ધનું પરિણામ જણાવી દીધું

'રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ' (RAW)ના ભૂતપૂર્વ ચીફ અમરજીત સિંહ દુલતે દાવો કર્યો છે કે ઈઝરાયલ અને અમેરિકા સાથે ચાલી રહેલા યુદ્ધમાં ઈરાન નહીં હારે. તેમણે કહ્યું કે ઈરાન અને ભારત વચ્ચેના સંબંધો ખૂબ જૂના છે, અને ભારત હંમેશાં ઈરાનની સાથે ઉભું રહ્યું છે. આ વખતે પણ, ભારતે ઈરાનનો સાથ આપવો જોઈએ.

amarjit singh dulat
tribuneindia.com

મીડિયા સાથે વાત કરતા ભૂતપૂર્વ RAW ચીફે કહ્યું કે, ‘આ સંઘર્ષ ખૂબ જૂનો છે અને છેલ્લા 20-25 વર્ષથી ચાલી રહ્યો છે. આપણે હંમેશાં ઈરાનની સાથે રહ્યા છીએ, અને ઈરાન હંમેશાં આપણી સાથે ઉભું રહ્યું છે. એટલે આપણે ઈરાન સાથે ઉભું રહેવું જોઈએ. ઈરાન આ યુદ્ધ નહીં હારે... ભારતની ભૂમિકા યોગ્ય રહેશે.

બીજી તરફ, ભારતના વિદેશ મંત્રી, એસ. જયશંકરે જણાવ્યું છે કે ભારત સ્ટ્રેટ ઓફ હોર્મુઝને ફરીથી ખોલવા માટે ઈરાન સાથે વાતચીત કરી રહ્યું છે. ફાઇનાન્શિયલ ટાઇમ્સને આપેલા ઈન્ટરવ્યૂમાં જયશંકરે કહ્યું હતું કે, ‘ભારત અને ઈરાન વચ્ચે એક સંબંધ છે; એક-બીજા સાથે લેવડ-દેવડનો ઇતિહાસ રહ્યો છે. અમે આ સંઘર્ષને ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ માનીએ છીએ. આ તો માત્ર શરૂઆત છે. આ ક્ષેત્રમાં આપણાં અન્ય ઘણા જહાજો છે. એટલે, વાતચીત સતત ચાલુ છે.

આ અગાઉ 12 માર્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન સાથે વાત કરી હતી. પશ્ચિમ એશિયામાં સંઘર્ષ શરૂ થયા બાદ પહેલો અવસર હતો, જ્યારે બંને નેતાઓ વચ્ચે સીધી વાતચીત થઈ હતી. આ ફોન કોલ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય નાગરિકોની સુરક્ષા પર ભાર મૂક્યો હતો. સાથે જ એમ પણ કહ્યું કે, સામાન અને ઉર્જા પુરવઠાની સરળ અવરજવર ભારતની મુખ્ય પ્રાથમિકતાઓ છે.

S-Jaishankar
jagran.com

પશ્ચિમ એશિયામાં ઈરાન સાથે અમેરિકા અને ઇઝરાયલનું યુદ્ધ હવે ત્રીજા અઠવાડિયામાં પ્રવેશી ગયું છે. ઈરાનની સુપ્રીમ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલના વડા અલી લારીજાનીએ હવાઈ હુમલામાં ઈજવ ગુમાવ્યો હતો. ત્યારબાદ, ઈરાને તેનો બદલો લેવાની પ્રતિજ્ઞા લીધી છે. તો, ટ્રમ્પ મધ્ય-પૂર્વમાં હજારો અમેરિકન સૈનિકો તૈનાત કરવાનું પણ વિચારી રહ્યા છે, જેના કારણે આ અઠવાડિયે સંઘર્ષનો અંત આવે તેવી શક્યતા ઓછી છે.

About The Author

Related Posts

Top News

યુદ્ધ વચ્ચે રૂપિયો કેમ ઘટી રહ્યો છે? આ છે 5 કારણો, 100ના માર્ક સુધી ગગડવાનો ભય

મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે રૂપિયામાં તેજીથી ઘટાડો જોવા મળ્યો છે. શુક્રવારે, ડોલરની તુલનમાં રૂપિયો 94 ડોલર પ્રતિ બેરલની...
Business 
યુદ્ધ વચ્ચે રૂપિયો કેમ ઘટી રહ્યો છે? આ છે 5 કારણો, 100ના માર્ક સુધી ગગડવાનો ભય

ટાટા મોટર્સની કારોના ભાવમાં 1 એપ્રિલથી થશે વધારો, જાણો કેટલી મોંઘી થશે

ટાટા મોટર્સે પોતાની કારના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી છે. કંપની 1 એપ્રિલથી તેના તમામ ઇન્ટરનલ કમ્બશન એન્જિન (ICE) ...
Tech and Auto 
ટાટા મોટર્સની કારોના ભાવમાં 1 એપ્રિલથી થશે વધારો, જાણો કેટલી મોંઘી થશે

'ઈરાન આ યુદ્ધ નહીં હારે, ભારતે...', ભૂતપૂર્વ RAW ચીફે યુદ્ધનું પરિણામ જણાવી દીધું

'રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ' (RAW)ના ભૂતપૂર્વ ચીફ અમરજીત સિંહ દુલતે દાવો કર્યો છે કે ઈઝરાયલ અને અમેરિકા...
National 
'ઈરાન આ યુદ્ધ નહીં હારે, ભારતે...', ભૂતપૂર્વ RAW ચીફે યુદ્ધનું પરિણામ જણાવી દીધું

ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગૂ કરવાથી શું ફરક પડશે?

ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે સમાન નાગરિક સંહિતા બિલ વિધાનસભામાં પસાર કરી દેવામાં આવ્યું હવે સરકાર જાહેરનામું બહાર પાડશે...
Gujarat 
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગૂ કરવાથી શું ફરક પડશે?

Opinion

આર્કિટેક્ટ બંકિમ દવે: સુરતમાં આર્કિટેક્ચર અને ઇન્ટિરિયર ડિઝાઇનના ક્ષેત્રમાં ત્રીજી પેઢીનું મોટું નામ આર્કિટેક્ટ બંકિમ દવે: સુરતમાં આર્કિટેક્ચર અને ઇન્ટિરિયર ડિઝાઇનના ક્ષેત્રમાં ત્રીજી પેઢીનું મોટું નામ
(ઉત્કર્ષ પટેલ) સોનાની મૂરત એવા સુરતમાં આર્કિટેક્ચર અને ઇન્ટિરિયર ડિઝાઇનના ક્ષેત્રમાં મોટું નામ કહી શકાય બંકિમ તરુણ દવે. તેમના પિતા...
ગુજરાત ભાજપના કાર્યકર્તાઓને તડકી છાંયડીમાં સાથ આપે એવા અધ્યક્ષ મળ્યા છે
ગુજરાતના યુવાનો મોઘી ગાડીઓ, વૈભવી મકાનો માટે પોતાની જમીન ખેતર ના વેચશો
કમલભાઈ તુલસિયાન: સફળ ટેક્સટાઇલ ઉદ્યોગપતિ જ નહીં પરંતુ સમાજસેવક, બેંકિંગ ક્ષેત્રના માર્ગદર્શક અને ઉદ્યોગના હિતરક્ષક
છેવાડાના આદિવાસી ગામડાઓ: વિકાસના દીવા તળે અંધારું જ્યાં દીવો પ્રગટાવવો જરૂરી છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.