ઘણીવાર ભરણપોષણની રકમ મેળવવા પત્નીઓ પતિની આવક વધારીને બતાવે છે; શા માટે કોર્ટે આવું કહ્યું

પત્નીઓ ઘણીવાર ભરણપોષણની રકમ મેળવવા માટે કોર્ટમાં તેમના પતિની માસિક આવક વધારીને બતાવે છે. જો તેઓ આમ કરે તો પણ તેમની સામે કોઈ કાર્યવાહી કરી શકાતી નથી. અલ્હાબાદ હાઈકોર્ટના જસ્ટિસ રાજ બીર સિંહે એક પુરુષની અરજી ફગાવી દેતા આ વાત કહી હતી. અરજીમાં પતિએ આરોપ લગાવ્યો હતો કે, તેની પત્નીએ વધુ ભરણપોષણની રકમ મેળવવા માટે તેની માસિક આવક વધારીને બતાવી હતી. તેણે દાવો કર્યો હતો કે તેની માસિક આવક 11,000 રૂપિયા પ્રતિ માસ છે, જ્યારે તેની આવક 80,000 રૂપિયા પ્રતિ માસ હોવાનું બતાવવામાં આવ્યું હતું. કોર્ટે કહ્યું કે આ કેસ હજુ પણ ફેમિલી કોર્ટમાં પેન્ડિંગ છે. આ કેસમાં મહિલાના દાવાઓ અને તથ્યો પર વિચાર કરવામાં આવશે.

Allahabad-High-Court
abplive.com

બેન્ચે કહ્યું, 'આ એક એવી સામાન્ય માન્યતા છે કે, CrPCની કલમ 125 હેઠળ ચાલનારા આવા કેસોમાં, પત્નીઓ ઘણીવાર તેમના પતિની આવક વધારીને ભરણપોષણનો દાવો કરે છે. જોકે, આવા ખોટા દાવાઓ પર પણ, CrPCની કલમ 340 અથવા ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતાની કલમ 379 હેઠળ તેમની સામે કોઈ કાર્યવાહી કરી શકાતી નથી.' કોર્ટે જણાવ્યું હતું કે, ન્યાયના હિતમાં, દાવાઓ અને તથ્યોની સંપૂર્ણ તપાસ કર્યા પછી જ ન્યાયી નિર્ણય આપવામાં આવે તે જરૂરી છે. જોકે, આવા કિસ્સાઓમાં, એકલા મહિલા પર જ કેસ ચલાવવો અયોગ્ય રહેશે. આ કરી શકાતું પણ નથી.

Allahabad-High-Court2
thelallantop.com

જસ્ટીસે જણાવ્યું હતું કે, કોર્ટ વ્યક્તિ પર કયા દાવાની અસર તેની પર કેટલી પડશે તેના પર વિચાર કરશે. એ સુનિશ્ચિત કરવું મહત્વપૂર્ણ છે કે, લોકો વ્યક્તિગત અદાવત અથવા દુશ્મનાવટનો ઉકેલ લાવવા માટે કોર્ટનો ઉપયોગ ન કરે. કોર્ટે એ પણ સુનિશ્ચિત કરવું જોઈએ કે, એક વ્યક્તિને ન્યાય મળે અને બીજાને અન્યાય થઇ જાય. આ ઉપરાંત, ફક્ત દાવાના આધારે મહિલા સામે કેસ દાખલ કરી શકાતો પણ નથી. તેથી, અમે આ કેસમાં પતિની અપીલને ફગાવી દઈએ છીએ.

Allahabad-High-Court1
sarkarimanthan.com

અત્રે ઉલ્લેખનીય છે કે, ભરણપોષણના કેસોમાં, સ્ત્રીઓ તરફથી ઘણીવાર વધારે પડતા દાવાઓ કરવામાં આવે છે, જ્યારે એવા કિસ્સાઓ પણ બન્યા છે, જ્યાં પતિઓએ તેમાંથી કોઈ પણ રકમ ચૂકવવાનું ટાળવા અને તેમની સંપત્તિ ઓછી દર્શાવવા માટે તેમની મિલકત અન્યને ટ્રાન્સફર કરી છે. આ ઉપરાંત, માસિક આવક ઓછી દર્શાવવાના કિસ્સાઓ પણ સામે આવ્યા છે.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 06-06-2026 વાર- શનિવાર મેષ -  સંતાનો પ્રત્યે ચિંતા રહે, ધારેલો લાભ દૂર જતો લાગે, ભગવાન શિવના જાપ કરવાથી શાંતિ...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

જમીન-મિલકતની ખરીદ-વેચાણમાં હવે છેતરપિંડી નહીં થઇ શકે; બેનામી પ્રક્રિયામાં થયા મોટા ફેરફારો

ડિજિટલાઇઝેશનની પ્રક્રિયાથી હવે 'બેનામી'માં થતી છેતરપિંડી હવે બંધ થઇ જશે કરશે. આવકવેરા વિભાગ દ્વારા ઝડપી કાર્યવાહી અને...
National 
જમીન-મિલકતની ખરીદ-વેચાણમાં હવે છેતરપિંડી નહીં થઇ શકે; બેનામી પ્રક્રિયામાં થયા મોટા ફેરફારો

કર્ણાટકમાં મંત્રી બનેલા રામલિંગા રેડ્ડીને ખાતું ન ગમ્યું તો રાજીનામું આપી દીધું, CMએ કહ્યું– ' હું બધું બરાબર કરી દઈશ'

કર્ણાટકમાં પોર્ટફોલિયો (ખાતા)ની ફાળવણીને લઈને શરૂ થયેલો આંતરિક વિવાદ હવે સપાટી પર આવ્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા રામલિંગા રેડ્ડીએ કર્ણાટકના...
Politics 
કર્ણાટકમાં મંત્રી બનેલા રામલિંગા રેડ્ડીને ખાતું ન ગમ્યું તો રાજીનામું આપી દીધું, CMએ કહ્યું– ' હું બધું બરાબર કરી દઈશ'

ફરી નિકોબાર પ્રોજેક્ટનો મુદ્દો રાહુલે ઉઠાવ્યો, કહ્યું– 'માત્ર એક ઉદ્યોગપતિ માટે કુદરતનો વિનાશ'

કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે કેન્દ્ર સરકારના મહત્વાકાંક્ષી 'ગ્રેટ નિકોબાર આઇલેન્ડ પ્રોજેક્ટ' (Great Nicobar...
National 
ફરી નિકોબાર પ્રોજેક્ટનો મુદ્દો રાહુલે ઉઠાવ્યો, કહ્યું– 'માત્ર એક ઉદ્યોગપતિ માટે કુદરતનો વિનાશ'
Copyright (c) Khabarchhe All Rights Reserved.