એક ડિલિવરી બોયના નામે થયો કરોડોનો ધંધો? પાન કાર્ડ દ્વારા કરી છેતરપિંડી, હવે તેના ઘરે  ITની નોટિસ આવી!

ઉત્તર પ્રદેશના બિજનોર જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં એક ગરીબ ડિલિવરી બોયના પાન કાર્ડનો દુરુપયોગ કરીને તેના નામે કરોડો રૂપિયાનો છેતરપિંડીનો ધંધો બતાવવામાં આવ્યો હતો. પીડિત ન્યાય માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ દોડાદોડી કરી રહ્યો છે, પરંતુ નક્કર કાર્યવાહી ન કરવામાં આવતા તે માનસિક રીતે ભાંગી પડ્યો છે.

Delivery-Boy-Pan-Card3
abplive.com

પ્રાપ્ત માહિતી અનુસાર, ધામપુર તાલુકાના પૃથ્વીપુર બનવારી ગામના રહેવાસી ફિરોઝ અહેમદ એમેઝોનમાં ડિલિવરી બોય તરીકે કામ કરે છે. 2020-21માં તેના પાન કાર્ડનો ઉપયોગ નકલી GST નોંધણી મેળવવા માટે કરવામાં આવ્યો હતો. આ નકલી પેઢીનું નામ 'WYN IMPEX' હતું અને તેનું રજીસ્ટ્રેશન 14 જુલાઈ, 2020થી સક્રિય દર્શાવવામાં આવ્યું હતું.

Delivery-Boy-Pan-Card2
tv9hindi.com

આશ્ચર્યજનક રીતે, બીજા જ મહિને, ઓગસ્ટ 2020માં, GST પોર્ટલ પર રૂ. 949,19,616નો છેતરપિંડીનો વ્યવહાર નોંધવામાં આવ્યો હતો, જ્યારે પીડિતને આ વ્યવહારની કોઈ જાણકારી નહોતી અને તેને કોઈ પૈસા મળ્યા ન હતા.

આ સમગ્ર છેતરપિંડીનો ખુલાસો ત્યારે થયો જ્યારે આવકવેરા વિભાગે ફિરોઝ અહેમદને નોટિસ ફટકારી. પહેલી વખત નોટિસ મળ્યા પછી તે ચોંકી ગયો અને જ્યારે તેણે GST વિભાગ પાસેથી માહિતી માંગી, ત્યારે આખો મામલો સામે આવ્યો. ત્યારપછી, 28 જૂન, 2025ના રોજ, આવકવેરા વિભાગે બીજી નોટિસ ફટકારી, જે તેને 3 જુલાઈ, 2025ના રોજ મળી.

Delivery-Boy-Pan-Card4
navbharattimes.indiatimes.com

તપાસમાં બહાર આવ્યું કે GST નોંધણી દરમિયાન ઉપયોગમાં લેવાયેલ મોબાઇલ નંબર, ઇમેઇલ ID, દસ્તાવેજો, સોગંદનામું અને સહી સંપૂર્ણપણે નકલી હતી અને તેનો પીડિત સાથે કોઈ સંબંધ નહોતો.

Delivery-Boy-Pan-Card1
livehindustan.com

પીડિત, ફિરોઝ અહેમદે જણાવ્યું હતું કે, તે એક ગરીબ મજૂર છે અને જન્મથી જ તેના ગામમાં રહે છે. તેણે 13 ઓગસ્ટ, 2025ના રોજ પોલીસ અધિક્ષકની કચેરીમાં ફરિયાદ પણ નોંધાવી હતી, પરંતુ એવો આરોપ છે કે તેની ફરિયાદ પર કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી, ન તો તેને અરજીની એક કોપી આપવામાં આવી. સતત મળતી નોટિસના કારણે, નાણાકીય અને માનસિક દબાણ અને વહીવટી ઉદાસીનતાને કારણે પીડિત હવે ભારે તણાવમાં છે.

આ કેસ માત્ર ઓળખ ચોરીનું ગંભીર ઉદાહરણ નથી, પરંતુ વહીવટી બેદરકારી અને સાયબર છેતરપિંડીના વધતા જોખમ તરફ પણ નિર્દેશ કરે છે. આ મામલામાં વહીવટીતંત્રને સંજ્ઞાન લેવામાં અને પીડિતને ન્યાય અપાવવામાં કેટલો સમય લાગશે તે જોવાનું બાકી છે.

About The Author

Related Posts

Top News

કાજલે કહ્યું- અલ્પેશ સાથેના સંબંધની પરિવારને દોઢ વર્ષથી જાણ હતી, તેમણે મંજૂરી ન આપતા 6 મહિના પહેલા લગ્ન કર્યા હવે જો કોઈએ...

ગુજરાતની જાણીતી લોકગાયિકા કાજલ મહેરિયા હાલ પોતાના ગીતોને કારણે નહીં, પરંતુ પ્રેમ લગ્નને કારણે છે. પરિવારની સંમતિ વિના પ્રેમલગ્ન...
Gujarat 
કાજલે કહ્યું- અલ્પેશ સાથેના સંબંધની પરિવારને દોઢ વર્ષથી જાણ હતી, તેમણે મંજૂરી ન આપતા 6 મહિના પહેલા લગ્ન કર્યા હવે જો કોઈએ...

હોમિયોપેથી- સફેદ ગોળિયો ખરેખર કઇ રીતે અસર કરે છે, શું કહે છે વિજ્ઞાન? 

હોમિયોપેથીને લઈને વર્ષો જૂનો એક વિવાદ ચાલે છે. શું આ સારવાર પદ્ધતિ ખરેખર અસર કરે છે,  તેમાં વાસ્તવિક કોઇ વૈજ્ઞાનિક...
Charcha Patra 
હોમિયોપેથી- સફેદ ગોળિયો ખરેખર કઇ રીતે અસર કરે છે, શું કહે છે વિજ્ઞાન? 

એક ડિલિવરી બોયના નામે થયો કરોડોનો ધંધો? પાન કાર્ડ દ્વારા કરી છેતરપિંડી, હવે તેના ઘરે  ITની નોટિસ આવી!

ઉત્તર પ્રદેશના બિજનોર જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં એક ગરીબ ડિલિવરી બોયના પાન કાર્ડનો દુરુપયોગ કરીને...
National 
એક ડિલિવરી બોયના નામે થયો કરોડોનો ધંધો? પાન કાર્ડ દ્વારા કરી છેતરપિંડી, હવે તેના ઘરે  ITની નોટિસ આવી!

ઈરાને ખામેનેઇને નિધનના 50 દિવસ બાદ પણ શા માટે દફનાવાયા નથી? નિષ્ણાતે જણાવ્યું આ કારણ

ઈરાનની સાંસ્કૃતિક અને રાજકીય પરંપરાઓથી તદ્દન વિપરીત દેશના ભૂતપૂર્વ સર્વોચ્ચ નેતા આયતુલ્લાહ અલી ખામેનેઇને હજુ સુધી દફનાવવામાં આવ્યા નથી. અમેરિકા...
World 
ઈરાને ખામેનેઇને નિધનના 50 દિવસ બાદ પણ શા માટે દફનાવાયા નથી? નિષ્ણાતે જણાવ્યું આ કારણ
Copyright (c) Khabarchhe All Rights Reserved.