23 લાખના ખર્ચે બનાવેલો RCC રોડ 44 દિવસમાં જ તોડી નાખવાની નોબત આવી ગઈ

આણંદ શહેરના લોટિયા ભાગોળ થી કપાસિયા બજાર તરફ જવાના માર્ગ પર 28 લાખ રૂપિયાના ખર્ચે 180 મીટરનો RCC રોડ તૈયાર કરીને દિવાળી પહેલા ખુલ્લો મુકવામાં આવ્યો હતો. જે તે વખતે RCC રોડ તૈયાર થયો તેના ગણતરીના કલાકોમાં સ્થાનિકોએ ખોલી નાંખતા રોડ 50 મીટર સુધીનો રોડ તૂટી ગયો હતો. જેથી મનપા કમિશ્નરે તાત્કાલિક કોન્ટ્રાક્ટરને સુચના આપીને ખરાબ થઇ ગયલા રસ્તાને નવેસરથી બનાવવા કહેવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે ગુરૂવાર સવારથી લોટિયા ભાગોળ થી કપાસિયા બજાર તરફનો 50 મીટરનો રોડ તોડીને નવેસરથી કોન્ટ્રાક્ટર દ્વારા સ્વખર્ચે બનાવવાની કામગીરી હાથ ધરી છે.

50 મીટરનો રોડ ખરાબ થઈ જતા મનપાએ કોન્ટ્રાક્ટરને બિલ પણ ચૂકવ્યું નથી. 50 મીટરનો રોડ તૂટી ગયો છે તેટલો રોડ કોન્ટ્રાક્ટરને ખર્ચે બનાવવામાં આવશે. મહાનગરપાલિકાએ આણંદના કપાસિયા બજાર વિસ્તારમાં ટાવરથી કૈલાશ ભૂમિ તરફ જતા રોડ ઉપર રવિરાજ કન્સ્ટ્રક્શન કંપનીને 23 લાખ રૂપિયા ખર્ચે RCC રોડ બનાવવાનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો. જે રોડ માટે દિવાળીના આગળના દિવસે RCC રોડ બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું.

નવા વર્ષની વહેલી સવારથી જ રોડ ઉપર વાહન વ્યવહાર શરૂ થઈ જતા RCC રોડમાં ખાડા પડી ગયા હતા અને કપચી પણ ઉપર આવી ગઈ હતી.  આ વિસ્તારના રહિશોએ કોન્ટ્રાક્ટરે નબળી ગુણવત્તાનો માલ વાપર્યો હોવાની ફરિયાદો ઉઠી હતી. ત્યારે ગુરૂવારે સવારે JCB દ્વારા કપાસિયા વિસ્તારના અમુક ભાગનો RCC રોડ તોડવાનું કામ ચાલુ કરવામાં આવ્યું હતું.

RCC-Road1
gujaratsamachar.com

કરમસદ-આણંદ મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર એસ.કે ગરવાલે જણાવ્યું હતું કે, આણંદ મનપા બન્યા બાદ જે માર્ગો નવીનીકરણ કરવામાં આવ્યું હતું તે માર્ગો તૂટી જાય તો જે તે કોન્ટ્રાક્ટર પોતાના ખર્ચે તૈયાર કરશે. તેમ ટેન્ડર ભરતી વખતે શરત કરી હતી. લોટિયા ભાગોળ થી કપાસિયા બજાર RCC રોડ બન્યા બાદ તે રાત્રે જ સ્થાનિકોએ ખોલી નાંખતા 50 મીટરનો RCC રોડ તુટી ગયો હતો. જે તે વખતે કોન્ટ્રાક્ટર બેદરકારી દાખવતા સ્થાનિકોએ રોડ ખુલ્લો કર્યો હતો. જેથી કમિશ્નરે તાત્કાલિક તૂટી ગયેલા RCC રોડ તોડીને નવેસરથી બનવવા જણાવ્યું હતું જેના ભાગરૂપે 50 મીટરનો RCC રોડ તોડીને નવેસરથી બનાવવામાં આવી રહ્યો છે.

ડેપ્યુટી કમિશનરના જણાવ્યા મુજબ, આ સંદર્ભે ફરિયાદો થવાથી મનપા દ્વારા રવિરાજ કન્સ્ટ્રક્શનને 23 લાખના બિલની ચૂકવણી કરવામાં આવી નહોતી. હાલમાં આ RCC રોડ ફરીથી કોન્ટ્રાક્ટરના ખર્ચે બનાવવા માટે લેખિતમાં જાણ કરવાથી 50 મીટરથી વધુનો રોડ તૂટી ગયો હતો તે રોડ કોન્ટ્રાક્ટર પોતાના ખર્ચે બનાવી રહ્યો છે. મનાપા દ્વારા કોઈ પણ પ્રકારના બિલની ચૂકવણી કરવામાં નહીં આવે.

About The Author

Related Posts

Top News

બાંગ્લાદેશના T20 વર્લ્ડ કપ બોયકૉટથી ભારતને કેટલું થશે નુકસાન?

બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB)એ સ્પષ્ટ કરી દીધું છે કે, તે ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026 માટે...
Sports 
બાંગ્લાદેશના T20 વર્લ્ડ કપ બોયકૉટથી ભારતને કેટલું થશે નુકસાન?

2 લોકોએ 2.89 કરોડનું સોનું એવી રીતે છુપાવ્યું કે DRIની ટીમ પણ હેરાન રહી ગઈ

મુંબઈ એરપોર્ટ હાલના દિવસોમાંમાં ‘તસ્કરી’ વેબ સીરિઝને કારણે ચર્ચામાં છે. આ વેબ સીરિઝમાં બતાવવામાં આવ્યું છે કે,...
National 
2 લોકોએ 2.89 કરોડનું સોનું એવી રીતે છુપાવ્યું કે DRIની ટીમ પણ હેરાન રહી ગઈ

યુરોપિયન યુનિયને કહ્યું- 'ભારત સાથે વેપાર કરાર થવાથી ચીન, રશિયા અને USની જરૂરિયાત ઘટી જશે'

યુરોપિયન યુનિયન (EU)ના નેતાઓ ભારતના 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં મુખ્ય મહેમાન છે. તેથી, યુરોપિયન નેતાઓ 25...
National 
યુરોપિયન યુનિયને કહ્યું- 'ભારત સાથે વેપાર કરાર થવાથી ચીન, રશિયા અને USની જરૂરિયાત ઘટી જશે'

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 25-01-2026 વાર - રવિવાર મેષ - આજે કામ કાજમાં વધારે મહેનતનો દિવસ, આવકમાં વધારો થાય, શનિદેવના દર્શન કરવાથી...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

Opinion

દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
(ઉત્કર્ષ પટેલ) ભારતીય સંસ્કૃતિ અને રાજકારણમાં અયોધ્યાધામ એક અડગ આસ્થાનું કેન્દ્ર રહ્યું  છે. પ્રભુ શ્રી રામની જન્મભૂમિ તરીકે જાણીતી આ...
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
રામ મંદિર એક વિચારની પુનઃસ્થાપના છે જ્યાં શાસન નહીં પણ સેવા સર્વોપરી છે
અનારબેન પટેલ: ખોડલધામનું નવું નેતૃત્વ, નવી પ્રેરણા...
Copyright (c) Khabarchhe All Rights Reserved.