23 લાખના ખર્ચે બનાવેલો RCC રોડ 44 દિવસમાં જ તોડી નાખવાની નોબત આવી ગઈ

આણંદ શહેરના લોટિયા ભાગોળ થી કપાસિયા બજાર તરફ જવાના માર્ગ પર 28 લાખ રૂપિયાના ખર્ચે 180 મીટરનો RCC રોડ તૈયાર કરીને દિવાળી પહેલા ખુલ્લો મુકવામાં આવ્યો હતો. જે તે વખતે RCC રોડ તૈયાર થયો તેના ગણતરીના કલાકોમાં સ્થાનિકોએ ખોલી નાંખતા રોડ 50 મીટર સુધીનો રોડ તૂટી ગયો હતો. જેથી મનપા કમિશ્નરે તાત્કાલિક કોન્ટ્રાક્ટરને સુચના આપીને ખરાબ થઇ ગયલા રસ્તાને નવેસરથી બનાવવા કહેવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે ગુરૂવાર સવારથી લોટિયા ભાગોળ થી કપાસિયા બજાર તરફનો 50 મીટરનો રોડ તોડીને નવેસરથી કોન્ટ્રાક્ટર દ્વારા સ્વખર્ચે બનાવવાની કામગીરી હાથ ધરી છે.

50 મીટરનો રોડ ખરાબ થઈ જતા મનપાએ કોન્ટ્રાક્ટરને બિલ પણ ચૂકવ્યું નથી. 50 મીટરનો રોડ તૂટી ગયો છે તેટલો રોડ કોન્ટ્રાક્ટરને ખર્ચે બનાવવામાં આવશે. મહાનગરપાલિકાએ આણંદના કપાસિયા બજાર વિસ્તારમાં ટાવરથી કૈલાશ ભૂમિ તરફ જતા રોડ ઉપર રવિરાજ કન્સ્ટ્રક્શન કંપનીને 23 લાખ રૂપિયા ખર્ચે RCC રોડ બનાવવાનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો. જે રોડ માટે દિવાળીના આગળના દિવસે RCC રોડ બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું.

નવા વર્ષની વહેલી સવારથી જ રોડ ઉપર વાહન વ્યવહાર શરૂ થઈ જતા RCC રોડમાં ખાડા પડી ગયા હતા અને કપચી પણ ઉપર આવી ગઈ હતી.  આ વિસ્તારના રહિશોએ કોન્ટ્રાક્ટરે નબળી ગુણવત્તાનો માલ વાપર્યો હોવાની ફરિયાદો ઉઠી હતી. ત્યારે ગુરૂવારે સવારે JCB દ્વારા કપાસિયા વિસ્તારના અમુક ભાગનો RCC રોડ તોડવાનું કામ ચાલુ કરવામાં આવ્યું હતું.

RCC-Road1
gujaratsamachar.com

કરમસદ-આણંદ મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર એસ.કે ગરવાલે જણાવ્યું હતું કે, આણંદ મનપા બન્યા બાદ જે માર્ગો નવીનીકરણ કરવામાં આવ્યું હતું તે માર્ગો તૂટી જાય તો જે તે કોન્ટ્રાક્ટર પોતાના ખર્ચે તૈયાર કરશે. તેમ ટેન્ડર ભરતી વખતે શરત કરી હતી. લોટિયા ભાગોળ થી કપાસિયા બજાર RCC રોડ બન્યા બાદ તે રાત્રે જ સ્થાનિકોએ ખોલી નાંખતા 50 મીટરનો RCC રોડ તુટી ગયો હતો. જે તે વખતે કોન્ટ્રાક્ટર બેદરકારી દાખવતા સ્થાનિકોએ રોડ ખુલ્લો કર્યો હતો. જેથી કમિશ્નરે તાત્કાલિક તૂટી ગયેલા RCC રોડ તોડીને નવેસરથી બનવવા જણાવ્યું હતું જેના ભાગરૂપે 50 મીટરનો RCC રોડ તોડીને નવેસરથી બનાવવામાં આવી રહ્યો છે.

ડેપ્યુટી કમિશનરના જણાવ્યા મુજબ, આ સંદર્ભે ફરિયાદો થવાથી મનપા દ્વારા રવિરાજ કન્સ્ટ્રક્શનને 23 લાખના બિલની ચૂકવણી કરવામાં આવી નહોતી. હાલમાં આ RCC રોડ ફરીથી કોન્ટ્રાક્ટરના ખર્ચે બનાવવા માટે લેખિતમાં જાણ કરવાથી 50 મીટરથી વધુનો રોડ તૂટી ગયો હતો તે રોડ કોન્ટ્રાક્ટર પોતાના ખર્ચે બનાવી રહ્યો છે. મનાપા દ્વારા કોઈ પણ પ્રકારના બિલની ચૂકવણી કરવામાં નહીં આવે.

About The Author

Related Posts

Top News

ડોક્ટર પ્રેમી પહેલાથી જ પરિણીત છે; પ્રેમિકાને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તેણે તેનું ગુપ્તાંગ કાપી નાખ્યું!

દિલ્હીના વઝીરાબાદમાં એક મહિલાએ તેના પ્રેમી, 22 વર્ષીય નકલી ડોક્ટર વિસરજીતના ગુપ્તાંગ પર હુમલો કર્યો હોવાનો આરોપ છે. મહિલાને...
National 
ડોક્ટર પ્રેમી પહેલાથી જ પરિણીત છે; પ્રેમિકાને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તેણે તેનું ગુપ્તાંગ કાપી નાખ્યું!

ઈરાન યુદ્ધ પર બ્રિટિશ PM સ્ટાર્મરના નિર્ણયથી ટ્રમ્પ ગુસ્સામાં, કહ્યું- 'આવું ક્યારેય બન્યું નથી...'

ઈરાન સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે, US પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બ્રિટિશ PM કીર સ્ટોર્મર પ્રત્યે ખુબ ગુસ્સો વ્યક્ત કર્યો...
World 
ઈરાન યુદ્ધ પર બ્રિટિશ PM સ્ટાર્મરના નિર્ણયથી ટ્રમ્પ ગુસ્સામાં, કહ્યું- 'આવું ક્યારેય બન્યું નથી...'

ઈરાનમાં 555 લોકોએ જીવ ગુમાવ્યા, ઈરાને ટ્રમ્પ સાથે વાત કરવાની ના પાડી દીધી

મધ્ય પૂર્વમાં સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે. ઈરાન, સાઉદી અરેબિયા, કુવૈત અને સાયપ્રસ સહિતના દેશો અત્યારે યુદ્ધની...
World 
ઈરાનમાં 555 લોકોએ જીવ ગુમાવ્યા, ઈરાને ટ્રમ્પ સાથે વાત કરવાની ના પાડી દીધી

કોચ ગંભીરે કોના પર કર્યો કટાક્ષ? તિલક અને દુબેના બહાને છલકાઇ ઉઠ્યું વર્ષો જૂનું દર્દ

ભારતીય ક્રિકેટ ટીમે રવિવારે કોલકાતામાં રમાયેલી T20 વર્લ્ડ કપની કરો યા મરો સુપર-8 મેચમાં વેસ્ટ ઇન્ડીઝને 5 વિકેટથી કચડી...
Sports 
કોચ ગંભીરે કોના પર કર્યો કટાક્ષ? તિલક અને દુબેના બહાને છલકાઇ ઉઠ્યું વર્ષો જૂનું દર્દ

Opinion

ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને ભાજપના જયેશ રાદડિયા. આ બન્નેવ યુવા પાટીદાર નેતાઓ સૌરાષ્ટ્રના રાજકારણનું વર્તમાન અને ભવિષ્યનું કેન્દ્ર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.