અમદાવાદનો સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ, જાણો શું છે કારણ

અમદાવાદના 52 વર્ષ જૂના સુભાષ બ્રિજના મધ્ય ભાગમાં તિરાડ પડી હોવાની રિપેરિંગ માટે બ્રિજ 5 દિવસ બંધ રહેશે. એકાએક બ્રિજ બંધ કરવામાં આવતા વાહનચાલકો મુશ્કેલીમાં મૂકાયા છે અને ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો. AMCએ બ્રિજના ડિટેઇલ ઇન્સ્પેક્શનની કામગીરી માટે 4 ડિસેમ્બરથી 5 દિવસ માટે જાહેર જનતાની અવરજવર માટે બ્રિજ બંધ કરવાનો નિર્ણય લીધો છે.

AMCના બ્રિજ પ્રોજેક્ટ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ, બ્રિજના બંને તરફનો ભાગ મધ્ય ભાગમાંથી બેસી ગયો છે. એક સ્પાનનો ભાગ બેસી ગયો હોય તેવું હાલ પૂરતું જણાય છે. બ્રિજ પ્રોજેક્ટ વિભાગની ટીમ દ્વારા આ સમગ્ર મામલે તપાસ કરવામાં આવશે.

અમદાવાદના સુભાષ બ્રિજ પરથી રોજના લગભગ 1 લાખથી વધારે વાહનો પસાર થતા હોય છે, ત્યારે હાલ બ્રિજને બંધ કરી દેવામાં આવતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સુભાષ બ્રિજને અમદાવાદ શહેરનો પ્રવેશ દ્વારા પણ કહેવામાં આવે છે. શહેરના કોટ વિસ્તાર અને જૂના અમદાવાદમાં જવા માટે સુભાષ બ્રિજ થઈને જવું પડે છે, ત્યારે સાબરમતી અને અખબારનગર થઈને આવતા વાહનચાલકોએ હવે વ્યાસવાડી અને ગાંધી આશ્રમના નવા રોડ પર થઈને આશ્રમ રોડ, વાડજ, દધીચિ બ્રિજ થઈને શાહીબાગ તેમજ દિલ્હી દરવાજા જઈ શકશે.

subhash-bridge2
gujarati.news18.com

સુભાષબ્રિજ લોકોની અવરજવર માટે બંધ કરવામાં આવતા સાંજના સમયે વાડજથી સુભાષબ્રિજ તરફ જતા અને શાહીબાગ ડફનાળાથી સુભાષબ્રિજ તરફ જતા રસ્તાઓ ઉપર ટ્રાફિક જામમાં વાહન ચાલકો અટવાતા જોવા મળતા હતા. સુભાષબ્રિજ એકાએક બંધ કરવાથી સ્થળ પર ભારે ટ્રાફિકજામ જોવા મળ્યો હતો. બ્રિજ પરથી દરરોજ મોટી સંખ્યામાં વાહનચાલકો અવરજવર કરતાં હોય છે. જે અંગે વૈકલ્પિક રૂટ પણ આપવામાં આવ્યા છે.

પશ્ચિમ ઝોનમાં સાબરમતી નદી ઉપર આવેલા સુભાષબ્રિજના ડિટેઇલ ઇન્સ્પેક્શનની કામગીરી કરવા માટે 04.12.2025 થી પાંચ દિવસ સુધી સુભાષબ્રિજ જાહેર જનતા માટે અવરજવર કરવા માટે બંધ કરવામાં આવ્યો છે. જેના અનુસંધાને વધુ સાવચેતીના ભાગરૂપે પૂર્વ અને પશ્ચિમ બાજુએ સુભાષબ્રિજ નીચેનો રિવરફ્રન્ટનો લોઅર પ્રોમિનાડ તેમજ પૂર્વ બાજુએ સુભાષબ્રિજ નીચેનો મુખ્ય રોડ નારાયણ ઘાટથી સુભાષબ્રિજ ગાર્ડન ગેટ નં-1 સુધીનો રિવરફ્રન્ટનો રોડ જાહેર જનતા માટે બંધ કરવામાં આવ્યો છે. જેથી વૈકલ્પિક રોડ માટે સુભાષબ્રિજ ગેટ નંબર-1થી પોલીસ ચોકી તરફના રોડનો ઉપયોગ કરવો. અન્ય સૂચના આપવામાં આવે નહીં ત્યાં સુધી આ મુજબ વ્યવસ્થા રહેશે.

AMCના સિટી ઇજનેર હરપાલસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, આજે બપોરે નોર્મલ એક સેટલમેન્ટ જેવી માહિતી મળી હતી. જેના આધારે અમે ઇન્સ્પેક્શન કર્યું હતું. અમારી એક્સપર્ટની ટીમ સાથે અહીં આવ્યા હતા અને પ્રિકોશનના ભાગ રૂપે અત્યારે મેન્ટેનન્સ માટે થઈને બ્રિજ બંધ કર્યો છે. ડિટેઈલ ઇન્સ્પેક્શન કર્યા બાદ એસએસ કરી કેવી રીતે આગળ શું કરવું તે કાર્યવાહી કરીશું. દરેક બ્રિજનું અમે ઇન્સ્પેક્શન કરતા જ હોઈએ છીએ અને તેના મેન્ટેનન્સનું પણ કામ કરતા હોઇએ છીએ.

subhash-bridge1
gujarati.news18.com

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ બ્રિજમાં પણ બેરિંગની કામગીરી ભૂતકાળમાં કરી હતી અને રૂટિન બાગ રૂપે બ્રિજનું ઇન્સ્પેક્શન થયું છે. આજે જે થોડું મળ્યું છે એના આધારે અમે ચેક કરીશું. આ બ્રિજનું દોઢ વર્ષ પહેલાં જ મેન્ટેનન્સ થઈ ગયું છે.

સુભાષબ્રિજની ઘટના મામલે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ આજે માહિતી આપતા જણાવ્યું છે કે, બ્રિજની મજબૂતાઈ ચકાસવામાં આવે છે. તે દરમિયાન તેના સ્પાનમાં ખામી જોવા મળી, વાઇબ્રેશન આવ્યા અને તિરાડ પણ જોવા મળી છે. જેના અનુસંધાને કોઈ મોટી દુર્ઘટના ના સર્જાય તે માટે ગુરુવારથી પાંચ દિવસ બંધ કરવામાં આવ્યો છે. આ બ્રિજની ચકાસણી થશે અને તેનો રિપોર્ટ આવ્યા બાદ તે કેટલા સમય માટે બંધ રાખવામાં આવશે તે નક્કી કરવામાં આવશે. આ સાથે તેમણે જણાવ્યું છે કે, દરેક બ્રિજનું સમયાંતરે ઇન્સ્પેક્શન કરવામાં આવતું હોય છે. આ દરમિયાન તેમાં ખામી જોવા મળી છે એટલે તેને હાલ પાંચ દિવસ માટે બંધ કરવામાં આવ્યો છે.

અમદાવાદ ટ્રાફિક વિભાગે પોલીસ કમિશનરને 150 પોલીસકર્મીઓની હંગામી ધોરણે ફાળવવાની માગણી કરી છે. જેમાં અગાઉ ટ્રાફિકમાં નોકરી કરી ચૂકેલા અને ભૌગોલિક સ્થિતિથી જાણકાર હોય તેવા પોલીસકર્મીઓ અમદાવાદના પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હોય ત્યાંથી તાત્કાલિક છૂટા કરીને ટ્રાફિકમાં હાજર થવા આદેશ આપવાની રજૂઆત કરી છે. બીજી તરફ, અમદાવાદ ટ્રાફિક વિભાગે 15 જેટલા ટ્રાફિક પોઇન્ટ પર 3 શિફ્ટમાં પોલીસકર્મીઓને નોકરી કરવા આદેશ કર્યો છે.

વૈક્લિપક રૂટની વાત કરીએ તો ચાંદખેડા, સાબરમતી તરફથી આવતા વાહનો ચિમનભાઈ પટેલ બ્રિજ ઉતરી પ્રબોધરાવળ સર્કલ થઈ રાણીપ ડી-માર્ટ થઈ નવા બનેલ રોડ ઉપરથી વાડજ બ્રિજ ઉપર થઈને દિલ્હી સર્કલથી દધિચી દરવાજા, શાહીબાગ, સિવિલ તરફ જઈ શકાશે. સાબરમતી, ચાંદખેડા તરફથી આવતા વાહનો કે જેઓને સિવિલ તરફ જવું હોય તેઓ ભાટ-કોટેશ્વર રોડ થઈ ઇન્દિરાબ્રિજ થઈને એરપોર્ટ રોડ થઈ સિવિલ હોસ્પિટલ તરફ જઈ શકશે. શાહીબાગ તરફથી જેઓને સુભાષબ્રિજ તરફ જવું છે તે વાહન ચાલકો, શાહીબાગ અંડરબ્રિજ સર્કલથી કે શાહીબાગ રેલવે બ્રિજ ઉપરથી નમસ્તે સર્કલથી કેન્દ્રીય વિદ્યાલય કટથી દેવજીપુરા થઈ મેલડી માતા સર્કલ થઈ દધિચી બ્રિજ થઈ વાડજ સર્કલ થઈ રાણીપ ડી-માર્ટ તરફ અવરજવર કરી શકશે.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -03-03-2026 વાર- મંગળવાર મેષ - નોકરી ધંધામાં ઉન્નતિના યોગ બને છે, ઘરમાં આનંદ રહે, વડીલોના આશીર્વાદ લો. વૃષભ -...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

ડોક્ટર પ્રેમી પહેલાથી જ પરિણીત છે; પ્રેમિકાને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તેણે તેનું ગુપ્તાંગ કાપી નાખ્યું!

દિલ્હીના વઝીરાબાદમાં એક મહિલાએ તેના પ્રેમી, 22 વર્ષીય નકલી ડોક્ટર વિસરજીતના ગુપ્તાંગ પર હુમલો કર્યો હોવાનો આરોપ છે. મહિલાને...
National 
ડોક્ટર પ્રેમી પહેલાથી જ પરિણીત છે; પ્રેમિકાને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તેણે તેનું ગુપ્તાંગ કાપી નાખ્યું!

ઈરાન યુદ્ધ પર બ્રિટિશ PM સ્ટાર્મરના નિર્ણયથી ટ્રમ્પ ગુસ્સામાં, કહ્યું- 'આવું ક્યારેય બન્યું નથી...'

ઈરાન સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે, US પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બ્રિટિશ PM કીર સ્ટોર્મર પ્રત્યે ખુબ ગુસ્સો વ્યક્ત કર્યો...
World 
ઈરાન યુદ્ધ પર બ્રિટિશ PM સ્ટાર્મરના નિર્ણયથી ટ્રમ્પ ગુસ્સામાં, કહ્યું- 'આવું ક્યારેય બન્યું નથી...'

ઈરાનમાં 555 લોકોએ જીવ ગુમાવ્યા, ઈરાને ટ્રમ્પ સાથે વાત કરવાની ના પાડી દીધી

મધ્ય પૂર્વમાં સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે. ઈરાન, સાઉદી અરેબિયા, કુવૈત અને સાયપ્રસ સહિતના દેશો અત્યારે યુદ્ધની...
World 
ઈરાનમાં 555 લોકોએ જીવ ગુમાવ્યા, ઈરાને ટ્રમ્પ સાથે વાત કરવાની ના પાડી દીધી

Opinion

ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને ભાજપના જયેશ રાદડિયા. આ બન્નેવ યુવા પાટીદાર નેતાઓ સૌરાષ્ટ્રના રાજકારણનું વર્તમાન અને ભવિષ્યનું કેન્દ્ર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.