ભેટ (Gift) આપવાથી સંબંધો મજબૂત થતા નથી

(Utkarsh Patel) કોઈક તમને ગિફ્ટ આપે તો બહુ ખુશ થઈ જતા હશો ને?

ભેટ એ લાગણીઓનું ક્ષણિક પુરતું પૂર છે.

નિઃસ્વાર્થભાવે અપાતી ભેટ ખૂબ અમૂલ્ય હોય છે પરંતુ આજના સમયમાં મોટેભાગે ભેટમાં પણ ભેટ આપનારનો કંઈક છૂપો સ્વાર્થ હોય શકે છે!

વસ્તુની ભેટથી સંબંધો ક્યારેય મજબૂત થતા જ નથી.

ભેટ ખૂબ સમજી વિચારીને લેવી જોઈએ.

નિઃસ્વાર્થભાવે ભેટ આપવામાં ક્યારેય સંકોચ કરવો જોઈએ નહીં. મારા જેવો માણસ તો કોઈની ભેટ લેતો જ નથી અને કોઈક ખૂબ લાગણીથી ભેટ આપે તો લાગણીને માન આપવાનું હું ચૂકતો નથી. મને તો ભેટ પણ કોઈકનું ઋણ ચઢ્યા જેવી જણાય અને આપણે કોઈનું ઋણ લેવું નહીં અને રાખવું નહીં. બસ આવું કઈક અમારી વ્યવહાર કુશળતા અને એવું જ અમારું જીવન.

હવે જો આપણે કોઇકને ભેટ આપીએને સારા ભાવથી અને જો સામે વાળી વ્યક્તિ એ ભેટની કદર ના કરે તો કેવું લાગે આપને? હું ભેટ આપી જાણું અને ધ્યાનથી નોંધ લઉ કે મારી ભેટની શું કિંમત કરી ભેટ લેનારે. હા ક્યારેક તો મેં જોયું કે આપણી ભેટ ત્રીજા વ્યક્તિને ભેટમાં અપાતી હોય!! આવો છે આ સંસાર.

લાગણીઓ ભેટના નામે વેચાય અને ધૂળ ધાણી પણ થાય.

વાત સંબંધોની...

સંબંધો મજબૂત થાય છે સમય આપવાથી.

સંબંધ મજબૂત થાય છે એકબીજાને સમજવાથી.

કોઇક ગમતી કે વ્હાલી વ્યક્તિને જો ભેટ આપવી જ હોયને તો તમારો અમૂલ્ય સમય એમને ભેટમાં આપજો.

અને જે વ્યક્તિ એનો સમય તમને આપે તો સમજજો કે એ અમૂલ્ય ભેટ છે અને આવા સંબંધોની આપણે કદર કરવી જોઈએ અને એ ઋણ ચૂકવવાની તક ક્યારેય ચૂકવી જોઈએ નહીં.

પૈસાની ખરીદાયેલી ભેટોથી અંજાશો નહીં.

જે વ્યક્તિ તમને સમય આપે એની લાગણીઓને ક્યારેય ઠેસ પહોચાડશો નહીં.

અગત્યનું:

પૈસાની ખરીદાયેલી ભેટોથી થોડું સાચવીને સમજીને રહેજો અને સમય રૂપી ભેટ આપનારનું ઋણ ક્યારેય ભૂલશો નહીં.

(સુદામા)

Top News

₹88 લાખ ફી સાથે H-1B વીઝા અંગે મોટા સમાચાર, USએ કહ્યું - ભારતથી ઉતાવળમાં પાછા ફરવાની જરૂર નથી

રાષ્ટ્રપતિ ટ્રમ્પના આદેશ બાદ H-1B વીઝા પર વાર્ષિક  100,000 ડોલરની ફી લાદવામાં આવી હોવાના હોબાળા વચ્ચે, યુએસ વહીવટીતંત્રે હવે નોંધપાત્ર...
World 
₹88 લાખ ફી સાથે H-1B વીઝા અંગે મોટા સમાચાર, USએ કહ્યું - ભારતથી ઉતાવળમાં પાછા ફરવાની જરૂર નથી

નવરાત્રિ માટે ખોડલધામ સમિતિનો ક્રાંતિકારી નિર્ણય, 28 જગ્યાએ ગરબા થશે

નવલી નવરાત્રીના પવિત્ર ઉત્સવનો 22 સપ્ટેમ્બર સોમવારથી પ્રારંભ થઇ રહ્યો છે તે પહેલા સુરત ખોડલધામ સમિતિનો નિર્ણય ચર્ચાનો વિષય બન્યો...
Gujarat 
નવરાત્રિ માટે ખોડલધામ સમિતિનો ક્રાંતિકારી નિર્ણય, 28 જગ્યાએ ગરબા થશે

PM મોદી જયા ગયા તે અમદાવાદના નેશનલ મેરિટાઇમ હેરિટેજ મ્યુઝિયમ વિશે જાણો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શનિવારે ગુજરાતની મુલાકાતે આવેલા છે. ગુજરાતમાં અનેક કાર્યક્રમોમાં ભાગ લેવાના છે. અમે નેશનલ મેટીટાઇમ હેરીટેજ મ્યુઝીયમ વિશે...
Gujarat 
PM મોદી જયા ગયા તે અમદાવાદના નેશનલ મેરિટાઇમ હેરિટેજ મ્યુઝિયમ વિશે જાણો

ભરૂચની દૂધધારા ડેરીમાં ભાજપના 2 દિગ્ગજો વચ્ચે કોની જીત થઇ?

ભરૂચ દુધધારા ડેરીની ચૂંટણીના પરિણામ શનિવારે જાહેર થઇ ગયા અને ભાજપે જેમને મેન્ડેટ આપેલા હતા તે બધા ઉમેદવારો ચૂંટણી જીતી...
Gujarat 
ભરૂચની દૂધધારા ડેરીમાં ભાજપના 2 દિગ્ગજો વચ્ચે કોની જીત થઇ?

Opinion

એ વાત સાચી છે કે... વનતારા વન્યજીવન સંરક્ષણ માટે નિઃસ્વાર્થ કઠોર મહેનત કરે છે એ વાત સાચી છે કે... વનતારા વન્યજીવન સંરક્ષણ માટે નિઃસ્વાર્થ કઠોર મહેનત કરે છે
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતના જામનગરમાં વસતું વનતારા એક અદ્ભુત અને પ્રેરણાદાયી સેવાકીય પ્રકલ્પ છે જે અંબાણી પરિવારની નિઃસ્વાર્થ મહેનત અને વિઝનનું...
સુરતની સચિન GIDCના ઉદ્યોગકારોને બ્લેકમેલિંગ, લાઇઝનિંગ અને લાંચખોરીથી કોણ બચાવશે?
વેસુ કેનાલ વોકવે ખાઉધરાગલીમાં પરિવર્તિત થઈ રહ્યો છે: શું આરોગ્યની ભેટ હવે વેપારીકરણનું માધ્યમ બની રહી છે?
GIDCના લાંચીયા અધિકારીઓથી સમગ્ર ગુજરાતના ઉદ્યોગકારો ત્રાહિમામ
શું કુંવરજી બાવળિયા કોળી સમાજના એક એવા નેતા છે કે જે કોંગ્રેસમાં હોય કે ભાજપમાં ફરક પડતો નથી?
Copyright (c) Khabarchhe All Rights Reserved.