કોઈકના સંજોગો વિપરીત હોય તો એમને સાચવી લેજો

(Utkarsh Patel)

સૌના જીવનમાં સુખ દુઃખ રૂપી સંજોગો અવિરત બદલાતા રહે છે.

શું તમને ખબર છે સમયનો આરંભ ક્યારે થયો?

શું તમને ખબર છે સમયનો અંત ક્યારે થશે?

આ બે સવાલોના જવાબ આ સંસારમાં કોઈની પાસે નથી. એવું જ કંઈક આપણા સૌના સંજોગોનું છે. જેમ સમય બદલાય એમ સૌ કોઈના સંજોગો પણ બદલાય.

સામાન્યત: આપણી સમજ એમ છે કે આપણે આપણા કર્મોનું ફળ ભોગવીએ છીએ અને એ મુજબ આપણા સમય સંજોગો નિર્માણ પામતા જાય છે!

શું આપ જાણો છો કર્મ કેટલા પ્રકારના હોય?

કર્મ ના ત્રણ પ્રકાર છે...

  1. ક્રિયામણ કર્મ
  2. સંચિત કર્મ
  3. પ્રારબ્ધ કર્મ

પ્રત્યેક કર્મની સમજની ઊંડાણ પૂર્વક સમજ થોડો વિસ્તૃત વિષય છે. વાત કરીએ કર્મોના ફળની તો સૌના કર્મો સારા નરસા હોતા જ હોય છે એટલે જ તો આપણે માનવ કહેવાયા!! જાણ્યે અજાણ્યે ભૂલો કરવી અને સ્વાર્થ માટે પાપ કર્મ કરવા એ કળયુગનું સત્ય છે.

મનુષ્ય માત્રથી ભૂલ થતી આવી અને થતી રહેવાની એટલે કર્મના ફળ સ્વરૂપ સંજોગો સારા નરસા આવતા રહેવાના!!

જ્યારે આપણા સંજોગો સારા અનુકૂળ હોય ત્યારે આપણે ભગવાનનો આભાર માનવો જોઈએ અને કોઈકના સંજોગો વિપરીત હોય ત્યારે આપણે એ જોઈને બેસી રહેવું જોઈએ નહીં. યથા શક્તિ સમય, સહયોગ કરવો જોઈએ. અને હા કોઈકને સહયોગી થાવ તો એ ગણી ના બતાવતા કે પછી એની વાહવાહી પણ ના કરાવતા નહિ તો કરેલું પુણ્ય કર્મ ધોવાઈ જશે!!

હું વ્યક્તિગત રીતે માનું છું કે જેમના સંજોગો વિપરીત હોય તેમને આપણે અપેક્ષા કે આશા વિના ટેકો કરવો જોઈએ. કોઈકનો સમય સુધારવાથી, કોઈકને દુઃખમાં સથવારો કરવાથી, કોઈકને યથાશક્તિ આર્થિક સહયોગ કરી સાચવી લેવાથી ભલે થોડો ઘસારો જણાય પણ એટલું ચોક્કસ કહીશ કે આ કર્મ ઈશ્વરને જરૂર ગમશે અને આપણે કોઈકને સાચવી લઈશું તો ઈશ્વર પણ આપણને ક્યારેય સાચવી લેશે.

અગત્યનું:

સંબંધો નિભાવી જાણીએ. જેમની સાથે જીવ્યા એવા કોઈને પણ એમના વિપરીત સંજોગોમાં ગમો અણગમો દૂર કરી હાથ થામજો. સાથ આપજો.

આ સંસારમાં સાથે કશું જ આવવાનું નથી, ક્યાં તો મૂકીને જવાનું છે ક્યાં તો આપીને!!!

આપણા સત્કર્મોની નોંધ કોઈ રાખે કે ના રાખે ભગવાનના ચોપડે એની નોંધ હંમેશાં લેવાતી જ હોય છે. અને આપણા કર્મોનું ફળ આપણી આવનારી પેઢીઓ ભોગવશે એટલે એમના સારા માટે, એમના ભાલા માટે કોઈકનું ભલું કરજો. ભલું કરતા રહેજો.

જય રઘુનંદન, જય સીયારામ

Top News

અમેરિકામાં દવા કંપનીઓ પર 200 ટકા ટેરિફ લગાવવાની શક્યતા છે! જાણો શું છે ટ્રમ્પની યોજના?

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હવે નવા ટેરિફની યોજના બનાવી રહ્યા છે, તેઓ દવા કંપનીઓ પર 200 ટકા ટેરિફ લાદવાની...
Business 
અમેરિકામાં દવા કંપનીઓ પર 200 ટકા ટેરિફ લગાવવાની શક્યતા છે! જાણો શું છે ટ્રમ્પની યોજના?

73 હજાર પગાર મેળવતી સોફ્ટવેર એન્જિનિયર પત્નીએ પતિ પાસેથી માંગ્યું હતું ભરણપોષણ

લખનૌ હાઈકોર્ટની બેન્ચે એક મહત્વપૂર્ણ કૌટુંબિક વિવાદ કેસમાં મોટો નિર્ણય આપ્યો છે. કોર્ટે સ્પષ્ટપણે કહ્યું છે કે જો પત્ની પોતે...
National 
73 હજાર પગાર મેળવતી સોફ્ટવેર એન્જિનિયર પત્નીએ પતિ પાસેથી માંગ્યું હતું ભરણપોષણ

માત્ર 3 મિનિટમાં 29 લાખ કાર વેચાઈ, લોકોએ આ EV ખરીદવા માટે બધા રેકોર્ડ તોડી નાખ્યા

Xiaomi એ 26 જૂન, 2025 ના રોજ તેનું બીજું ઇલેક્ટ્રિક વાહન, YU7 લોન્ચ કર્યું, અને આ SUV એ ચીનમાં ઇતિહાસ...
Tech and Auto 
માત્ર 3 મિનિટમાં 29 લાખ કાર વેચાઈ, લોકોએ આ EV ખરીદવા માટે બધા રેકોર્ડ તોડી નાખ્યા

‘વિરાટ માફ કરજે..’, એબી ડીવિલિયરસે પસંદ કર્યા ટોપ-5 ક્રિકેટર્સ

દક્ષિણ આફ્રિકાના પૂર્વ કેપ્ટન એબી ડી વિલિયર્સને આધુનિક યુગના શાનદાર બેટ્સમેનોમાંથી એક માનવામાં આવે છે. મેદાન પર ભારતીય ટીમના પૂર્વ...
Sports 
‘વિરાટ માફ કરજે..’, એબી ડીવિલિયરસે પસંદ કર્યા ટોપ-5 ક્રિકેટર્સ

Opinion

PM મોદી, શાહ, પાટીલ અને સંઘવીની આકરી ટીકા કરનાર ગોપાલને લવજી બાદશાહ માટે કેમ પ્રેમ છલકાય આવે છે? PM મોદી, શાહ, પાટીલ અને સંઘવીની આકરી ટીકા કરનાર ગોપાલને લવજી બાદશાહ માટે કેમ પ્રેમ છલકાય આવે છે?
ગુજરાતની રાજનીતિમાં પાટીદાર સમાજનું પ્રભુત્વ રહ્યું છે પછી ભલે તે કોંગ્રેસ હોય કે ભાજપ કે પછી હોય આમ આદમી પાર્ટી....
રૂપાલા, સંઘાણી અને રાદડીયાની ત્રિપુટી સૌરાષ્ટ્ર ભાજપના રાજકારણની એક નવી ધરી સાબિત થશે
ગુજરાત ભાજપના પ્રદેશના નેતાઓ અને ધારાસભ્યો જ PM મોદી અને અમિત શાહનું ધોવાણ કરી રહ્યા છે
ગુજરાત સરકારથી નારાજ અને PM મોદી સાથે લાગણીથી જોડાયેલા મતદારો અવઢવમાં છે કે હવે ભાજપને સાથ અને મત આપવો કે નહીં
મિત્રોનો ડાયરો મળ્યો હોય ત્યારે હાજરી પુરાવાનું ક્યારેય ચૂકશો નહીં
Copyright (c) Khabarchhe All Rights Reserved.