મેનકાને મળી ટિકિટ, દીકરો વરૂણ હજુ રાહ જૂએ છે, જાણો માએ શું કહ્યું?

ભારતીય જનતા પાર્ટી (BJP)એ ઉત્તર પ્રદેશની પીલીભીત લોકસભા સીટથી વરુણ ગાંધીની ટિકિટ કાપી દીધી છે. તેમની જગ્યાએ યોગી સરકારના કેબિનેટ મંત્રી જિતિન પ્રસાદને ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. ત્યારબાદ અનુમાન લગાવવામાં આવી રહ્યા હતા કે, વરુણ ગાંધી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી શકે છે. હવે તેના પર તેમના માતા મેનકા ગાંધીએ મૌન તોડ્યું છે. મેનકા ગાંધીને પૂછવામાં આવ્યું કે, શું વરુણ ગાંધી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી શકે છે?

આ સવાલ પર તેમણે સ્પષ્ટ કહ્યું કે, તેઓ કોંગ્રેસની ટિકિટ પરથી ચૂંટણી નહીં લડે. તેમને જ્યારે પૂછવામાં આવ્યું કે, કેદારનાથમાં રાહુલ અને વરુણની મુલાકાત થઈ હતી. સામાચારો આવ્યા હતા કે કોંગ્રેસ વરુણને ટિકિટ આપીને ચૂંટણી લડાવી શકે છે. તેના પર પણ મેનકા ગાંધીએ ઇશારાઓમાં ઇનકાર કર્યો હતો. મેનકા ગાંધીને પૂછવામાં આવ્યું કે, તમે વરુણ ગાંધીને લઈને જે કહ્યું હતું તેનો શું અર્થ છે? તેના પર તેમણે પોતાની જૂની વાતનું પુનરાવર્તન કર્યું.

તેમણે કહ્યું કે, પછી જોવાઈ જશે. હજુ સમય છે. મેનકા ગાંધીએ સોમવારે મીડિયાને વરુણની ટિકિટ કાપવાને લઈને કહ્યું હતું કે તમે એ તેમને પૂછો, ચૂંટણી બાદ જોઈએ છીએ. હજુ ઘણો સમય છે. મેનકા ગાંધીને પૂછવામાં આવ્યું હતું કે શું વરુણ પણ આવવાના હતા? તેમણે જવાબ આપ્યો કે વરુણ અને તેમની વહુ બંનેને આ સમયે વાયરલ ફીવર છે અને મારી વેવણને હાર્ટ એટેક આવ્યો છે, તો ઘરમાં આ સમયે બીમારી ચાલી રહી છે. ભાજપે પીલીભીતથી વરુણ ગાંધીની ટિકિટ કાપી દીધી, પરંતુ સુલ્તાનપુરથી મેનકા ગાંધીને ફરીથી ટિકિટ આપી દીધી છે. જેના કારણે વરુણ ગાંધી પણ ખૂલીને કઇ બોલી શકતા નથી.

હાલમાં મેનકા ગાંધી પણ વરુણને લઈને કંઇ કહેતા બચી રહ્યા છે, પરંતુ તેમના નિવેદનોથી અનુમાન લગાવી શકાય છે કે વરુણ કંઈક ને કંઈક જરૂર કરશે, જે ચૂંટણી બાદ ખબર પડશે. ટિકિટ કપાયા બાદ વરુણ ગાંધીએ પીલીભીતની જનતાને ભાવાત્મક ચિઠ્ઠી પણ લખી હતી, જેમાં તેમણે કહ્યું હતું કે પીલીભીતની જનતા સાથે મારો સંબંધ અંતિમ શ્વાસ સુધી રહેશે. તેમણે ચિઠ્ઠીમાં પહેલી વખત પીલીભીત આવવાથી લઈને સાંસદ બનવા સુધી આ ક્ષેત્રની જનતા સાથે જોડાણનો ઉલ્લેખ કર્યો. તેની સાથે જ ભવિષ્યને લઈને પણ સંદેશ આપ્યો હતો.

Top News

પાકિસ્તાને ભારતનો રસ્તો અપનાવ્યો! ન્યૂયોર્ક મોકલ્યું ડેલિગેશન, પણ શા માટે...

પાકિસ્તાનના વિદેશ મંત્રાલય દ્વારા વિશ્વના મુખ્ય દેશોમાં બે સરકારી પ્રતિનિધિમંડળો મોકલવામાં આવશે. આ પ્રતિનિધિમંડળો પર જવાબદારી હશે કે, ભારત સાથે...
World 
પાકિસ્તાને ભારતનો રસ્તો અપનાવ્યો! ન્યૂયોર્ક મોકલ્યું ડેલિગેશન, પણ શા માટે...

ટીમ ઈન્ડિયાના પૂર્વ સિલેક્ટરે ગિલને આપ્યો જીતનો મંત્ર, ઈંગ્લેન્ડ સીરિઝ માટે આ ખેલાડીને X ફેક્ટર ગણાવ્યો

ટીમ ઈન્ડિયા 20 જૂનથી ઈંગ્લેન્ડ સામે 5 મેચની ટેસ્ટ શ્રેણી રમશે. આ શ્રેણી ઘણી રીતે ખાસ બનવાની છે. આગામી ઈંગ્લેન્ડ...
Sports 
ટીમ ઈન્ડિયાના પૂર્વ સિલેક્ટરે ગિલને આપ્યો જીતનો મંત્ર, ઈંગ્લેન્ડ સીરિઝ માટે આ ખેલાડીને X ફેક્ટર ગણાવ્યો

કોરોનાની નાકની રસીનું શું થયું? શું હમણાંની નવી લહેરમાં ઉપયોગી થશે? જાણો કંઈ કંપનીઓએ તેને તૈયાર કરી છે

દેશમાં ફરી એકવાર કોરોના ધીમે ધીમે ફેલાઈ રહ્યો છે. સોમવાર સુધીમાં, દેશભરમાં કોરોનાના લગભગ ચાર હજાર કેસ નોંધાયા છે...
National 
કોરોનાની નાકની રસીનું શું થયું? શું હમણાંની નવી લહેરમાં ઉપયોગી થશે? જાણો કંઈ કંપનીઓએ તેને તૈયાર કરી છે

સ્મૃતિ ઇરાની ફરી એક્ટીંગ તરફ વળ્યા, શું તેમણે રાજકારણ છોડી દીધું છે?

વર્ષ 2000થી 2008 સુધી પ્રસારિત થયેલી અને લોકપ્રિય બનેલી સીરિયલ ક્યોંકી સાંસભી કભી બહું થીની સિઝન-2 શરૂ થવા જઇ રહી...
Entertainment 
સ્મૃતિ ઇરાની ફરી એક્ટીંગ તરફ વળ્યા, શું તેમણે રાજકારણ છોડી દીધું છે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.