મેનકાને મળી ટિકિટ, દીકરો વરૂણ હજુ રાહ જૂએ છે, જાણો માએ શું કહ્યું?

On

ભારતીય જનતા પાર્ટી (BJP)એ ઉત્તર પ્રદેશની પીલીભીત લોકસભા સીટથી વરુણ ગાંધીની ટિકિટ કાપી દીધી છે. તેમની જગ્યાએ યોગી સરકારના કેબિનેટ મંત્રી જિતિન પ્રસાદને ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. ત્યારબાદ અનુમાન લગાવવામાં આવી રહ્યા હતા કે, વરુણ ગાંધી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી શકે છે. હવે તેના પર તેમના માતા મેનકા ગાંધીએ મૌન તોડ્યું છે. મેનકા ગાંધીને પૂછવામાં આવ્યું કે, શું વરુણ ગાંધી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી શકે છે?

આ સવાલ પર તેમણે સ્પષ્ટ કહ્યું કે, તેઓ કોંગ્રેસની ટિકિટ પરથી ચૂંટણી નહીં લડે. તેમને જ્યારે પૂછવામાં આવ્યું કે, કેદારનાથમાં રાહુલ અને વરુણની મુલાકાત થઈ હતી. સામાચારો આવ્યા હતા કે કોંગ્રેસ વરુણને ટિકિટ આપીને ચૂંટણી લડાવી શકે છે. તેના પર પણ મેનકા ગાંધીએ ઇશારાઓમાં ઇનકાર કર્યો હતો. મેનકા ગાંધીને પૂછવામાં આવ્યું કે, તમે વરુણ ગાંધીને લઈને જે કહ્યું હતું તેનો શું અર્થ છે? તેના પર તેમણે પોતાની જૂની વાતનું પુનરાવર્તન કર્યું.

તેમણે કહ્યું કે, પછી જોવાઈ જશે. હજુ સમય છે. મેનકા ગાંધીએ સોમવારે મીડિયાને વરુણની ટિકિટ કાપવાને લઈને કહ્યું હતું કે તમે એ તેમને પૂછો, ચૂંટણી બાદ જોઈએ છીએ. હજુ ઘણો સમય છે. મેનકા ગાંધીને પૂછવામાં આવ્યું હતું કે શું વરુણ પણ આવવાના હતા? તેમણે જવાબ આપ્યો કે વરુણ અને તેમની વહુ બંનેને આ સમયે વાયરલ ફીવર છે અને મારી વેવણને હાર્ટ એટેક આવ્યો છે, તો ઘરમાં આ સમયે બીમારી ચાલી રહી છે. ભાજપે પીલીભીતથી વરુણ ગાંધીની ટિકિટ કાપી દીધી, પરંતુ સુલ્તાનપુરથી મેનકા ગાંધીને ફરીથી ટિકિટ આપી દીધી છે. જેના કારણે વરુણ ગાંધી પણ ખૂલીને કઇ બોલી શકતા નથી.

હાલમાં મેનકા ગાંધી પણ વરુણને લઈને કંઇ કહેતા બચી રહ્યા છે, પરંતુ તેમના નિવેદનોથી અનુમાન લગાવી શકાય છે કે વરુણ કંઈક ને કંઈક જરૂર કરશે, જે ચૂંટણી બાદ ખબર પડશે. ટિકિટ કપાયા બાદ વરુણ ગાંધીએ પીલીભીતની જનતાને ભાવાત્મક ચિઠ્ઠી પણ લખી હતી, જેમાં તેમણે કહ્યું હતું કે પીલીભીતની જનતા સાથે મારો સંબંધ અંતિમ શ્વાસ સુધી રહેશે. તેમણે ચિઠ્ઠીમાં પહેલી વખત પીલીભીત આવવાથી લઈને સાંસદ બનવા સુધી આ ક્ષેત્રની જનતા સાથે જોડાણનો ઉલ્લેખ કર્યો. તેની સાથે જ ભવિષ્યને લઈને પણ સંદેશ આપ્યો હતો.

Related Posts

Top News

ભાજપના ધારાસભ્ય પર સરકાર અને પાર્ટીને બદનામ કરવાનો છે આરોપ લાગ્યો, પાર્ટીએ માગ્યો જવાબ

ભારતીય જનતા પાર્ટી (BJP)ના પ્રદેશ અધ્યક્ષ ભૂપેન્દ્ર સિંહ ચૌધરીએ લોનીથી ભાજપના ધારાસભ્ય નંદકિશોર ગુર્જરને કારણ બતાવો નોટિસ જાહેર...
National  Politics 
ભાજપના ધારાસભ્ય પર સરકાર અને પાર્ટીને બદનામ કરવાનો છે આરોપ લાગ્યો, પાર્ટીએ માગ્યો જવાબ

HCLના શિવ નાદરે દીકરી માટે એવો નિર્ણય લીધો કે રોશની બની ગઈ બિલિયનર

દેશના જાણીતા દાનવીર અને ઉદ્યોગપતિ  HCLના સ્થાપક શિવ નાદરે તેમની એકની એક દીકરી માટે મોટો નિર્ણય લીધો છે. શિવ...
Business 
HCLના શિવ નાદરે દીકરી માટે એવો નિર્ણય લીધો કે રોશની બની ગઈ બિલિયનર

પરિણીત પ્રેમિકાને મળવા પહોંચ્યો પ્રેમી, ફટકાર્યા બાદ ગ્રામજનોએ કરાવી દીધા લગ્ન

બિહારના મુઝફ્ફરપુરથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અહીં પરિણીત પ્રેમિકાને છુપાઈને મળવા પહોંચેલા પ્રેમીને રંગે હાથે પકડીને ઢોર માર...
National 
પરિણીત પ્રેમિકાને મળવા પહોંચ્યો પ્રેમી, ફટકાર્યા બાદ ગ્રામજનોએ કરાવી દીધા લગ્ન

મેં કોંગ્રેસના રાજમાં 7 દિવસ જેલનું ખાવાનું ખાધું, મને દંડાથી માર્યો પણ: અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શનિવારે આસામમાં કોંગ્રેસ સરકાર હતી ત્યારે એક વિદ્યાર્થી તરીકે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા અને તેમની...
National 
મેં કોંગ્રેસના રાજમાં 7 દિવસ જેલનું ખાવાનું ખાધું, મને દંડાથી માર્યો પણ: અમિત શાહ
Copyright (c) Khabarchhe All Rights Reserved.