મેનકાને મળી ટિકિટ, દીકરો વરૂણ હજુ રાહ જૂએ છે, જાણો માએ શું કહ્યું?

ભારતીય જનતા પાર્ટી (BJP)એ ઉત્તર પ્રદેશની પીલીભીત લોકસભા સીટથી વરુણ ગાંધીની ટિકિટ કાપી દીધી છે. તેમની જગ્યાએ યોગી સરકારના કેબિનેટ મંત્રી જિતિન પ્રસાદને ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. ત્યારબાદ અનુમાન લગાવવામાં આવી રહ્યા હતા કે, વરુણ ગાંધી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી શકે છે. હવે તેના પર તેમના માતા મેનકા ગાંધીએ મૌન તોડ્યું છે. મેનકા ગાંધીને પૂછવામાં આવ્યું કે, શું વરુણ ગાંધી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી શકે છે?

આ સવાલ પર તેમણે સ્પષ્ટ કહ્યું કે, તેઓ કોંગ્રેસની ટિકિટ પરથી ચૂંટણી નહીં લડે. તેમને જ્યારે પૂછવામાં આવ્યું કે, કેદારનાથમાં રાહુલ અને વરુણની મુલાકાત થઈ હતી. સામાચારો આવ્યા હતા કે કોંગ્રેસ વરુણને ટિકિટ આપીને ચૂંટણી લડાવી શકે છે. તેના પર પણ મેનકા ગાંધીએ ઇશારાઓમાં ઇનકાર કર્યો હતો. મેનકા ગાંધીને પૂછવામાં આવ્યું કે, તમે વરુણ ગાંધીને લઈને જે કહ્યું હતું તેનો શું અર્થ છે? તેના પર તેમણે પોતાની જૂની વાતનું પુનરાવર્તન કર્યું.

તેમણે કહ્યું કે, પછી જોવાઈ જશે. હજુ સમય છે. મેનકા ગાંધીએ સોમવારે મીડિયાને વરુણની ટિકિટ કાપવાને લઈને કહ્યું હતું કે તમે એ તેમને પૂછો, ચૂંટણી બાદ જોઈએ છીએ. હજુ ઘણો સમય છે. મેનકા ગાંધીને પૂછવામાં આવ્યું હતું કે શું વરુણ પણ આવવાના હતા? તેમણે જવાબ આપ્યો કે વરુણ અને તેમની વહુ બંનેને આ સમયે વાયરલ ફીવર છે અને મારી વેવણને હાર્ટ એટેક આવ્યો છે, તો ઘરમાં આ સમયે બીમારી ચાલી રહી છે. ભાજપે પીલીભીતથી વરુણ ગાંધીની ટિકિટ કાપી દીધી, પરંતુ સુલ્તાનપુરથી મેનકા ગાંધીને ફરીથી ટિકિટ આપી દીધી છે. જેના કારણે વરુણ ગાંધી પણ ખૂલીને કઇ બોલી શકતા નથી.

હાલમાં મેનકા ગાંધી પણ વરુણને લઈને કંઇ કહેતા બચી રહ્યા છે, પરંતુ તેમના નિવેદનોથી અનુમાન લગાવી શકાય છે કે વરુણ કંઈક ને કંઈક જરૂર કરશે, જે ચૂંટણી બાદ ખબર પડશે. ટિકિટ કપાયા બાદ વરુણ ગાંધીએ પીલીભીતની જનતાને ભાવાત્મક ચિઠ્ઠી પણ લખી હતી, જેમાં તેમણે કહ્યું હતું કે પીલીભીતની જનતા સાથે મારો સંબંધ અંતિમ શ્વાસ સુધી રહેશે. તેમણે ચિઠ્ઠીમાં પહેલી વખત પીલીભીત આવવાથી લઈને સાંસદ બનવા સુધી આ ક્ષેત્રની જનતા સાથે જોડાણનો ઉલ્લેખ કર્યો. તેની સાથે જ ભવિષ્યને લઈને પણ સંદેશ આપ્યો હતો.

About The Author

Related Posts

Top News

મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈન ફરી મુશ્કેલીમાં, આ વખતે મામલો 2000 કરોડનો

કથિત દારૂ કૌભાંડ અને મની લોન્ડરિંગ કેસમાં લાંબા સમયથી જેલમાં રહેલા દિલ્હીના ભૂતપૂર્વ DyCM મનીષ સિસોદિયા અને ભૂતપૂર્વ આરોગ્ય પ્રધાન...
National 
મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈન ફરી મુશ્કેલીમાં, આ વખતે મામલો 2000 કરોડનો

કુલદીપે રિંકુ સિંહને 2 વખત લાફા ઝીક્યા, મેચ બાદ થઈ ઘટના, જુઓ વીડિયો

દિલ્હી કેપિટલ્સ (DC) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) વચ્ચે 29 એપ્રિલે અરુણ જેટલી સ્ટેડિયમમાં મેચ રમાઇ હતી. જ્યાં...
Sports 
કુલદીપે રિંકુ સિંહને 2 વખત લાફા ઝીક્યા, મેચ બાદ થઈ ઘટના, જુઓ વીડિયો

પહેલગામની ઘટના પછી કોંગ્રેસ નેતા રાહુલ ટેન્શનમાં કેમ છે?

કાશ્મીરના પહેલગામની ઘટના પછી કોંગ્રેસના કેટલાંક નેતાઓ પોતાની જ પાર્ટીની ફજેતી કરી રહ્યા છે. કર્ણાટકના મુખ્યમંત્રી અને સિનિયર નેતા સિદ્ધાર્થ...
National 
પહેલગામની ઘટના પછી કોંગ્રેસ નેતા રાહુલ ટેન્શનમાં કેમ છે?

નાની ઉંમરમાં જ કેમ વધી રહ્યા છે બાળકોના ચશ્માના નંબર? જાણો કારણો અને નિવારણના પગલાં

આજકાલ નાના બાળકોમાં ચશ્મા પહેરવાની સમસ્યા ઝડપથી વધી રહી છે. પહેલા ચશ્મા પહેરવાનું ઉંમર વધવાની સાથે જોવા મળતું હતું, જ્યારે...
Lifestyle 
નાની ઉંમરમાં જ કેમ વધી રહ્યા છે બાળકોના ચશ્માના નંબર? જાણો કારણો અને નિવારણના પગલાં
Copyright (c) Khabarchhe All Rights Reserved.