સુપ્રીમ કોર્ટના નિર્ણયના 6 વર્ષ બાદ પણ અયોધ્યામાં કેમ ન બની શકી મસ્જિદ?

અયોધ્યામાં બાબરી મસ્જિદ તોડી પાડ્યાને 34 વર્ષ વીતી ચૂક્યા છે અને 6 ડિસેમ્બરનો દિવસ ફરી આવી ગયો છે. તેને લઈને સુપ્રીમ કોર્ટનો અંતિમ ચૂકાદો 2019માં આપવામાં આવ્યો હતો અને આ નિર્ણયના આધારે રામ મંદિર બનાવવામાં આવ્યું. તે ચૂકાદામાં મુસ્લિમ પક્ષને મસ્જિદ (અયોધ્યા મસ્જિદ)ના નિર્માણ માટે 5 એકર જમીન પણ આપવામાં આવી હતી, પરંતુ તેના પર કામ હજુ સુધી શરૂ થયું નથી.

ઇન્ડિયન એક્સપ્રેસમાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ, ઇન્ડો-ઇસ્લામિક કલ્ચરલ ફાઉન્ડેશન હવે અધિકારીઓને ઇમરતનો નક્શોના સોંપવાની તૈયારી કરી રહ્યું છે. પરંતુ દાનના અભાવે, કામ અટકી ગયું છે, એટલે કામની શરૂઆત માર્ચ 2026 બાદ જ તે શરૂ થઈ શકશે. જે મસ્જિદ બનશે તેને મોહમ્મદ બિન અબ્દુલ્લા મસ્જિદ નામથી ઓળખવામાં આવશે.

Ayodhya-Mosque-Project1
indianexpress.com

9 નવેમ્બર 2019ના રોજ અયોધ્યાના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે મુસ્લિમ પક્ષને મસ્જિદના નિર્માણ માટે 5 એકર જમીન ફાળવવાનો આદેશ આપ્યો હતો. ત્યારબાદ અયોધ્યાના ધન્નીપુર ગામમાં 5 એકર જમીન ઉત્તર પ્રદેશ સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડને ટ્રાન્સફર કરવામાં આવી હતી. જેણે મસ્જિદ બનાવવા માટે ઈન્ડો-ઈસ્લામિક કલ્ચરલ ફાઉન્ડેશન ટ્રસ્ટની રચના કરી.

ફાઉન્ડેશનના અધ્યક્ષ ઝફર અહમદ ફારૂકીનું કહેવું છે કે અત્યાર સુધી જમીન પર કોઈ કામ શરૂ થયું નથી. તેમણે જણાવ્યું કે પહેલા તૈયાર કરવામાં આવેલી મસ્જિદની ડિઝાઇનમાં ફેરફાર કરવામાં આવ્યો છે, અને નવી ડિઝાઇનના આધારે નવો નકશો તૈયાર કરવામાં આવી રહ્યો છે. મહિનાના અંત સુધીમાં તેને અયોધ્યા ડેવલપમેન્ટ ઓથોરિટી (ADA)ને મોકલી આપવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, નકશો જમા થયા બાદ મંજૂરી મળવામાં ઓછામાં ઓછા 3 મહિના લાગશે. ફાઉન્ડેશનના સભ્યો અત્યારે પણ ફંડને લઈને ચિંતિત છે, જોકે નવી ડિઝાઇન નક્કી થયા બાદ દાનમાં થોડો વધારો થયો છે. ફારૂકીએ કહ્યું કે, ‘દાન આવી રહ્યું છે, પરંતુ ખૂબ જ ધીમે ધીમે.

2021માં જાહેર કરવામાં આવેલી મસ્જિદની પ્રથમ ડિઝાઇનમાં મોટા કાચના ગુંબજ અને સ્કાયલાઇટ્સ જેવી આધુનિક વસ્તુઓ હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, મુસ્લિમ સમુદાયને આ ડિઝાઇન ખૂબ જ આધુનિક અને ભવિષ્યવાદી લાગી, જેના કારણે લોકો દાન કરવામાં ખચકાટ અનુભવતા હતા. નવી ડિઝાઇન પરંપરાગત શૈલીમાં છે, જેમાં પાંચ મિનારા અને પરંપરાગત ગુંબજ સામેલ છે.

Ayodhya-Mosque-Project
deccanchronicle.com

વધુ દાનદાતાઓને આકર્ષવા માટે ફાઉન્ડેશન મસ્જિદ પરિસરમાં બનેલી બીજી સુવિધાઓ પર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. આમાં એક હોસ્પિટલ, એક સમુદાય રસોડું, એક ભારત-ઇસ્લામિક સાંસ્કૃતિક સંશોધન કેન્દ્ર, એક આર્કાઇવ અને એક સંગ્રહાલયનો સમાવેશ થશે.

About The Author

Top News

LPGના કાળાબજારને રોકવા માટે બુકિંગ નિયમોમાં ફેરફાર! જાણો હવે કેટલા દિવસમાં મળશે બીજો સિલિન્ડર

મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધને કારણે વૈશ્વિક સ્તરે ઇંધણ પુરવઠાને લઈને મચેલી અફરાતફરીની અસર ભારતીય રસોડા સુધી ન પહોંચે તે માટે...
National 
LPGના કાળાબજારને રોકવા માટે બુકિંગ નિયમોમાં ફેરફાર! જાણો હવે કેટલા દિવસમાં મળશે બીજો સિલિન્ડર

25થી વધુ નવા ફેરફાર સાથે લોન્ચ થઈ નવી Hyundai Verna, કિંમત જાણી લો

હ્યુન્ડાઇ મોટર ઇન્ડિયા લિમિટેડે ભારતમાં Hyundai Vernaના અપડેટેડ મોડલને લોન્ચ કરી છે. આ કારને 10.98 લાખ રૂપિયા (એક્સ-શૉરૂમ)ની શરૂઆતી...
Tech and Auto 
25થી વધુ નવા ફેરફાર સાથે લોન્ચ થઈ નવી Hyundai Verna, કિંમત જાણી લો

જય શાહ: શાંત, સંયમી અને લક્ષ્ય કેન્દ્રિત વ્યક્તિત્ત્વ

(ઉત્કર્ષ પટેલ)જય શાહ એક એવું નામ છે જે યુવા વયે વૈશ્વિક ક્રિકેટના નેતૃત્વમાં પોતાનું અસ્તિત્વ સાબિત કર્યું છે. માત્ર...
Opinion 
જય શાહ: શાંત, સંયમી અને લક્ષ્ય કેન્દ્રિત વ્યક્તિત્ત્વ

ભારત રશિયા પાસેથી તેલ ખરીદી શકે છે, પરંતુ હવે પહેલા જેવી વાત કેમ નથી રહી?

અમેરિકાએ કહ્યું કે, ‘તે ભારતને રશિયા પાસેથી તેલ ખરીદવાની મંજૂરી આપે છે.’ કોંગ્રેસ સહિત વિપક્ષે અમેરિકાના નિવેદન...
Business 
ભારત રશિયા પાસેથી તેલ ખરીદી શકે છે, પરંતુ હવે પહેલા જેવી વાત કેમ નથી રહી?
Copyright (c) Khabarchhe All Rights Reserved.