અમિતાભ બચ્ચને અયોધ્યામાં ખરીદી 2.67 એકર જમીન, રામ મંદિરથી 15 મિનિટ દૂર

અમિતાભ બચ્ચને ફરી એકવાર અયોધ્યામાં નવી મિલકતમાં રોકાણ કર્યું છે. તેમણે રિયલ એસ્ટેટ કંપની હાઉસ ઓફ અભિનંદન લોઢા (HoABL) પાસેથી લગભગ 35 કરોડ રૂપિયામાં 2.67 એકર જમીન ખરીદી છે. કંપનીના જણાવ્યા અનુસાર, AB કોર્પ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર રાજેશ યાદવ દ્વારા સંપૂર્ણ તપાસ બાદ શુક્રવારે આ ડીલને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું. આ જમીન HoABLના 75 એકરના વૈભવી જમીન પ્રોજેક્ટ, ‘ધ સરયુની બાજુમાં છે અને તે અયોધ્યામાં બોલિવુડ સુપરસ્ટારની ત્રીજી સંપત્તિ છે.

amitabh1
facebook.com/amitabhbachchan

અમિતાભ બચ્ચન સાથે થયેલી ડીલ બાબતે વાત કરતા કંપનીના ચેરમેન અભિનંદન લોઢાએ કહ્યું કે, ‘આ રોકાણ લાંબા ગાળાની સંપત્તિ તરીકે જમીનમાં મજબૂત વિશ્વાસ દર્શાવે છે. તેમણે કહ્યું કે અભિનેતાનો નિર્ણય તેમના વિશ્વાસને પ્રતિબિંબિત કરે છે કે જમીન ઘણા વર્ષો સુધી કિંમતી રહી શકે છે અને ભવિષ્યની પેઢીઓને આપી શકાય છે. આ અમિતાભ બચ્ચનની અયોધ્યામાં ત્રીજી સંપત્તિ ખરીદી છે અને HoABL સાથે તેમનું ચોથું પ્લોટેડ ડેવલપમેન્ટ રોકાણ છે.

અમિતાભ બચ્ચનની અયોધ્યા પ્રોપર્ટીની ખાસ વાત

તેમણે એમ પણ જણાવ્યું કે, અયોધ્યામાં જમીનના માલિક હોવાનું એક સાંસ્કૃતિક અને ભાવનાત્મક મહત્ત્વ છે. તેમના મતે, કંપની જમીનને માત્ર સંપત્તિ તરીકે જ નહીં પરંતુ વારસા તરીકે જુએ છે. અયોધ્યા જેવા શહેરમાં આ વારસો ખાસ છે કારણ કે તે શ્રદ્ધાને વારસા સાથે જોડે છે. સતત માળખાકીય વિકાસ અને સરકારી રોકાણ સાથે, અયોધ્યા લાંબા ગાળાના જમીન રોકાણ અને મૂલ્ય વૃદ્ધિ માટે એક આકર્ષક સ્થળ બની રહ્યું છે.

amitab
facebook.com/amitabhbachchan

અમિતાભ બચ્ચન અશ્વત્થામા બનીને કરશે વાપસી

અમિતાભ બચ્ચન પાસે ઘણી ફિલ્મો આવી રહી છે. તેઓ બહુ અપેક્ષિત સિક્વલ, ‘કલ્કી 2898 AD ભાગ 2’માં અશ્વત્થામા તરીકે વાપસી કરશે. આ ઉપરાંત, અભિનેતા કોર્ટરૂમ થ્રિલર સેક્શન ’84, ધ ઇન્ટર્નની હિન્દી રિમેક અને આંખેની સિક્વલમાં જોવા મળશે.

About The Author

Related Posts

Top News

નોબેલ વિજેતાના મતે યુદ્ધના કારણે 2008 જેવી આર્થિક મંદીની શક્યતા નહિવત, પણ...

ઈરાનમાં ચાલી રહેલા યુદ્ધને કારણે વૈશ્વિક આર્થિક વિકાસ દરમાં ઘટાડો થવાની પૂરેપૂરી શક્યતા છે, પરંતુ તેનાથી 2008ના વૈશ્વિક નાણાકીય...
World 
નોબેલ વિજેતાના મતે યુદ્ધના કારણે 2008 જેવી આર્થિક મંદીની શક્યતા નહિવત, પણ...

'મુશ્કેલ સમયમાં જય શાહે સાથ આપ્યો...', જીત બાદ ગંભીર ભાવુક, દ્રવિડ-લક્ષ્મણને...

ટીમ ઈન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીરે T20 વર્લ્ડ કપ 2026ની ઐતિહાસિક જીતને ભારતીય ક્રિકેટના એવા દિગ્ગજોને સમર્પિત કરી છે...
Sports 
'મુશ્કેલ સમયમાં જય શાહે સાથ આપ્યો...', જીત બાદ ગંભીર ભાવુક, દ્રવિડ-લક્ષ્મણને...

ઓમ બિરલા સામે લાવવામાં આવેલી અવિશ્વાસ પ્રસ્તાવ પ્રક્રિયા શું છે? ક્યારે ક્યારે આ દરખાસ્તો લાવવામાં આવી હતી?

લોકસભાના બજેટ સત્રનો બીજો તબક્કો આજથી શરૂ થઈ રહ્યો છે, અને તેની સાથે જ સંસદમાં રાજકીય ગતિવિધિઓ તેજ થઈ...
National 
ઓમ બિરલા સામે લાવવામાં આવેલી અવિશ્વાસ પ્રસ્તાવ પ્રક્રિયા શું છે? ક્યારે ક્યારે આ દરખાસ્તો લાવવામાં આવી હતી?

સ્મશાનગૃહ પર પણ ગેસ સંકટનો ભય! વૈકુંઠ ધામમાં ગેસ આધારિત અગ્નિસંસ્કાર ઠપ્પ

ખાડી ક્ષેત્રમાં ચાલી રહેલી યુદ્ધની પરિસ્થિતિને કારણે પુણેમાં આવશ્યક સેવાઓ પર અસર થવા લાગી છે. મહારાષ્ટ્રના પુણેમાં સૌથી મોટું સ્મશાનગૃહ...
National 
સ્મશાનગૃહ પર પણ ગેસ સંકટનો ભય! વૈકુંઠ ધામમાં ગેસ આધારિત અગ્નિસંસ્કાર ઠપ્પ

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.