- National
- સ્મશાનગૃહ પર પણ ગેસ સંકટનો ભય! વૈકુંઠ ધામમાં ગેસ આધારિત અગ્નિસંસ્કાર ઠપ્પ
સ્મશાનગૃહ પર પણ ગેસ સંકટનો ભય! વૈકુંઠ ધામમાં ગેસ આધારિત અગ્નિસંસ્કાર ઠપ્પ
ખાડી ક્ષેત્રમાં ચાલી રહેલી યુદ્ધની પરિસ્થિતિને કારણે પુણેમાં આવશ્યક સેવાઓ પર અસર થવા લાગી છે. મહારાષ્ટ્રના પુણેમાં સૌથી મોટું સ્મશાનગૃહ વૈકુંઠ ધામ સ્મશાનગૃહમાં ગેસ આધારિત અંતિમસંસ્કાર માટે ઉપયોગ થતી LPGની અછત ઊભી થઈ ગઈ છે. પુણે મ્યુનિસિપલ કોર્પોરેશનના એક્ઝિક્યુટિવ એન્જિનિયર નિલેશ કાલેકરના જણાવ્યા અનુસાર, સ્મશાનમાં હાલમાં 2 અ*ગ્નિસંસ્કાર પૂરતો જ ગેસ છે. એક અ*ગ્નિસંસ્કાર માટે લગભગ 18 કિલોગ્રામ LPGની જરૂર પડે છે.
વૈકુંઠ ધામમાં કુલ 3 ગેસ આધારિત અ*ગ્નિસંસ્કાર એકમો અને 4 ઇલેક્ટ્રિક સ્મશાનગૃહ છે. પરંતુ, LPG પુરવઠાની અછતને કારણે ગેસ આધારિત અ*ગ્નિસંસ્કાર સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, મોટાભાગના અ*ગ્નિસંસ્કાર હવે ઇલેક્ટ્રિક સ્મશાનમાં કરવામાં આવી રહ્યા છે. વહીવટીતંત્રએ સ્પષ્ટતા કરી છે કે ગેસ પુરવઠો સામાન્ય ન થાય ત્યાં સુધી આ વ્યવસ્થા ચાલુ રહેશે.
નિલેશ કાલેકરે જણાવ્યું કે, ‘આ અછત કેન્દ્ર સરકારના એ જાહેરનામાને કારણે થઈ છે, જેમાં ગલ્ફ ક્ષેત્રમાં ચાલી રહેલા ભૂ-રાજકીય તણાવ વચ્ચે ઘરેલુ LPG પુરવઠામાં વિક્ષેપ અટકાવવા માટે વાણિજ્યિક LPGના પુરવઠાને સીમિત કરવામાં આવ્યો છે. આ કારણે, વૈકુંઠ ધામ વહીવટીતંત્રને નવી LPG મળી રહી નથી, જેના કારણે ગેસ આધારિત સ્મશાન સેવાઓ પર અસર પડી રહી છે.
આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પુણે મ્યુનિસિપલ કોર્પોરેશને નાગરિકોને એક સત્તાવાર સૂચના જાહેર કરી છે, જેમાં તેમને ગેસની અછત અને ઇલેક્ટ્રિક સ્મશાન પ્રણાલીના કામચલાઉ અમલીકરણની જાણકારી આપવામાં આવી છે.
નવી પેઠ વિસ્તારમાં સ્થિત વૈકુંઠ ધામ લગભગ 17 એકરમાં ફેલાયેલું છે અને તેને મહારાષ્ટ્રનું સૌથી મોટું હિન્દુ સ્મશાન સ્થળ માનવામાં આવે છે. અહીં દરરોજ સરેરાશ 20 જેટલા અ*ગ્નિસંસ્કાર કરવામાં આવે છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ગેસ આધારિત સ્મશાન એકમો આગામી સૂચના સુધી બંધ રહેશે, અને ઇલેક્ટ્રિક સ્મશાન દ્વારા સેવાઓ ચાલુ રહેશે.

