સ્મશાનગૃહ પર પણ ગેસ સંકટનો ભય! વૈકુંઠ ધામમાં ગેસ આધારિત અગ્નિસંસ્કાર ઠપ્પ

ખાડી ક્ષેત્રમાં ચાલી રહેલી યુદ્ધની પરિસ્થિતિને કારણે પુણેમાં આવશ્યક સેવાઓ પર અસર થવા લાગી છે. મહારાષ્ટ્રના પુણેમાં સૌથી મોટું સ્મશાનગૃહ વૈકુંઠ ધામ સ્મશાનગૃહમાં ગેસ આધારિત અંતિમસંસ્કાર માટે ઉપયોગ થતી LPGની અછત ઊભી થઈ ગઈ છે. પુણે મ્યુનિસિપલ કોર્પોરેશનના એક્ઝિક્યુટિવ એન્જિનિયર નિલેશ કાલેકરના જણાવ્યા અનુસાર, સ્મશાનમાં હાલમાં 2 અ*ગ્નિસંસ્કાર પૂરતો જ ગેસ છે. એક અ*ગ્નિસંસ્કાર માટે લગભગ 18 કિલોગ્રામ LPGની જરૂર પડે છે.

વૈકુંઠ ધામમાં કુલ 3 ગેસ આધારિત અ*ગ્નિસંસ્કાર એકમો અને 4 ઇલેક્ટ્રિક સ્મશાનગૃહ છે. પરંતુ, LPG પુરવઠાની અછતને કારણે ગેસ આધારિત અ*ગ્નિસંસ્કાર સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, મોટાભાગના અ*ગ્નિસંસ્કાર હવે ઇલેક્ટ્રિક સ્મશાનમાં કરવામાં આવી રહ્યા છે. વહીવટીતંત્રએ સ્પષ્ટતા કરી છે કે ગેસ પુરવઠો સામાન્ય ન થાય ત્યાં સુધી આ વ્યવસ્થા ચાલુ રહેશે.

Gas Crematoriums
aajtak.in

નિલેશ કાલેકરે જણાવ્યું કે, ‘આ અછત કેન્દ્ર સરકારના એ જાહેરનામાને કારણે થઈ છે, જેમાં ગલ્ફ ક્ષેત્રમાં ચાલી રહેલા ભૂ-રાજકીય તણાવ વચ્ચે ઘરેલુ LPG પુરવઠામાં વિક્ષેપ અટકાવવા માટે વાણિજ્યિક LPGના પુરવઠાને સીમિત કરવામાં આવ્યો છે. આ કારણે, વૈકુંઠ ધામ વહીવટીતંત્રને નવી LPG મળી રહી નથી, જેના કારણે ગેસ આધારિત સ્મશાન સેવાઓ પર અસર પડી રહી છે.

આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પુણે મ્યુનિસિપલ કોર્પોરેશને નાગરિકોને એક સત્તાવાર સૂચના જાહેર કરી છે, જેમાં તેમને ગેસની અછત અને ઇલેક્ટ્રિક સ્મશાન પ્રણાલીના કામચલાઉ અમલીકરણની જાણકારી આપવામાં આવી છે.

Gas Crematoriums
english.mathrubhumi.com

નવી પેઠ વિસ્તારમાં સ્થિત વૈકુંઠ ધામ લગભગ 17 એકરમાં ફેલાયેલું છે અને તેને મહારાષ્ટ્રનું સૌથી મોટું હિન્દુ સ્મશાન સ્થળ માનવામાં આવે છે. અહીં દરરોજ સરેરાશ 20 જેટલા અ*ગ્નિસંસ્કાર કરવામાં આવે છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ગેસ આધારિત સ્મશાન એકમો આગામી સૂચના સુધી બંધ રહેશે, અને ઇલેક્ટ્રિક સ્મશાન દ્વારા સેવાઓ ચાલુ રહેશે.

About The Author

Related Posts

Top News

નોબેલ વિજેતાના મતે યુદ્ધના કારણે 2008 જેવી આર્થિક મંદીની શક્યતા નહિવત, પણ...

ઈરાનમાં ચાલી રહેલા યુદ્ધને કારણે વૈશ્વિક આર્થિક વિકાસ દરમાં ઘટાડો થવાની પૂરેપૂરી શક્યતા છે, પરંતુ તેનાથી 2008ના વૈશ્વિક નાણાકીય...
World 
નોબેલ વિજેતાના મતે યુદ્ધના કારણે 2008 જેવી આર્થિક મંદીની શક્યતા નહિવત, પણ...

'મુશ્કેલ સમયમાં જય શાહે સાથ આપ્યો...', જીત બાદ ગંભીર ભાવુક, દ્રવિડ-લક્ષ્મણને...

ટીમ ઈન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીરે T20 વર્લ્ડ કપ 2026ની ઐતિહાસિક જીતને ભારતીય ક્રિકેટના એવા દિગ્ગજોને સમર્પિત કરી છે...
Sports 
'મુશ્કેલ સમયમાં જય શાહે સાથ આપ્યો...', જીત બાદ ગંભીર ભાવુક, દ્રવિડ-લક્ષ્મણને...

ઓમ બિરલા સામે લાવવામાં આવેલી અવિશ્વાસ પ્રસ્તાવ પ્રક્રિયા શું છે? ક્યારે ક્યારે આ દરખાસ્તો લાવવામાં આવી હતી?

લોકસભાના બજેટ સત્રનો બીજો તબક્કો આજથી શરૂ થઈ રહ્યો છે, અને તેની સાથે જ સંસદમાં રાજકીય ગતિવિધિઓ તેજ થઈ...
National 
ઓમ બિરલા સામે લાવવામાં આવેલી અવિશ્વાસ પ્રસ્તાવ પ્રક્રિયા શું છે? ક્યારે ક્યારે આ દરખાસ્તો લાવવામાં આવી હતી?

સ્મશાનગૃહ પર પણ ગેસ સંકટનો ભય! વૈકુંઠ ધામમાં ગેસ આધારિત અગ્નિસંસ્કાર ઠપ્પ

ખાડી ક્ષેત્રમાં ચાલી રહેલી યુદ્ધની પરિસ્થિતિને કારણે પુણેમાં આવશ્યક સેવાઓ પર અસર થવા લાગી છે. મહારાષ્ટ્રના પુણેમાં સૌથી મોટું સ્મશાનગૃહ...
National 
સ્મશાનગૃહ પર પણ ગેસ સંકટનો ભય! વૈકુંઠ ધામમાં ગેસ આધારિત અગ્નિસંસ્કાર ઠપ્પ

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.