બળજબરી કે લાલચ આપી ધર્મ પરિવર્તન કરાવનારને ફાંસીની સજા આપવાનો કાયદો બનાવાશે

મધ્ય પ્રદેશથી ધર્મ પરિવર્તન વિષયમાં એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે જે રાજ્યના રાજકીય અને સામાજિક વિષયોમાં ચર્ચામાં છે. રાજ્યના મુખ્યમંત્રી મોહન યાદવે એક નવા કાયદાની જાહેરાત કરી છે જેમાં બળજબરીથી કે લાલચ આપીને ધર્મ પરિવર્તન કરાવનારા લોકોને ફાંસીની સજા આપવાની વાત કહેવામાં આવી છે. આ ઘોષણા તેમણે ભોપાલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે આયોજિત એક કાર્યક્રમ દરમિયાન કરી હતી. મુખ્યમંત્રીનું કહેવું છે કે આ પગલું ખાસ કરીને બાળકીઓ અને મહિલાઓની સુરક્ષા તેમજ તેમના સન્માનને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યું છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે સરકાર આવા ગુનાઓ સામે કડક કાર્યવાહી કરવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે.

1

મધ્ય પ્રદેશમાં આ પહેલાં પણ નાની બાળકીઓ સાથે દુષ્કર્મના કેસોમાં આરોપીઓને મૃત્યુદંડની સજા આપવાનો કાયદો લાગુ કરવામાં આવ્યો છે. હવે આ નવી જાહેરાત ધર્માંતરણના મુદ્દે પણ રાજ્ય સરકારની કડક નીતિ દર્શાવે છે. મુખ્યમંત્રી મોહન યાદવે કહ્યું કે ઘણી વખત લોકો લાલચ આપીને કે દબાણ કરીને ખાસ કરીને નાની ઉંમરની છોકરીઓનું ધર્મ પરિવર્તન કરાવે છે જે એક ગંભીર સામાજિક સમસ્યા છે. આવા કૃત્યોને રોકવા માટે સરકારે આ કડક પગલું ભરવાનો નિર્ણય લીધો છે. આ નવો કાયદો મધ્ય પ્રદેશ ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ હેઠળ લાગુ કરવામાં આવશે જેની તૈયારીઓ હાલમાં શરૂ થઈ ગઈ છે.

આ નિર્ણયની જાહેરાત બાદ રાજ્યમાં અનેક પ્રકારની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. કેટલાક લોકો આને મહિલાઓની સુરક્ષા માટે એક મહત્વનું યોગ્ય પગલું માની રહ્યા છે જ્યારે કેટલાકે આની ટીકા કરતાં કહ્યું છે કે આવા કડક કાયદાઓનો દુરુપયોગ થઈ શકે છે. સરકારનું કહેવું છે કે આ કાયદો ખાસ કરીને એવા કિસ્સાઓને લક્ષ્યમાં રાખીને બનાવવામાં આવી રહ્યો છે જ્યાં વ્યક્તિની સ્વતંત્ર સંમતિ/ઇચ્છાવિના ધર્મ પરિવર્તન કરાવવામાં આવે છે. આ માટે સ્પષ્ટ માર્ગદર્શિકા અને નિયમો ઘડવામાં આવશે જેથી કાયદાનો દુરઉપયોગ ન થાય.

02

આ કાયદાને લઈને વિધાનસભામાં પણ ચર્ચા થવાની શક્યતાઓ છે કારણ કે આ એક સંવેદનશીલ વિષય છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે આનો હેતુ ચોકસ કોઈ ધર્મ વિરુદ્ધ નથી પરંતુ લોકોની સ્વતંત્રતા અને સુરક્ષા જાળવવાનો છે. આ ઉપરાંત આ કાયદાને લાગુ કરવા માટે પોલીસ અને અન્ય લગુપડતી એજન્સીઓને યોગ્ય તાલીમ આપવાની પણ યોજના છે. મધ્ય પ્રદેશની આ પહેલ દેશના અન્ય રાજ્યો માટે પણ એક ઉદાહરણ બની શકે છે જો તે સફળતાપૂર્વક અમલમાં આવે તો.

આ નવા કાયદાની અસર સામાજિક વ્યવસ્થા પર કેવી રીતે પડશે તે આગામી સમયમાં જોવા મળશે. પરંતુ હાલમાં આ નિર્ણયે લોકોમાં ચર્ચાનો વિષય બની ગયો છે.

About The Author

Related Posts

Top News

ભાવનગર કો.ઓ બેંકમાં સગાઓને નોકરી આપી દીધી, યુવરાજ સિંહનો આરોપ

ભાવનગર ડિસ્ટ્રીક્ટ કો. ઓ. બેંકમાં  80 ક્લાર્કની ભરતીમાં મોટું કૌભાંડ થયું હોવાનો ગુજરાતના વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ આરોપ લગાવ્યો છે....
Education 
ભાવનગર કો.ઓ બેંકમાં સગાઓને નોકરી આપી દીધી, યુવરાજ સિંહનો આરોપ

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ કોણ બનશે? એક ચોંકાવનારું નામ સામે આવ્યું

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષનું કોકડું છેલ્લાં 11 મહિનાથી ગુંચવાયેલું છે. આ વખતે ભાજપે ચૂંટણી કરીને રાષ્ટ્રીય અને પ્રદેશ પ્રમુખ બનાવવાનું નક્કી...
National 
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ કોણ બનશે? એક ચોંકાવનારું નામ સામે આવ્યું

સેબી ચેરમેને કહ્યું- શેરબજારમાં આ કારણોને લીધે જોખમ વધ્યું છે

સેબીના નવા ચેરમેન તુહિન કાંત પાંડેએ બિઝનેસ ટુડેના એક કાર્યક્રમમાં રોકાણકારોને એલર્ટ કર્યા છે. તેમણે કહ્યું કે, કેટલાંક ગ્લોબલ...
Business 
સેબી ચેરમેને કહ્યું- શેરબજારમાં આ કારણોને લીધે જોખમ વધ્યું છે

ધમાકેદાર બેટિંગ છતા રડ્યો 14 વર્ષનો વૈભવ સૂર્યવંશી, IPL ડેબ્યૂમાં તોડ્યા 3 મોટા રેકોર્ડ

19 એપ્રિલની રાત IPL 2025 માટે ઐતિહાસિક હતી. 14 વર્ષનો વૈભવ સૂર્યવંશી ટુર્નામેન્ટના ઇતિહાસમાં રમનાર સૌથી નાની ઉંમરનો ખેલાડી બન્યો....
Sports 
ધમાકેદાર બેટિંગ છતા રડ્યો 14 વર્ષનો વૈભવ સૂર્યવંશી, IPL ડેબ્યૂમાં તોડ્યા 3 મોટા રેકોર્ડ
Copyright (c) Khabarchhe All Rights Reserved.