બળજબરી કે લાલચ આપી ધર્મ પરિવર્તન કરાવનારને ફાંસીની સજા આપવાનો કાયદો બનાવાશે

મધ્ય પ્રદેશથી ધર્મ પરિવર્તન વિષયમાં એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે જે રાજ્યના રાજકીય અને સામાજિક વિષયોમાં ચર્ચામાં છે. રાજ્યના મુખ્યમંત્રી મોહન યાદવે એક નવા કાયદાની જાહેરાત કરી છે જેમાં બળજબરીથી કે લાલચ આપીને ધર્મ પરિવર્તન કરાવનારા લોકોને ફાંસીની સજા આપવાની વાત કહેવામાં આવી છે. આ ઘોષણા તેમણે ભોપાલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે આયોજિત એક કાર્યક્રમ દરમિયાન કરી હતી. મુખ્યમંત્રીનું કહેવું છે કે આ પગલું ખાસ કરીને બાળકીઓ અને મહિલાઓની સુરક્ષા તેમજ તેમના સન્માનને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યું છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે સરકાર આવા ગુનાઓ સામે કડક કાર્યવાહી કરવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે.

1

મધ્ય પ્રદેશમાં આ પહેલાં પણ નાની બાળકીઓ સાથે દુષ્કર્મના કેસોમાં આરોપીઓને મૃત્યુદંડની સજા આપવાનો કાયદો લાગુ કરવામાં આવ્યો છે. હવે આ નવી જાહેરાત ધર્માંતરણના મુદ્દે પણ રાજ્ય સરકારની કડક નીતિ દર્શાવે છે. મુખ્યમંત્રી મોહન યાદવે કહ્યું કે ઘણી વખત લોકો લાલચ આપીને કે દબાણ કરીને ખાસ કરીને નાની ઉંમરની છોકરીઓનું ધર્મ પરિવર્તન કરાવે છે જે એક ગંભીર સામાજિક સમસ્યા છે. આવા કૃત્યોને રોકવા માટે સરકારે આ કડક પગલું ભરવાનો નિર્ણય લીધો છે. આ નવો કાયદો મધ્ય પ્રદેશ ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ હેઠળ લાગુ કરવામાં આવશે જેની તૈયારીઓ હાલમાં શરૂ થઈ ગઈ છે.

આ નિર્ણયની જાહેરાત બાદ રાજ્યમાં અનેક પ્રકારની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. કેટલાક લોકો આને મહિલાઓની સુરક્ષા માટે એક મહત્વનું યોગ્ય પગલું માની રહ્યા છે જ્યારે કેટલાકે આની ટીકા કરતાં કહ્યું છે કે આવા કડક કાયદાઓનો દુરુપયોગ થઈ શકે છે. સરકારનું કહેવું છે કે આ કાયદો ખાસ કરીને એવા કિસ્સાઓને લક્ષ્યમાં રાખીને બનાવવામાં આવી રહ્યો છે જ્યાં વ્યક્તિની સ્વતંત્ર સંમતિ/ઇચ્છાવિના ધર્મ પરિવર્તન કરાવવામાં આવે છે. આ માટે સ્પષ્ટ માર્ગદર્શિકા અને નિયમો ઘડવામાં આવશે જેથી કાયદાનો દુરઉપયોગ ન થાય.

02

આ કાયદાને લઈને વિધાનસભામાં પણ ચર્ચા થવાની શક્યતાઓ છે કારણ કે આ એક સંવેદનશીલ વિષય છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે આનો હેતુ ચોકસ કોઈ ધર્મ વિરુદ્ધ નથી પરંતુ લોકોની સ્વતંત્રતા અને સુરક્ષા જાળવવાનો છે. આ ઉપરાંત આ કાયદાને લાગુ કરવા માટે પોલીસ અને અન્ય લગુપડતી એજન્સીઓને યોગ્ય તાલીમ આપવાની પણ યોજના છે. મધ્ય પ્રદેશની આ પહેલ દેશના અન્ય રાજ્યો માટે પણ એક ઉદાહરણ બની શકે છે જો તે સફળતાપૂર્વક અમલમાં આવે તો.

આ નવા કાયદાની અસર સામાજિક વ્યવસ્થા પર કેવી રીતે પડશે તે આગામી સમયમાં જોવા મળશે. પરંતુ હાલમાં આ નિર્ણયે લોકોમાં ચર્ચાનો વિષય બની ગયો છે.

About The Author

Related Posts

Top News

વડાપ્રધાન મોદીના ઉત્તરાધિકારી કોણ? ફડણવીસે આપ્યો સ્પષ્ટ જવાબ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ઉતરાધિકારી કોણ? એ બાબતે ઘણા સમયથી ચર્ચા શરૂ થઇ છે. તાજેતરમાં રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘની વડા...
National 
વડાપ્રધાન મોદીના ઉત્તરાધિકારી કોણ? ફડણવીસે આપ્યો સ્પષ્ટ જવાબ

ચાલુ વિમાનની અંદર અમેરિકન મહિલા શ્વાસ ઘૂંટાવાથી બેભાન થઇ ત્યારે કોંગ્રેસ નેતાએ બચાવ્યો તેનો જીવોમ

શનિવારે બપોરે ગોવાથી નવી દિલ્હી જતી ઇન્ડિગો ફ્લાઇટમાં એક અમેરિકન મુસાફર અચાનક બીમાર પડી ગઈ ત્યારે અંધાધૂંધી ફેલાઈ ગઈ. કેલિફોર્નિયાની...
National 
ચાલુ વિમાનની અંદર અમેરિકન મહિલા શ્વાસ ઘૂંટાવાથી બેભાન થઇ ત્યારે કોંગ્રેસ નેતાએ બચાવ્યો તેનો જીવોમ

ઇથેનોલ ફેક્ટરી સામે વિરોધ પ્રદર્શન ઉગ્ર થયું, પંજાબ, UP અને હરિયાણાથી ખેડૂતો પહોંચ્યા, કારણ છે જમીનનું નુકસાન

રાજસ્થાનના હનુમાનગઢ જિલ્લાના ટિબ્બી શહેરમાં આ અઠવાડિયે થયેલી હિંસક અથડામણે સમગ્ર વિસ્તારને ચર્ચામાં લાવી દીધો. સેંકડો લોકો સામે FIR દાખલ...
National 
ઇથેનોલ ફેક્ટરી સામે વિરોધ પ્રદર્શન ઉગ્ર થયું, પંજાબ, UP અને હરિયાણાથી ખેડૂતો પહોંચ્યા, કારણ છે જમીનનું નુકસાન

કોણ છે નીતિન નબીન જેમને ભાજપે બનાવ્યા રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ

ભારતીય જનતા પાર્ટીએ ફરીએકવાર બધાને ચોંકાવતા નીતિન નબીનને ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ તરીકે પસંદ કર્યા છે. નીતિન નબીન વિશે ભાગ્યે...
National 
કોણ છે નીતિન નબીન જેમને ભાજપે બનાવ્યા રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ
Copyright (c) Khabarchhe All Rights Reserved.