- National
- લગ્ન પછી દુલ્હન રસગુલ્લા ખાઈને હાથ ધોવાના બહાને પ્રેમી સાથે ભાગી ગઈ
લગ્ન પછી દુલ્હન રસગુલ્લા ખાઈને હાથ ધોવાના બહાને પ્રેમી સાથે ભાગી ગઈ

બિહારના મુંગેર જિલ્લામાં એક એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જ્યાં એક પુત્રી લોક લાજ છોડીને તેના લગ્નના દિવસે જ તેના પ્રેમી સાથે ચુપકેથી ભાગી ગઈ હતી. આ દરમિયાન, છોકરીના પરિવારના સભ્યો પોલીસ સ્ટેશન પહોંચી ગયા છે અને પોલીસને વિનંતી કરી રહ્યા છે. આ મામલો અસરગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના સજુઆ પંચાયતના સતી સ્થાન ગામના રહેવાસી અરુણ મંડલની પુત્રી 21 વર્ષીય નંદિની ઉર્ફે નેહા કુમારીના લગ્નનો છે, જે ગઈકાલે રાત્રે થવાના હતા. આખો પરિવાર લગ્નમાં ઉત્સાહિત હતો ત્યારે અચાનક માહોલમાં ગભરાટ ફેલાઈ ગયો.

હકીકતમાં, અહીંયા લગ્નની જાન આવી પહોંચી હતી, વરમાળા પહેરાવવાનો સમારોહ પતી ગયો હતો, પરંતુ વરમાળા સમારોહ પૂરો થતાં જ, નેહા, રસગુલ્લા ખાવાના અને હાથ ધોવાના બહાને, તેના પ્રેમી સાથે ભાગી ગઈ. પરિવારને આ વાતની ખબર ત્યારે પડી જ્યારે નેહાને લગ્ન સ્થળે મંડપમાં બોલાવવામાં આવી રહી હતી પરંતુ નેહા તેના રૂમમાં નહોતી. જ્યારે વરરાજા અને છોકરા પક્ષને ખબર પડી કે છોકરી તેના પ્રેમી સાથે ભાગી ગઈ છે, ત્યારે તેઓ ગુસ્સે ભરાયા અને વરરાજાએ તેના માથા પર પહેરેલી પાઘડી ફેંકી દીધી. આ પછી, લગ્નના મહેમાનોએ પણ માથા પર પાઘડી પહેરી હતી તેને ફેંકી દીધી અને મંડપમાંથી નીકળી ગયા. છોકરીના પરિવારે વરરાજાને તેમની બીજી પુત્રી સાથે લગ્ન કરવા માટે સમજાવવાનો ખુબ પ્રયાસ કર્યો, પરંતુ છોકરાના પરિવારે ના પાડી અને ગુસ્સામાં ત્યાંથી ચાલ્યા ગયા.
નેહાના પિતા અજય મંડલે કહ્યું, 'અમારે ચાર દીકરીઓ અને બે દીકરા છે. અમે અમારા આખા પરિવાર સાથે દિલ્હીમાં રહીએ છીએ અને મજૂરી કરીએ છીએ. અમે ગયા વર્ષે અમારી મોટી દીકરી નેહાના લગ્ન સંગ્રામપુર બ્લોકના બૈજનાથપુર ગામના રહેવાસી કપિલદેવ મંડલના પુત્ર અમરજીત કુમાર સાથે નક્કી કર્યા હતા. લગ્ન માટે દહેજ તરીકે અઢી લાખ રૂપિયા પણ આપવામાં આવ્યા હતા. નવેમ્બર 2024માં છઠ પૂજા દરમિયાન નેહાના લગ્નની તારીખ નક્કી કરવામાં આવી હતી, પરંતુ છોકરાના પરિવારે કોઈ કારણોસર ના પાડી દીધી. જે પછી લગ્નની તારીખ 23 એપ્રિલ 2025 નક્કી કરવામાં આવી. હવે બુધવારે લગ્નની જાન અમારા ઘરે આવી અને અમે તેમનું સ્વાગત કર્યું. લગ્નના મહેમાનો માટે ખાવા માટે માછલી અને ભાતની વ્યવસ્થા કરવામાં આવી હતી. પરંતુ જ્યારે મારી દીકરી વરમાળા સમારોહ પછી તેના રૂમમાં ગઈ, ત્યારે થોડા સમય પછી તેને લગ્ન મંડપમાં બોલાવવામાં આવી. પણ તે રૂમમાં નહોતી. જ્યારે અમે તેની શોધ કરી, ત્યારે અમને ખબર પડી કે તે તેના પ્રેમી સાથે ભાગી ગઈ છે.'
નેહાની બહેન ગુડિયા કુમારી અને ભાઈ અભિષેકે જણાવ્યું કે, જ્યારે નેહાના લગ્ન નક્કી થયા ત્યારે તે નાની બહેન સાથે ગામમાં રહેતી હતી. અમે મારી બહેનના લગ્ન માટે દિલ્હીથી આવ્યા હતા. લગ્નમાં વરમાળા પહેરાવ્યા પછી, તેણે કહ્યું, મને ભૂખ લાગી છે, મારા માટે બે રસગુલ્લા લઇ આવો. મેં તેને રસગુલ્લા લાવીને આપ્યા. પછી તે હાથ ધોવા ગઈ. પરંતુ થોડા સમય પછી જ્યારે તેઓ તેને કન્યાદાન માટે બોલાવવા ગયા, ત્યારે તે તેના રૂમમાં નહોતી. પરિવારે નેહાના ઘરેથી ભાગી જવાની ફરિયાદ અસરગંજ પોલીસ સ્ટેશનમાં આપી છે અને પોલીસ આ મામલાની તપાસમાં વ્યસ્ત છે.
Top News
ધ્રૂવ રાઠી સામે ફરિયાદ, શીખ ગુરુઓનો AIના ઉપયોગથી વીડિયો બનાવ્યો
‘મેં એક દિવસ કહ્યું હતું કે..’ અર્શદીપે માર ખાધો, પણ બેઇજ્જત થયો મોહમ્મદ રિઝવાન, વીડિયો વાયરલ
જો બાઇડેનના હાડકા સુધી ફેલાઇ ચૂકેલા કેન્સરની સારવાર કેમ મુશ્કેલ? જાણો શું કહી રહ્યા છે હેલ્થ એક્સપર્ટ
Opinion
