ઘરમાં ચાર પુત્રવધૂ છતા સાસુ 30 વર્ષના પ્રેમી સાથે ફરાર! વૃદ્ધ પતિએ CM યોગી પાસે માંગ્યો ન્યાય

UPના લલિતપુર જિલ્લામાંથી એક એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેણે બધાને ચોંકાવી દીધા છે. જાખોરા પોલીસ સ્ટેશન વિસ્તારના સાંકરવાર કલા ગામમાં, ચાર પુત્રવધૂઓની સાસુ તેના 30 વર્ષના પ્રેમી સાથે ઘરેથી ભાગી ગઈ. એવો પણ આરોપ છે કે, જતી વખતે તે પુત્રવધૂઓના કિંમતી ઘરેણાં પણ પોતાની સાથે લઈ ગઈ હતી.

જ્યારે પીડિત વૃદ્ધ પતિ હરિરામ પાલને તેની પત્ની ભગવતીના આ કૃત્ય વિશે જાણ થઇ ત્યારે તે ચોંકી ગયો. પહેલા તેણે સ્થાનિક જાખોરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી, પરંતુ જ્યારે તેને ત્યાંથી કોઈ મદદ ન મળી, ત્યારે તેણે CM યોગી આદિત્યનાથને પત્ર લખીને ન્યાયની અપીલ કરી. હરિરામ પાલે આરોપ લગાવ્યો છે કે, તેની પત્નીને તે જ ગામના રહેવાસી 30 વર્ષીય યુવક કૃષ્ણપાલ ઝાએ લલચાવીને તેની સાથે ભગાડી ગયો હતો. હરિરામ પાલ કહે છે કે, ભગવતી લગભગ બે મહિના પહેલા અચાનક ઘરેથી ગુમ થઈ ગઈ હતી. પહેલા તો તેમને લાગ્યું કે તે કોઈ સંબંધીના ઘરે ગઈ હશે, પરંતુ જ્યારે ઘણા દિવસો સુધી તે મળી નહીં અને ઘરમાં રાખેલા પુત્રવધૂના ઘરેણા પણ ગાયબ થઈ ગયા, ત્યારે તેમને વાસ્તવિક મામલો સમજાયો.

ઘરમાં ચાર પુત્રવધૂઓ છે, જ્યારે તેમને ખબર પડી કે તેમની સાસુ તેના પ્રેમી સાથે ભાગી ગઈ છે અને તેમના ઘરેણા પણ લઈ ગઈ છે, ત્યારે તેમનો વિશ્વાસ તૂટી ગયો. પુત્રવધૂઓ કહે છે કે એક તરફ તેમને સમાજમાં બદનામીનો સામનો કરવો પડી રહ્યો છે, તો બીજી તરફ તેમની વર્ષોની ભેગી કરેલી બચત પણ ગઈ છે. એક પુત્રવધૂ કહે છે કે, અમે આ વાત પર વિશ્વાસ કરી શકતા નથી.

આ કેસમાં, જાખોરા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જે જણાવ્યું હતું કે, થોડા અઠવાડિયા પહેલા ભગવતી પોતે પોલીસ સ્ટેશન આવી હતી. તેણે પોલીસને સ્પષ્ટપણે કહ્યું હતું કે, તે હવે તેના પતિ અને તેના પરિવાર સાથે રહેવા માંગતી નથી. પોલીસના જણાવ્યા અનુસાર, મહિલા પુખ્ત વયની છે અને તેણે પોતાની મરજીથી આ નિર્ણય લીધો છે, તેથી તેમના દ્વારા કોઈ કાનૂની કાર્યવાહી કરવામાં આવી નથી. પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જે જણાવ્યું હતું કે, આ કેસમાં મહિલાએ પોતાની ઇચ્છા વ્યક્ત કરી હતી, તેથી અમે કોઈ બળજબરીથી કાર્યવાહી કરી શકતા નથી.

હરિરામ પાલ લલિતપુર પોલીસ અધિક્ષક કાર્યાલય પહોંચ્યા અને CMને સંબોધિત એક પત્ર સોંપ્યો, જેમાં તેમણે સમગ્ર કેસની તપાસ અને તેમની પત્નીને પરત લાવવાની માંગ કરી છે. તેમનું કહેવું છે કે, માત્ર પત્ની જ નહીં, પરંતુ ઘરેણાંની ચોરી પણ એક ગંભીર ગુનો છે, જેના પર પોલીસે કાર્યવાહી કરવી જોઈએ. હરિરામ કહે છે, હું વૃદ્ધ માણસ છું. હવે આ ઉંમરે ન તો કોઈ સહારો છે કે ન તો કોઈ આશા. મારી પત્નીએ જે કર્યું તેનાથી ઘર તૂટી ગયું છે. પુત્રવધૂઓ તેમના પિયરે ચાલી ગઈ છે. ઘર બરબાદ થઈ ગયું છે.

About The Author

Related Posts

Top News

હાર્વર્ડ યુનિવર્સિટીથી સંસ્કૃતમાં એવો શું લોચો લાગી ગયો કે હિન્દુ સમુદાયની માફી માંગવી પડી?

યુનાઇટેડ સ્ટેટ્સના મેસેચ્યુસેટ્સ સ્થિત કેમ્બ્રિજ સ્થિત હાર્વર્ડ યુનિવર્સિટીને એક સંસ્કૃત પોસ્ટના કારણે હિન્દૂ સમાજ સામે શરમજનક સ્થિતિમાં મૂકવું પડ્યું હતું...
Education 
હાર્વર્ડ યુનિવર્સિટીથી સંસ્કૃતમાં એવો શું લોચો લાગી ગયો કે હિન્દુ સમુદાયની માફી માંગવી પડી?

T20 વર્લ્ડ કપ વચ્ચે BCCIની મોટી જાહેરાત, ભારત આ ટીમ સામે પહેલીવાર ODI સીરિઝમાં રમશે, શેડ્યૂલ આવ્યું સામે

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે T20 વર્લ્ડ કપ 2026 દરમિયાન એક મોટી જાહેરાત કરી છે. IPL 2026 બાદ, ભારતીય ટીમ...
Sports 
T20 વર્લ્ડ કપ વચ્ચે BCCIની મોટી જાહેરાત, ભારત આ ટીમ સામે પહેલીવાર ODI સીરિઝમાં રમશે, શેડ્યૂલ આવ્યું સામે

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 04-03-2026 વાર - બુધવાર મેષ - આજે કામ કાજમાં વધારે મહેનતનો દિવસ, આવકમાં વધારો થાય, શનિદેવના દર્શન કરવાથી...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

ભારત, ઓસ્ટ્રેલિયા-કેનેડાએ બનાવ્યો નવો ટ્રાએંગલ, તેને કેમ ગેમ-ચેન્જર કહેવામાં આવી રહ્યું છે?

એક તરફ, અમેરિકા ટ્રેડ વૉર અને ભારે ટેરિફ દ્વારા પોતાની અર્થવ્યવસ્થાને સમેટી રહ્યું છે, જ્યારે બીજી તરફ, ...
National 
ભારત, ઓસ્ટ્રેલિયા-કેનેડાએ બનાવ્યો નવો ટ્રાએંગલ,  તેને કેમ ગેમ-ચેન્જર કહેવામાં આવી રહ્યું છે?

Opinion

ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને ભાજપના જયેશ રાદડિયા. આ બન્નેવ યુવા પાટીદાર નેતાઓ સૌરાષ્ટ્રના રાજકારણનું વર્તમાન અને ભવિષ્યનું કેન્દ્ર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.