બાબા રામદેવે અમદાવાદ પ્લેન ક્રૅશને લઈને આ દેશ પર સવાલ ઉઠાવ્યો

12 જૂનનો દિવસ ગુજરાત અને દેશ માટે ખૂબ અમંગળ અને અશુભ રહ્યો. આ દિવસે અમદાવાદથી લંડન જતું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું. પ્લેન ટેકઓફ કર્યાના થોડા જ સમય બાદ ક્રેશ થઈ ગયું અને તેમાં અત્યાર સુધી 270 લોકોના મોત થઈ ગયા છે. ગુજરાતે આટલી મોટી દુર્ઘટના લગભગ પહેલી વખત જોઈ હશે. હવે પ્લેનનું બ્લેક બોક્સ મળી ગયું છે ત્યારે બ્લેક બોક્સને ડીકોડ કર્યા બાદ જ વિમાન ટેકઓફ થતા જ ક્રેશ કેમ થઈ ગયું તેનું રહસ્ય ખુલશે. ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ પ્લેન ક્રેશ દુર્ઘટના બાદ પહેલી પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, બ્લેક્સ બોક્સને ડીકોડ કરવામાં આવી રહ્યું છે, તેનો રિપોર્ટ આવતા 3 મહિના લાગશે. તો હવે આ દુર્ઘટનાને લઈને યોગ ગુરુ બાબા રામદેવે આશંકા વ્યક્ત કરી છે.

ramdev1
indianexpress.com

બાબા રામદેવે એર ઇન્ડિયા અકસ્માતને લઈને સવાલ ઉઠાવ્યા છે. રામદેવે આ સવાલ તુર્કીની કંપની પર ઉઠાવ્યો. બાબા રામદેવે કહ્યું કે, મને ખબર પડી કે વિમાનનું મેન્ટેનેન્સ તુર્કીની એક એજન્સી કરે છે. કદાચ તુર્કીની કંપનીએ ભારત સાથેની પોતાની દુશ્મની તો નથી કાઢી? ભારતે એવિએશન સેક્ટર ઉપર વધુ નજર રાખવી પડશે. તેમણે આ અકસ્માતમાં તુર્કીની એજન્સીના ષડયંત્ર પર પણ આશંકા વ્યક્ત કરી. રામદેવે કહ્યું કે, ભારતે ઓછામાં ઓછા આવા સંવેદનશીલ ક્ષેત્રમાં વિદેશી હસ્તક્ષેપ ખતમ કરવો પડશે.

Ahmedabad-Plane-Crash1
ndtv.com

 

ગુરુવારે બપોરે, લંડન જઈ રહેલું બોઇંગ 787-8 ડ્રીમલાઇનર વિમાન સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ઉડાણ ભર્યાના થોડા જ સમય બાદ મેડિકલ કૉલેજ કેમ્પસમાં દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું. વિમાનમાં સવાર 242 લોકોમાંથી 241 લોકોના મોત થયા. આ દેશના સૌથી ભયાનક હવાઈ અકસ્માતોમાંથી એક છે. એર ઇન્ડિયાની માલિકી ટાટા ગ્રુપ પાસે છે. એર ઇન્ડિયા (AI)ના મેનેજિંગ ડિરેક્ટર (MD) અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) કેમ્પબેલ વિલ્સને શુક્રવારે જણાવ્યું હતું કે આ વિમાનન કંપનીનું સ્વામિત્વ રાખનાર ટાટા ગ્રુપ વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનારાઓના પરિવારોને 1-1 કરોડ રૂપિયાનું વળતર આપશે. આ વિમાન દુર્ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા લોકોની સારવારનો ખર્ચ પણ આ ગ્રુપ ઉઠાવશે.

Top News

સચિન તેંદુલકરના દીકરાની જેની સાથે સગાઈ થઈ, એ યુવતી પણ છે કરોડપતિ

ક્રિકેટના ભગવાન તરીકે પ્રખ્યાત સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરની સગાઈ થઈ ગઈ હોવાના અહેવાલ છે. અર્જુન જે છોકરી સાથે સગાઈ...
Sports 
સચિન તેંદુલકરના દીકરાની જેની સાથે સગાઈ થઈ, એ યુવતી પણ છે કરોડપતિ

અમદાવાદ દેશનું સૌથી સુરક્ષિત શહેર: વૈશ્વિક ક્રાઈમ ઇન્ડેક્સમાં ટોપ 100માં સ્થાન

અમદાવાદે યુરોપિયન સંસ્થા 'નુમ્બિયો'ના 2025ના ક્રાઈમ એન્ડ સેફ્ટી ઇન્ડેક્સ રિપોર્ટમાં ભારતના સૌથી સુરક્ષિત શહેર તરીકેનું સ્થાન મેળવ્યું છે. આ રિપોર્ટ...
National 
અમદાવાદ દેશનું સૌથી સુરક્ષિત શહેર: વૈશ્વિક ક્રાઈમ ઇન્ડેક્સમાં ટોપ 100માં સ્થાન

Ph.D સ્કોલરે રાજ્યપાલ પાસે ડિગ્રી લેવાનો ઇનકાર કરી દીધો તો ત્યાં ઉભેલા જોતા રહી ગયા!

તે દીક્ષાંત સમારોહનો પ્રસંગ હતો. એક પછી એક ડિગ્રીધારકોને ડિગ્રીઓ એનાયત કરવામાં આવી રહી હતી. રાજ્યપાલ પોતે આ ખાસ પ્રસંગે...
National 
Ph.D સ્કોલરે રાજ્યપાલ પાસે ડિગ્રી લેવાનો ઇનકાર કરી દીધો તો ત્યાં ઉભેલા જોતા રહી ગયા!

દેશી કંપની લાવાએ 5G ફોન લોન્ચ કર્યો, તમને મળશે ગૂગલ પિક્સેલ જેવી ડિઝાઇન, જાણો કિંમત

દેશી સ્માર્ટફોન કંપની લાવાએ પોતાનો નવો મોબાઇલ ફોન લોન્ચ કરી દીધો છે, જે શક્તિશાળી સુવિધાઓ સાથે આવે છે. કંપનીએ...
Tech and Auto 
દેશી કંપની લાવાએ 5G ફોન લોન્ચ કર્યો, તમને મળશે ગૂગલ પિક્સેલ જેવી ડિઝાઇન, જાણો કિંમત
Copyright (c) Khabarchhe All Rights Reserved.