અમદાવાદ પ્લેન ક્રેશ પર અમેરિકન રિપોર્ટમાં મોટો દાવો- ‘કેપ્ટને બંધ કર્યું હતું વિમાનના એન્જિનનું ફ્યૂલ

અમદાવાદમાં ક્રેશ થયેલા એર ઇન્ડિયા વિમાનના 2 પાયલટો વચ્ચેની છેલ્લી વાતચીતનું કોકપીટ રેકોર્ડિંગ એ તરફ ઈશારો કરે છે કે, ‘કેપ્ટને વિમાનના એન્જિનમાં ફ્યૂલ બંધ કરી દીધું હતું. આ જાણકારી અમેરિકન મીડિયા વૉલ સ્ટ્રીટ જર્નલ તરફથી આપવામાં આવી છે. વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલ મુજબ, બોઇંગ 787 ડ્રીમલાઇનર ઉડાવી રહેલા ફર્સ્ટ ઓફિસરે વધુ અનુભવી કેપ્ટનને પૂછ્યું કે, તેમણે રનવે પરથી ઉડાણ ભર્યાના તુરંત બાદ જ સ્વીચને કટઓફ સ્થિતિમાં કેમ કરી દીધી. રિપોર્ટ મુજબ, ફર્સ્ટ ઓફિસરે ગભરાટ બતાવ્યો, જ્યારે કેપ્ટન શાંત રહ્યો.

વિમાન દુર્ઘટનામાં કેપ્ટન સુમિત સભરવાલ અને ફર્સ્ટ ઓફિસર ક્લાઇવ કુંદરનો પણ જીવ ગયો, જેમને કુલ 15,638 કલાક અને 3,403 કલાક ઉડાણનો અનુભવ હતો. વૉલ સ્ટ્રીટ જર્નલે એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યૂરો (AAIB)ના પ્રાથમિક અહેવાલના સંદર્ભ આપ્યો, જેમાં બતાવવામાં આવ્યું છે કે બંને એન્જિનના ફ્યૂલ કટઓફ સ્વીચ ઉડાણ ભર્યાની થોડી જ ક્ષણો એક બાદ એક કટઓફ પોઝિશન પર પહોંચી ગઈ હતી. રિપોર્ટ મુજબ, ઉડાણ ભરવા અને દુર્ઘટના વચ્ચેનો સમય માત્ર 32 સેકન્ડ હતો.

Ahmedabad-plane-crash1
indiatoday.in

વૉલ સ્ટ્રીટ જર્નલે આ બાબતથી પરિચિતો, અમેરિકન પાઇલટો અને તપાસ પર નજર રાખી રહેલા સુરક્ષા વિશેષજ્ઞોના સંદર્ભે જણાવ્યું છે કે પ્રાથમિક અહેવાલમાં આપવામાં આવેલી વિગતોથી જાણવા મળે છે કે કેપ્ટને જ સ્વીચ બંધ કરી હતી. તેમાં આગળ કહેવામાં આવ્યું છે કે, રિપોર્ટમાં એ બતાવવામાં આવ્યું નથી કે સ્વીચ બંધ કરવાનું ભૂલથી થયું કે જાણીજોઇને કરવામાં આવ્યું.

ફેડરેશન ઓફ ઇન્ડિયન પાઇલટ્સ (FIP)ના અધ્યક્ષ સી.એસ. રંધાવાએ ગુરુવારે વૉલ સ્ટ્રીટ જર્નલના પાયાવિહોણા રિપોર્ટની આકરી નિંદા કરી અને કાર્યવાહીની પણ વાત કહી. રંધાવાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે AAIBના પ્રાથમિક અહેવાલમાં પાયલટો દ્વારા એન્જિનમાં ઈંધણ પ્રવાહને નિયંત્રિત કરનારી સ્વીચ બંધ કરવાનો કોઈ ઉલ્લેખ નથી. અંતિમ રિપોર્ટ આવે તે અગાઉ લોકોએ કોઈ નિષ્કર્ષ ન કાઢવો જોઈએ.

Ahmedabad-plane-crash
financialexpress.com

તો નાગરિક ઉડ્ડયન મંત્રી કિંજરાપુ રામ મોહન નાયડુએ ગયા અઠવાડિયે કહ્યું હતું કે, રિપોર્ટ માત્ર પ્રાથમિક તારણો પર આધારિત છે અને અંતિમ રિપોર્ટ જાહેર થવા સુધી કોઈ પણ પ્રકારના અંતિમ નિષ્કર્ષ પર પહોંચવું ન જોઈએ.

About The Author

Related Posts

Top News

'જન ગન મન'ને રાષ્ટ્રગાન અને 'વન્દે માતરમ્'ને રાષ્ટ્રગીતનો દરજ્જો કંઈ રીતે અપાયો

વંદે માતરમના 150 વર્ષ પૂરા થવાના પ્રસંગે સંસદભવનમાં ચર્ચા થઈ રહી છે, ત્યારે સૌ કોઈ તેમના ઈતિહાસ વિશે જાણવા ઈચ્છતા...
National 
'જન ગન મન'ને રાષ્ટ્રગાન અને 'વન્દે માતરમ્'ને રાષ્ટ્રગીતનો દરજ્જો કંઈ રીતે અપાયો

સોનુ સૂદ અને ખલીને કાનપુર પોલીસે નોટિસ મોકલી, 1500 કરોડનો મામલો છે

કાનપુરના રૂ. 1,500 કરોડના કાનપુર છેતરપિંડીના કેસમાં અભિનેતા સોનુ સૂદ અને કુસ્તીબાજ ધ ગ્રેટ ખલીનું નામ માસ્ટરમાઇન્ડ રવિન્દ્રનાથ સોનીના છેતરપિંડીના...
National 
સોનુ સૂદ અને ખલીને કાનપુર પોલીસે નોટિસ મોકલી, 1500 કરોડનો મામલો છે

રાજકોટઃ ચકડોળમાં 100 ફૂટ ઊંચાઈએ લોકો બેઠા હતા અને રાઇડ બંધ કરીને જતો રહ્યો ઓપરેટર

રાજકોટ મહાનગર પાલિકા સંચાલિત રાઈડ્સમાં ફરી એકવાર ગંભીર બેદરકારીનો મામલો સામે આવ્યો છે, જેના કારણે લોકોના જીવ જોખમમાં મુકાયા...
Gujarat 
રાજકોટઃ ચકડોળમાં 100 ફૂટ ઊંચાઈએ લોકો બેઠા હતા અને રાઇડ બંધ કરીને જતો રહ્યો ઓપરેટર

જિગ્નેશ મેવાણીએ PM મોદી વિરુદ્ધ આપેલા નિવેદન બાદ મોદી સમાજમાં રોષ, અમદાવાદમાં...

વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ વડનગરમાં યોજાયેલી જાહેર સભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ અપમાનજનક ભાષાનો ઉપયોગ કર્યો હતો. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર...
Gujarat 
જિગ્નેશ મેવાણીએ PM મોદી વિરુદ્ધ આપેલા નિવેદન બાદ મોદી સમાજમાં રોષ, અમદાવાદમાં...
Copyright (c) Khabarchhe All Rights Reserved.