અમદાવાદ પ્લેન ક્રેશ પર અમેરિકન રિપોર્ટમાં મોટો દાવો- ‘કેપ્ટને બંધ કર્યું હતું વિમાનના એન્જિનનું ફ્યૂલ

અમદાવાદમાં ક્રેશ થયેલા એર ઇન્ડિયા વિમાનના 2 પાયલટો વચ્ચેની છેલ્લી વાતચીતનું કોકપીટ રેકોર્ડિંગ એ તરફ ઈશારો કરે છે કે, ‘કેપ્ટને વિમાનના એન્જિનમાં ફ્યૂલ બંધ કરી દીધું હતું. આ જાણકારી અમેરિકન મીડિયા વૉલ સ્ટ્રીટ જર્નલ તરફથી આપવામાં આવી છે. વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલ મુજબ, બોઇંગ 787 ડ્રીમલાઇનર ઉડાવી રહેલા ફર્સ્ટ ઓફિસરે વધુ અનુભવી કેપ્ટનને પૂછ્યું કે, તેમણે રનવે પરથી ઉડાણ ભર્યાના તુરંત બાદ જ સ્વીચને કટઓફ સ્થિતિમાં કેમ કરી દીધી. રિપોર્ટ મુજબ, ફર્સ્ટ ઓફિસરે ગભરાટ બતાવ્યો, જ્યારે કેપ્ટન શાંત રહ્યો.

વિમાન દુર્ઘટનામાં કેપ્ટન સુમિત સભરવાલ અને ફર્સ્ટ ઓફિસર ક્લાઇવ કુંદરનો પણ જીવ ગયો, જેમને કુલ 15,638 કલાક અને 3,403 કલાક ઉડાણનો અનુભવ હતો. વૉલ સ્ટ્રીટ જર્નલે એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યૂરો (AAIB)ના પ્રાથમિક અહેવાલના સંદર્ભ આપ્યો, જેમાં બતાવવામાં આવ્યું છે કે બંને એન્જિનના ફ્યૂલ કટઓફ સ્વીચ ઉડાણ ભર્યાની થોડી જ ક્ષણો એક બાદ એક કટઓફ પોઝિશન પર પહોંચી ગઈ હતી. રિપોર્ટ મુજબ, ઉડાણ ભરવા અને દુર્ઘટના વચ્ચેનો સમય માત્ર 32 સેકન્ડ હતો.

Ahmedabad-plane-crash1
indiatoday.in

વૉલ સ્ટ્રીટ જર્નલે આ બાબતથી પરિચિતો, અમેરિકન પાઇલટો અને તપાસ પર નજર રાખી રહેલા સુરક્ષા વિશેષજ્ઞોના સંદર્ભે જણાવ્યું છે કે પ્રાથમિક અહેવાલમાં આપવામાં આવેલી વિગતોથી જાણવા મળે છે કે કેપ્ટને જ સ્વીચ બંધ કરી હતી. તેમાં આગળ કહેવામાં આવ્યું છે કે, રિપોર્ટમાં એ બતાવવામાં આવ્યું નથી કે સ્વીચ બંધ કરવાનું ભૂલથી થયું કે જાણીજોઇને કરવામાં આવ્યું.

ફેડરેશન ઓફ ઇન્ડિયન પાઇલટ્સ (FIP)ના અધ્યક્ષ સી.એસ. રંધાવાએ ગુરુવારે વૉલ સ્ટ્રીટ જર્નલના પાયાવિહોણા રિપોર્ટની આકરી નિંદા કરી અને કાર્યવાહીની પણ વાત કહી. રંધાવાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે AAIBના પ્રાથમિક અહેવાલમાં પાયલટો દ્વારા એન્જિનમાં ઈંધણ પ્રવાહને નિયંત્રિત કરનારી સ્વીચ બંધ કરવાનો કોઈ ઉલ્લેખ નથી. અંતિમ રિપોર્ટ આવે તે અગાઉ લોકોએ કોઈ નિષ્કર્ષ ન કાઢવો જોઈએ.

Ahmedabad-plane-crash
financialexpress.com

તો નાગરિક ઉડ્ડયન મંત્રી કિંજરાપુ રામ મોહન નાયડુએ ગયા અઠવાડિયે કહ્યું હતું કે, રિપોર્ટ માત્ર પ્રાથમિક તારણો પર આધારિત છે અને અંતિમ રિપોર્ટ જાહેર થવા સુધી કોઈ પણ પ્રકારના અંતિમ નિષ્કર્ષ પર પહોંચવું ન જોઈએ.

About The Author

Related Posts

Top News

શું ભાજપ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ પાટીદાર આંદોલન વધુ ભડકાવ્યું હતું? આનંદીબેન પટેલ પર લખાયેલ પુસ્તક ‘ચૂનૌતિયાં મુઝે પસંદ હૈ’માં થયો મોટો ઘટસ્ફોટ

ઑગસ્ટ 2015માં પાટીદાર અનામત આંદોલન થયું હતું.  આ આંદોલન ગુજરાતમાં પાટીદારસમુદાય દ્વારા અન્ય પછાત વર્ગ (OBC) નો દરજ્જો અને...
Gujarat 
શું ભાજપ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ પાટીદાર આંદોલન વધુ ભડકાવ્યું હતું? આનંદીબેન પટેલ પર લખાયેલ પુસ્તક ‘ચૂનૌતિયાં મુઝે પસંદ હૈ’માં થયો મોટો ઘટસ્ફોટ

સુરત નવી સિવિલ હોસ્પિટલે વધુ 1 મૃતદેહનું સફળતાપૂર્વક એમ્બાલ્મિંગ કરાયું: હવાઈ માર્ગે જૌનપુર મોકલાયો

માહિતી બ્યુરો:સુરત:શુક્રવાર: નવી સિવિલ હોસ્પિટલના ફોરેન્સિક મેડિસિન વિભાગ દ્વારા ઉત્તર પ્રદેશના વતની એવા મૃતકની અંતિમવિધિ તેમના વતનમાં થઈ શકે તે...
Gujarat 
સુરત નવી સિવિલ હોસ્પિટલે વધુ 1 મૃતદેહનું સફળતાપૂર્વક એમ્બાલ્મિંગ કરાયું: હવાઈ માર્ગે જૌનપુર મોકલાયો

ભારતમાં 8 કરોડથી વધુ યુવાનો બેરોજગાર, અભ્યાસ પૂરો થયો-નોકરી નથી, નીતિ આયોગનો રિપોર્ટ

NITI આયોગના એક નવા અહેવાલમાં ચિંતાજનક ખુલાસો થયો છે. ભારતમાં 15 થી 29 વર્ષની વયના આશરે 87 મિલિયન યુવાનો ન...
National 
ભારતમાં 8 કરોડથી વધુ યુવાનો બેરોજગાર, અભ્યાસ પૂરો થયો-નોકરી નથી, નીતિ આયોગનો રિપોર્ટ

સરકારે જણાવ્યા ખાંડની કિંમત વધવાના કારણો

છેલ્લા કેટલાક અઠવાડિયામાં ખાંડના ભાવમાં તીવ્ર ઉછાળો જોવા મળ્યો છે. જોકે, કેન્દ્ર સરકારે શુક્રવારે સ્પષ્ટતા કરી હતી કે ભાવવધારા...
Business 
સરકારે જણાવ્યા ખાંડની કિંમત વધવાના કારણો

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.