રાજકોટઃ ચકડોળમાં 100 ફૂટ ઊંચાઈએ લોકો બેઠા હતા અને રાઇડ બંધ કરીને જતો રહ્યો ઓપરેટર

રાજકોટ મહાનગર પાલિકા સંચાલિત રાઈડ્સમાં ફરી એકવાર ગંભીર બેદરકારીનો મામલો સામે આવ્યો છે, જેના કારણે લોકોના જીવ જોખમમાં મુકાયા હતા. રાજકોટના અટલ સરોવર ખાતે આનંદ-પ્રમોદ કરવા આવેલા લોકો માટે રાઈડની મજા સજા સમાન બની ગઈ હતી જ્યારે એક ચકડોળ ઓપરેટર ચાલુ રાઈડ બંધ કરીને જતો રહ્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર, અટલ સરોવરના ચકડોળમાં 4 લોકોનો પરિવાર બેઠો હતો. ચકડોળ 100 ફૂટ ઊંચાઈ ઉપર હતું અને ઓપરેટર ભૂલી ગયો કે અંદર કોઈ બેઠું છે અને તે ચકડોળ બંધ કરીને જતો રહ્યો. રાતના 10:30 વાગ્યે 4 લોકો અડધા કલાકથી વધુ સમય સુધી હવામાં જ લટકતા રહ્યા. તેમણે બૂમો પાડીને હાજર વોચમેનને આ અંગે જાણ કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેમનો અવાજ પણ નીચે જતો નહોતો. જે બાદ આ લોકોએ પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી.

rajkot
gujaratsamachar.com

ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી. સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ આ ઘટનાએ મનપાના સંચાલન પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. આ કિસ્સો ધ્યાને આવ્યા બાદ લોકોએ પણ આ અંગે હોબાળો કર્યો હતો. જેના કારણે ચકડોળ ઓપરેટરને તાત્કાલિક નોકરીમાંથી કાઢી મૂકાયો છે. આ ગંભીર બેદરકારીની ઘટના બાદ ઓપરેટરને તાત્કાલિક નોકરીમાંથી કાઢી મૂકાયો છે.

ચકડોળમાં ફસાયેલા એક વ્યક્તિએ પોતાની આપવીતી જણાવતા કહ્યું હતું કે, ‘અમને ઉપર ચકડોળમાં ચઢાવ્યા અને પછી તેમનું કહેવું છે અમે ભૂલી ગયા. અમને ઉપર પહોંચાડ્યા બાદ વ્હીલ બંધ કરી દીધું અને પછી તે લોકો ભૂલી ગયા કે અમને ઉપર બેસાડ્યા છે. અમે 10 મિનિટ રાહ જોઈ કે નીચેથી કોઈ ચઢતું હશે એટલે અમે રાહ જોઈ. અડધો કલાક થયો, ચાલીસ મિનિટ થઈ પછી અમે બૂમાબૂમ કરી. અમે ઉપરથી બૂમ પાડી પણ નીચે વોચમેનને કઈ સંભળાતું નહોતું. રાઇડ્સવાળા ત્યારે કોઈ હાજર નહોતું, એ લોકો બધા જતા રહ્યા હતા. તેણે કહ્યું કે, રાઈડની નીચે ઉભેલા વોચમેનનું કહેવું છે કે, અંદર કોઈ મેઇન્ટેનન્સ ક્રૂ હશે. અમે ચાર લોકો હતા. હું, મારા સાસુ, મારી પત્ની અને મારો દીકરો. પછી મેં ફાયરને ફોન કર્યો અને પોલીસને ફોન કર્યો. તેમણે આવીને અમને નીચે ઉતાર્યા.

rajkot
gujaratfirst.com

તંત્રએ તાત્કાલિક પગલાં લેતા જવાબદાર ઓપરેટરને નોકરીમાંથી બરતરફ કરવામાં આવ્યો છે. જોકે, માત્ર ઓપરેટરને છૂટો કરવાથી સમસ્યાનો ઉકેલ આવશે કે નહીં તે મોટો સવાલ છે. હાલ શહેરીજનોમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે કે રાઈડ્સનું સંચાલન કરતા કોન્ટ્રાક્ટર સામે તંત્ર દ્વારા કેવા કડક પગલાં લેવામાં આવશે? શું લોકોની સુરક્ષા સાથે ચેડાં કરનાર એજન્સી સામે કોઈ ફોજદારી કાર્યવાહી થશે કે કેમ તે જોવું રહ્યું.

About The Author

Related Posts

Top News

ડોક્ટર પ્રેમી પહેલાથી જ પરિણીત છે; પ્રેમિકાને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તેણે તેનું ગુપ્તાંગ કાપી નાખ્યું!

દિલ્હીના વઝીરાબાદમાં એક મહિલાએ તેના પ્રેમી, 22 વર્ષીય નકલી ડોક્ટર વિસરજીતના ગુપ્તાંગ પર હુમલો કર્યો હોવાનો આરોપ છે. મહિલાને...
National 
ડોક્ટર પ્રેમી પહેલાથી જ પરિણીત છે; પ્રેમિકાને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તેણે તેનું ગુપ્તાંગ કાપી નાખ્યું!

ઈરાન યુદ્ધ પર બ્રિટિશ PM સ્ટાર્મરના નિર્ણયથી ટ્રમ્પ ગુસ્સામાં, કહ્યું- 'આવું ક્યારેય બન્યું નથી...'

ઈરાન સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે, US પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બ્રિટિશ PM કીર સ્ટોર્મર પ્રત્યે ખુબ ગુસ્સો વ્યક્ત કર્યો...
World 
ઈરાન યુદ્ધ પર બ્રિટિશ PM સ્ટાર્મરના નિર્ણયથી ટ્રમ્પ ગુસ્સામાં, કહ્યું- 'આવું ક્યારેય બન્યું નથી...'

ઈરાનમાં 555 લોકોએ જીવ ગુમાવ્યા, ઈરાને ટ્રમ્પ સાથે વાત કરવાની ના પાડી દીધી

મધ્ય પૂર્વમાં સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે. ઈરાન, સાઉદી અરેબિયા, કુવૈત અને સાયપ્રસ સહિતના દેશો અત્યારે યુદ્ધની...
World 
ઈરાનમાં 555 લોકોએ જીવ ગુમાવ્યા, ઈરાને ટ્રમ્પ સાથે વાત કરવાની ના પાડી દીધી

કોચ ગંભીરે કોના પર કર્યો કટાક્ષ? તિલક અને દુબેના બહાને છલકાઇ ઉઠ્યું વર્ષો જૂનું દર્દ

ભારતીય ક્રિકેટ ટીમે રવિવારે કોલકાતામાં રમાયેલી T20 વર્લ્ડ કપની કરો યા મરો સુપર-8 મેચમાં વેસ્ટ ઇન્ડીઝને 5 વિકેટથી કચડી...
Sports 
કોચ ગંભીરે કોના પર કર્યો કટાક્ષ? તિલક અને દુબેના બહાને છલકાઇ ઉઠ્યું વર્ષો જૂનું દર્દ

Opinion

ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને ભાજપના જયેશ રાદડિયા. આ બન્નેવ યુવા પાટીદાર નેતાઓ સૌરાષ્ટ્રના રાજકારણનું વર્તમાન અને ભવિષ્યનું કેન્દ્ર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.