‘હિન્દુ નહીં રહે તો દુનિયા નહીં રહે....’, મણિપુરમાં મોહન ભાગવતે આવું શા માટે કહ્યું?

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના પ્રમુખ મોહન ભાગવત મણિપુરની મુલાકાતે છે. શુક્રવારે પોતાના સંબોધનમાં તેમણે સભ્યતા, સમાજ અને રાષ્ટ્રની શક્તિનો ઉલ્લેખ કર્યો. આ દરમિયાન મોહન ભાગવતે કહ્યું કે આપણે સમાજનું એક બેઝિક નેટવર્ક બનાવ્યું છે અને તેના કારણે હિન્દુ સમાજ રહેશે. જો હિન્દુઓ નહીં રહે તો દુનિયા નહીં રહે. દરેક વ્યક્તિએ પરિસ્થિતિઓનો વિચાર કરવો પડે છે. પરિસ્થિતિઓ આવે છે અને જાય છે. વિશ્વના બધા દેશો પર વિવિધ પરિસ્થિતિઓ આવી અને ગઈ. તેમાં કેટલાક દેશો નષ્ટ થઈ ગયા. ગ્રીસ, ઇજિપ્ત અને રોમ બધા મટી ગયા, પરંતુ કંઈક વાત છે કે આપણું અસ્તિત્વ અખંડ છે.

Mohan-Bhagwat2
thehindu.com

તેમણે કહ્યું કે, ‘ભારત એક અમર સમાજ, અમર સભ્યતાનું નામ છે. બાકી બધા આવ્યા, ચમક્યા અને જતા રહ્યા. પરંતુ આપણે તે બધાના ઉદય અને પતન જોયા છે. આપણે હજુ પણ અસ્તિત્વમાં છીએ અને અસ્તિત્વમાં રહીશું કારણ કે આપણે સમાજનું એક બેઝિક નેટવર્ક બનાવ્યું છે. તેના કારણે, હિન્દુ સમાજ રહેશે. જો હિન્દુઓ અસ્તિત્વમાં નહીં રહે, તો દુનિયા નહીં. કારણ કે હિન્દુ સમાજ જ સમય સમય પર વિશ્વને ધર્મનો સાચો અર્થ અને માર્ગદર્શન પૂરું પાડે છે. આ આપણી ભગવાન દ્વારા આપવામાં આવેલી ફરજ છે.

ભાગવતે કહ્યું કે, દરેક સમસ્યાનો અંત સંભાવ છે.બ્રિટિશ સામ્રાજ્યનો સૂર્ય ક્યારેય આથમ્યો નહીં. પરંતુ ભારતમાં તેના સૂર્યાસ્તની શરૂઆત થઈ. તેના માટે આપણે 90 વર્ષ સુધી પ્રયાસ કર્યા. 1857 થી 1947 સુધી, આપણે બધા આટલા લાંબા સમય સુધી સ્વતંત્રતા માટે લડ્યા. આપણે ક્યારેય તે અવાજને દબાવા ન દીધો. ક્યારેક ઓછો થઇ ગયો, ક્યારેક વધી ગયો, પરંતુ ક્યારેય દબાવા ન દીધો.

Mohan-Bhagwat
hindustantimes.com

તેમણે આત્મનિર્ભર અર્થતંત્ર પર ભાર મૂકતા કહ્યું કે દેશ એવો હોવો જોઈએ, જે કોઈ પર નિર્ભર ન રહે. આપણી અર્થવ્યવસ્થા સંપૂર્ણપણે આત્મનિર્ભર હોવી જોઈએ. આપણે કોઈના પર નિર્ભર ન હોવા જોઈએ. આપણી પાસે આર્થિક ક્ષમતા, લશ્કરી ક્ષમતા અને જ્ઞાન ક્ષમતા હોવી જોઈએ. તે વધાવી જોઈએ. આપણું લક્ષ્ય હોવું જોઈએ કે, દેશ સુરક્ષિત રહે, સમૃદ્ધ રહે અને કોઈ પણ નાગરિક દુઃખી, ગરીબ કે બેરોજગાર ન રહે. બધા લોકો દેશ માટે કામ કરે અને સુખી જીવન જીવે.

About The Author

Top News

કુંવરજી બાવળિયા કોળી સમાજના સંગઠનને તોડનારાઓ સામે લાલઘૂમ, બોલ્યા- રમત કરનારાઓને...

રવિવારે સુરત ખાતે અખિલ ભારતીય કોળી સમાજની એક અત્યંત મહત્ત્વપૂર્ણપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં સમાજના અગ્રણી નેતા...
Gujarat 
કુંવરજી બાવળિયા કોળી સમાજના સંગઠનને તોડનારાઓ સામે લાલઘૂમ, બોલ્યા- રમત કરનારાઓને...

અનિલ અંબાણીએ ચીનની 3 મોટી બેંકોને પણ નવડાવી દીધી છે

અનિલ અંબાણીની મુશ્કેલીઓ ઓછુ થવાનું નામ નથી લેતી. બેંક ઓફ બરોડાએ અનિલ અંબાણી અને તેની કંપની રિલાયન્સ કોમ્યુનિકેશન સામે નવો...
Business 
અનિલ અંબાણીએ ચીનની 3 મોટી બેંકોને પણ નવડાવી દીધી છે

રાજકોટ મહાનગર પાલિકા આર્કિટેક્ટો પર મહેરબાન, 20 સામે ફરિયાદ,પણ..

રાજકોટમાં TRP જેમ ઝોનની ઘટના પછી મહાનગર પાલિકાના ટાઉન પ્લાનીંગ વિભાગે રાજકોટમાં  3 હજારથી વધુ ગેરકાયદે બંધકામો શોધી નાંખ્યા હતા....
Gujarat 
રાજકોટ મહાનગર પાલિકા આર્કિટેક્ટો પર મહેરબાન, 20 સામે ફરિયાદ,પણ..

T20 વર્લ્ડ કપ સેમીફાઇનલ કોણ જીતશે? ભારત કે ઇંગ્લેન્ડ...; શું કહે છે બંને ટીમના રેકોર્ડ

ટીમ ઇન્ડિયાએ 2026 T20 વર્લ્ડ કપના સેમીફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. રવિવારે વેસ્ટ ઇન્ડીઝને 5 વિકેટથી હરાવીને સેમીફાઇનલમાં પોતાનું સ્થાન સુરક્ષિત...
Sports 
T20 વર્લ્ડ કપ સેમીફાઇનલ કોણ જીતશે? ભારત કે ઇંગ્લેન્ડ...; શું કહે છે બંને ટીમના રેકોર્ડ

Opinion

ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને ભાજપના જયેશ રાદડિયા. આ બન્નેવ યુવા પાટીદાર નેતાઓ સૌરાષ્ટ્રના રાજકારણનું વર્તમાન અને ભવિષ્યનું કેન્દ્ર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.