આવી ગયો ભારતનો ઇ-પાસપોર્ટ, જૂના પાસપોર્ટવાળાઓનું શું થશે?

ભારત તેની પાસપોર્ટ સિસ્ટમમાં અપગ્રેડના ભાગ રૂપે આગામી પેઢીના ઈ-પાસપોર્ટ રજૂ કરી રહ્યું છે. આ પાસપોર્ટ અત્યાધુનિક સુરક્ષા સુવિધાઓથી સજ્જ હશે, જેમાં ઇન્ટરલોકિંગ માઇક્રોલેટર્સ, રીલિફ ટિન્ટ્સ અને RFID ચિપનો સમાવેશ થશે. આ ચિપમાં એન્ક્રિપ્ટેડ બાયોમેટ્રિક ડેટા અને અન્ય માહિતી હશે. રોલઆઉટ હેઠળ, બધા નવા પાસપોર્ટ ઇ-પાસપોર્ટ હશે. હાલના નોન-ઇલેક્ટ્રોનિક પાસપોર્ટ એક્સપાયર ડેટ સુધી માન્ય રહેશે. સરકાર જૂન 2025 સુધીમાં પૂરી રીતે ઇ-પાસપોર્ટમાં ટ્રંઝિટ કરવાની યોજના ધરાવે છે.

બધા ઇ-પાસપોર્ટ રેડિયો ફ્રીક્વન્સી આઇડેન્ટિફિકેશન ચિપ અને એન્ટેનાથી સજ્જ આવશે. તેમાં યુઝર્સનું બાયોમેટ્રિક્સ અને વ્યક્તિગત ડેટાને એન્ક્રિપ્શન સાથે સ્ટોર હશે. તેમાં યુઝર્સની તસવીર અને ફિંગરપ્રિન્ટ જેવી વિગતો સ્ટોર હશે. કોન્ટેક્ટલેસ ડેટા રીડિંગ ક્ષમતાઓ ઇમિગ્રેશન કાઉન્ટર પર વેરિફિકેશનબુ પ્રક્રિયા તેજ થશે.

e-passports
indiatoday.in

સાથે જ ફ્રોડ અને ટેમ્પરિંગ પણ ઘટાડો આવશે. અત્યાર સુધી વિદેશ મંત્રાલયે ભારતમાં 80 લાખથી વધુ ઇ-પાસપોર્ટ જાહેર કર્યા છે. જ્યારે વિદેશમાં સ્થિત ભારતીય મિશનના માધ્યમથી 60,000 થી વધુ ઈ-પાસપોર્ટ જાહેર કરવામાં આવ્યા છે.

વિદેશ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે નવી સિસ્ટમને કારણે પાસપોર્ટ ફ્રોડ ઘટશે અને એક જ વ્યક્તિ પાસે વધુ પાસપોર્ટ હોય તેવા કિસ્સાઓને રોકી શકાશે. જો કોઈ પાસે પહેલાથી જ પાસપોર્ટ હોય, તો હાલની સિસ્ટમ તરત જ તેને ડિટેક્ટ કરી લેશે.

sangai festival
liamtra.com

મે 2025માં શરૂ થયેલા પાસપોર્ટ સેવા પ્રોગ્રામ વર્ઝન 2.0 (PSP V2.0) હેઠળ 37 રિજનલ પાસપોર્ટ ઓફિસો, 93 પાસપોર્ટ સેવા કેન્દ્રો અને 451 પોસ્ટ ઓફિસ પાસપોર્ટ સેવા કેન્દ્રો હવે કાર્યરત છે. આ પ્રોગ્રામનું વૈશ્વિક વર્ઝન, GPSP V2.0ને 28 ઓક્ટોબર, 2025ના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું.

આ સિસ્ટમને કારણે લોકોને વધુ સારો પાસપોર્ટ અનુભવ મળશે. નવી સિસ્ટમ AI ચેટબોટ અને વોઇસ બોટ એપ્લિકેશન સાથે આવશે. સાઋ સુરક્ષા માટે AIનો ઉપયોગ કરવામાં આવશે. આ સિસ્ટમને DigiLocker, Aadhaar અને PAN સાથે ડૉક્યુમેન્ટ વેરિફિકેશન માટે સંકલિત કરી શકાશે.

About The Author

Related Posts

Top News

ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?

આમ આદમી પાર્ટીના વિસાવદર વિધાનસભાના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા ગુજરાતના રાજકારણમાં તેમની આક્રમક, તાર્કિક અને ક્યારેક વધુપડતી તીખી ભાષા માટે જાણીતા...
Opinion 
ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?

રોકડ સંકટને પહોંચી વળવા RBI 2 લાખ કરોડ રૂપિયા સિસ્ટમમાં નાખીને બજારને રાહત આપવાની તૈયારીમાં

ભારતીય રિઝર્વ બેન્ક (RBI)એ બેન્કિંગ સિસ્ટમમાં રોકડની અછતને પહોંચી વળવા માટે એક મોટું પગલું ભર્યું છે. કેન્દ્રીય બેન્કે...
Business 
રોકડ સંકટને પહોંચી વળવા RBI 2 લાખ કરોડ રૂપિયા સિસ્ટમમાં નાખીને બજારને રાહત આપવાની તૈયારીમાં

બાંગ્લાદેશના T20 વર્લ્ડ કપ બોયકૉટથી ભારતને કેટલું થશે નુકસાન?

બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB)એ સ્પષ્ટ કરી દીધું છે કે, તે ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026 માટે...
Sports 
બાંગ્લાદેશના T20 વર્લ્ડ કપ બોયકૉટથી ભારતને કેટલું થશે નુકસાન?

2 લોકોએ 2.89 કરોડનું સોનું એવી રીતે છુપાવ્યું કે DRIની ટીમ પણ હેરાન રહી ગઈ

મુંબઈ એરપોર્ટ હાલના દિવસોમાંમાં ‘તસ્કરી’ વેબ સીરિઝને કારણે ચર્ચામાં છે. આ વેબ સીરિઝમાં બતાવવામાં આવ્યું છે કે,...
National 
2 લોકોએ 2.89 કરોડનું સોનું એવી રીતે છુપાવ્યું કે DRIની ટીમ પણ હેરાન રહી ગઈ

Opinion

ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે? ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
આમ આદમી પાર્ટીના વિસાવદર વિધાનસભાના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા ગુજરાતના રાજકારણમાં તેમની આક્રમક, તાર્કિક અને ક્યારેક વધુપડતી તીખી ભાષા માટે જાણીતા...
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
રામ મંદિર એક વિચારની પુનઃસ્થાપના છે જ્યાં શાસન નહીં પણ સેવા સર્વોપરી છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.