- National
- આવી ગયો ભારતનો ઇ-પાસપોર્ટ, જૂના પાસપોર્ટવાળાઓનું શું થશે?
આવી ગયો ભારતનો ઇ-પાસપોર્ટ, જૂના પાસપોર્ટવાળાઓનું શું થશે?
ભારત તેની પાસપોર્ટ સિસ્ટમમાં અપગ્રેડના ભાગ રૂપે આગામી પેઢીના ઈ-પાસપોર્ટ રજૂ કરી રહ્યું છે. આ પાસપોર્ટ અત્યાધુનિક સુરક્ષા સુવિધાઓથી સજ્જ હશે, જેમાં ઇન્ટરલોકિંગ માઇક્રોલેટર્સ, રીલિફ ટિન્ટ્સ અને RFID ચિપનો સમાવેશ થશે. આ ચિપમાં એન્ક્રિપ્ટેડ બાયોમેટ્રિક ડેટા અને અન્ય માહિતી હશે. રોલઆઉટ હેઠળ, બધા નવા પાસપોર્ટ ઇ-પાસપોર્ટ હશે. હાલના નોન-ઇલેક્ટ્રોનિક પાસપોર્ટ એક્સપાયર ડેટ સુધી માન્ય રહેશે. સરકાર જૂન 2025 સુધીમાં પૂરી રીતે ઇ-પાસપોર્ટમાં ટ્રંઝિટ કરવાની યોજના ધરાવે છે.
બધા ઇ-પાસપોર્ટ રેડિયો ફ્રીક્વન્સી આઇડેન્ટિફિકેશન ચિપ અને એન્ટેનાથી સજ્જ આવશે. તેમાં યુઝર્સનું બાયોમેટ્રિક્સ અને વ્યક્તિગત ડેટાને એન્ક્રિપ્શન સાથે સ્ટોર હશે. તેમાં યુઝર્સની તસવીર અને ફિંગરપ્રિન્ટ જેવી વિગતો સ્ટોર હશે. કોન્ટેક્ટલેસ ડેટા રીડિંગ ક્ષમતાઓ ઇમિગ્રેશન કાઉન્ટર પર વેરિફિકેશનબુ પ્રક્રિયા તેજ થશે.
સાથે જ ફ્રોડ અને ટેમ્પરિંગ પણ ઘટાડો આવશે. અત્યાર સુધી વિદેશ મંત્રાલયે ભારતમાં 80 લાખથી વધુ ઇ-પાસપોર્ટ જાહેર કર્યા છે. જ્યારે વિદેશમાં સ્થિત ભારતીય મિશનના માધ્યમથી 60,000 થી વધુ ઈ-પાસપોર્ટ જાહેર કરવામાં આવ્યા છે.
વિદેશ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે નવી સિસ્ટમને કારણે પાસપોર્ટ ફ્રોડ ઘટશે અને એક જ વ્યક્તિ પાસે વધુ પાસપોર્ટ હોય તેવા કિસ્સાઓને રોકી શકાશે. જો કોઈ પાસે પહેલાથી જ પાસપોર્ટ હોય, તો હાલની સિસ્ટમ તરત જ તેને ડિટેક્ટ કરી લેશે.
મે 2025માં શરૂ થયેલા પાસપોર્ટ સેવા પ્રોગ્રામ વર્ઝન 2.0 (PSP V2.0) હેઠળ 37 રિજનલ પાસપોર્ટ ઓફિસો, 93 પાસપોર્ટ સેવા કેન્દ્રો અને 451 પોસ્ટ ઓફિસ પાસપોર્ટ સેવા કેન્દ્રો હવે કાર્યરત છે. આ પ્રોગ્રામનું વૈશ્વિક વર્ઝન, GPSP V2.0ને 28 ઓક્ટોબર, 2025ના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું.
આ સિસ્ટમને કારણે લોકોને વધુ સારો પાસપોર્ટ અનુભવ મળશે. નવી સિસ્ટમ AI ચેટબોટ અને વોઇસ બોટ એપ્લિકેશન સાથે આવશે. સાઋ સુરક્ષા માટે AIનો ઉપયોગ કરવામાં આવશે. આ સિસ્ટમને DigiLocker, Aadhaar અને PAN સાથે ડૉક્યુમેન્ટ વેરિફિકેશન માટે સંકલિત કરી શકાશે.

