શ્રીલંકાએ પાકિસ્તાનને 17 વર્ષ પહેલા બનેલા બનાવની યાદ અપાવી... શું ભારત સાથે મેચ રમાશે?

2026 T20 વર્લ્ડ કપમાં સૌથી ચર્ચિત અને ખૂબ જ અપેક્ષિત મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે છે, જેના કારણે ક્રિકેટ જગતમાં ઉત્તેજના અને સસ્પેન્સનું વાતાવરણ સર્જાયું છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ હજુ સુધી ટીમને 15 ફેબ્રુઆરીએ કોલંબોના R. પ્રેમદાસા સ્ટેડિયમમાં ભારત સામે રમવાની પરવાનગી આપી નથી. જો PCB આ મેચ રમવાનો ઇનકાર કરે છે, તો માત્ર ટુર્નામેન્ટના પોઈન્ટ્સ પર અસર નહીં થાય, પરંતુ પાકિસ્તાનની ક્વોલિફાય થવાની શક્યતાઓ પણ જોખમમાં મુકાઈ શકે છે.

આ દરમિયાન, શ્રીલંકા ક્રિકેટ બોર્ડ (SLC)એ બે પાનાના પત્રમાં પાકિસ્તાનને સીધી વિનંતી કરી છે કે, 'આ પ્રતિષ્ઠિત મેચમાં રમો, ટુર્નામેન્ટનો ઉત્સાહ અને લાખો ચાહકોનો ઉત્સાહ જાળવી રાખો.' SLCએ સ્પષ્ટ કર્યું કે, 'ટિકિટનું વેચાણ રેકોર્ડ સ્તરે છે અને ભારત-પાકિસ્તાન મેચ માટે જાહેર માંગ અને ઉત્સાહ અસાધારણ છે.'

Terror Attack-Sri Lanka Team
cricket.one

પત્રમાં, SLCએ યાદ અપાવ્યું કે શ્રીલંકાએ હંમેશા પાકિસ્તાનને ટેકો આપ્યો છે. બોર્ડે 2009ના લાહોર હુમલાનો ઉલ્લેખ કર્યો હતો, જ્યારે તેના ખેલાડીઓ પર પાકિસ્તાનમાં હુમલો થયો હતો અને છતાં તેમણે તેમની આંતરરાષ્ટ્રીય પ્રતિબદ્ધતાઓ પૂર્ણ કરી હતી. ઇસ્લામાબાદમાં થયેલા આત્મઘાતી હુમલા છતાં શ્રીલંકાએ પાકિસ્તાનને ટેકો આપ્યો હતો. હવે PCB તરફથી પણ આ જ સમર્થનની અપેક્ષા છે.

SLCએ એમ પણ કહ્યું હતું કે, જો મેચ નહીં યોજાય તો માત્ર SLC જ નહીં પરંતુ દેશના પર્યટન અને આર્થિક હિતોને પણ ભારે નુકસાન થશે. બોર્ડે લખ્યું હતું કે, 'સુરક્ષા, વ્યાવસાયીકરણ અને તટસ્થતાની સંપૂર્ણ ખાતરી આપવામાં આવે છે. અમે વિનંતી કરીએ છીએ કે PCB આ પ્રતિષ્ઠિત મેચ રમવાના તેના નિર્ણય પર પુનર્વિચાર કરે.'

પત્રમાં એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે, SLC હંમેશા પાકિસ્તાનને સહયોગ આપ્યો છે અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટને ટેકો આપ્યો છે, ભલે ગમે તેટલી પડકારજનક પરિસ્થિતિઓ હોય. 2009 અને 2025ના હુમલા છતાં, શ્રીલંકાએ તેની આંતરરાષ્ટ્રીય પ્રતિબદ્ધતાઓ પૂર્ણ કરી અને રમતના વ્યાપક હિતમાં પાકિસ્તાનને ટેકો આપ્યો.

Terror Attack-Sri Lanka Team
abplive.com

હવે, બધું ધ્યાન મોહસીન નકવી પર છે. PCBનો નિર્ણય ફક્ત આ મેચ પૂરતો મર્યાદિત રહેશે નહીં; તે ભારત-પાકિસ્તાન ક્રિકેટ સંબંધો અને ભવિષ્યના સહયોગની દિશાને પણ અસર કરશે. SLCએ સ્પષ્ટતા કરી કે, તેમને આશા છે કે PCB એ જ સમર્થન અને ખેલદિલી બતાવશે જે તેમને શ્રીલંકા તરફથી અગાઉ મળી હતી.

નિષ્ણાતો કહે છે કે, આ મેચ ફક્ત રમતગમત વિશે જ નહીં, પરંતુ આર્થિક, પર્યટન અને લાખો ક્રિકેટ ચાહકોના ઉત્સાહ વિશે પણ છે. SLCની પહેલ દર્શાવે છે કે ભાગીદારી, વ્યાવસાયીકરણ અને ખેલદિલી હંમેશા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સર્વોચ્ચ સ્થાન ધરાવે છે.

ક્રિકેટ ચાહકો હવે PCB તરફ જોઈ રહ્યા છે. SLCનો સંદેશ સ્પષ્ટ છે, 'ખેલદિલી અને આંતરરાષ્ટ્રીય સહયોગની ભાવનાનો આદર કરો, અને ભારત-પાકિસ્તાન મેચ તેના સમય અનુસાર રમો.'

About The Author

Related Posts

Top News

પોરબંદરમાં જૂની કોર્ટમાં હજારો ચૂંટણી-આધાર કાર્ડ રઝળતા મળી આવ્યા, અધિકારી જણાવ્યું કારણ

પોરબંદરમાં માર્ગ અને મકાન વિભાગની ઘોર બેદરકારીનો મામલો સામે આવ્યો છે. માર્ગ અને મકાન વિભાગના હસ્તક આવેલી જૂની કોર્ટ બિલ્ડિંગમાંથી...
Gujarat 
પોરબંદરમાં જૂની કોર્ટમાં હજારો ચૂંટણી-આધાર કાર્ડ રઝળતા મળી આવ્યા, અધિકારી જણાવ્યું કારણ

1600 TRB જવાનોની ભરતી થશે, સુરત સહિત 5 જિલ્લાઓમાં ભરતી પ્રક્રિયા પૂર્ણ

ગુજરાતમાં રોજબરોજ ટ્રાફિક સમસ્યા વધી રહી છે, જેને કાબૂમાં લેવા માટે રાજ્ય સરકારે મોટું પગલું ભર્યું છે. હવે ટ્રાફિક...
Gujarat 
1600 TRB જવાનોની ભરતી થશે, સુરત સહિત 5 જિલ્લાઓમાં ભરતી પ્રક્રિયા પૂર્ણ

સુરતનો એક એવો ટોલ પ્લાઝા, જ્યાં ટોલ ભરવા રોકાવું નહીં પડે; કલેક્શન માટે રસ્તા વચ્ચે નથી કોઈ બૂથ

ટોલ પ્લાઝા પાસે લાગતો જામ હકીકતમાં એક આફત જ છે. લાઈનમાં ઉભા રહો, તમારો વારો આવે ત્યાં સુધી રાહ...
Gujarat 
સુરતનો એક એવો ટોલ પ્લાઝા, જ્યાં ટોલ ભરવા રોકાવું નહીં પડે; કલેક્શન માટે રસ્તા વચ્ચે નથી કોઈ બૂથ

દીકરી જીવે છે, 2 મહિના અગાઉ કન્યાદાન કર્યું, પણ હવે પિતાએ ફોટો પર ફૂલ-હાર ચઢાવીને, સ્વર્ગવાસી જાહેર કરી દીધી

રાજસ્થાનના ઉદયપુરમાં, એક છોકરીના પિતાએ પ્રેમ લગ્ન કરનારી છોકરી સાથેના બધા સંબંધો ન માત્ર તોડી નાખ્યા, પરંતુ તેને...
National 
દીકરી જીવે છે, 2 મહિના અગાઉ કન્યાદાન કર્યું, પણ હવે પિતાએ ફોટો પર ફૂલ-હાર ચઢાવીને, સ્વર્ગવાસી જાહેર કરી દીધી

Opinion

ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે
(ઉત્કર્ષ પટેલ) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૃઢ નેતૃત્વ અને વિઝનરી અભિગમને કારણે 27 જાન્યુઆરી, 2026ના રોજ નવી દિલ્હીમાં યોજાયેલી 16મી ભારત-ઈયુ...
ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
Copyright (c) Khabarchhe All Rights Reserved.