લાગે છે મહારાષ્ટ્રમાં BJP-શિવસેના વચ્ચે મતભેદ છે, કેબિનેટ બેઠકમાં શિંદે પક્ષના કોઈ મંત્રી ન દેખાયા!

મહારાષ્ટ્રના CM દેવેન્દ્ર ફડણવીસની આજની કેબિનેટ બેઠક પણ ખુબ નીરસ રહી હતી, જેનાથી એવી અટકળોને વધુ વેગ મળ્યો કે મહાયુતિ સરકારની અંદર બધુ બરાબર નથી. હકીકતમાં શિવસેનાના વડા DyCM એકનાથ શિંદેએ તો મંગળવારે મહારાષ્ટ્ર સરકારની કેબિનેટ બેઠકમાં હાજરી આપી હતી, પરંતુ તેમના પક્ષના ક્વોટામાંથી એક પણ મંત્રી આવ્યા ન હતા. એમ જોવા જઈએ તો શિવસેનાએ આજની આ મહત્વપૂર્ણ બેઠકનો એક રીતે બહિષ્કાર કર્યો હતો. મહારાષ્ટ્રના રાજકીય નિષ્ણાતો કહે છે કે, શિવસેના અને ભારતીય જનતા પાર્ટી (BJP) વચ્ચે ઘણા દિવસોથી ખુબ મોટો મતભેદ ચાલી રહ્યો છે.

Shiv Sena Skip Meeting
hindustantimes.com

વિધાનસભામાંથી મળેલી માહિતી અનુસાર, આજની કેબિનેટ બેઠકમાં ફક્ત DyCM એકનાથ શિંદેએ જ હાજરી આપી હતી, જ્યારે શિવસેનાના મંત્રીઓ બધા મંત્રાલયોમાં તો હાજર હતા પરંતુ કેબિનેટ બેઠકમાં હાજર રહ્યા ન હતા. શિવસેનાના તમામ મંત્રીઓ CM કાર્યાલયમાં જોવા મળ્યા હતા. જોકે, એવા અહેવાલો હતા કે, કેબિનેટ બેઠક પછી, બધા મંત્રીઓ CM ફડણવીસ સાથે અલગથી મુલાકાત કરશે. કેબિનેટ સાતમા માળે ચાલતી હોય છે, અને બધા મંત્રીઓ CM ફડણવીસના કાર્યાલયમાં છઠ્ઠા માળે બેઠા છે.

Shiv Sena Skip Meeting
lokmattimes.com

આ વર્ષે જાન્યુઆરીમાં, મહારાષ્ટ્ર સરકારમાં મતભેદના અહેવાલો સામે આવ્યા હતા. CM દેવેન્દ્ર ફડણવીસે DyCM એકનાથ શિંદેના નિર્ણયને અટકાવ્યો હતો અને તપાસનો આદેશ આપ્યો હતો. આ મામલો પાછલી સરકાર દરમિયાન DyCM એકનાથ શિંદે દ્વારા લેવામાં આવેલા નિર્ણય સાથે સંકળાયેલો હતો. પાછલી સરકારમાં CM ફડણવીસ DyCM હતા, અને પરિવહન વિભાગ તત્કાલીન CM એકનાથ શિંદે પાસે હતો. DyCM શિંદેએ મહારાષ્ટ્ર રાજ્ય માર્ગ પરિવહન નિગમ (MSRTC) માટે બસો ભાડે લેવાનો નિર્ણય લીધો હતો, પરંતુ CM ફડણવીસે તે નિર્ણયને અટકાવી દીધો હતો.

Shiv Sena Skip Meeting
hindustantimes.com

એપ્રિલ 2025: એપ્રિલમાં, ફરી એકવાર મહારાષ્ટ્રના રાજકારણમાં મહાયુતિ સરકારમાં મતભેદના અહેવાલો સામે આવ્યા. તે દરમિયાન, વર્તમાન DyCM એકનાથ શિંદેએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી. ત્યારપછી એવા અહેવાલો આવ્યા હતા કે, DyCM એકનાથ શિંદેએ શાહને DyCM અજીત પવાર વિશે ફરિયાદ કરી હતી. આ પછી, DyCM અજિત પવારે સૂચવ્યું હતું કે, DyCM એકનાથ શિંદેએ અમિત શાહ ને ફરિયાદ કરવાને બદલે મારી સાથે સીધી વાત કરવી જોઈએ. બેઠક પછી, અમિત શાહે કહ્યું કે અમારી વચ્ચે કોઈ મતભેદ નથી. બધું બરાબર છે. અમિત શાહ NDA અને મહાયુતિના નેતા છે. તેમની સાથે મારી મુલાકાત તેમને રાજ્ય અને મુંબઈમાં ચાલી રહેલા વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સ વિશે માહિતી આપવા માટે હતી.

જુલાઈ 2025: 25 જુલાઈની આસપાસ, મહાયુતિ સરકારમાં ફરી એકવાર મતભેદના અહેવાલો સામે આવ્યા. એવું કહેવામાં આવ્યું કે મંત્રીઓ વચ્ચે વિભાગીય કાર્યને લઈને ઘર્ષણ ચાલી રહ્યું છે.

નવેમ્બર 2025: BJP અને શિવસેના વચ્ચે ફરી એકવાર મતભેદના અહેવાલો આવ્યા, પરંતુ કોઈ સીધી રીતે કંઈ કહી રહ્યું ન હતું.

About The Author

Related Posts

Top News

સોમાલિયાના ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર સડસડાટ હિન્દીમાં વાત કરી શકે છે

જ્યારે વિશ્વના સૌથી મોટા વેપાર મંચ દાવોસ ૨૦૨૬માં સોમાલિયાના ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર સલાહ અહમદ જમા ઇન્ટરવ્યૂ દરમિયાન અચાનક શુદ્ધ અને...
National 
સોમાલિયાના ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર સડસડાટ હિન્દીમાં વાત કરી શકે છે

'બેબી શાવર બંધ, દાંડિયારાસ, DJ બંધ...' રબારી સમાજે વિવિધ 11 મુદ્દાઓ પર ઘડ્યું બંધારણ

બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં આવેલ સમશેરપુરા ખાતે આગામી 25 જાન્યુઆરીના રોજ રબારી સમાજનું એક વિશાળ મહાસંમેલન યોજાયું હતું. આ સંમેલન...
Gujarat 
'બેબી શાવર બંધ, દાંડિયારાસ, DJ બંધ...' રબારી સમાજે વિવિધ 11 મુદ્દાઓ પર ઘડ્યું બંધારણ

‘મારા બાળકોનો શું વાંક?’ પાકિસ્તાની મહિલા રેહાનાએ PM મોદીને કરી આજીજી

માતૃત્વની વેદના અને વિરહના આંસુ સાથે રેહાનાએ પાકિસ્તાનથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આજીજી કરી રહી છે કે ભારત આવવામાં તેની મદદ...
Gujarat 
‘મારા બાળકોનો શું વાંક?’ પાકિસ્તાની મહિલા રેહાનાએ PM મોદીને કરી આજીજી

એન્જિનિયરોએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું! નદી પર નહીં ખેતરોની વચ્ચોવચ પુલ ઊભો કરી દીધો

બિહારના કિશનગંજ જિલ્લામાં એન્જિનિયરો નદી કે નાળાને બદલે ખેતરમાં પુલ બનાવીને બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે. જ્યા એક તરફ જનતા પુલ...
National 
એન્જિનિયરોએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું! નદી પર નહીં ખેતરોની વચ્ચોવચ પુલ ઊભો કરી દીધો

Opinion

ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે? ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
આમ આદમી પાર્ટીના વિસાવદર વિધાનસભાના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા ગુજરાતના રાજકારણમાં તેમની આક્રમક, તાર્કિક અને ક્યારેક વધુપડતી તીખી ભાષા માટે જાણીતા...
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
રામ મંદિર એક વિચારની પુનઃસ્થાપના છે જ્યાં શાસન નહીં પણ સેવા સર્વોપરી છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.