દીકરીના સપનાની સ્કુટી ખરીદવા માટે ચા વેચનાર પિતાએ વર્ષો સુધી સિક્કા બચાવ્યા, ડ્રમમાં ભરી ખરીદવા શોરૂમ પહોંચ્યો!

પશ્ચિમ બંગાળના મિદનાપુરથી એક દિલને સ્પર્શી જાય તેવી એક વાત સામે આવી છે. અહીં એક ચા વેચનારે પોતાની દીકરીના સ્વપ્નને પૂરું કરવાના પ્રયાસોએ લોકોના દિલને સ્પર્શી લીધા છે. પોતાની દીકરીના સપનાની સ્કુટી ખરીદવાની આ વાત હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ વાર્તામાં એક પિતાના અતૂટ પ્રેમ, વિશ્વાસ અને સંકલ્પ છુપાયેલો છે, ઘણા લોકોને આ હકીકતની વાર્તાએ પ્રેરણા આપી છે.

એક ગામમાં એક નાના ચા વેચનાર માટે આ એક મહત્વપૂર્ણ સિદ્ધિ છે. જોવામાં ભલે તે ફક્ત એક ટુ-વ્હીલર હોઈ શકે છે, પરંતુ તેણે તેને ખરીદવા માટે એક એક પૈસો ભેગો કર્યો અને તેના માટે ચાર વર્ષ રાહ જોઈ.

ચંદ્રકોનાના મૌલા ગામના ચાની દુકાનના માલિક બચ્ચુ ચૌધરી, સિક્કાઓથી ભરેલા એક ડ્રમ સાથે ટુ-વ્હીલર શોરૂમમાં પહોંચ્યા, જે તેમણે તેમની દીકરીને તેના સપનાની સવારી ખરીદવા માટે વર્ષોથી કરેલી તેમની એકમાત્ર બચત હતી.

Tea Seller-Scooty
indiatoday.in

શનિવારે, શોરૂમના કર્મચારીઓએ એક દ્રશ્ય જોયું જે તેઓ ક્યારેય ભૂલી શકશે નહીં. પોતાના ગામમાં એક નાની ચાની દુકાન ચલાવતા ચૌધરી, સ્કૂટર ખરીદવા માટે ખુબ વિનમ્ર ભાવે વિનંતી કરીને અંદર આવ્યા. શરૂઆતમાં, તેમણે પૂછ્યું કે શું તેઓ તેને હપ્તામાં ખરીદી શકે છે.

જ્યારે સ્ટાફ સંમત થયો, ત્યારે તેમણે તેમને અચકાતા અચકાતા એક સવાલ પૂછ્યો, શું શોરૂમ છૂટક સિક્કા સ્વીકારશે. આગળ શું થવાનું છે તેની જાણ વગર જ ત્યાંનો સ્ટાફ સંમત થઇ ગયો.

પછી ચૌધરી 10 રૂપિયાના સિક્કાથી ભરેલો એક મોટો ડ્રમ લઈને પાછા ફર્યા. સ્ટાફે જણાવ્યું કે ડ્રમ એટલો ભારે હતો કે તેને ઉપાડીને ફ્લોર પર ખાલી કરવામાં શોરૂમના 8 કર્મચારીઓને કામે લગાવવા પડ્યા.

Tea Seller-Scooty
aajtak.in

શોરૂમના ઇન્ચાર્જ કર્મચારી અરિંદમે કહ્યું, 'એક માણસ અમારા શોરૂમમાં સ્કૂટર માંગવા આવ્યો. જ્યારે અમે તેને બતાવી રહ્યા હતા, ત્યારે તેણે ખચકાટ સાથે કહ્યું કે તે તેને હપ્તામાં ખરીદવા માંગે છે. અમે સંમત થયા. પછી, થોડી હિંમત એકઠી કરીને, તેમણે પૂછ્યું કે શું અમે છૂટક સિક્કા સ્વીકારીશું. જ્યારે અમે હા પાડી, ત્યારે તેમણે અમને કહ્યું કે રકમ લગભગ 40,000 રૂપિયા હશે.'

'પાછળથી, જ્યારે તે સિક્કાઓથી ભરેલો એક મોટો ડ્રમ લઈને પાછો ફર્યો, ત્યારે અમે બધા સ્તબ્ધ થઈ ગયા. ડ્રમ એટલો ભારે હતો કે અમે તેને સરળતાથી ઉપાડી કે ખાલી કરી શકીએ તેમ ન હતા. શોરૂમના આઠ કર્મચારીઓના પ્રયાસોથી, અમે આખરે સિક્કાઓ ફ્લોર પર ખાલી કર્યા અને તેમને ગણવાનું શરૂ કર્યું. ડ્રમમાં રૂ. 69,000ની કિંમતના રૂ. 10ના સિક્કા, તેમજ અન્ય વિવિધ નોટો હતી. બધું ગણ્યા પછી, કુલ રકમ રૂ. 1 લાખ 10 હજાર થઈ.'

ચૌધરીના જણાવ્યા મુજબ, જ્યારે તેની નાની પુત્રીએ તેની પાસે એક વખત બાઇક માંગી ત્યારે તેણે બચત કરવાનું શરૂ કર્યું, જે ઇચ્છા તે સમયે તે પૂર્ણ કરી શક્યો ન હતો.

Tea Seller-Scooty
jansatta.com

ચૌધરીએ કહ્યું, 'મારી નાની પુત્રીને સ્કુટી જોઈતી હતી, તેથી મેં મારી પાસે જે થોડા પૈસા હતા તેમાંથી ચાની દુકાન ચલાવીને બચત કરવાનું શરૂ કર્યું, તે સમયે મને લાગ્યું કે મારી પાસે બાઇક માટે પૈસા નહીં થાય.'

જોકે, તે તેના સ્વપ્નને સાકાર કરવાનું નક્કી કરી ચુક્યો હતો અને તેની ચાની દુકાનની નજીવી કમાણીમાંથી દરરોજ સિક્કા અલગ રાખવા લાગ્યો. ચાર વર્ષ પછી, તેણે ગર્વથી તેની પુત્રી માટે બાઇક ખરીદી.

કર્મચારીઓએ એ પણ ખુલાસો કર્યો કે સિક્કાઓ ઉપરાંત, ડ્રમમાં વિવિધ નોટો પણ હતી, જેને એકત્રિત કરવામાં અને ગણવામાં શોરૂમના તમામ સ્ટાફને લગભગ બે કલાક અને 25 મિનિટ લાગી. લોકો કહે છે કે, આ એવું છે કે જે ફક્ત એક પિતા જ કરી શકે.

About The Author

Related Posts

Top News

'બેબી શાવર બંધ, દાંડિયારાસ, DJ બંધ...' રબારી સમાજે વિવિધ 11 મુદ્દાઓ પર ઘડ્યું બંધારણ

બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં આવેલ સમશેરપુરા ખાતે આગામી 25 જાન્યુઆરીના રોજ રબારી સમાજનું એક વિશાળ મહાસંમેલન યોજાયું હતું. આ સંમેલન...
Gujarat 
'બેબી શાવર બંધ, દાંડિયારાસ, DJ બંધ...' રબારી સમાજે વિવિધ 11 મુદ્દાઓ પર ઘડ્યું બંધારણ

‘મારા બાળકોનો શું વાંક?’ પાકિસ્તાની મહિલા રેહાનાએ PM મોદીને કરી આજીજી

માતૃત્વની વેદના અને વિરહના આંસુ સાથે રેહાનાએ પાકિસ્તાનથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આજીજી કરી રહી છે કે ભારત આવવામાં તેની મદદ...
Gujarat 
‘મારા બાળકોનો શું વાંક?’ પાકિસ્તાની મહિલા રેહાનાએ PM મોદીને કરી આજીજી

એન્જિનિયરોએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું! નદી પર નહીં ખેતરોની વચ્ચોવચ પુલ ઊભો કરી દીધો

બિહારના કિશનગંજ જિલ્લામાં એન્જિનિયરો નદી કે નાળાને બદલે ખેતરમાં પુલ બનાવીને બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે. જ્યા એક તરફ જનતા પુલ...
National 
એન્જિનિયરોએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું! નદી પર નહીં ખેતરોની વચ્ચોવચ પુલ ઊભો કરી દીધો

અવિમુક્તેશ્વરાનંદની શિબિર બહાર બબાલ, બળજબરીથી ઘૂસવાનો પ્રયાસ, ‘બુલડોઝર બાબા કી જય’ના નારા લાગ્યા

પ્રયાગરાજના માઘ મેળા વિસ્તારમાં સેક્ટર-4, ત્રિવેણી માર્ગ પર સ્થિત શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીના શિબિરમાં અસામાજિક તત્વોએ હોબાળો મચાવ્યો હતો. એવો...
National 
અવિમુક્તેશ્વરાનંદની શિબિર બહાર બબાલ, બળજબરીથી ઘૂસવાનો પ્રયાસ, ‘બુલડોઝર બાબા કી જય’ના નારા લાગ્યા

Opinion

ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે? ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
આમ આદમી પાર્ટીના વિસાવદર વિધાનસભાના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા ગુજરાતના રાજકારણમાં તેમની આક્રમક, તાર્કિક અને ક્યારેક વધુપડતી તીખી ભાષા માટે જાણીતા...
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
રામ મંદિર એક વિચારની પુનઃસ્થાપના છે જ્યાં શાસન નહીં પણ સેવા સર્વોપરી છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.