ગ્રાહક પાસે પાણીની બોટલ પર 1 રૂપિયો GST લેવાનું મોંઘું પડ્યું, હવે રેસ્ટોરાંએ ચૂકવવા પડશે આટલા રૂપિયા

રાજધાની ભોપાલમાં ઉપભોક્તા ફોરમે પોતાના નિર્ણય સંભળાવતા એક રેસ્ટોરાંને પાણીની બોટલ પર 1 રૂપિયાની GST લેવાના મામલે ગ્રાહકને 8000 રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો છે. આ મામલો ઓક્ટોબર 2021નો છે. ભોપાલના એક રેસ્ટોરાંમાં ઐશ્વર્યાએ પોતાના મિત્રો સાથે ખાવાનું ખાધું હતું. જ્યારે બિલ આવ્યું, ત્યારે તેણે જોયું કે પાણીની બોટલ પર MRP 20 રૂપિયા હતી, જ્યારે બિલમાં 29 રૂપિયા વસૂલવામાં આવ્યા હતા. આ 29 રૂપિયામાં એક રૂપિયાની GST પણ સામેલ હતી.

restaurant
justdial.com

 

જ્યારે રેસ્ટોરાંના સ્ટાફને તેની ફરિયાદ કરવામાં આવી, ત્યારે તેમણે કહ્યું કે બધા ચાર્જ કાયદેસર અને નિયમો મુજબ છે, એટલે તેમાં કોઈ છૂટ નહીં આપી શકાય. ત્યારબાદ મામલો ઉપભોક્તા ફોરમમાં પહોંચ્યો, જેના પર 4 વર્ષ બાદ નિર્ણય આવ્યો છે. ઐશ્વર્યાના વકીલ પ્રતિક પવારે જણાવ્યું હતું કે તેમના ક્લાયન્ટ પાસેથી પાણીની બોટલ માટે 29 રૂપિયા વસૂલવામાં આવ્યા હતા, જેના પર તેમણે આપત્તિ દર્શાવી હતી. તેમને કહેવામાં આવ્યું કે તેમાં 1 રૂપિયાની GST પણ સામેલ છે.

ઉપભોક્તા ફોરમમાં રેસ્ટોરાંના વકીલે દલીલ કરી હતી કે નિયમો હેઠળ તેમને સીટિંગ, એર કન્ડિશનિંગ અથવા ઓન-ટેબલ સેવા જેવી સુવિધાઓ માટે MRP કરતા વધુ ચાર્જ લેવાનો અધિકાર છે, પરંતુ ઉપભોક્તા ફોરમે પોતાના નિર્ણયમાં કહ્યું કે, પાણીની બોટલની MRPમાં GST પહેલાથી જ સામેલ હોય છે, એટલે અલગથી GST લેવાનું કાયદેસર નથી અને આ સેવામાં કમી દર્શાવે છે.

restaurant
therasoda.com

 

નિર્ણયમાં ઉપભોક્તા ફોરમે રેસ્ટોરાંને ગ્રાહકને એક રૂપિયોની GST રકમ પરત કરવાનો નિર્દેશ આપ્યો. સાથે જ, ગ્રાહકને થયેલા માનસિક કષ્ટ અને સેવામાં કમી માટે 5,000 રૂપિયા અને કેસના કાયદાકીય ખર્ચના રૂપમાં 3,000 રૂપિયા ચૂકવવા પડશે. આ પ્રકારે, માત્ર 1 રૂપિયાના GSTના કારણે રેસ્ટોરાંને 8000 રૂપિયા ચૂકવવા મજબૂર કરી દીધું.

About The Author

Related Posts

Top News

PM મોદીઃ આપત્તિઓને અવસરમાં ફેરવી દેતા ધૂરંધર રાજનેતાનું ક્રાઇસિસ મેનેજમેન્ટ

હાલમાં દેશમાં ગેસની ક્રાઇસિસ ચાલી રહી છે. PM નરેન્દ્ર મોદી  એ કહ્યું છે કે આપણે જેમ કોરોનામાંથી સુપેરે બહાર આવી...
Opinion 
PM મોદીઃ આપત્તિઓને અવસરમાં ફેરવી દેતા ધૂરંધર રાજનેતાનું ક્રાઇસિસ મેનેજમેન્ટ

કેન્સરની ભારતમાં શું છે સ્થિતિ, સરકાર શું કરે છે?

ભારતમાં કેન્સરના કેસોમાં છેલ્લા થોડા વર્ષોમાં ચિંતાજનક વધારો નોંધાઇ રહ્યો છે. હાલ જ સંસદમાં આપવામાં આવેલી માહિતી અનુસાર 2021 પછી...
Charcha Patra 
કેન્સરની ભારતમાં શું છે સ્થિતિ, સરકાર શું કરે છે?

ગુજરાતના કેટલાક ઉદ્યોગપતિઓ રોજ નવી રીલ બનાવી પોતાની જાહોજલાલી વાહવાહીનું સોશિયલ મીડિયા PR કેમ કરતા હશે?

પરિશ્રમ પછી સફળતા મળે છે તે સત્ય છે પરંતુ મળેલી સફળતાને પચાવવી અને તેના વૈભવને સુખથી માણવું તે પણ એટલું...
Opinion 
ગુજરાતના કેટલાક ઉદ્યોગપતિઓ રોજ નવી રીલ બનાવી પોતાની જાહોજલાલી વાહવાહીનું સોશિયલ મીડિયા PR કેમ કરતા હશે?

NRI તો ખરા જ, વિદેશીઓ પણ ડેન્ટલ ટ્રીટમેન્ટ માટે ભારત આવે છે - જાણો કેટલું સસ્તું પડે

દુનિયામાં ડેન્ટલ ટ્રીટમેન્ટ જેમ જેમ મોંઘી થતી જાય છે તેમ-તેમ ભારત માટે ડેન્ટલ ટૂરિઝમની મોટી તક ઊભી થઈ રહી છે....
Charcha Patra 
NRI તો ખરા જ, વિદેશીઓ પણ ડેન્ટલ ટ્રીટમેન્ટ માટે ભારત આવે છે - જાણો કેટલું સસ્તું પડે
Copyright (c) Khabarchhe All Rights Reserved.