18 જુલાઈએ PMએ 710 કરોડની એરપોર્ટ બીલ્ડિંગનું ઉદ્ધાટન કર્યુ અને હવે સિલિંગ પડી ગઈ

અંડમાન અને નિકોબારના કેપિટલ પોર્ટ બ્લેરમાં રવિવારે ભારે વરસાદને પગલે વીર સાવરકર ઈન્ટરનેશનલ એરપોર્ટની સિલિંગ પડી ગઇ હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. 18 જુલાઈના રોજ જ પ્રધાનમંત્રી મોદીએ આ નવા ટર્મિનલનું વર્ચ્યુઅલી ઉદ્ધાટન કર્યું હતું.

આ મામલાને લઇ કોંગ્રેસ નેતા જયરામ રમેશે કહ્યું કે, પ્રધાનમંત્રી આજકાલ કોઈ પણ વસ્તુનુ ઉદ્ઘાટન કરી દેશે. પછી તે અધૂરુ કે ઓછી ગુણવત્તાવાળું ઈન્ફ્રાસ્ટ્રક્ચર કેમ ન હોય.

જયરામ રમેશની આ ટ્વીટનો જવાબ આપતા સિવિલ એવિએશન મિનિસ્ટર જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે, સ્ટ્રક્ચર ટર્મિનલ બિલ્ડિંગની બહાર છે. અહીં સીસીટીવ ઈન્સ્ટોલેશન માટે સિલિંગને ઢીલી કરવામાં આવી હતી. પવનને લીધે પેનલ નીચે પડી ગઈ. સમારકામ કરાવી દેવામાં આવ્યું છે.

710 કરોડના ખર્ચે બન્યું છે ટર્મિનલ

પ્રધાનમંત્રી મોદીએ 18 જુલાઈના રોજ આ નવા ટર્મિનલને વર્ચ્યુઅલી ઈનોગરેટ કર્યું હતું. 710 કરોડના ખર્ચે બનાવેલા આ ટર્મિનલમાં એક સાથે 10 પ્લેન પાર્ક થઇ શકશે. જેની ડિઝાઈન સમુદ્રના દ્વીપ જેવી છે.

ઉદ્ઘાટનના સમયે પ્રધાનમંત્રીએ લોકોને સંબોધિત પણ કર્યા હતા. એ દિવસે પ્રધાનમંત્રીએ બેંગલોરમાં થયેલી 26 વિપક્ષી પાર્ટીઓની બેઠક પર કટાક્ષ પણ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, બેંગલોરમાં 2024 લોકસભા ચૂંટણી માટે 26 પાર્ટીઓ ભેગી થઇ છે. દેશની જનતા કહી રહી છે કે આ તો કટ્ટર ભ્રષ્ટાચારી સંમ્મેલન થઇ રહ્યું છે.

ખેર, આ નવું ટર્મિનલ ભવન લગભગ 40800 વર્ગ મીટરમાં ફેલાયું છે. આ ટર્મિનલ દર વર્ષે લગભગ 50 લાખ મુસાફરોને સંભાળવામાં સક્ષમ રહેશે. હાલમાં આ ટર્મિનલની પ્રતિદિન ક્ષમતા 4000 પર્યટકોને સંભાળવાની છે. નવું ટર્મિનલ શરૂ થયા પછી ક્ષમતા પ્રતિદિન 11 હજાર મુસાફરોને સંભાળવાની થઇ જશે. તેની સાથે જ પોર્ટ બ્લેર એરપોર્ટ પર 80 કરોડના ખર્ચથી બે બોઈંગ- 767-400 અને બે એરબસ 321 પ્રકારના વિમાનો માટે એક એપ્રન પણ તૈયાર કરવામાં આવ્યું છે. જેનાથી એરપોર્ટ પર એક સાથે 10 વિમાનો પાર્ક કરી શકાશે.

About The Author

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.