18 જુલાઈએ PMએ 710 કરોડની એરપોર્ટ બીલ્ડિંગનું ઉદ્ધાટન કર્યુ અને હવે સિલિંગ પડી ગઈ

અંડમાન અને નિકોબારના કેપિટલ પોર્ટ બ્લેરમાં રવિવારે ભારે વરસાદને પગલે વીર સાવરકર ઈન્ટરનેશનલ એરપોર્ટની સિલિંગ પડી ગઇ હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. 18 જુલાઈના રોજ જ પ્રધાનમંત્રી મોદીએ આ નવા ટર્મિનલનું વર્ચ્યુઅલી ઉદ્ધાટન કર્યું હતું.

આ મામલાને લઇ કોંગ્રેસ નેતા જયરામ રમેશે કહ્યું કે, પ્રધાનમંત્રી આજકાલ કોઈ પણ વસ્તુનુ ઉદ્ઘાટન કરી દેશે. પછી તે અધૂરુ કે ઓછી ગુણવત્તાવાળું ઈન્ફ્રાસ્ટ્રક્ચર કેમ ન હોય.

જયરામ રમેશની આ ટ્વીટનો જવાબ આપતા સિવિલ એવિએશન મિનિસ્ટર જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે, સ્ટ્રક્ચર ટર્મિનલ બિલ્ડિંગની બહાર છે. અહીં સીસીટીવ ઈન્સ્ટોલેશન માટે સિલિંગને ઢીલી કરવામાં આવી હતી. પવનને લીધે પેનલ નીચે પડી ગઈ. સમારકામ કરાવી દેવામાં આવ્યું છે.

710 કરોડના ખર્ચે બન્યું છે ટર્મિનલ

પ્રધાનમંત્રી મોદીએ 18 જુલાઈના રોજ આ નવા ટર્મિનલને વર્ચ્યુઅલી ઈનોગરેટ કર્યું હતું. 710 કરોડના ખર્ચે બનાવેલા આ ટર્મિનલમાં એક સાથે 10 પ્લેન પાર્ક થઇ શકશે. જેની ડિઝાઈન સમુદ્રના દ્વીપ જેવી છે.

ઉદ્ઘાટનના સમયે પ્રધાનમંત્રીએ લોકોને સંબોધિત પણ કર્યા હતા. એ દિવસે પ્રધાનમંત્રીએ બેંગલોરમાં થયેલી 26 વિપક્ષી પાર્ટીઓની બેઠક પર કટાક્ષ પણ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, બેંગલોરમાં 2024 લોકસભા ચૂંટણી માટે 26 પાર્ટીઓ ભેગી થઇ છે. દેશની જનતા કહી રહી છે કે આ તો કટ્ટર ભ્રષ્ટાચારી સંમ્મેલન થઇ રહ્યું છે.

ખેર, આ નવું ટર્મિનલ ભવન લગભગ 40800 વર્ગ મીટરમાં ફેલાયું છે. આ ટર્મિનલ દર વર્ષે લગભગ 50 લાખ મુસાફરોને સંભાળવામાં સક્ષમ રહેશે. હાલમાં આ ટર્મિનલની પ્રતિદિન ક્ષમતા 4000 પર્યટકોને સંભાળવાની છે. નવું ટર્મિનલ શરૂ થયા પછી ક્ષમતા પ્રતિદિન 11 હજાર મુસાફરોને સંભાળવાની થઇ જશે. તેની સાથે જ પોર્ટ બ્લેર એરપોર્ટ પર 80 કરોડના ખર્ચથી બે બોઈંગ- 767-400 અને બે એરબસ 321 પ્રકારના વિમાનો માટે એક એપ્રન પણ તૈયાર કરવામાં આવ્યું છે. જેનાથી એરપોર્ટ પર એક સાથે 10 વિમાનો પાર્ક કરી શકાશે.

About The Author

Related Posts

Top News

ધોની, દીપિકા અને અશ્નીર ગ્રોવરના રૂપિયા ડૂબવાના? બધાએ એ કંપનીમાં લગાવેલા પૈસા જે...

ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોની, બોલિવુડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ અને શોર્ટ ટેન્કની પહેલી સીઝનમાં જજ રહેલા અશ્નીર ગ્રોવરના લાખો રૂપિયાના...
Business 
ધોની, દીપિકા અને અશ્નીર ગ્રોવરના રૂપિયા ડૂબવાના? બધાએ એ કંપનીમાં લગાવેલા પૈસા જે...

કોચિંગ વગર JEE મેઈન્સમાં 100 પર્સન્ટાઈલ, આ છે સાઈ મનોગનાનો ગોલ્ડન રુલ અને લક્ષ્ય!

JEE મેન્સ સત્ર-2 (એપ્રિલ સત્ર)નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ સત્રમાં, વિવિધ રાજ્યોના કુલ 24 વિદ્યાર્થીઓએ ...
Education 
કોચિંગ વગર JEE મેઈન્સમાં 100 પર્સન્ટાઈલ, આ છે સાઈ મનોગનાનો ગોલ્ડન રુલ અને લક્ષ્ય!

જનોઈ પહેરીને વિદ્યાર્થીને એક્ઝામ હોલમાં જતા રોકાયો, પરીક્ષા અધિકારી સસ્પેન્ડ

કર્ણાટકના શિવમોગામાં આદિચુંચનગિરી સ્કૂલમાં કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) આપવા ગયેલા વિદ્યાર્થીઓ પાસેથી જનોઈ ઉતારવાના મામલો સામે આવ્યા બાદ, ...
National 
જનોઈ પહેરીને વિદ્યાર્થીને એક્ઝામ હોલમાં જતા રોકાયો, પરીક્ષા અધિકારી સસ્પેન્ડ

અંબાલાલ પટેલે જણાવ્યું- આ વર્ષે ગુજરાતમાં કેવી રહેશે વરસાદની ઋતુ

અત્યારે ઉનાળાની સીઝન ચાલી રહી છે, અને રાજ્યમાં મિશ્રા ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. સવારે વાદળછાયું વાતાવરણ જોવા મળી...
Gujarat 
અંબાલાલ પટેલે જણાવ્યું- આ વર્ષે ગુજરાતમાં કેવી રહેશે વરસાદની ઋતુ
Copyright (c) Khabarchhe All Rights Reserved.