અમદાવાદમાં બની રામ મંદિરની દાનપેટી અને રેલિંગ, જાણો શું છે વિશેષતા

On

અયોધ્યામાં 22 જાન્યુઆરીના રોજ રામ મંદિરમાં રામલલાનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવા જઇ રહ્યો છે. તેના માટે દેશના અલગ અલ ભાગોમાંથી તૈયાર થયેલી વસ્તુ અયોધ્યા પહોંચવાની શરૂ થઈ ગઈ છે. ઘણી વિશેષ વસ્તુઓને મોકલવાનો સિલસિલો ચાલી રહ્યો છે. આ અનુસંધાને અયોધ્યામાં બની રહેલા ભવ્ય શ્રીરામ મંદિર માટે દાન પેટી અને રેલિંગ અમદાવાદમાં બનીને તૈયાર થઈ ચૂકી છે.

મુખ્ય રામ મંદિરના ગર્ભગૃહમાં રાખવા માટે 4 વિશેષ દાન પેટી સહિત મંદિર સુધી પહોંચવા માટે ઉપયોગ થનારી રેલિંગના સેમ્પલ અમદાવાદથી હવે અયોધ્યા જઇ રહ્યા છે. અમદાવાદમાં ગોતાની જે ફેક્ટ્રીમાં રામ મંદિરનો ધ્વજ દંડ બનીને તૈયાર થયો હતો, એ જ ફેક્ટ્રીથી હવે 4 દાન પેટીઓ અને રેલિંગના સેમ્પલ બનાવીને અયોધ્યા મોકલવામાં આવી રહ્યા છે. આ દાનપેટીઓ અને રેલિંગની વિશેષતા બાબતે શ્રી અંબિકા એન્જિનિયરિંગ વર્ક્સના કશ્યપ મેવાડાએ એક ન્યૂઝ ચેનલ સાથે ખાસ વાતચીત કરી હતી.

તેમણે જણાવ્યું કે, રામ મંદિર માટે 12 દાનપેટીઓ બનાવવાનો ઓર્ડર મળ્યો હતો. છેલ્લા 25 દિવસોમાં 4 દાનપેટીઓ બનીને તૈયાર થઈ છે. ચારેય દાનપેટીઓ રામ મંદિરના ગર્ભગૃહમાં રાખવામાં આવશે. 2 મોટી દાનપેટીઓ 5 ફૂટ પહોળી અને 3.5 ફૂટ લાંબી છે. બ્રાસથી બનેલી આ તમામ દાનપેટીઓમાં શીશમની લાકડીનો ઉપયોગ થયો છે અને તેના પર બ્રાસ ઇનલે વર્ક કરવામાં આવ્યું છે. કશ્યપ મેવાડાએ જણાવ્યું કે, એ સિવાય 5 ફૂટની રેલિંગનું સેમ્પલ પણ માગવામાં આવ્યું છે.

તે પણ બનીને તેની સાથે મોકલી રહ્યા છીએ. રેલિંગને તૈયાર કરવામાં પણ શીશમની લાકડીનો ઉપયોગ થયો છે અને તેમાં પણ બ્રાસ ઇનલે વર્ક કરવામાં આવ્યું છે. રેલિંગમાં ગદા અને ધનુષ બાણની ડિઝાઇન પણ બનાવવામાં આવી છે. એ સિવાય કશ્યપ મેવાડા પોતાની તરફથી શ્રીરામ મંદિર માટે શીશમની લાકડીનો બનેલો સુંદર બ્રાસ ઇનલે વર્કવાળો હેન્ડ મેડ અખંડ દીવો પણ અમદાવાદથી મોકલી રહ્યા છે. આ બધો સામાન શનિવાર 13 જાન્યુઆરી સવારે ત્રાકથી અયોધ્યા માટે મોકલવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, અયોધ્યા રામ મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા 22 જાન્યુઆરી 2024ના રોજ થવાની છે. રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા માટે શુભ મુહૂર્તની ક્ષણ 84 સેકન્ડની છે જે 12 વાગીને 29 મિનિટ 8 સેકન્ડથી 12 વાગીને 30 મિનિટ 32 સેકન્ડ સુધી હશે. ભગવાન રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથે થશે. આ દરમિયાન ગર્ભ ગૃહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સિવાય 4 લોકો ઉપસ્થિત રહેશે.

Related Posts

Top News

'શરિયત વિરુદ્ધ...', હવે શમીની પુત્રીના હોળી રમવા પર ગુસ્સે મૌલાના, રોઝા ન પાળવા બદલ ક્રિકેટરને કહ્યો ગુનેગાર

ક્રિકેટર મોહમ્મદ શમી દ્વારા રમઝાન દરમિયાન ઉપવાસ ન રાખવા બદલ ગુનેગાર ગણાવનાર મૌલવીએ હવે ફાસ્ટ બોલરની પુત્રીની હોળીની ઉજવણીને 'અવૈધ'...
Sports 
'શરિયત વિરુદ્ધ...', હવે શમીની પુત્રીના હોળી રમવા પર ગુસ્સે મૌલાના, રોઝા ન પાળવા બદલ ક્રિકેટરને કહ્યો ગુનેગાર

RSS: રાષ્ટ્રસેવાનું પવિત્ર માધ્યમ

(ઉત્કર્ષ પટેલ) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુએસના પ્રખ્યાત પોડકાસ્ટર લેક્સ ફ્રીડમેન સાથેના પોડકાસ્ટમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) વિશેના પોતાના...
National 
RSS: રાષ્ટ્રસેવાનું પવિત્ર માધ્યમ

ભૂપેન્દ્રભાઈ પટેલ: ગુજરાતના વિકાસના નવા પ્રણેતા

(ઉત્કર્ષ પટેલ) ગુજરાતના રાજકારણમાં ભૂપેન્દ્રભાઈ પટેલનું નામ આજે એક એવા નેતા તરીકે ઝળકી રહ્યું છે જેઓ પોતાના સૌમ્ય સ્વભાવ...
Gujarat  Opinion 
ભૂપેન્દ્રભાઈ પટેલ: ગુજરાતના વિકાસના નવા પ્રણેતા

પહેલા આપ્યા હવે હરિયાણામાં વિદ્યાર્થીઓને 5 દિવસમાં ટેબલેટ જમા કરાવવા આદેશ

શિક્ષણ વિભાગ તરફથી જિલ્લાની તમામ સરકારી શાળાઓમાં પરીક્ષા બાદ વિદ્યાર્થીઓ પાસેથી ટેબલેટ પરત લેવાના આદેશો જાહેર કરવામાં આવ્યા છે. જો...
National  Education 
પહેલા આપ્યા હવે હરિયાણામાં વિદ્યાર્થીઓને 5 દિવસમાં ટેબલેટ જમા કરાવવા આદેશ

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.