અણ્ણા હજારે રાલેગણ સિદ્ધિમાં ફરી આમરણાંત ઉપવાસ પર, સરકાર સામે કરી આ માંગ

દેશના પ્રખ્યાત સામાજિક કાર્યકર્તા અને ગાંધીવાદી નેતા અણ્ણા હજારે આજે મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લાના રાલેગણ સિદ્ધિ ગામમાં આમરણાંત ઉપવાસ શરૂ કરશે. હજારેએ જણાવ્યું હતું કે સરકારે ભ્રષ્ટાચાર નાબૂદ કરવા, લોકપાલને મજબૂત બનાવવા અને લોકાયુક્ત કાયદાને અસરકારક રીતે લાગુ કરવાનું વચન આપ્યું હતું, પરંતુ આ વચનોનો યોગ્ય રીતે અમલ કરવામાં આવ્યો નથી. હજારેએ જણાવ્યું હતું કે, લોકાયુક્ત કાયદાનો ઉદ્દેશ્ય રાજ્યોમાં ભ્રષ્ટાચારને કાબુમાં લેવાનો છે, પરંતુ ઘણી જગ્યાએ, કાયદો ક્યાં તો નબળો છે અથવા બરાબર લાગુ કરવામાં આવ્યો નથી. તેમણે માંગ કરી હતી કે, લોકાયુક્તને સંપૂર્ણપણે સ્વતંત્ર બનાવવામાં આવે જેથી તે કોઈપણ દબાણ વિના ભ્રષ્ટ અધિકારીઓ અને નેતાઓ સામે કાર્યવાહી કરી શકે.

Anna-Hazare1
navbharattimes.indiatimes.com

રાલેગણ સિદ્ધિમાં ઉપવાસ સ્થળ પર તેમના સમર્થકોની ભીડ એકઠી થવા લાગી છે. અનેક સામાજિક સંગઠનો અને ખેડૂત સંગઠનો પણ અણ્ણા હજારેના સમર્થનમાં આગળ આવ્યા છે. વહીવટીતંત્રે સુરક્ષા અને તેમના આરોગ્યની દેખરેખ માટે પુરી વ્યવસ્થા કરી છે. ડોક્ટરોની એક ટીમ અણ્ણા હજારેના સ્વાસ્થ્ય પર સતત નજર રાખી રહી છે, કારણ કે તેમની ઉંમરને કારણે તેમના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. અણ્ણા હજારેએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, તેમનું આંદોલન કોઈ રાજકીય પક્ષ વિરુદ્ધ નથી, પરંતુ વ્યવસ્થિત સુધારા માટે છે. તેમણે યુવાનોને ભ્રષ્ટાચાર વિરુદ્ધ અવાજ ઉઠાવવા અને દેશને પ્રામાણિક નેતૃત્વ પૂરું પાડવામાં ભૂમિકા ભજવવાની અપીલ કરી હતી. અણ્ણા હજારેએ એમ પણ કહ્યું હતું કે, તેમણે સરકારને તેમની માંગણીઓ વ્યક્ત કરતા અનેક પત્રો લખ્યા છે, પરંતુ તેમને ફક્ત આશ્વાસન જ મળ્યું છે. તેમનો આરોપ છે કે ભ્રષ્ટાચાર, ખેડૂતોની સમસ્યાઓ અને જનહિતના મુદ્દાઓને  સરકારે પ્રાથમિકતા આપી નથી.

Anna-Hazare1
navbharattimes.indiatimes.com

આ પહેલી વાર નથી જ્યારે અણ્ણા હજારે ઉપવાસ પર ઉતર્યા હોય. 2011માં તેમણે દિલ્હીના જંતર-મંતર અને રામલીલા મેદાનમાં ઐતિહાસિક ઉપવાસ કર્યા હતા, જેના કારણે દેશભરમાં ભ્રષ્ટાચાર સામે ખુબ મોટું આંદોલન શરૂ થયું હતું. ત્યારપછી તેમણે 2012માં લોકપાલ માટે ઉપવાસ કર્યા હતા. 2018માં અણ્ણા હજારેએ ખેડૂતો અને લોકપાલ સંબંધિત મુદ્દાઓ પર દિલ્હીમાં ઉપવાસ કર્યા હતા. 2019માં પણ મુંબઈમાં સરકારે પોતાના વચનો પૂરા ન કર્યા ત્યારે તેમણે ભૂખ હડતાળ કરી હતી.

About The Author

Related Posts

Top News

સી.આર.પાટીલની સફળતા પાછળનું સમર્પિત એકમાત્ર વ્યક્તિત્ત્વ એટલે છોટુભાઈ પાટીલ

ગુજરાતના રાજકારણમાં સી.આર. પાટીલનું નામ આવે ત્યારે તેમની સફળતાની વાત અનિવાર્યપણે થાય છે. પરંતુ આ તમામ સિદ્ધિઓ પાછળ એક એવું...
Opinion 
સી.આર.પાટીલની સફળતા પાછળનું સમર્પિત એકમાત્ર વ્યક્તિત્ત્વ એટલે છોટુભાઈ પાટીલ

માસ્ક પહેરીને આવ્યો પતિ, પ્રેમી સાથે રહેતી પત્નીને હોસ્પિટલ પહોંચાડી દીધી

ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં, સંબંધોના ગૂંચવાયેલા તાંતણા સાથે સંકળાયેલા એક સનસનાટીભર્યા કિસ્સાએ સમગ્ર વિસ્તારને હચમચાવી દીધો છે. અહીં એક પતિએ...
National 
માસ્ક પહેરીને આવ્યો પતિ, પ્રેમી સાથે રહેતી પત્નીને હોસ્પિટલ પહોંચાડી દીધી

અભિનેત્રી મંદાના કરીમી પર ઈરાનમાં પ્રવેશ કરવા પર કેમ છે પ્રતિબંધ? બોલી- 'તે હજુ પણ મારો દેશ છે.'

18 વર્ષની ઉંમરે, મંદાના કરીમી ઈરાન છોડીને ભારત આવી ગઈ હતી. અહીંયા આવીને તેણે પોતાના કામ અને કારકિર્દી પર...
Entertainment 
અભિનેત્રી મંદાના કરીમી પર ઈરાનમાં પ્રવેશ કરવા પર કેમ છે પ્રતિબંધ? બોલી- 'તે હજુ પણ મારો દેશ છે.'

જબરદસ્ત ફીચર્સ સાથે આવી રહ્યો છે OnePlus 15T, 7,500mAh બેટરી, 100W ચાર્જિંગ, સ્નેપડ્રેગન 8 એલીટ પ્રોસેસર...

OnePlusના આગામી કોમ્પેક્ટ ફ્લેગશિપ, OnePlus 15T વિશે નવી માહિતી બહાર આવી છે. કંપનીના ચીનના પ્રમુખ, લી જીએ...
Tech and Auto 
જબરદસ્ત ફીચર્સ સાથે આવી રહ્યો છે OnePlus 15T, 7,500mAh બેટરી, 100W ચાર્જિંગ, સ્નેપડ્રેગન 8 એલીટ પ્રોસેસર...

Opinion

સી.આર.પાટીલની સફળતા પાછળનું સમર્પિત એકમાત્ર વ્યક્તિત્ત્વ એટલે છોટુભાઈ પાટીલ સી.આર.પાટીલની સફળતા પાછળનું સમર્પિત એકમાત્ર વ્યક્તિત્ત્વ એટલે છોટુભાઈ પાટીલ
ગુજરાતના રાજકારણમાં સી.આર. પાટીલનું નામ આવે ત્યારે તેમની સફળતાની વાત અનિવાર્યપણે થાય છે. પરંતુ આ તમામ સિદ્ધિઓ પાછળ એક એવું...
ભુપેન્દ્રભાઈ પટેલ: વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓની રાજનીતિથી દૂર રહેનાર મુખ્યમંત્રી
ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
Copyright (c) Khabarchhe All Rights Reserved.